Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 77
________________ આપ્તવાણી-૮ ૧૧૯ ૧૨૦ આપ્તવાણી-૮ કરેક્ટ' છે. બસ, એટલો જ ફેર છે, હવે દાઢ દુઃખતી હોય તો ‘મિથ્યા, મિથ્યા' કર જોઇએ. તમને કોઈ દહાડો દાઢ દુઃખેલી ? તે ઘડીએ તમે કહો કે આ મિથ્યા છે ? એવું બોલે ? એટલે બ્રહ્મ ય સત્ય છે ને જગતે ય સત્ય છે. દાઢની દવા કરાવવી પડે. ના કરીએ તો વેષ થઈ જાય ! પ્રશ્નકર્તા ? તો આ જગત સત્ય છે કે મિથ્યા છે? દાદાશ્રી : તમને સત્ય લાગે છે કે મિથ્યા લાગે છે? કેવું લાગે છે ? તમારો અનુભવ શું કહે છે ? પ્રશ્નકર્તા : મિથ્યા. તો આવું થાય જ નહિને કશું ! જો, જગતે ય સત્ય છે ને ? પણ જગત રિલેટિવ સત્ય છે, બ્રહ્મ રિયલ સત્ય છે. પ્રશ્નકર્તા : બ્રહ્મના પ્રકાશથી પ્રકાશે છે એટલે એ ‘રિલેટિવ' સત્ય છે ? દાદાશ્રી : હા. એના પ્રકાશથી પ્રકાશે છે, માટે એ ‘રિલેટિવ’ સત્ય છે. અને ‘રિલેટિવ’ સત્ય છે એટલે સત્ય તો છે જ, પણ વિનાશી સત્ય છે અને બ્રહ્મ એ અવિનાશી સત્ય છે. દાદાશ્રી : તમને મિથ્યા લાગે છે ? હમણે ગાળ ભાંડે, તો તમને અસર નથી થતી ? અત્યારે ધોલ મારે તો તમને અસર નથી થતી ? પ્રશ્નકર્તા : અસર થાય. દાદાશ્રી : તો જગતને મિથ્યા કેમ કહેવાય ? જે અસરવાળું હોય તેને મિથ્યા કેમ કહેવાય ? અસરવાળું છે, એટલે મિથ્યા નથી આ જગત ! જો જમાઈ મરી જાય ત્યારે સાસુ રડે છે કે નથી રડતી ? કે તમારામાં રિવાજ નથી એવો ? પ્રશ્નકર્તા : રડે ને. જો જગત મિથ્યા હોતને તો પછી લોક આત્મા જ લઈ લેત. પણ આ જગતે ય સત્ય છે. એટલે લોક જગતને છોડતા જ નથી. બહાર કોઈ છોડવાની વાતો કરે છે ? આ તો કહેશે, “હેંડો, ત્યાં બજારમાં ઠંડો જોઈએ.” આપણે કહીએ, ‘ભઈ, હેંડો મોક્ષ આપું.” ત્યારે કહેશે, “રહેવા દોને ભઈ, મને મારો ધંધો કરવા દોને છાનામાના.” એટલે જગત સત્ય છે. ‘મારી બૈરી, મારાં છોકરાં’ એવી વાતો કરે છે ને ? અને સ્ત્રીની પાછળ ગાંડો થઈ જાય છે, મરી જાય છે ને આપઘાત હલ કરે છે ! જો મિથ્યા હોય તો કોઈ કરે કે એવું ? મિથ્યા તો, આ માકણ મારવાની દવા પણ મિથ્યા નથી. એ પી જાય ને તો ખબર પડી જાય કે મિથ્યા છે કે નહિ ? એ પીધી હોય તો હો હો કરી મુકે ને ? એટલે બ્રહ્મ ય સત્ય છે અને જગતે ય સત્ય છે. જગત રિલેટિવ” સત્ય છે અને બ્રહ્મ ‘રિયલ’ સત્ય છે. વાસ્તવિક્તા સમજવી તો પડશે તે ! પ્રશ્નકર્તા : તો પછી “જગત મિથ્યા છે એ અર્થ બતાવ્યો એ ખોટો જ કર્યો છે ને ? દાદાશ્રી : જે કાળમાં એ અર્થની જરૂર હશે તે કાળમાં એ અર્થ કર્યો હશે. પણ ‘એઝેક્ટલી', આ જગત ક્યારે ય પણ મિથ્યા હતું જ નહિ. પ્રશ્નકર્તા: તો માયાને લીધે મિથ્યા લાગતું હશે ? દાદાશ્રી : હોય આ માયા ! આ માયા તો કોને કહેવાય ? કે હમણે જાદુગરી કરેને, ને હાથમાં રૂપિયા દેખાડે તો ય તમને કશું જ ના દાદાશ્રી : હા, તો આને મિથ્યા કેમ કહેવાય ? એટલે આ જગત સત્ય છે, પણ વિનાશી સત્ય છે ! જગત મિથ્યા છે જ નહિ ! જગત મિથ્યા જેવી વસ્તુ જ નથી. જગત મિથ્યા હોયને તો તો પછી આ લોક તો કે' દહાડાના મૂકીને ચાલતા થઈ ગયા હોત ! આ જગત સત્ય છે. જો જગત મિથ્યા હોયને તો તો માણસ રાત્રે ઊંઘી ગયો હોય અને મોંઢું આમ પહોળું થયેલું હોય, તો આમ છે. રહીને આટલું મરચું મોંઢામાં નાખી આપે તો ? તો બૂમાબૂમ કરે કે ના કરે ? એને ઊંઘમાંથી આપણે ઉઠાડવા જવું પડે ? કેમ ? આપણે જગાડ્યા સિવાય એને અસર થાય ? શી રીતે એને ખબર પડે ? એટલે મિથ્યા હોયને

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171