________________
કહેવા જોણું ,
પરમ તારક સહિતકર શ્રી વીતરાગ પરમાત્માના શાસન ગગનના અદિતીય તેજવી સર્કસમા, સમર્થવાદી વિજેતા, આગમોની વાચના આદિ દ્વારા શમણુસંધમાં આગમિક જ્ઞાનની અપૂર્વ ભરતી લાવનાર આગમવારકનાં સાહજિક ઉપનામથી ઓળખાતા સવ.નામધન્ય પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરમરીશ્વર ભગવંતનાં માર્મિક ગોટ તારિક વ્યાખ્યાનનાં સંકલન ૨૫ “આગમત”નું છ પુસ્તક ચતુર્વિધ શ્રી સંપની સમક્ષ ઉપસ્થિત કરતાં અત્યંત હર્ષ થાય છે. : જગતના ભાવની ઓળખાણ ગુરૂગમથી મેળવાતી તાવિ દષ્ટિ. વિના યથાર્થ રીતે થતી નથી; તેમજ તે વિના વર-વેરાગ્યની પ્રાપ્તિ
* * તેથી રે મુમક્ષ આરાધ પુણ્યાત્માએ આરાધનાને સફળ બનાવવા તાત્વિકદષ્ટિનાં ઘડતર માટે સમુચિત પ્રયત્ન કરવો જોઈએ.
ચાર અનુગમાં સર્વશ્રેષ્ઠ અને બાકીનાં ત્રણે અનુગના પીવાન ૨૫ શ્રી ચરણારણાનુગ પ્રાપ્તિ માટે તત્વદષ્ટિને સૌથી વધુ પ્રાધાન્ય જ્ઞાનીઓએ આપ્યું છે.
તેની કેળવણી માટે ગીતાર્થ ભગવંતનાં ચરણોમાં બેસી તાત્વિક પદાર્થોનું અધ્યયન કરવું જરૂરી છે.
વિસમી સદીના પૂર્વાર્ધમાં કાળબળે આગમિક ગ્રંથના અધ્યયનાદિની વિરલતા થવાથી શ્રમણસંધની પ્રતિભાસિક નિસ્તેજનાને દૂર કરવા જે મહાપુરુષે પ્રભુશાસનની નિષ્ઠા અને સુદઢ આત્મવિશ્વાસભર્યા સતપુરૂષાર્થથી આખું જીવન આગમના ગહન ચિંતનમાં પરોવી આગમેના તારિક વિવેચને અને ઊંઠા ચિંતનભય વ્યાખ્યાન હજારની સંખ્યામાં આપ્યા, અને આગમે. તાત્વિકગ્ર વગેરેની વ્યવસ્થિત વાચનાદિ દ્વારા આંગમિક અધ્યયનાદિને બહેળા પ્રમાણમાં ફેલાવો કર્યો.
તે પૂજય આગમોહારકશ્રીના ગુજરાતી વ્યાખ્યાને પુસ્તકાકારે ઘણા પ્રકાશિત થયા છે, છતાં ગચ્છાધિપતિ દ્વારા વિ. સં. ૨૦૨૧ના કપડવંજના