Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 138
________________ આપ્તવાણી-૮ ૨૪૧ ૨૪૨ આપ્તવાણી-૮ અને તેમાં દહાડા વળે નહીં. એ પછી લાખ અવતાર થાય તો ય દહાડો વળે નહીં ? પ્રશ્નકર્તા : એવી અનુભૂતિવાળી કોઈ વ્યક્તિ જ અત્યારે દુનિયામાં નહીં હોય ? દાદાશ્રી : એવી વ્યક્તિ હોતી જ નથી. જેને અનુભૂતિ થઈને, એ પરમાત્મા થઈ ગયા. તેવા પરમાત્મા છે અહીં ? પ્રશ્નકર્તા : કદાચ હોય તો ય આપણે ઓળખી ના શકીએને ? દાદાશ્રી : ના, તરત જ ખબર પડી જાય. કોઈક દહાડો બે અક્ષરે ય બોલેને તો માલમ પડી જાય અને પાંચ શિષ્યોને ય ઠંડા પાડ્યા હોય, એમને મતભેદ જતો રહ્યો હોય. એવું છે, આત્મા જલ્દી જણાય એવો નથી. ચેતન જાણવાને માટે મનુષ્ય પાસે એવું કોઈપણ સાધન નથી કે ચેતન જાણી શકે એ ! પ્રશ્નકર્તા : તો પછી એ જાણવા માટે પ્રયત્ન ના કરવો ? દાદાશ્રી : પ્રયત્ન જે કરે છે, એમને કોઈ સત્તા પોતાના હાથમાં નથી ! આ તો તમને એમ લાગે છે કે, આ બધું હું ચલાવું છું ને હું જ ઊંઘી જઉ છું, હું ઉઠું છું, મેં પ્રયત્નો કર્યા એવું જ લાગે છે ને, એ બધી પરસત્તા છે. એને તમે પોતાની સત્તા માનો છો. ચેતન’ તો ફક્ત દિવ્યચક્ષુ સિવાય જણાય નહીં અને દિવ્યચક્ષુ ‘જ્ઞાની પુરુષ'ની કૃપાથી પ્રાપ્ત થાય ! એવું છે, અત્યારે આપને મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાદર્શન એટલે નાશવંત ચીજોને જ દેખાડે, અવિનાશીને ના દેખાડે. એટલે તમે ચેતન જોઈ શકો જ નહીં ને ! એવું સમજાયું તમને ?! પ્રશ્નકર્તા : આત્માનુભવ એટલે જ સમ્યગ્દર્શન ને ? દાદાશ્રી : કષાયો ઉપશમ થઈ જાય. બિલકુલ કષાય ના રહે ને અડતાળીસ મિનિટ આનંદ દેખાય, એને સમ્યક્દર્શન કહે છે. કષાયો ઉપશમ થઈ જાય એ પણ અડતાળીસ જ મિનિટ, ઓગણપચાસ મિનિટ નહીં. પ્રશ્નકર્તા : કપાયો ઉપશમ થવું, એ શાની ઉપર આધાર રાખે છે ? દાદાશ્રી : આજુબાજુના સંજોગો ઉપર આધાર રાખે છે. અને એનું એક જ કારણ છે, એવું નથી. ગમે તે કારણથી, કંઈ જોવાથી પણ એને કષાયો ઉપશમ થઈ ગયા હોય. દેહાધ્યાસ છૂટ્ય આત્માનુભવ ! પ્રશ્નકર્તા : આત્મદર્શન થયું તે કેવી રીતે માલમ પડે ? દાદાશ્રી : આ દેહાધ્યાસ છે તે માલમ પડે છે કે નથી પડતો તમને ? ‘હું ચંદુભાઈ છું” એ ના માલમ પડ્યું ? ‘આ બાઈનો ધણી થઉં એવું નથી માલમ પડતું ? છોકરો તમારો જુઓ, એટલે તમને તરત જ જ્ઞાન હાજર થઈ જાય કે ‘હું આનો બાપ થઉં' કે ભૂલી જવાય છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : દેહાધ્યાસ છે ત્યારે આ બધું હાજર થાય. તો આત્મદર્શન થાય ત્યારે પેલું બધું હાજર થાય. અજ્ઞાનમાં આ બધું હાજર થાય છે ને જ્ઞાનમાં પેલું બધું હાજર થાય છે ! જેનો દેહાધ્યાસ છૂટ્યો હોય ત્યાં આત્માની અનુભૂતિ હોય. હિન્દુસ્તાનમાં દીવો લઈને ખોળશો તો ય દેહાધ્યાસ છૂટેલો હોય એવો માણસ નહીં જડે. દીવો લઈને ખોળ ખોળ કરશો, ગુફાઓમાં ખોળશો તો ય જડશે નહીં, ગુફાઓમાં એવાં તો હોય જ નહીં. ગુફાઓમાં તો તપ કર્યા કરે ! ગુફાઓમાં હંમેશા ય જ્ઞાન ના હોય ! એટલે દેહાધ્યાસ એનો ગયો હોય ત્યારે આપણે જાણવું કે એ અનુભૂતિ છે, નહીં તો અનુભૂતિ ના હોય. હવે દેહાધ્યાસ ગયેલો હોય તેને શું શું ગયેલું હોય ? અહંકાર અને મમતા બેઉ ગયેલાં હોય. તે ય અમુક અંશે ગયેલાં હોય, સવશે ગયેલાં હોય નહીં. વખતે અહંકાર ઓછો કરેલો માણસ દેખાશે, પણ મમતા કોઈની ય ઘટી નથી.

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171