Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 99
________________ આપ્તવાણી-૮ ૧૬૩ ૧૬૪ આપ્તવાણી-૮ એટલે આત્માનો સર્વવ્યાપક પ્રકાશ છે, એ પ્રકાશ બીજી ચીજોને દેખાડે છે. આ જગતમાં શેય અને જ્ઞાતા બેઉ છે કે નહીં ? કે એકલો જ્ઞાતા જ છે ? પ્રશ્નકર્તા : જ્ઞાતા ને શેય બેય છે. દાદાશ્રી : તો પછી તમે સ્વીકાર કર્યો ને ? એવું દ્રશ્ય ને દ્રષ્ટા, બે છે ને ? બધે ખાલી આત્મા જ છે એવું નથી ને ? જોય ને જ્ઞાતા, અને દ્રશ્ય ને દ્રષ્ટા બંનેવ છે. આત્મા સિવાય બીજું બધું દ્રશ્ય છે અને જોય છે. હવે આત્માનો પ્રકાશ એવો છેને, કે જ્યાં જોય છે અને દ્રશ્ય છે ત્યાં સુધી પ્રકાશ પામે છે. જેમ આ ઘડામાં એક લાઈટ મૂકેલું હોય એની ઉપર એક ઢાંકણું વાસી દઈએ, તો બહાર અજવાળું પડે નહીં, ફક્ત એ ઘડામાં લાઈટ આપે. પછી ઘડો ફોડી નાખે તો એ લાઈટ ક્યાં સુધી જાય ? જેટલા ભાજનમાં મૂકેલું હોય, જેટલી રૂમમાં મૂકેલું હોય એટલી રૂમમાં પ્રકાશ ફેલાય. એવી રીતે આત્મા જો નિરાવરણ થાયને, તો આખો લોકાલોકમાં ફેલાય એવો છે. પણ આત્મા આ લોક પૂરતો જ ફક્ત પ્રકાશ આપે છે. અલોકમાં શેય નથી એટલે આત્માનો, જ્ઞાતાનો પ્રકાશ જ ત્યાં જાય નહીં. લોક છે અને લોકને લીધે બીજા ભાગને અલોક કહ્યું. અલોકમાં બિલકુલ શેયો નથી, આકાશ એકલું જ છે. હવે જોય નથી માટે ત્યાં આગળ આત્મા પ્રકાશ કરી શકતો નથી એટલે લોક આખાયને પ્રકાશ કરી શકે એમ છે, અને તે દરેક આત્મા, પણ આવરણ તૂટે તો ! જેમ ઘડામાં લાઈટ મૂક્યું હોય પછી એ ઘડાને જેટલાં કાણાં પાડીએ એટલું અજવાળું થોડું થોડું બહાર આવતું જાય. એવી રીતે આ પાંચ ઇન્દ્રિયથી અજવાળું બહાર પડે છે. હવે પૂર્ણ દશામાં જો કદી આ દેહ છૂટી જાય તો આખા જગતમાં આ અજવાળું વ્યાપી જાય એવો એનો સ્વભાવ તેમ ઊકેલ આવતો જાય. અનંત પ્રદેશ પર કર્મનાં આવરણો છે. જેમ જેમ કર્મોના નિકાલ થતા જાય, તેમ તેમ આવરણો તૂટતાં જાય. પ્રમેય પ્રમાણે પ્રમાતા-આત્મા ! એટલે સર્વવ્યાપકનો અર્થ જુદો છે. આ લોકો જેમ જાણે છે, તેવું નથી. સર્વવ્યાપકનો અર્થ એવો છે કે આ લાઈટનો ગોળો છે એ જ ગોળો છે, આ રૂમમાં બધે કંઈ ગોળો નથી, રૂમમાં તો એનો પ્રકાશ જ છે. એવું આખા બ્રહ્માંડમાં પ્રકાશ પામે એવી એક જ આત્મામાં એટલી શક્તિ છે. શુદ્ધાત્મા થયા પછી, બાકી રહેલાં કર્મો ‘ડિસ્ચાર્જ' પૂરેપૂરાં થઈ જાય ને જ્યારે કર્મ રહિત થઈ જાય છે, ત્યારે આખા બ્રહ્માંડમાં પ્રકાશ થાય એટલી આત્માની શક્તિ છે. પણ તે આ લોકો એમ સમજ્યા કે આ બધામાં આત્મા છે, આમાં આત્મા છે, આમાં આત્મા છે, ઊંધું સમજયા. ચોપડવાની દવા પી જાય તો શું થાય ? એવું થઈ ગયું છે. આ બધું ! તે પછી ના બહારનો રોગ મટ્યો, ના અંદરનો રોગ મટ્યો ! એટલે આ લાઈટ બધે ય છે એમ કહે, તો એનો અર્થ આપણે એવો સમજવાનો કે ગોળો તો ત્યાંનો ત્યાં જ છે, પણ એનું લાઈટ બધે રૂમમાં છે. આપણે અહીંથી આ ગોળો એક ઘડામાં મૂકી દઈએ ને એની પર કશુંક ઢાંકી દઈએ તો પછી એનું લાઈટ બધે દેખાય ? પ્રશ્નકર્તા : ના દેખાય. દાદાશ્રી : એટલે પ્રમેય હોય તે પ્રમાણે પ્રમાતા હોય. આ પ્રમેય આટલું જ હોય, ઘડામાં ગોળો મૂકી દે, તો ઘડા જેટલો જ પ્રકાશ ફેલાય. પછી બહાર બીજે એનો પ્રકાશ ના હોય. પ્રમેય બ્રહ્માંડ, પ્રમાતા પરમાત્મા ! પ્રશ્નકર્તા: એક જગ્યાએ વાક્ય વાંચેલું કે “જ્ઞાની પુરુષ' પાસે લાંબા સમય સુધી સત્સંગ કરીને પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયનું સ્વરૂપ સમજી લેવું જોઈએ.’ તો આપ આ સમજાવો. છે. અત્યારે તો દેહમાં છે. એટલે પહેલું સ્વરૂપનું જ્ઞાન જાણવું, એ જ્ઞાનાવરણ તૂટ્યું કહેવાય. પછી તો એની મેળે કર્મો બધાં ખસે ને તેમ

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171