Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 33
________________ આપ્તવાણી-૮ આપ્તવાણી-૮ પુનર્જન્મ છે, એ તમારો હિસાબ તમને ચૂકવે છે. આ બધા હિસાબો ચૂકવાય છે. જેમ ચોપડાના હિસાબો ચૂકવાય છે ને, એવી રીતે બધા હિસાબો ચૂકવાય છે. અને ‘ડેવલપમેન્ટને લીધે તે આ હિસાબ બધા આપણે સમજાય છે ય ખરાં. તેથી કેટલાંક લોકોની આપણે ત્યાં ‘પુનર્જન્મ છે” એવી માન્યતા ય થઈ ગયેલી છે ને ! પણ તે પુનર્જન્મ છે જ એવું ના બોલી શકે. ‘છે જ' એવો કોઈ પુરાવો આપી શકે નહીં. પણ એની પોતાની શ્રદ્ધામાં બેસી ગયેલું છે, આવા બધા દાખલાઓ જોઈને કે પુનર્જન્મ છે ખરો ! આ ફોરેનવાળાં ઓછાં ‘ડેવલપ’ છે તો એમને પુનર્જન્મ હજી સમજાતું નથી. અને આપણે અહીં ‘ડેવલપ’ પ્રજા છે, એટલે એમને પુનર્જન્મ સમજાય કે ના સમજાય, પણ માન્યતા તો છે જ. નાનું છોકરું ય કહે કે આવતા જન્મમાં આમ થશે. એટલે સમજાયું કે ના સમજાયું ‘ઈટ ઇઝ ડિફરન્ટ મેટર', પણ પુનર્જન્મને માને છે જ ! એની એ જ ઘટમાળ ! પ્રશ્નકર્તા : મનુષ્યના દરેક જન્મને પૂર્વજન્મ સાથે સંબંધ ખરો ? દાદાશ્રી : એ તો દરેક જન્મ પૂર્વજન્મ જ હોય છે. એટલે દરેક જન્મનો સંબંધ પૂર્વજન્મથી જ થાય છે. પ્રશ્નકર્તા પણ પૂર્વજન્મ અને આ જન્મ સાથે શું લેવાદેવા છે ? દાદાશ્રી : અરે, આવતા અવતાર માટે આ પૂર્વજન્મ થયો. ગયો અવતાર એ પૂર્વજન્મ, તો આ જન્મ છે. અને આ જન્મ છે, એ બીજા આવતા અવતારની પૂર્વજન્મ કહેવાય. પ્રશ્નકર્તા : હા, એ વાત સાચી છે. પણ પૂર્વજન્મની અંદર એવું કંઈક થતું હોય, જેને આ જન્મ સાથે કંઈ સંબંધ ખરો ? - દાદાશ્રી : બહુ જ સંબંધ નર્યો ! પૂર્વજન્મમાં બીજ પડે છે, ને બીજા જન્મમાં ડું આવે છે. એટલે એમાં બીજમાં ને ડૂડામાં ફેર નહીં ? સંબંધ ખરો કે નહીં ?! આપણે બાજરીનો દાણો નાખીએ એ પૂર્વજન્મ અને ડુંડું આવે એ આ જન્મ, પાછું આ કૂંડામાંથી બીજરૂપે દાણો પડ્યો તે પૂર્વજન્મ અને એમાંથી ડું આવે એ નવો જન્મ. સમજાયું કે ના સમજાયું ? પ્રશ્નકર્તા : એક માણસ રસ્તા ઉપર આમ ચાલ્યો જાય છે અને બીજા ઘણાં ય રસ્તા ઉપર જાય છે, પણ કોઈ સાપ અમુક માણસને જ નડે છે. એનું કારણ પુનર્જન્મ જ ? - દાદાશ્રી : હા, અમે એ જ કહેવા માગીએ છીએ ને કે પુનર્જન્મ છે, તેથી એ સાપ તમને કરડે છે. પુનર્જન્મ ના હોય તો તમને સાપ ના કરડત. આ બેન કહેશે, આમને સાસુ કેમ સારા મળ્યાં અને મને આવા સાસ કેમ મળ્યો ! એટલે સંજોગો બધા જાતજાતના મળવાના. ‘યોજના' ઘડાઈ, એ જ મૂળ કર્મ ! પ્રશ્નકર્તા: કર્મોનું સારું કે ખરાબ ફળ આ જન્મમાં મળે કે પછીના આવતા જન્મમાં મળે ? દાદાશ્રી : કર્મો જે કરવામાં આવે છે, તે યોજનારૂપે હોય છે. જેમ આ ગવર્મેન્ટ અહીં યોજના કરે છે, નર્મદા નદીના બંધની યોજના ત્યાં કરતા હોય. હવે તે વખતે અહીં પાણી એ યોજનાથી અટકે ખરું ? એ તો જ્યારે અહીં રૂપકમાં આવે, જ્યારે ચણાઈને તૈયાર થાય ત્યારે પાણી અટકે. બાકી યોજનામાં, નકશા પર પૂરેપૂરું જ હોય, બંધ બધું હોય, પણ નકશા ઉપર ! એવું આ દરેક કર્મ બધાં યોજનારૂપે થાય છે, એને “કોઝિઝ' કહેવામાં આવે છે. અને પછી એ જ “કોઝિઝ' જ્યારે રૂપકમાં આવે ત્યારે ‘ઇફેક્ટ' કહેવાય છે. પણ તે બીજા અવતારમાં રૂપકમાં આવે છે, એટલે ગયા અવતારનાં કર્મો આ અવતારે ભોગવો છો, અને આ અવતારનાં કર્મો પાછાં આવતા અવતારે ભોગવશો. પણ તે યોજનારૂપે કરેલાં કર્મો આવતા અવતારે ભોગવાય છે. અત્યારે તમારી ઇચ્છા ન હોય, તો ય કર્મ થઈ જાય છે, એવું બને છે કે નથી બનતું ? પ્રશ્નકર્તા : થઈ જાય.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171