________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
એટલે અહીંથી નીકળતાં ય વાર ના લાગે. હવે ત્યાં આગળ એવો ટાઇમ ના બેઠો હોય ને, ત્યાં સુધી અહીં આગળ આ દેહમાં ઉંઉંઉ કર્યા કરે. ‘કેમ નીકળતા નથી ? જલદી જાવ ને’ કહીએ. ત્યારે કહેશે, “ના હજુ તૈયારી નથી ત્યાં થયેલી !' એટલે છેલ્લી ઘડીએ ઉંઉંઉં કરે છે ને ? ત્યાં આગળ ‘એડજસ્ટસ” થાય ત્યાર પછી અહીંથી નીકળે. પણ નીકળે ત્યારે ત્યાં આગળ પદ્ધતિસર જ હોય.
જિંદગીતા સરવૈયા પ્રમાણે ગતિ ! પ્રશ્નકર્તા : મરતાં પહેલાં જેવી વાસના હોય, એ રૂપે જન્મ થાય
છે ત્યારે આત્માને ક્યાં જવાનું એ એના પોતાના અધિકારમાં નથી. એ ય “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ'ના તાબામાં છે. એટલે જ્યાં ‘એવિડન્સ' લઇ જાય ત્યાં એને જવાનું. ‘પરમેનન્ટ’ વસ્તુ આની મહીં આત્મા એકલી જ છે, બીજું બધું ‘ટેમ્પરરી' છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું જ ‘ટેમ્પરરી’ છે. અને આત્મા તો એવો છે કે, એ આ શરીરથી બિલકુલ જુદો છે. જેમ આ કપડું ને મારો દેહ જુદા છે ને ? એટલું બધું દેહ ને આત્મા જુદા છે, તદ્ન જુદા છે.
કુદરતમાં કેટલાંય “એડજસ્ટમેન્ટ્સ' ! પ્રશ્નકર્તા : મૃત્યુ વખતે એક દેહ છોડતો હોય અને એ બીજા દેહમાં જતા પહેલાં ક્યાં, કેટલો વખત અને કેવી રીતે રહે છે ? બીજા દેહમાં જતાં દરેક જીવને કેટલો વખત લાગે છે ?
દાદાશ્રી : એનો સમય જ નથી લાગતો બિલકુલ ય. અહીં દેહમાં પણ હોય છે અને ત્યાં યોનિમાં શરૂ હોય છે. મરનારો અહીં વડોદરામાં અને યોનિ ત્યાં દિલ્હીમાં હોય, તો એ યોનિમાં પણ હોય છે અને અહીં આ દેહમાં પણ હોય છે. એટલે આમાં ટાઇમ જ નથી. દેહ વગર સહેજ વાર રહી શકે નહીં જુદો !
પ્રશ્નકર્તા : એટલે આ દેહ છોડવાનો અને બીજો દેહ ગ્રહણ કરવાનો, એ બે વચ્ચે આમ કેટલો સમય લાગે ?
દાદાશ્રી : કશો જ સમય નહીં. અહીં પણ હોય, આ દેહમાંથી હજુ નીકળતો હોય અહીંથી અને ત્યાં યોનિમાં પણ હાજર હોય. કારણ કે આ ટાઇમિંગ છે, વીર્ય અને રજનો સંયોગ હોય તે ઘડીએ. અહીંથી દેહ છૂટવાનો હોય, ત્યાં પેલો સંયોગ હોય, એ બધું ભેગું થાય ત્યારે અહીંથી જાય. નહિ તો એ અહીંથી જાય જ નહિ, કારણ કે અહીંથી જાય તો એ ત્યાં ખાય શું ? ત્યાં યોનિમાં ગયો પણ ખોરાક ખાય શું ? પુરુષનું વીર્ય અને માતાનું રજ એ બેઉ જ હોય, એ આખું ય જતાંની સાથે જ ભૂખનો માર્યો ખાઈ જાય છે. અને ખાઈને પછી પીંડ બંધાય છે. બોલો હવે આ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને !
દાદાશ્રી : હા, એ વાસના, આપણા લોક જે કહે છે ને કે મરતાં પહેલાં આવી વાસના હતી, પણ એ વાસના કંઈ લાવી લવાતી નથી. એ તો સરવૈયું છે આખી જિંદગીનું. આખી જિંદગી જે તમે કર્યું ને, એનું મરતી ઘડીએ છેલ્લો કલાક હોય છે ત્યારે સરવૈયું આવે છે. અને સરવૈયા પ્રમાણે એની ગતિ થઈ જાય છે.
પ્રશ્નકર્તા : મૃત્યુ પછી બધાં કંઈ મનુષ્યરૂપે જન્મતા નથી. કોઈ કૂતરાં, ગાય થાય છે.
દાદાશ્રી : હા, એની પાછળ “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ છે, વૈજ્ઞાનિક કારણો બધાં ભેગાં થાય છે. આમાં આનો કોઈ કર્તા નથી કે ‘ભગવાને આ કર્યું નથી અને ‘તમે ય એ કર્યું નથી. ‘તમે ફક્ત માનો છો કે “મેં આ કર્યું એટલે આવતો ભવ ઉત્પન્ન થાય છે. જ્યારથી ‘તમારી’ આ માન્યતા તૂટી જશે. ‘હું કરું છું'ની ‘રોંગ બીલિફ’ એ ભાન ‘તમારું' તૂટી જશે અને ‘સેલ્ફ'નું ‘રીયલાઇઝ થશે પછી ‘તમે કર્તા છો જ નહીં.
પ્રશ્નકર્તા : પણ એ “રીયલાઇઝ' કરવા માટે આ બધું છોડીને હિમાલય પર જતા રહીએ ?
દાદાશ્રી : ના, હિમાલય પર નહીં જવાનું. અમે તમને એક