________________
આપ્તવાણી-૮
૧૮૩
૧૮૪
આપ્તવાણી-૮
દાદાશ્રી : એ જ, અહંકાર ! પ્રશ્નકર્તા : અહંકાર એ જીવનું સ્વરૂપ જ છે ને ?
દાદાશ્રી : જીવને તો બાજુએ મૂકો. જીવને શું લેવાદેવા ? જીવ તો વસ્તુ નથી ને ! એ તો આત્માનું વિશેષણ છે, જીવાત્મા કે ભઈ, આવો અહંકાર હોય ત્યાં સુધી જીવાત્મા. અહંકાર ખલાસ થયો એટલે આત્મા છૂટો ! પણ અહંકાર ઓછો થઈ જાય અને પોતાના સ્વરૂપનું ભાન થાય એટલે અંતરાત્મા થયો અને અંતરાત્મા થઈને પછી પરમાત્મા થાય.
પ્રશ્નકર્તા ઃ તો મોક્ષ પામવાનો ભાવ, એ કોનો ભાવ કહેવાય ?
દાદાશ્રી : મોક્ષ પામવાનો ભાવ એ બંધાયેલાનો છે. જે બંધાયેલો હોય તેને છુટ્ટા થવાની ઇચ્છા છે. એટલે એ અહંકારનો ભાવ છે. આત્માને તેવો ભાવ નથી. આત્મા તો છૂટ્ટો જ છે ને !
પ્રશ્નકર્તા : આત્મા ભોક્તા નથી, તો એ શેનાથી છૂટવા માંગે છે ?
દાદાશ્રી : એનો છૂટવાનો ભાવ નથી. એ છૂટો જ છે. આ જે બંધાયેલો છે એને છૂટવું છે. બંધાયેલો છે એ ભોક્તા છે ને એ કર્તા ય છે. જે કર્તા છે, એ ભોક્તા છે; એ છૂટવા માગે છે !
એવું છે, આ બંધને ય અહંકારે ઊભું કર્યું છે અને આ મુક્તિ ય અહંકાર ખોળે છે. કારણ કે અહંકારને હવે પોષાતું નથી. આ તો “એ” જાણે કે આમાં કંઈક સ્વાદ નીકળશે, પણ કશો સ્વાદ નીકળ્યો નહીં એટલે પાછો મુક્તિ ખોળે. બાકી આત્મા મુક્ત જ છે, સ્વભાવે જ મુક્ત છે ! ‘આત્મા સ્વભાવથી જ મુક્ત છે” એટલું જ જો ‘એને સમજાઈ જાય કે બસ, કામ થઈ ગયું !
બાકી ‘પોતે' તો ‘ચંદુલાલ’ થયા એટલે આ ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ’ ભેગું થયું. “બોડીનો માલિક થયો, ને માન્યું કે “ચંદુલાલ હું છું અને આ ‘બોડી” પણ ‘હું જ છું', તે ‘આ’ મરે એની જોડે ‘આપણે ય મરવાનું થયું !
પ્રશ્નકર્તા : આત્મા અજન્મા-અમર છે, તો આવાગમન કોને છે ?
દાદાશ્રી : આત્મા અજન્મા-અમર છે જ ને ચોખ્ખો જ છે. ફક્ત આ એને પાંચ તત્ત્વોની અસર થઈ છે ને એ અસરમુક્ત થાય એટલે આત્મા છુટ્ટો જ છે. એ અજન્મા-અમર જ છે, જ્યારે પોતાનું સ્વરૂપ જાણે એટલે આવાગમનનો ફેરા બધા બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : પણ આવાગમનનો ફેરો કોને છે ?
દાદાશ્રી : જે અહંકાર છેને, તેને આવાગમન છે. આત્મા તો તેની તે જ દશામાં છે. અહંકાર પછી બંધ થઈ જાય છે. એટલે એનો ફેરો બંધ થઈ જાય !
એટલે આ જન્મ-મરણ આત્માનાં નથી. આત્મા ‘પરમેનન્ટ’ વસ્તુ છે. આ જન્મ-મરણ ‘ઇગોઈઝમ'નાં છે. ‘ઇગોઈઝમ” એ પોતે જન્મ પામે છે. અને પાછો ડૉકટર સાહેબને કહેશે, “સાહેબ, મને બચાવજો, બચાવજો.’ અલ્યા, તું ‘પરમેનન્ટ' નથી ? ત્યારે કહે, “ના, ‘હું તો ટેમ્પરરી છું. એટલે આ બધું ‘ઇગોઈઝમ'નું જ તોફાન છે. એ ‘ઇગોઈઝમ' એકલાં ‘જ્ઞાની પુરુષ’ જ કાઢી આપે. ‘ઇગોઈઝમ” એ અજ્ઞાનનું પરિણામ છે અને તેનાથી આ સંસાર ઊભો રહ્યો છે. અમારામાં ‘ઇગોઇઝમ” બિલકુલે ય ખલાસ થઈ ગયો હોય.
પ્રશ્નકર્તા : અહંકાર ને આત્મા એ બધું ભેગું ક્યાંથી થઈ ગયું. એ હજુ સમજાતું નથી. દાદાશ્રી : એ વિશેષ પરિણામ જ છે ખાલી !
દુઃખ, ‘આત્મ સ્વરૂપ'તે છે જ નહીં ! પ્રશ્નકર્તા : હવે, માણસ સ્વર્ગમાં જાય કે નર્કમાં જાય, પરંતુ ત્યાં
ને આવાગમત પણ અહંકારતે જ ! પ્રશ્નકર્તા : અને આત્મા તો અજન્મા જ છે ને ?
દાદાશ્રી : હા, ‘આત્મા’ સ્વભાવથી જ અજન્મા છે ને “પોતે પણ અજન્મા છે જ. પણ ‘પોતે’ ‘આત્મારૂપ” થાય તો “પોતે અજન્મા થાય.