Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 119
________________ આપ્તવાણી-૮ ૨૦૩ ૨૦૪ આપ્તવાણી-૮ દુનિયામાં કોઈ તત્ત્વ વિનાશી નથી. તો આપ આ નાશવંત માટે શું કહેવા માંગો છો ? દાદાશ્રી : હું એમ જ કહેવા માગું છું કે આ દુનિયામાં કોઈ તત્ત્વ વિનાશી નથી. અને એ તત્ત્વ, તત્ત્વની દ્રષ્ટિએ છે. એ તત્ત્વ તમે જોયેલું ય નથી ! આ તમારા અનુભવમાં બધી અવિનાશી વસ્તુઓ આવે છે કે વિનાશી વસ્તુઓ આવે છે ? પ્રશ્નકર્તા: અવિનાશી ય નથી આવતું ને વિનાશી ય નથી આવતું. દાદાશ્રી : પણ આ કપરકાબી ભાગી જાય તો એ પ્યાલા-રકાબીને તમે વિનાશી કહે કે અવિનાશી ? ‘ફોરેન” ને “હોમ”—બે ભેગું કરીને બોલો છો કે હું ચંદુભાઈ જ છું !” ઓહોહો ! શું મોટા ચંદુભાઈ આવ્યા !! સાવ આવાં અવળાને જ ઝાલી પડ્યા છે ! આવું કંઈ પોષાય બધું? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : ના પોષાય. દાદાશ્રી : તો કંઈક આરો આવે એવું જ્ઞાન જોઈએ. આ સંસાર સમુદ્રમાં કોઈ જગ્યાએ કિનારો દેખાતો નથી. ત્યાં ઘડીકમાં કહેશે, ‘ઉત્તરમાં હંડો.” ઉત્તરમાં ગયા પછી એક જણ સામો મળ્યો, તો એ કહેશે, ‘આ બાજુ હંડો !” અલ્યા, એ બાજુથી તો આવ્યો છું. ત્યારે કહે, “ના, પણ પાછા એ બાજુ હેંડો.” એટલે આમ ભટક, ભટક, ભટક, ભટક કર્યા કરે છે ! પણ આરો કે કિનારો કશું દેખાતું નથી !! ..એ ભ્રાંતિ કોણ ભાંગે? થોડા વખતમાં ઊડી જાય, એનું નામ ભ્રાંતિ કહેવાય. અને આ બધી ભ્રાંતિને તો આપણે રોજ રોજ મજબૂત કરીએ છીએ. ‘હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ છું' કરીએ એટલે રોજ નવી નવી ભ્રાંતિ મૂકતા જઈએ છીએ અને જૂની ભ્રાંતિ ભૂંસાતી જાય છે. જો નવી ભ્રાંતિ મૂકીએ નહીં, તો જૂની ભ્રાંતિ ઊડી જાય. બધું વિયોગી સ્વભાવવાળું છે. ભ્રાંતિ પણ વિયોગી સ્વભાવવાળી છે ! તમારો જે “આત્મા’ છે ને, એ ‘તમે પોતે જ છો. પણ અત્યારે ‘તમને' બ્રાંતિ થઈ ગઈ છે. એટલે જ્યાં ‘પોતે' નથી ત્યાં ‘તમે’ આરોપ કરો છો કે “હું ચંદુભાઈ છું.' વિનાશી ને અવિનાશીતો ભેદ શો ? માણસ મરે છે ત્યારે વિનાશી ચીજો જુદી પડી જાય છે અને અવિનાશી ચીજો જદી પડી જાય છે. આમાં જે અવિનાશી વસ્તુ છે, એ રીયલ’ એટલે કે સનાતન વસ્તુ છે. અને ‘રિલેટિવ' બધું વિનાશી છે. પ્રશ્નકર્તા : આપે કહ્યું ને, કે ‘રિલેટિવ' બધુ વિનાશી છે, નાશવંત છે. હવે વિજ્ઞાનીઓ અને ભારતીય દર્શન પણ એમ કહે છે, કે આ પ્રશ્નકર્તા : હું એને કશું જ કહેતો નથી. એ સરખી જ વસ્તુ છે. દાદાશ્રી : સરખું જ ?! પણ આ બીજાં બધા લોકોને સરખું નથી લાગતું ? આ બધાને માટે તો, કપરકાબી ભાંગી જાય છે એટલે એ લોકો કપરકાબીને વિનાશી જ કહે. પ્રશ્નકર્તા : પણ વિનાશી માટે આપનો અભિપ્રાય શું છે ? દાદાશ્રી : વિનાશી એટલે આપણને આ કપરકાબીઓ ભાંગી જાય એટલે મહીં ઉપાધિ થાય, આ કપડાં સળગી જાય તો મહીં ઉપાધિ થાય. એટલે એ બધી વિનાશી ચીજો છે. આ શરીર એ અવિનાશી છે કે વિનાશી છે ? પ્રશ્નકર્તા : શરીર પણ વિનાશી નથી. દાદાશ્રી : વિનાશી નથી ? એટલે તમારા જેવું જ્ઞાન આ બધાને નથી. આ બધાને જુદી જાતનું જ્ઞાન છે ! આ લોકો તો શરીર વિનાશી છે એમ કહે છે કે તમે તો શરીર વિનાશી નથી, એમ કહો છો. તમારે ઘેર કપ-રકાબીઓ ભાંગે તો તમને કશું થાય નહીં ? પ્રશ્નકર્તા : વિનાશીના અર્થ માટે હું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત પૂછું છું. દાદાશ્રી : ના. અહીં વૈજ્ઞાનિક દ્રષ્ટિની જરૂર જ નથી. આપણે વ્યવહારની દ્રષ્ટિની જરૂર છે. અહીં વ્યવહારમાં વ્યવહારની દ્રષ્ટિ

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171