Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતીસૂત્રની વિશાળતાને લક્ષમાં લઈને તેનું પાંચ ભાગમાં વિભાજન કર્યું છે. જેમાં ભાગ–૧માં શતક ૧ થી ૪, ભાગ-૨ માં શતક ૫ થી ૭, ભાગ-૩માં શતક-૮ થી ૧૨, ભાગ-૪માં શતક–૧૩ થી ૨૩, ભાગ–પમાં શતક–૨૪ થી ૪૧નો સમાવેશ કર્યો છે.
શ્રુત પરંપરાને અક્ષણ બનાવવાના પૂર્વાચાર્યોના પ્રકૃષ્ટ પ્રયત્નોમાં પ્રસ્તુત સંસ્કરણ નક્કર કડીનું કામ કરી રહ્યું છે. પ્રસ્તુત સંસ્કરણમાં આધારભૂત ગ્રંથો –
પ્રસ્તુત સંસ્કરણમાં મૂળપાઠમાં સૈલાના દ્વારા પ્રકાશિત શ્રી ભગવતી સૂત્રને આધારભૂત તરીકે સ્વીકાર્યું છે. તેમ જ અનેક સ્થાને યુવાચાર્ય મહાપ્રજ્ઞજી કૃત શ્રી ભગવતી સૂત્ર અંગ સુત્તાણિ ખંડ-૨ તથા 'મહાવીર જૈન વિદ્યાલયના ભગવતી સૂત્ર'ના આધારે પાઠનું સંશોધન કર્યું છે. ભાવાર્થ અને વિવેચનમાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ કૃત સંસ્કૃત ટીકા, શ્રી બેચરદાસજી કૃત ભગવતી સૂત્ર, સૈલાના–ભગવતી સૂત્ર,યુવાચાર્ય શ્રી મધુકરમુનિ કૃત ભગવતી સૂત્ર, પૂ. ઘાસીલાલજી મ.સા. કૃત ભગવતી સૂત્ર, આગમ દિવાકર પૂ. જનક મુનિ મ. સા. લેખિત ભગવતી ઉપક્રમ, આગમ મનીષી પૂ. ત્રિલોક મુનિ મ.સા. લેખિત જૈનાગમ નવનીત ભાગ-૭ને આધારભૂત બનાવ્યા છે. આભાર દર્શન -આ ઉમદાકાર્યના ઉદ્ભવનું પ્રબળ નિમિત્ત પ્રાતઃ સ્મરણીય ઉપકારી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. નું જન્મ શતાબ્દી વર્ષ છે.
જેમની ઉજ્જવળ પરંપરા રૂપ જિન શાસનમાં સ્થાન પામ્યા, આગમનું જ્ઞાન પામ્યા, જીવન જીવવાનું વિજ્ઞાન પામ્યા, તેવા અનંત ઉપકારી ગુરુવર્યોની ઉપકાર સ્મૃતિ નિમિત્તે અનાદિની અરતિને દૂર કરી, અખંડ રતિ-આનંદને પ્રાપ્ત કરવા આ વિશાળ આયોજનનું નિર્માણ થયું છે. આ આયોજનને પૂર્ણ કરવા મુખ્યતયા પૂ. મુક્ત–લીલમ ગુણી સહ તેમના પરિવારના સાધ્વીજીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આજે ગુરુ પ્રાણ આગમ બત્રીસીનું એકવીસમું પુષ્પ પ્રકાશિત થઈ રહ્યું છે. આ પાવન પ્રસંગે સહુ પ્રથમ આગમ સ્રોત સમ ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામી, સૂત્ર સંકલનકર્તા શ્રી સુધર્માસ્વામી, આગમલિપિબદ્ધકર્તા પૂર્વધર શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણને હૃદય પટ પર સ્થાપિત કરી શ્રદ્ધાપૂર્વક નતમસ્તકે વંદન કરું છું. જેણે આગમ સાહિત્યને પ્રવાહિત કર્યું, તેવા આચાર્ય ભગવંતો તથા મમ શ્રદ્ધામૂર્તિ પૂ. જયમાણેક-પ્રાણ-ગુસ્વર પ્રતિ શ્રદ્ધાભાવ પ્રગટ કરું છું.
તેમ જ અનંત ઉપકારી પૂ. તપસ્વી ગુરુદેવ! શ્રી ભગવતી સૂત્રના પ્રકાશન સમયે આપ સ્મૃતિ પટ પર પધારો છો, આપના પાવન સાંનિધ્યમાં આપે બે બે વાર
-
53