Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 140
________________ આપ્તવાણી-૮ કહ્યું કે દેહ સાથે એકાત્મતા થઈ ગઈ છે. તો એ એકાત્મતા છે જ એવું જાણ્યું શી રીતે ? ૨૪૫ દાદાશ્રી : ‘મૂળ આત્મા’ જુદો છેને, એટલે જ એ જાણે છે. મૂળ આત્મા આનાથી જુદો છે. ‘તમારો’ માનેલો આત્મા એ ‘મિકેનિકલ આત્મા’ છે. એને કેટલાંક લોકોએ ‘વ્યવહાર આત્મા' કહ્યો. એને આપણે વળી ‘પ્રતિષ્ઠિત આત્મા' કહ્યો. પણ એ આત્માને ‘તમે’ માનો છો કે ‘આ હું છું.' આ ખાય છે, પીવે છે, ઊંઘે છે, તેને ‘તમે’ એમ માનો છો કે ‘હું ઊંઘી ગયો.’ અને તેને જ આત્મા કહેવામાં આવે છે, પણ એ ‘વ્યવહાર આત્મા’ છે. ‘ખરો આત્મા’ આ સંસારની બાબતમાં પડતો જ નથી. ‘ખરો આત્મા’ આ બધું ‘જાણ્યા’ જ કરે છે ને ‘એ’ ‘જાણે’ છે ને, તેથી ‘તમને’ મહીં ‘ખબર’ પડે છે કે આ મને દેહાધ્યાસ જ વર્તે છે, તન્મયાકાર પરિણામ જ વર્તે છે.' એટલે આ જાણ્યું કોણે ? જાણનારે જાણ્યું ! તન્મયાકાર પરિણામ ભોગવનારે ભોગવ્યું ! ત્યારે એ જાણનાર કેવો જબરો હશે ! એ જાણનારને એક ફેરો ઓળખે તો થઈ રહ્યું ! એક જ ફેરો ઓળખાણ થયું કે કામ થઈ ગયું. અરૂપીતે અરૂપીતો સાક્ષાત્કાર ! પ્રશ્નકર્તા : આત્મા અરૂપી છે, તો એનો સાક્ષાત્કાર કેવી રીતે થાય ? દાદાશ્રી : એવું છે ને, સાક્ષાત્કાર કરનારો ય ‘પોતે’ અરૂપી છે. એ સાક્ષાત્કાર કરનાર રૂપી નથી. એટલે સ્વભાવે સ્વભાવ મળી જાય. પ્રશ્નકર્તા : સાક્ષાત્કાર થાય ત્યારે શું થાય ? દાદાશ્રી : એકદમ જાગૃતિ વધી જાય. કૃપાળુદેવે શું કહ્યું છે, વર્તે નિજ સ્વભાવનું, અનુભવ-લક્ષ-પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.’ એટલે જ્યારે સાક્ષાત્કાર થાય ને ત્યારે વૃત્તિઓ પછી પાછી આવતી રહે અને નિજ સ્વભાવમાં વર્તે ! વૃત્તિઓ બહાર ગઈ હોય તો ય તરત પાછી આવી જાય અને આ તો વૃત્તિઓને પાછી બોલાવવી હોય તો ય આવે નહીં અને કેટલીક તો ઘરની બહાર જ પડી રહી હોય ! ૨૪૬ આપ્તવાણી-૮ અનુભવ જુદો ! સાક્ષાત્કાર જુદું ! પ્રશ્નકર્તા : આત્માનુભવ અને આત્મસાક્ષાત્કાર, એ બે શબ્દો જે જુદા પડ્યા, એની વચ્ચે ‘ડિફરન્સ’ શું ? દાદાશ્રી : સાક્ષાત્કાર એ જુદી વસ્તુ છે અને અનુભવ તો, આગળ વધે ત્યારે અનુભવ કહેવાય. પ્રશ્નકર્તા : તો સાક્ષાત્કાર કોને કહે છે આ લોકો ? દાદાશ્રી : ‘આ’ જ્ઞાન આપીએ છીએ ને એ સાક્ષાત્કાર કહેવાય. પ્રશ્નકર્તા : તો સાક્ષાત્કાર એ પ્રતીતિથી ય નીચું થયું ? દાદાશ્રી : સાક્ષાત્કાર થાય એટલે ‘એને’ પ્રતીતિ બેસે. નહીં તો ‘એની’ ‘હું ચંદુભાઈ છું’ એ પ્રતીતિ જાય નહીં ને ! ‘અનુભવી’ જ કરાવે, આત્માનુભવ ! પ્રશ્નકર્તા : આત્માનો અનુભવ કર્યો ગુંઠાણે થાય ? દાદાશ્રી : આત્માનો અનુભવ ચોથે ગુંઠાણે પણ થાય, પાંચમે થાય કે છઢે થાય. પ્રશ્નકર્તા : આ કાળમાં આત્માનો અનુભવ થાય કે નહીં ? દાદાશ્રી : આ કાળમાં આત્માનો અનુભવ થાય છે અને લગભગ દશ-બાર હજાર માણસોને થયેલું છે આ ! ‘આ’ બધાં ‘અહીં’ બેઠાં છે ને એમને બધાંને આત્માનો અનુભવ છે. ‘અનુભવી પુરુષ’ મળવા જોઈએ. તો આત્માનો અનુભવ થાય, નહીં તો થાય નહીં. કોઈ લાખ અવતારે ય થાય નહીં. એ સહેલી વસ્તુ નથી. એટલે અનુભવી પુરુષ મળે નહીં, ત્યાં સુધી કામ થાય નહીં. તા ટકે તે આત્માનુભવ નહીં ! પ્રશ્નકર્તા : એ આત્માનો અનુભવ કેટલો સમય ટકે ?

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171