Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 125
________________ આપ્તવાણી-૮ જેટલા પ્રશ્નો પૂછવા હોય તેટલા પ્રશ્નો પૂછો, ખુલાસો આપવા અમે તૈયાર છીએ. જે નિર્ણય કરવો હોય તે પણ અહીં થાય એવું છે. પણ તે નિર્ણય પહેલો કરવો, તે વખતે જ ચોકસાઈ કરવાની છે. અને એક ફેરો નિર્ણય કર્યા પછી ચોકસાઈની કંઈ જરૂર રહેતી નથી. એટલે ઉતાવળે નિર્ણય બાંધવાની જરૂર નથી. કારણ કે આ તો અનંત અવતારની ભૂલ ભાંગવાની છે. અનંત અવતારથી જે ભૂલ ભાંગી નથી, તે ભૂલ ભાંગવાની છે અને કઈ ભૂલ થઈ છે અનંત અવતારથી ? અનાદિ કાળથી આત્મસ્વરૂપનો નિર્ણય થવાની ભૂલ થતી આવેલી છે, તે ભાંગવાની છે. એટલે એમાં ઉતાવળ કરવાની હોય જ નહીં ને ! ૨૧૫ એ આત્મસ્વરૂપ એવું છે કે તમારી દ્રષ્ટિમાં આવશે નહીં. હવે તમારું પોતાનું જ્ઞાન અમુક સુધી જાણે છે, તેની આગળ આત્મસ્વરૂપ ઘણું છેટું છે. એટલે તમારું પોતાનું જ્ઞાને ય ત્યાં પહોંચી શકશે નહીં. જ્યાં તમારી દ્રષ્ટિ પહોંચતી નથી, જ્યાં તમારું જ્ઞાન પહોંચતું નથી, એવું ‘પોતાનું’ સ્વરૂપ છે, એ ‘આત્મસ્વરૂપ’ છે ! એટલે ‘હું કોણ છું’ એ જાણવું, એ જ પોતાનું સ્વરૂપ છે. અને એ ‘જ્ઞાની પુરુષ' એકલા જ ‘રીયલાઈઝ’ કરાવી આપે. પછી મરવાજન્મવાનું હોય જ નહીં ને !! પછી મરવાનું તે દેહ મરે, ‘પોતાને’ મરવાનું નહીં. ને એક-બે અવતારમાં મોક્ષ થઈ જાય. સહુ સાધત બંધત બન્યા ! પ્રશ્નકર્તા : આપ એવું સાધન બતાવી શકો કે જેથી આત્મજ્ઞાન થાય ? દાદાશ્રી : સાધન તો ઘણાં જાણ્યાં છે, પણ જીવ સાધનોમાં જ અટવાઈ રહેલો છે. જે સાધન હોય છે ને, તે સાધનમાં જ લોકોને પછી અભિનિવેષ થઈ જાય છે. કોઈ પણ પ્રકારનો રોગ ના પેસે એવો જાગૃત હોય, ‘એલર્ટ’ હોય તો કંઈક આગળ ચાલે. બાકી સાધનોમાં જ અટવાઈ જઈને અભિનિવેષ થઈ જાય છે. એટલે જેમનો છૂટકારો થયેલો છે એવાં ‘જ્ઞાની પુરુષ’ મળે તો કંઈ આપણો છૂટકારો કરાવડાવે. નહીં તો ત્યાં સુધી આપ્તવાણી-૮ સંત પુરુષો પાસે બેસી રહેવાય, તો એના જેવી ય મોટી પુણ્યે કોઈ નથી. બાકી સંસારના ત્રિવિધ તાપમાંથી શી રીતે છટકે ? છતાં એ સંતો પાણી છાંટ છાંટ કરે છે, તેનાથી ઠંડક રહે. ૨૧૬ પ્રશ્નકર્તા : છતાં કોઈ પણ સાધનના સહારા વગર આગળ કેવી રીતે વધી શકાય ? કંઈક સાધન તો જોઈએ ને ? દાદાશ્રી : બધા સાધનો જ બંધન થઈ પડ્યા છે. તમને બાંધ્યા છે કોણે ? સાધનોએ જ તમને બાંધ્યા છે. જેટલાં જેટલાં આ લોકોએ સાધન કર્યાં છે ને, એ સાધનોએ જ એમને બાંધ્યા છે. પ્રશ્નકર્તા : તો આગળ કયા વિચારે કરીને વધવું ? ને ગૂંચવાડામાંથી નીકળાય કેવી રીતે ? દાદાશ્રી : એવું છે ને, કોઈ કહેશે, ‘આ આકાશ પુષ્પ તમે જોયું હતું ?” તો તમે શું કહો ? પ્રશ્નકર્તા : ‘એ તો ભ્રમણા છે’ એવું કહું. દાદાશ્રી : તો આ તો આત્મા છે, એ શી રીતે જડે ? એ કંઈ કલ્પિત વસ્તુ નથી. એટલે આત્મા કઈ રીતે જાણશો ? આત્મા તો પોતે જ વિજ્ઞાન છે. અને તમે જે બધા સાધનો કરો છો, જ્ઞાનનાં સાધનો કરો છો અને એ જ્ઞાન પણ શુષ્કજ્ઞાન છે. એટલે તમારે એમાં બધું કરવું પડે. અને વિજ્ઞાન તો ‘ઇટસેલ્ફ’ ક્રિયાકારી હોય, ખુદ જ કામ કર્યા કરે, તમારે કશું નહીં કરવાનું. અને વિજ્ઞાનથી આત્મા જણાય એવો છે. બીજું કોઈ એવું સાધન નથી કે આત્મા જણાય ! આ તમને સાધન બતાવ્યું. હવે આ વિજ્ઞાન એ તમે કરી લેશો ? પ્રશ્નકર્તા : ખબર ના પડી, કયું વિજ્ઞાન ? દાદાશ્રી : આત્મવિજ્ઞાન ! આત્મવિજ્ઞાન એટલે આત્મા પ્રાપ્ત કરવાનું જે વિજ્ઞાન છે, એ વિજ્ઞાન હોય તો જ આત્મા પ્રાપ્ત થાય એવો

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171