Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 127
________________ આપ્તવાણી-૮ ૨૧૯ ૨૨૦ આપ્તવાણી-૮ છો, તો સમજવાની કોશિશ શી રીતે કરશો? અને ખરેખર ‘તમે' ચંદુભાઈ છો જ નહીં. ચંદુભાઈ તો તમારું નામ છે. ‘તમે આ બાબાના ‘ફાધર’ છો, એ પણ વ્યવહાર છે. અને એ બધું તો અમે કબૂલ કરીએ જ છીએને ! એમાં નવી વાત શું છે ? એ તો ઓળખવા માટેનું સાધન છે ! એટલે ‘તમે કોણ છો', એની તપાસ તો ‘જ્ઞાની પુરુષ' પાસેથી કરવી જોઈએ, એનું ‘રીયલાઈઝ' કરવું જોઈએ ! આ તો પાસ્કી ટપાલ “પોતે' લીધી ? દાદાશ્રી : તમને તો “હું ચંદુભાઈ છું', એ ખાતરી જ છે ને ! પ્રશ્નકર્તા : ના, એ તો લોક વાયકાનું નામ છે. બાકી ‘હું એક આત્મા છું' બસ, બીજું કંઈ નહીં ! દાદાશ્રી : હા, આત્મા છો. પણ ચંદુભાઈને ગાળ દે તો એમની ટપાલ તમે લેતાં નથી ને ? લઈ લો છો, તો તો તમે ચંદુભાઈ છો. પછી લોકવાયકા ના કહેવાય. ચંદુભાઈને ગાળ દે ને તમે શાની ટપાલ લો છો ? માટે તમે ચંદુભાઈ થયાં છો. પ્રશ્નકર્તા : વ્યવહારમાં રહેવા તો બધું કરવું પડે ને ! દાદાશ્રી : ના. વ્યવહારમાં રહેવાનું. પણ ચંદુભાઈની ટપાલ તમારાથી લેવાય નહીં. એમ કહેવાય કે, ‘ભાઈ, આ ચંદુભાઈની ટપાલ છે. મને વાંધો નથી. તમારે જેટલી ગાળો દેવી હોય એટલી દો.” પણ આ તો તમે ચંદુભાઈ થઈને રહો છો. ચંદુભાઈનાં ઇનામ તમારે ખાવાં છે અને પછી કહો છો ‘હું આત્મા છું'. એટલે કંઈ આત્મા થઈ જાય એવું બને ? સંસારમાં “અસંગતા', કૃપાથી પ્રાપ્ત ! દાદાશ્રી : આ ‘તમે આત્મા છો’ એવી ખાતરી શી રીતે તમને થઈ ? પ્રશ્નકર્તા : એને માટે આપના જેવા ગુરૂ આગળ જઈએ, ત્યાં દેહ અને આત્મા અલગ કેવી રીતે છે, એવો ઉપદેશ બધો સાંભળેલો છે. બાકી અમે અને તમે, આમાં ઘણો ફરકને ? અમે એટલે સંસારી, મોહ-માયામાં રહેલા માણસો.... દાદાશ્રી : અને અમે હોય સંસારી ? અમે ય સંસારી જ છીએ. આ દુનિયામાં જે સંડાસ જાયને એ બધા ય સંસારી. જેને સંડાસ જવાની જરૂર પડે, ને જે સંડાસ ખોળે એ બધા જ સંસારી કહેવાય. પ્રશ્નકર્તા : પણ અમારા જેવાને સંસારમાં રહીને આત્મજ્ઞાન મળે, મોક્ષ થાય, એ કેવું ? દાદાશ્રી : એવું છે ને, સંસાર બે પ્રકારનો છે. ત્યાગી એ ય સંસાર છે અને ગૃહસ્થી એ ય સંસાર છે. બન્ને પ્રકારના સંસાર છે. ત્યાગવાળાને મારે આનો ત્યાગ છે, આનો ત્યાગ છે” એવું જ્ઞાન વર્તે. અને ગૃહસ્થીઓને ‘આ હું લઉં છું, આ હું દઉં છું, આ ગ્રહણ કરવાનું છે એવું જ્ઞાન અને વર્તે છે. પણ જો આત્મા જાણ્યો તો મોક્ષ થઈ જશે. પ્રશ્નકર્તા: પણ સંસારમાં રહીને, સંસારની ફરજો બજાવતાં બજાવતાં પણ એનાથી અલિપ્ત રહી શકાય ? દાદાશ્રી : એ જ “જ્ઞાની પુરુષ'ની પાસે હોય ને ! ‘જ્ઞાની પુરુષ'ની પાસે ‘વિજ્ઞાન’ હોય તે આપ, પછી એનાથી સંસારનું ય થઈ શકે અને આત્માનું ય થઈ શકે. “જ્ઞાની પુરુષ' પાસે એવું વિજ્ઞાન હોય. હું તમારી સાથે વાતચીત કરી શકું છું. એટલે સંસારમાં ય રહી શકું છું અને હું મારા પોતાનામાં ય રહી શકું છું. બેઉ કરી શકું છું. આ સંસારની ક્રિયાઓ બધી કરવાની હોય છે, તે ય કરું છું. સંસારમાં ય રહેવાય ને આત્મામાં ય રહેવાય !! “જ્ઞાની પુરુષ' પાસે બધું ‘વિજ્ઞાન’ હોય, એ શાસ્ત્રમાં ના હોય. શાસ્ત્રમાં તો આ બધું છોડે જ છૂટકો થાય !! આવાં લોક ભેગાં રહેવું ને દહાડા કાઢવા અને કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, તે શી રીતે રહેવું ? તે બધી વિદ્યા હું તમને શીખવાડી દઈશ. લેપાયમાન થાય નહીં, એવી વિદ્યા હું બતાવી દઈશ. નહીં તો આ જગત તો લેપાયમાન જ છે. જેમ કમળ પાણીમાં હોય અને નિર્લેપ રહે છે ને, તેવી રીતે નિર્લેપતા તમને બતાવી દઈશ.

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171