Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 101
________________ ૧૬૮ આપ્તવાણી-૮ આપ્તવાણી-૮ ૧૬૭ છે. આ જડને જ જો આત્મા માને તો પછી આત્માની શી દશા થશે ? જો બધે જ ઘઉં છે તો વીણવાનું શું રહ્યું ? ઘઉં ને કાંકરા ભેગાં હોય અને કહે કે આ એકલા ઘઉં જ છે તે પછી વીણવાનું જ ક્યાં રહ્યું ? આ બજારમાંથી તમે ઘઉં લેવા જાવ, ત્યારે તમે વેપારીને શું કહો ? કાંકરા લાવો એમ કહો કે ઘઉં લાવો એમ કહો ? શું કહો ? પ્રશ્નકર્તા : ઘઉં લાવો એવું જ કહેવું પડે. દાદાશ્રી : ક્યાંના ઘઉં એવું ના કહેવું પડે ? પ્રશ્નકર્તા : હા, ગ્વાલિયરનાં ઘઉં. દાદાશ્રી : હા, પછી તમે કહો કે મને જરા ઘઉં કેવા છે બતાવો. એટલે એ તરત સોયો ઘાલતા થોડાં ઘઉં કાઢશે, ‘જુઓ આખી ગૂણી આવાં ઘઉંની જ છે.' પછી વેપારીઓને ઘઉંની ગૂણી કહેશે. લોકો ય એને ઘઉંની ગૂણી જ કહેશે. અને ઘેર લાવીએ ત્યારે બાઈ શું કહેશે ? “એને વીણવા પડશે.” “અરે, હું તો આ ઘઉં જ લાવ્યો છું, આમાં શેનું વીણવાનું હોય તે ? હું લાવ્યો છું જ ઘઉંને !' એવું તમે કહો. ત્યારે બાઈ કહેશે, ‘તમારામાં અક્કલ નથી. ઘઉં-કાંકરા સાથે જ હોય. એનું નામ ઘઉં કહેવાય.” ત્યારે તમે કહો, ‘પણ બજારમાં , બધાં એને ઘઉં કહેતાં હતાં ને !' એટલે વ્યવહારમાં એવું જ કહેવાય. વ્યવહારમાં એને ઘઉં જ કહેવાય, પણ કાંકરા સહિત હોય. માટે ઘેર લાવીને કાંકરા વીણવા પડે. વ્યવહાર આવી છે. વ્યવહાર આવું બોલે કે આ ઘઉંની ગૂણ. આપણે કહીએ કે, ‘પણ અલ્યા, મહીં કાંકરા છે ને !' ત્યારે કહેશે, “ના, એવું ના બોલાય, આ ગૂણ ઘઉંની જ છે !!! એનું નામ વ્યવહાર. આપણે વ્યવહારને સમજવો પડે ને ! હું તમારે ત્યાં આવ્યો અને સવારમાં બ્રશ કરવાનું થાય ત્યારે હું કહ્યું કે, “દાતણ લાવો.” એટલે તમે શું શું ચીજ લાવીને મૂકી દો ? પ્રશ્નકર્તા : બ્રશ, ટૂથપેસ્ટ બધું મૂકવું જોઈએ. દાદાશ્રી : હા, લોટો, પાટલો બધું ય લાવોને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : પણ હું એકલું જ તમને દાતણ લાવવાનું કહું તો ય તમે આ બધી ચીજ કેમ લાવ્યા ? હા, એટલે વ્યવહાર આવી છે. બોલે આટલું જ, પણ તમારે બધું સમજી લેવાનું. એટલે વ્યવહાર સમજવો જોઈએ. આપણે એકલું બ્રશ લઈને કહીએ ‘લ્યો આ બ્રશ.’ તો પેલો શું કહે, કે ‘ટૂથપેસ્ટ લાવો, પાણી લાવો. ફલાણું લાવો.” તે પાછો ડખો થાય બધો. એનાં કરતાં આપણે વ્યવહારને સમજી લઈએ. એટલે વ્યવહારમાં એ ઘઉં કહેવાય ખરાં, પણ એની મહીં કાંકરા પણ હોય. એવી રીતે આ વ્યવહારમાં ‘બધે આત્મા છે' એવું જે કહ્યું છેને તે આવી રીતે કહ્યું છે. ઘઉં છે ને કાંકરા એની જોડે છે. એવું આત્મા છે અને અનાત્મા ય જોડે છે. બધે આત્મા છે, એ ખરી રીતે એવું નથી. પણ એ વાત બધી સમજવી પડે તો ઠેકાણું પડે. એટલે આનો અર્થ લોકો અવળું સમજ્યા કે બધા આત્મા છે, એટલે થાંભલામાં ય આત્મા છે, ભીંતમાં ય આત્મા છે. એટલે બધું ઊંધું જ સમજ્યા. એટલે ઘઉં ને કાંકરા કશું જોવાનું જ ના રહ્યું. બધા ય ‘ઘઉં જ છે' કહેશે, તો એની આપણે ના નથી કહેતાં. પણ એ વેપારીઓ માટે ઘઉં જ છે. પણ ખાનારને માટે તો ઘઉં ને કાંકરા બે ભેગાં જ છે ને ? વેપારીઓ માટે શું છે ? પ્રશ્નકર્તા : ઘઉં જ છે. દાદાશ્રી : હા, તે આ જેટલા વેપારીઓ છે ને, એમને માટે આવું છે. પણ ખાનારે તો સમજવું જ જોઈએ ને ! નહીં તો બધે જ ભગવાન છે, તો પછી સાચા ભગવાન ક્યારે જડે તે ? એટલે લોકો એમ સમજ્યા કે બધામાં આત્મા છે, એનો અર્થ જ નહીંને કશો ! ‘બધાં ઘઉં છે' એ તો વેપારી એવું બોલે. કંઈ વેપારી એમ બોલે કે ‘ઘઉં ને કાંકરા બે છે ?” તો તો આપણે એમ કહીએ કે, “કાંકરાને બાદ કરી નાખ.' પણ વેપારી એમ કહે, ‘બધા ય ઘઉં છે.’ પણ ખાવા હોય તેને ઘઉં ને કાંકરા બે છે. એટલે કાં તો કાંકરાને ઓળખ ને કાં તો ઘઉને ઓળખ, બેમાંથી

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171