Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 112
________________ આપ્તવાણી-૮ ૧૮૯ ૧૯૦ આપ્તવાણી-૮ ગયો, સમજી ગયો, હવે ફરી વાર નહીં બોલું !' કુદરતની ગોઠવણી છે, એટલે અમે એમ ના કહીએ કે બધાં વધારે ભેગાં થાવ. એ તો એની ગોઠવણી જ છે કે ‘વ્યવસ્થિત’ રીતે બધાં આવે. નહીં તો અમે કાગળ લખાવ લખાવ ના કરીએ ? પણ ના, એ હિસાબ બધાં ગોઠવાયેલા છે. એટલે અમારે એ ઉપાધિ કરવાની નહીં. આ તો અમે અહીં આવીએ ને જઈએ. આપને સમજમાં આવ્યું આ ? આ સંસાર પોતે પ્રવાહ રૂપે છે અને તે અનાદિથી આ પ્રવાહ વહ્યા જ કરે છે. એમાં બધાં જીવોનો મોક્ષ તો થવાનો જ, વહેલો કે મોડો, એ એનો ક્રમ જ છે. ક્રમ એટલે એક સમયમાં એકસો આઠ જીવો મોક્ષે જયા જ કરે છે, પ્રવાહરૂપે ! પ્રશ્નકર્તા : એક સમયમાં એકસો આઠ જીવો મોક્ષે જાય છે એ ક્યાંથી છે ? દાદાશ્રી : એ બધાં પંદરે ક્ષેત્રોમાંથી થઈને એકસો આઠ જીવો મોક્ષ જાય છે. - જેમ આપણે અહીં પોલીસવાળાની પાર્ટી જાય છે ને, તે ચારની જોડી એકની પાછળ એક એમ ચાલ્યા જ કરે, જેમ વહેણ જતું હોય એવી રીતે ચાલ્યા જ કરે છે, એવું આ એકસો આઠ જીવોનું વહેણ આ બાજુથી વ્યવહારમાંથી મોક્ષે જાય છે, સિદ્ધ ક્ષેત્રમાં જાય છે. ત્યારે બીજા એટલાં જ જીવો અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. એટલે વ્યવહારમાં એક જીવ વધઘટ થાય નહીં, એક જીવ વધતો નથી, ઘટતો નથી. વ્યવહારના જીવ કોને કહેવાય ? જેનું નામ પડ્યું છે એ બધા વ્યવહાર છે, જેનું નામ નથી આપ્યું એ વ્યવહારમાં નથી આવ્યો. અને જેનું નામ ગયું, એ સિદ્ધક્ષેત્રમાં ગયાં !! ‘તમો સિદ્ધાણં', ભજવું ધ્યેય સ્વરૂપે ! પ્રશ્નકર્તા : આપ કહો છો ને ઉપર કોઈ બાપો ય નથી, પણ ઉપર સિદ્ધલોક તો ખરું ને ? દાદાશ્રી : એ તો સિદ્ધલોક છે, સિદ્ધક્ષેત્ર છે, અને એ તો જે મોક્ષે ગયેલાં હોય ને, એટલે પરવારી ગયેલાં, એ આપણું સાંભળે ય નહીં અને કોઈનું કશું બોલે ય નહીં, કોઈને માટે લાગણી ય નહીં ને કશું ય નહીં. એ તો એમનાં સુખમાં મસ્ત ! એ આપણને કશું કામ લાગે નહીં. એ આપણા ધ્યેય તરીકે છે. ‘નમો સિદ્ધાણં' કહ્યું તે ફક્ત ધ્યેય તરીકે છે કે ‘ભઈ, અમારે આ દશા જોઈએ છે !” પ્રશ્નકર્તા : આપણે કહીએ કે “નમો સિદ્ધાણં', તો એ નમસ્કાર એમને પહોંચે ખરાં ? દાદાશ્રી : એમને નહીં પહોંચે તો ય આપણને મહીં સિદ્ધ બેઠા છે તેને તો પહોંચ્યું ! મહીં જે બેઠાં છે ને, તે આત્મા સિદ્ધ જ છે ને ! આપણે તો કામ સાથે કામ છે ને ! આપણે નમસ્કાર પહોંચાડવા જોઈએ ત્યાં. અને આપણી જવાબદારી પહોંચાડવાની !! કે સાહેબને કાગળ લખી નાખ્યો. સિદ્ધતી, તહીં પ્રવૃત્તિ છતાં ‘ક્રિયા'...! પ્રશ્નકર્તા : સિદ્ધ જે થયા છે, એમને કાર્ય કરવા માટે અહીંયા ઇશ્વર મોકલે છે ? દાદાશ્રી : કોઈ મોકલે નહીં. મોકલનારો કોઈ છે જ નહીં. અહીં આગળ મોકલનારી કોઈ વસ્તુની જરૂર જ નથી. કોઈની જરૂર ના પડે. એવું આ જગત છે. તમારો ઉપરી જ કોઈ નથી. આ દુનિયામાં કોઈ જીવનો કોઈ ઉપરી જ નથી. પોતાની ભૂલ ને ‘બ્લેડર્સ” જ ઉપરી છે. પ્રશ્નકર્તા : તો સિદ્ધક્ષેત્રમાં એ સિદ્ધ ભગવંતોની પ્રવૃત્તિ શું ? દાદાશ્રી : જેને પ્રવૃત્તિ હોય એ ‘મિકેનિકલ’ કહેવાય. એ મિકેનિકલ નથી. પ્રશ્નકર્તા: ના, પણ મોક્ષમાં જાય પછી ત્યાં પ્રવૃત્તિ છે કે નિવૃત્તિ ? દાદાશ્રી : ત્યાં નિવૃત્તિ ય ના હોય, પ્રવૃત્તિ ય ના હોય. છતાં પાછું ‘જ્ઞાન-ક્રિયા’ અને ‘દર્શન-ક્રિયા’ ખરી. નિવૃત્તિ ય ખરી ને આ ક્રિયા ય

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171