Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 130
________________ આપ્તવાણી-૮ મનુષ્યપણાની વધારે શક્તિઓ વ્યક્ત થઈ નથી. એટલે સામાન્ય મનુષ્યમાં જ ખપ્યા કરે. ૨૨૫ આવા કાળમાં પ્રયત્નોથી પ્રાપ્તિ શક્ય ? પ્રશ્નકર્તા : એના માટે કંઈ પ્રયત્ન કરવાનો ખરો ? દાદાશ્રી : પ્રયત્ન કરવાનો તમારાથી થશે નહીં. કારણ કે તમે પોતે વ્યગ્ર થઈ ગયા છો એટલે પ્રયત્ન થઈ શકે નહીં. એ તો સંપૂર્ણ એકાગ્ર હોય તો હું બતાવી દઉં. પણ એવું એકાગ્ર આ કાળમાં માણસ રહી શકે નહીં ને આ કાળમાં આટલી ભીડમાં, આવા તોફાની કાળમાં માણસ એકાગ્ર કેમ કરીને રહી શકે ? એટલે હું પહેલાં તમારા પાપ ધોઈ આપું છું, પછી તમને ‘રાઈટ બીલિફ’ બેસાડી આપું છું. પ્રશ્નકર્તા : પ્રગતિ કરવા માટે એકાગ્રતાની જરૂર ખરી ? દાદાશ્રી : એવું છે ને, એકાગ્રતાવાળી દવાઓ છે, એ ‘હેલ્સિંગ’ છે. આ જગતમાં કોઈ વસ્તુ ખોટી છે જ નહીં. આ વસ્તુઓ બધી ‘હેલ્સિંગ’ છે. પણ જો પોતાને સંપૂર્ણ સ્વતંત્ર થવું હોય, એટલી જ તમન્ના હોય. ‘સાકર મીઠી છે’ એમાં મીઠી એટલે શું, એનું જ ભાન કરવું હોય; તો પછી એણે છેલ્લી વાત કરવા અહીં આવવું. નહીં તો આ બીજાં બધા ઉપાય છે અને એ ‘સ્ટેમ્પિંગ' છે !! ક્રિયા તહીં, ભાત ફેરવવાનું છે ! પ્રશ્નકર્તા : સંસારની જવાબદારીઓમાં બંધાયેલ માનવી આત્મા કેવી રીતે પામી શકે ? દાદાશ્રી : ‘ચંદુલાલ’ અને ‘આત્મા’, બે સાવ તદન જુદાં જ છે અને પોતપોતાનાં જુદા ગુણધર્મ બતાવે છે. એ જો ‘જ્ઞાની’ પાસેથી સમજી લેવામાં આવે તો સંસારની જવાબદારીઓ સારી રીતે ચાલી શકે અને ‘આ’ પણ ચાલી શકે. જ્ઞાનીઓ પણ ખાય, પીવે, નહાય, ધૂએ બધું જ કરે. તમારા જેવી જ ક્રિયાઓ કરે, પણ ‘હું કરતો નથી’ એ ભાન હોય. અને અજ્ઞાન દશામાં ‘હું કરું છું' એ ભાન હોય. એટલે ખાલી ભાનમાં જ ફેર છે. ૨૨૬ આપ્તવાણી-૮ આત્મવિકાસમાં તા હોય પ્રતિકૂળતા કદી ! પ્રશ્નકર્તા : પણ અંતરની ઇચ્છા હોય છતાં આત્મવિકાસના કાર્યમાં પ્રતિકૂળતા કેમ વધારે જણાય છે ? દાદાશ્રી : આત્મવિકાસના કાર્યમાં પ્રતિકૂળતા કોઈ દહાડો હોતી જ નથી. ફક્ત એની અંતરની ઇચ્છા જ હોતી નથી. જો અંતરની ઇચ્છા હોયને તો આત્મવિકાસનાં કાર્યમાં પ્રતિકૂળતા હોતી નથી. આ તો ‘એને’ આ દુનિયા ઉપર વધારે ભાવ છે ને આસક્તિ છે. એટલે આમાં પ્રતિકૂળતા લાગે છે. બાકી આત્મા પ્રાપ્ત કરવો એ તો સહજ છે, સરળ છે, સુગમ છે. આત્માને પોતાને ગામ જવાને માટે વાર જ શી લાગે ? મેં ખેડૂતને પૂછેલું કે, ‘આ બળદને અહીંથી ખેતરમાં લઈ જતી વખતે બળદનો શું સ્વભાવ હોય છે ?” ત્યારે કહે, અમે ખેતરમાં લઈ જઈએ, તે ઘડીએ એ ધીમે ધીમે ચાલે.’ ‘અને પાછું ઘેર આવતી વખતે ?’ ત્યારે કહે, ઘેર ? એ તો સમજી જાય કે ઘરે જ જઈએ છીએ કે ઝપાટાબંધ ચાલે !' એવી રીતે આત્મા, મોક્ષે જવાનું છે, એવું જાણ્યું ત્યારથી ઝપાટાબંધ ચાલે. પોતાને ઘેર જવાનો છે ને ! અને બીજે બધે તો ધીમે ધીમે પરાણે ચાલે !! ‘પ્રત્યક્ષ’ પાસે, લાભ ઉઠાવી લો ! પ્રશ્નકર્તા : દેહાતીત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કેટલો ? અને ઇશ્વરકૃપા કેટલી ? દાદાશ્રી : ઇશ્વરની કૃપા તો બધા સંજોગ ભેગા કરી આપે. ઇશ્વરકૃપા થાય ત્યારે દેહાતીત દશા પ્રાપ્ત કરવા માટે દેહાતીત એવાં પુરુષ મળી આવે, તો એ દેહાતીત પ્રાપ્તિ કરાવડાવે !! છતાં ય દેહાતીત હોય તો ય એ દેહાતીત પ્રાપ્તિ ન કરાવી શકે. એ તો કોઈક જ ફેરો એવાં ‘જ્ઞાની પુરુષ’ હોય તો જ આપણને દેહાતીત બનાવી શકે. બાકી દેહાતીત થવું સહેલું નથી ! પ્રશ્નકર્તા : દેહાતીત પ્રાપ્તિ માટે ઇશ્વરકૃપા પ્રાપ્ત થાય, એનાં માટે

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171