Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 136
________________ આપ્તવાણી-૮ ગરીબાઈ આવી જાય ! પ્રશ્નકર્તા : સંસારનું પૂછો છો ને ? એટલે સંસાર માટે તો ત્યાગ જ જરૂરનો ! ગ્રહણ વસ્તુ જે કરવાની હોય તે તો આપણે કરીએ જ. દાદાશ્રી : ગ્રહણ વસ્તુ જ અઘરી છે. બાકી, ત્યાગ તો બધો થઈ શકે. પ્રશ્નકર્તા : ત્યાગે ય ના થઈ શકે. ત્યાગ કેવી રીતે થઈ શકે ? ઉપરનો ત્યાગ જુદો, અંતરનો ત્યાગ જુદો. ત્યાગ તો અંતરથી જોઈએ ને ? ૨૩૭ દાદાશ્રી : અંતરનો ત્યાગ જોઈએ, તો એ થઈ શકે બધો. એ તો બહુ જણ કરનારા છે. ગ્રહણ શું કર્યું એ જોવાનું છે, ત્યાગ થાયને, તો એ જગ્યામાં વેક્યુમ રહે, તો ત્યાં મૂકવું શું ? પ્રશ્નકર્તા : ત્યાં એક જ ‘સર્વ ખલ્વિદમ્ બ્રહ્મ.’ બીજું શું હોય ? દાદાશ્રી : પણ બ્રહ્મ એટલે શું ? પ્રશ્નકર્તા : બ્રહ્મ એટલે આત્મા. દાદાશ્રી : બ્રહ્મ શી રીતે થાય ? બ્રહ્મ પ્રગટ ના થાયને ! કારણ કે બ્રહ્મ તો પ્રગટ ક્યારે થાય ? ક્રોધ-માન-માયા-લોભ ને મમતા જાય ત્યારે બ્રહ્મ પ્રગટ થાય, નહીં તો ત્યાં સુધી પ્રગટ જ ના થાય ને ! ત્યાં સુધી દેહાધ્યાસ છૂટે નહીં ને ! પ્રશ્નકર્તા : હવે મારામાં શું ઉણપ છે એ તમે જોઈ શકો છો, હું શી રીતે કહી શકું ? દાદાશ્રી : ના, ઉણપ અમે શું કરવા જોઈએ ? ઉણપ તમને પોતાને જ દેખાવી જોઈએ કે હજુ મને કંઈક લોભ છે કે મને ક્રોધ છે, એવું તમને પોતાને જ દેખાય. તમને ક્રોધ-માન-માયા-લોભ કશું છે નહીં ને ? હમણે કોઈક છંછેડે તો ? એવું છે, કોઈ માણસ ઉધના સ્ટેશને બેસી રહેલો હોય અને કહે કે મારે આ વેસ્ટર્ન રેલવેના જે છેલ્લા સ્ટેશને જવું હતું, તે પહોંચી ગયો આપ્તવાણી-૮ ૨૩૮ છું. તો હું કહું કે, “ભઈ, અહીં ના બેસી રહીશ. આગળ બહુ જવાનું છે.’ અને હું કહું કે ‘ગાડીમાં ચઢી બેસ, છાનોમાનો !' એટલે મારો ધંધો શો ? કે જ્યાં ને ત્યાં બેસી રહ્યા હોય ત્યાં ઉઠાડીને પછી બેસાડું એને. આ મારો ધંધો છે. બધું મનમાં માની બેસીએ એમાં કશું વળે નહીં. પ્રશ્નકર્તા ઃ મારે હવે નિવૃત્તિમાં જવાનો વિચાર છે, તો તે માર્ગે તેના ઉપર મને સ્થિર કરો. એ સિવાય મારે બીજું કંઈ જોઈતું નથી. દાદાશ્રી : બરોબર છે. એ તો કરી આપીશું. તમારી વાત સાચી છે. સંસાર રોગ જાય તો જ કામનું ને ! એવું છે ને, સંસાર રોગ જાય એવો નથી આ ! આ સંસાર રોગ એવી વસ્તુ નથી કે જાય. આ બાજુનો રોગ ઓછો થાય ત્યારે પેલી બાજુનો રોગ ભેગો થાય. પ્રશ્નકર્તા : એ તો જિંદગીમાં આ બધું ચાલ્યા જ કરવાનું. દાદાશ્રી : હા, ચાલ્યા જ કરવાનું, તે જ કહું છું ને ! એટલે આ તો નામ છૂટે નહીં, મમતા છૂટે નહીં. ત્યાં મૂક્યું હોયને, તો તે યાદ રહ્યા કરે. યાદ રહે છે, એનું શું કારણ ? ત્યાં તાર જોઈન્ટ કર્યો છે ? તાર જોડ્યો છે ? પણ ના. વગર તારે યાદ રહ્યા કરે, લક્ષમાં રહ્યા કરે. ફલાણી જગ્યાએ આ મૂક્યું છે, ફલાણી જગ્યાએ આ મૂક્યું છે. પ્રશ્નકર્તા : પણ મૂકે તો યાદ કરે ને ? મૂકે જ ના, તો પછી યાદ શું કરવાનું તે ? દાદાશ્રી : ના, એવું હું તમને નથી કહેતો. આ તો બધી સાહિજક વાત કરું છું. કોઈ એક જણને અમારાથી કહેવાય નહીં. પણ આ બધું તપાસ કરવું પડે. અને ઉધના સ્ટેશને ત્યાં આગળ બેસી રહીએ અને માનીએ કે વેસ્ટર્ન રેલવેનું છેલ્લું સ્ટેશન આવી ગયું, એટલે પૂરું થઈ ગયું એવું માનીએ તો કંઈ દહાડો વળે ? પ્રશ્નકર્તા : પણ ક્યાં જવું એ નક્કી હોવું જોઈએ ને ? દાદાશ્રી : એ તો બધા લોકો જાણે છે કે અમારે મુક્તિ જોઈએ છે, અમારે મોક્ષ જોઈએ છે. એ શબ્દોથી જાણે છે. લોકો જાણે કે અમારે

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171