Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 117
________________ આપ્તવાણી-૮ ને કે આ કાચ ભાંગી જશે ? આ ચશ્મા તૂટી જશે ? માટે તમે ‘પરમેનન્ટ’ છો. અને આ ચશ્મા એ ‘ટેમ્પરરી’ વસ્તુ છે. ‘પરમેનન્ટ’ વસ્તુ જ ‘ટેમ્પરરી’ને ‘ટેમ્પરરી’ સમજી શકે. બાકી એક ‘ટેમ્પરરી’ વસ્તુ બીજી ‘ટેમ્પરરી’ વસ્તુને ન સમજી શકે. ‘ટેમ્પરરી’ ‘ટેમ્પરરી’ને શી રીતે સમજી શકે ? માટે ‘પરમેનન્ટ’ હોય તો જ ‘ટેમ્પરરી’ને ‘ટેમ્પરરી’ સમજી શકે. દુનિયામાં જો ‘પરમેનન્ટ’ વસ્તુ જ ના હોય ને તો પછી ‘ટેમ્પરરી’ને ‘ટેમ્પરરી’ કહેવાનો અર્થ જ ક્યાં રહ્યો ? એ ‘ટેમ્પરરી’ શાને માટે કહેવું પડે છે ? કંઈક ‘પરમેનન્ટ’ વસ્તુ છે માટે આપણે ‘ટેમ્પરરી’ કહીએ છીએ. નહીં તો બધું જ ‘ટેમ્પરરી’ હોત તો ? એટલે તમારી બુદ્ધિમાં આ વાત પહોંચે છે ? પ્રશ્નકર્તા : હા, ‘પરમેનન્ટ’ વસ્તુ છે એટલે ‘ટેમ્પરરી' વસ્તુ પણ છે. ૧૯૯ દાદાશ્રી : હા, ‘પરમેનન્ટ’ વસ્તુ અહીં છે, તેના આધારે આ બીજી વસ્તુઓ ‘ટેમ્પરરી’ કહેવાય છે, એને સમજાય છે કે ‘આ તકલાદી છે, આ તકલાદી છે. કાચનો પ્યાલો તકલાદી છે.’ એવું સમજાયને ? આ તાંબાનો લોટો હોય, તે તમારા હાથમાંથી પડી જાય તો તમે બહુ ભય ના લાગે. પણ કાચનો પ્યાલો પડી જાય તો શું થાય ? પ્રશ્નકર્તા : પ્યાલો ફૂટી જવાની બીક લાગે. દાદાશ્રી : હા. તે કાચનો આખો પ્યાલો ફૂટી જશે ને અને તાંબાનો પ્યાલો તો બહુ ત્યારે ગોબો પડશે, તે ગોબો ઉઠાવીશું ત્યારે હતો તેવો ને તેવો થઈ જશે, પણ એ બધું ય ‘ટેમ્પરરી’ છે. કોઈ પચ્ચીસ વર્ષ ચાલે, કોઈ પંદર વર્ષ ચાલે. આ દેહ છે, પોણો સો વર્ષ ચાલે. એ બધું ‘ટેમ્પરરી’ છે. તમે પોતે ‘પરમેનન્ટ’ છો. પણ તમારી જાતને ‘તમે’ ‘ટેમ્પરરી’ માની બેઠા છો. ‘હું ચંદુભાઈ છું, હું દેહ છું. હું આનો દીકરો થઉં’ એ બધી ભૂલ કાઢવા માગું છું. તમારે ભૂલ કાઢવી છે ને ? આ લોકો બધાંને ‘ટેમ્પરરી’ કહે છે ને, તે બીજાને ‘ટેમ્પરરી’ કહેનાર ‘પોતે’ ‘પરમેનન્ટ’ હોય ! નહીં તો ‘ટેમ્પરરી' શબ્દ જ ના હોય. એટલે આ ‘ઇટસેલ્ફ’ જ ‘પ્રૂવ’ કરી આપે છે કે બીજાને ‘ટેમ્પરી’ બોલે છે, માટે એ ‘પોતે’ ‘પરમેનન્ટ’ છે. પણ એનું ‘પોતાનું’ ભાન નથી. છતાં લોક આપ્તવાણી-૮ ‘ટેમ્પરરી’ બોલે છે ને ! માટે આપણે તપાસ કરવી કે, આ ભલે ભાન નથી, છતાં ‘ટેમ્પરરી’ કહે છે. માટે એ ‘પોતે’ ‘પરમેનન્ટ’ છે. પણ એની પોતાની ભૂલ થાય છે, એ વાત જુદી છે. ૨૦૦ ‘પોતાતા' ગુણ ક્યા ? તેમાં પણ ભૂલ !! આ જ્ઞાન ખોવાઈ ગયેલું નથી. પણ આમ ‘પ્લસ-માઈનસ' કરે તો આ જ્ઞાન બધું પાછું જડી આવે એવું છે, પણ ‘જ્ઞાની પુરુષ' રસ્તા દેખાડે તો ! નહીં તો પોતાની કલ્પનામાં આવે નહીં, પોતાની મતિ એ બાજુ જાય નહીં. આ તો કેમ કરીને કમાવું, કેમ કરીને આમ કરું, તે વિષયોમાં ને પૈસામાં-એમાં જ બધી મતિ રોકાઈ ગઈ છે. એટલે ‘પોતે’ છે ‘પરમેનન્ટ’, પણ એનું ‘પોતાને’ ભાન નથી ! પોતે જે છે એનું તો ભાન હોવું જોઈએ કે ના હોવું જોઈએ ? પ્રશ્નકર્તા : એ તો પોતાને ખબર હોય ને કે પોતાના ગુણ કેવા છે ? દાદાશ્રી : ના. એવી કોઈને ય ખબર ના હોય. એવો એક પણ માણસ નથી કે જેને પોતાના ગુણની ખબર હોય. એ જે પોતાના ગુણ કહે છે તે પારકાંના ગુણ છે. તમારા જેટલાં અત્યારે ગુણ તમને દેખાય છે, તે બધા તમારા ગુણ નથી, એ આરોપિત ગુણ છે ! તમારા ગુણ નથી, છતાં તમે કહો છો કે આ મારા ગુણ છે. પ્રશ્નકર્તા : મારા થોડાં સારા ગુણો ય છે ને થોડાં ખરાબ ગુણે ય છે. દાદાશ્રી : ના. એ બેઉ આરોપિત ગુણો છે. અને સારા ગુણ, ખરાબ ગુણ એ બન્ને ખોટી વાત છે. બન્ને ‘કલ્ચર્ડ’ ગુણ છે ને ‘કલ્ચર્ડ’ વાત છે ! આ સારા-ખરાબ એ તમારા ગુણ જ નથી. તમારા ગુણ તો ઓર જાતના છે. એ એકુંય ગુણ તમે જોયો નથી, જાણ્યો નથી. લોકોએ પણ પોતાના ગુણ જાણ્યા નથી. પોતાના ગુણ જાણવા માટે આ બધાં લોકો ‘અહીં’ આવે છે! કારણ કે એમને ‘એન્ડલેસ' સુખ જોઈએ છે. આ ‘ટેમ્પરરી’ સુખ નથી જોઈતું ! અત્યારે જે ગુણો છેને એ ‘ચંદુભાઈ’ના ગુણો છે, એ ‘તમારા’

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171