Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 109
________________ આપ્તવાણી-૮ ૧૮૩ ૧૮૪ આપ્તવાણી-૮ દાદાશ્રી : એ જ, અહંકાર ! પ્રશ્નકર્તા : અહંકાર એ જીવનું સ્વરૂપ જ છે ને ? દાદાશ્રી : જીવને તો બાજુએ મૂકો. જીવને શું લેવાદેવા ? જીવ તો વસ્તુ નથી ને ! એ તો આત્માનું વિશેષણ છે, જીવાત્મા કે ભઈ, આવો અહંકાર હોય ત્યાં સુધી જીવાત્મા. અહંકાર ખલાસ થયો એટલે આત્મા છૂટો ! પણ અહંકાર ઓછો થઈ જાય અને પોતાના સ્વરૂપનું ભાન થાય એટલે અંતરાત્મા થયો અને અંતરાત્મા થઈને પછી પરમાત્મા થાય. પ્રશ્નકર્તા ઃ તો મોક્ષ પામવાનો ભાવ, એ કોનો ભાવ કહેવાય ? દાદાશ્રી : મોક્ષ પામવાનો ભાવ એ બંધાયેલાનો છે. જે બંધાયેલો હોય તેને છુટ્ટા થવાની ઇચ્છા છે. એટલે એ અહંકારનો ભાવ છે. આત્માને તેવો ભાવ નથી. આત્મા તો છૂટ્ટો જ છે ને ! પ્રશ્નકર્તા : આત્મા ભોક્તા નથી, તો એ શેનાથી છૂટવા માંગે છે ? દાદાશ્રી : એનો છૂટવાનો ભાવ નથી. એ છૂટો જ છે. આ જે બંધાયેલો છે એને છૂટવું છે. બંધાયેલો છે એ ભોક્તા છે ને એ કર્તા ય છે. જે કર્તા છે, એ ભોક્તા છે; એ છૂટવા માગે છે ! એવું છે, આ બંધને ય અહંકારે ઊભું કર્યું છે અને આ મુક્તિ ય અહંકાર ખોળે છે. કારણ કે અહંકારને હવે પોષાતું નથી. આ તો “એ” જાણે કે આમાં કંઈક સ્વાદ નીકળશે, પણ કશો સ્વાદ નીકળ્યો નહીં એટલે પાછો મુક્તિ ખોળે. બાકી આત્મા મુક્ત જ છે, સ્વભાવે જ મુક્ત છે ! ‘આત્મા સ્વભાવથી જ મુક્ત છે” એટલું જ જો ‘એને સમજાઈ જાય કે બસ, કામ થઈ ગયું ! બાકી ‘પોતે' તો ‘ચંદુલાલ’ થયા એટલે આ ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ’ ભેગું થયું. “બોડીનો માલિક થયો, ને માન્યું કે “ચંદુલાલ હું છું અને આ ‘બોડી” પણ ‘હું જ છું', તે ‘આ’ મરે એની જોડે ‘આપણે ય મરવાનું થયું ! પ્રશ્નકર્તા : આત્મા અજન્મા-અમર છે, તો આવાગમન કોને છે ? દાદાશ્રી : આત્મા અજન્મા-અમર છે જ ને ચોખ્ખો જ છે. ફક્ત આ એને પાંચ તત્ત્વોની અસર થઈ છે ને એ અસરમુક્ત થાય એટલે આત્મા છુટ્ટો જ છે. એ અજન્મા-અમર જ છે, જ્યારે પોતાનું સ્વરૂપ જાણે એટલે આવાગમનનો ફેરા બધા બંધ થઈ જાય. પ્રશ્નકર્તા : પણ આવાગમનનો ફેરો કોને છે ? દાદાશ્રી : જે અહંકાર છેને, તેને આવાગમન છે. આત્મા તો તેની તે જ દશામાં છે. અહંકાર પછી બંધ થઈ જાય છે. એટલે એનો ફેરો બંધ થઈ જાય ! એટલે આ જન્મ-મરણ આત્માનાં નથી. આત્મા ‘પરમેનન્ટ’ વસ્તુ છે. આ જન્મ-મરણ ‘ઇગોઈઝમ'નાં છે. ‘ઇગોઈઝમ” એ પોતે જન્મ પામે છે. અને પાછો ડૉકટર સાહેબને કહેશે, “સાહેબ, મને બચાવજો, બચાવજો.’ અલ્યા, તું ‘પરમેનન્ટ' નથી ? ત્યારે કહે, “ના, ‘હું તો ટેમ્પરરી છું. એટલે આ બધું ‘ઇગોઈઝમ'નું જ તોફાન છે. એ ‘ઇગોઈઝમ' એકલાં ‘જ્ઞાની પુરુષ’ જ કાઢી આપે. ‘ઇગોઈઝમ” એ અજ્ઞાનનું પરિણામ છે અને તેનાથી આ સંસાર ઊભો રહ્યો છે. અમારામાં ‘ઇગોઇઝમ” બિલકુલે ય ખલાસ થઈ ગયો હોય. પ્રશ્નકર્તા : અહંકાર ને આત્મા એ બધું ભેગું ક્યાંથી થઈ ગયું. એ હજુ સમજાતું નથી. દાદાશ્રી : એ વિશેષ પરિણામ જ છે ખાલી ! દુઃખ, ‘આત્મ સ્વરૂપ'તે છે જ નહીં ! પ્રશ્નકર્તા : હવે, માણસ સ્વર્ગમાં જાય કે નર્કમાં જાય, પરંતુ ત્યાં ને આવાગમત પણ અહંકારતે જ ! પ્રશ્નકર્તા : અને આત્મા તો અજન્મા જ છે ને ? દાદાશ્રી : હા, ‘આત્મા’ સ્વભાવથી જ અજન્મા છે ને “પોતે પણ અજન્મા છે જ. પણ ‘પોતે’ ‘આત્મારૂપ” થાય તો “પોતે અજન્મા થાય.

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171