Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 83
________________ આપ્તવાણી-૮ છે, એને જીવાત્મા કહેવાય. અને એ જ આ ભૌતિક જગત કહેવાય. કારણ કે ભૌતિક હોય ત્યાં સુધી ભૌતિક રમણતા જ હોય. આપને સમજમાં આવ્યું ? તમને જુદું જોઇતું હોય. જુદું પાડવું હોય તો જુદું પાડી આપું. બાકી આ ભૌતિક જગત છે, તે જ આ જીવાત્મા છે. જેમાંથી આ ‘ટેમ્પરરી’ સુખો ખોળે છે, ‘રિલેટિવ’ સુખો ખોળે છે, એ બધું ભૌતિક જગત છે ! જ્યાંથી ખોળે છે એ બધું ય ભૌતિક જગત છે અને ખોળનારો પણ ભૌતિક જગત છે. એ જો સમજાય તો કામ નીકળી જાય. ૧૩૧ પ્રશ્નકર્તા ઃ શરીરમાં જીવ પણ આવી ગયો, શરીરમાં આત્મા પણ આવી ગયો, અને શરીરમાં ભૌતિક જગત પણ આવી ગયું, ત્રણેયનું મિશ્રણ આવી ગયું. દાદાશ્રી : બધું આવી ગયું. આ શરીરની મહીં તો આખું બ્રહ્માંડ આવી ગયું, કશું બાકી નથી. પ્રશ્નકર્તા : તો હવે એને આપણે જુદું કેવી રીતે સમજવું ? જુદું પાડીને કેવી રીતે સમજવું ? દાદાશ્રી : જુદું પાડવા માટે ‘સાયંટિસ્ટ’ થવું પડે. આ વીંટીમાં સોનું, તાંબુ અને બીજી બધી ધાતુઓ બે-ત્રણ ભેગી થઈ હોય તો એ ભેગી થયેલીને છૂટું પાડવું હોય તો શી રીતે જુદી પડી શકે ? ગમ્મે તે માણસ જુદી પાડી શકે ? આનો જાણકાર હોય તે એને જુદું પાડી શકે. એવું આના જાણકાર હોય તે જુદું પાડી શકે. બાકી, બીજા તો કોઈ જુદું પાડી શકે નહિ ને ! બાકી પોતે એમાં માથાકૂટ કરવા જાયને, તો માથાકૂટ અનંત અવતારની નકામી જશે, ને ઊલટું ચોપડવાની દવા પી જશે તો મરણ થશે. ચોપડવાની દવા પી જાય, તો એમાં ભગવાનનો શો દોષ ? જીવ-આત્મા, તથી ભિન્ન કે અભિન્ન ! પ્રશ્નકર્તા : એ કહો કે જીવ અને આત્મામાં શો ફેર છે ? દાદાશ્રી : સંસાર દશામાં છે ત્યાં સુધી જીવે છે-મરે છે, ત્યાં સુધી જીવ કહેવાય. સંસારદશામાં એટલે ‘હું સંસારી છું’ ને સંસારદશા પોતાની આપ્તવાણી-૮ માને છે ત્યાં સુધી એ જીવે છે અને મરે છે, ત્યાં સુધી એ જીવ કહેવાય ! અને જીવવા-મરવાનું બંધ થયું ત્યાંથી શિવ કહેવાય, એ શુદ્ધાત્મા કહેવાય. જીવ હંમેશાં ય સંસારી હોય, કર્મસહિત હોય અને આત્મા કર્મરહિત હોય ! પ્રશ્નકર્તા : તો જીવ અને આત્મા, એ બે જુદાં જ થયાં ને ? દાદાશ્રી : જીવ અને આત્મા ? ના. એનો એ જ આત્મા કર્મ સાથે હોય ત્યારે જીવ કહેવાય અને કર્મરહિત હોય તો આત્મા કહેવાય. કર્મ સાથે હોય ત્યારે જીવે-મરે, એ જીવ. પ્રશ્નકર્તા : ને આત્મા તો અમર છે ને ? ૧૩૨ દાદાશ્રી : હા, એ તો અમર છે. પ્રશ્નકર્તા : અને જીવ એને વળગેલો છે ? દાદાશ્રી : નહિ, વળગેલો નથી. એવું છે; જીવાત્મા, આત્મા અને પરમાત્મા; એમાં હવે જીવાત્મા છે તે કર્મ સહિત અવસ્થા છે ને તે અહંકાર સહિત છે. દેહાધ્યાસરૂપી એ જીવાત્મા કહેવાય અને જેને અહંકાર ના હોય, જીવવા-મરવાનું ના હોય એ આત્મા. પ્રશ્નકર્તા : અને પછી પરમાત્મા સ્ટેજ ક્યાં રહ્યું ? દાદાશ્રી : પરમાત્મા તો, એ પોતાનાં સ્વરૂપનું ભાન થઈ ગયું એટલે આત્મારૂપ થઈ ગયો. અને પછી પરમાત્માપણું પ્રગટ થયા જ કરે. ‘ફુલ્લી’ પ્રગટ થાય એટલે ‘ફુલ’ પરમાત્મા થઇ ગયા.' એટલે જ્યારે તેરમું ગુંઠાણું પૂરું થઈ ગયું, કેવળજ્ઞાન થયું પછી તો ‘ફુલ’ પરમાત્મા જ થઈ ગયો !! એટલે આ જીવ જે છેને એ આત્માની જ અવસ્થા છે, પણ ભ્રાંત અવસ્થા છે અને એને જીવ કેમ કહ્યો ? કે જે જીવે અને મરે એ અવસ્થાને જીવ કહેવાય છે. અને આત્મા શુદ્ધ ચેતનરૂપ છે, એ પોતે જ પરમાત્મા છે. પણ એ ભાન થવું જોઇએ. જ્યાં સુધી ભાન ના થાય, ત્યાં સુધી ‘હું આત્મા છું' એવી ય ખબર નથી. ‘હું તો જીવ છું’ એવું ભાન છે હજુ. આત્માની ભ્રાંત અવસ્થામાં જ ‘હું છું’ એટલે કે ‘હું જીવું છું, હું મરી

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171