Page #1
--------------------------------------------------------------------------
________________
Aવકૃતાંશ
સ્કંધ પહેલો (અધ્યયન ૧ થી ૧૬)
'વિનીત પ્રાકૃત-ગુજરાતીભાષાંતરનિયોજક
ડૉ. કાંતિલાલ કાપડિયા
Page #2
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ સ્કંધ પહેલો
(અધ્યયન ૧ થી ૧૬)
વિનીત પ્રાકૃત-ગુજરાતી ભાષાંતર નિયોજક
ડૉ. કાંતિલાલ કાપડિયા
M.B.B.S. (Bombay) D.T.M.&H. (London)
મુંબઈ ૨૦૦૫
Page #3
--------------------------------------------------------------------------
________________
આ ચોપડીનીમાશહતના ન કરવી, કાળજીપૂર્વક વાપરવી
પ્રથમ આવૃત્તિ છે,
૧૦૦૦ મતો, કોઈ જાતનો હક વેપરની ૭૦મ કાંતિલાલ કાપડિયા
પ્રકાશક કાંતિલાલ કાધિ બિપીલ rોયાબાટીમ(સાલસેટ)
ગોવા ૪૦૩ ૭૧૩
મુદ્રક શ્રી માધવ દ. ભાગવત
મોજ પ્રિન્ટિંગ બ્યુરો ખટાઉવાડી, ગિરગામ મુંબઈ ૪૦૦ ૦૦૪
Page #4
--------------------------------------------------------------------------
________________
પરમપૂજ્ય જંબુવિજયજી મહારાજ, મુનિ શ્રી ભુવનવિજયજી
મહારાજના શિષ્યને ભક્તિપૂર્વક અર્પણ કરૂં છું.
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
આ સૂયડાંગ સૂત્રને ગુજરાતી ભાષાંતર સાથે પ્રકાશિત કરવાનું લગભગ દસ વરસ પહેલા મને થયેલું. તેમાં સુધારા કરી હવે તે પ્રકાશિત કરતાં હર્ષ અનુભવું
આ ભાષાંતર ઘણું ખરું શાબ્દિક છે તેથી વાચકને હું વીનવું છું કે અર્ધમાગધી મૂળ લખાણ વાંચી ભાષાંતર વાંચવું કે જેથી દેવનાગરી મૂળનું સ્વરૂપ જાણી
શકાય.
ભાષાંતરમાં વ્યાકરણ દોષો હોય તો તે માટે માફી માગું છું. જો કોઈ શંકા ઊપજે તો આગમના જાણકાર પંડિતને કે મહામુનિને પૂછી શંકા નિરસન કરાવવું.
અર્ધમાગધી ભાષાનો પરિચય આવશ્યક છે તેથી આ સૂત્ર વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે એની આશા સેવું છું. સામાન્ય ભાષાંતર કરવામાં ઘણી ભૂલો થાય છે તેથી તેવું સાહસ ન ખેડવાનું મેં પસંદ કર્યું છે.
પરમપૂજ્ય મુનિરાજ જંબૂવિજયજીને મારી ઇચ્છાથી મેં જાણકા૨ી લગભગ દસેક વર્ષો પહેલા સંખેશ્વરજી ગયો ત્યારે કરેલી. તેમના આશિષથી આ કાર્ય પૂરું કર્યું છે.
જિન શાસનની પ્રભાવના આ લોકે થાય તેમ હું ઇચ્છું છું અને તે પૂરી કરવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકોને વીનવું છું. તે માટે મહાવીર વિશ્વવિદ્યાલયની સ્થાપના અને સંશોધન પ્રયોગશાળા સાથે થાય તો જ શક્ય છે. ભગવાન મહાવીરના સિધ્ધાંતોની વિરુદ્ધ ઘણીય રીતે આપણી રૂઢિયો ચાલે છે. તેમાંથી છૂટી સાચા માર્ગનું અવલંબન કરવું જરૂરી છે.
સૂત્રકૃતાંગ તે અતિ મૂલ્યવાન ગ્રંથ છે. તે શ્રમણોને સંયમમાં સ્થિર કરવા ઉપયોગી છે. જૈનેતર વાદીયો વિષે જાણકારી આમાંથી મળે છે.
આમાં ભગવાન મહાવીરને બ્રાહ્મણ કહ્યાં છે. સાચા બ્રાહ્મણની વ્યાખ્યા સોળમાં અધ્યયનમાં છે. ભગવાન મૂળથી બ્રાહ્મણ કુળમાં હતા તેથી પણ આપણે તેમને બ્રાહ્મણ કહીએ તે વ્યાજબી છે. તે અનેક રીતે વીરતાથી સંસાર સામે લડ્યા તેથી તે ક્ષત્રીય છે. તેમના જ્ઞાન દર્શન અજોડ હોવાથી તે મહર્ષિ ગણાતા. તેમનો સંદેશ ક્રિયાવાદનો હતો તે માટે તે શ્રમણ પણ કહેવાતા. આપણે તેમનું સાચું મૂલ્ય આંકવા વિશ્વવિદ્યાલય સ્થાપીએ તો જ તેમનું ઋણ થોડું ચૂકવી શકીશું.
Three
Page #7
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ એટલે સર્વ જીવોને સમાન ગણવા સંયમઃયતનાથી તેમનું રક્ષણ કરવું અને આચરણ ઉપર મન, વચન અને કાયાથી યતના કરવી તે સ્વાધ્યાય કરી બરાબર સમજાશે.
ફિરકાઓની માન્યતાથી આપણા કષાયો ઉપરનો કાબૂ ગુમાવિયે છે. ફિરકાઓ માન્યતાથી યુક્ત છે પણ સિધ્ધાંતો તેનાથી પણ ઉપર છે માટે ફિરકા ભેદનું છેદન કરવા ઉદારતા કેળવવાની જરૂર છે. બધા જૈનો ભગવાન મહાવીરના અનુયાયી છે તેથી જ આપણે એક થઈશું તો જૈનત્વનું મહત્વ વધારીશું આમ કહી વિરમું છું. જય જીનેન્દ્ર.
હવે આપણે સૂયડાંગ સૂત્ર વિષે થોડુંક જાણીએ :
સૂયડાંગ સૂત્રને, સૂત્રકૃતાંગ આ સંસ્કૃત નામે ઓળખાવ્યું છે. તે બે શ્રુત સ્કંધોમાં વિભાજિત છે. પહેલો શૃત સ્કંધ સોળ અધ્યયનોનો છે, તે આ પ્રમાણે :
પ્રથમ અધ્યયનના ચાર ઉદ્દેશકો છે. અધ્યયન પહેલાનું મથાળું છે ‘‘સમય’' પહેલા ઉદ્દેશકમાંઃ પંચમહાભૂત વાદ, અફલવાદ છે.
બીજા ઉદ્દેશકમાંઃ નિયતિવાદ, અજ્ઞાનવાદ, બૌધ્ધોનો મત છે.
ત્રીજા ઉદ્દેશકમાંઃ આધા કર્મના દોષો છે. કૃતવાદ, મોક્ષમાર્ગ કહેતા પંથો છે. ચોથો ઉદ્દેશકઃ ૫૨૫રવાદિયો વિષે કહ્યું છે.
બીજું અધ્યયન વેતાલિય નામે છે. કર્મનાશ કરવા વિશે ઉપદેશ આમાં આવ્યો છે. આના ત્રણ ઉદ્દેશકો છે.
ઉદ્દેશક ૧: આમાં સંબોધ અને અનિત્યતાનો વિચાર છે.
ઉદ્દેશક ૨: માનત્યાગ વિષે કહ્યું છે.
ઉદ્દેશક ૩: કર્મોનો અપચય અને યતિયોને ઉપદેશ, શાતા ત્યાગ અને પ્રમાદ ત્યાગ વિષે કહ્યો છે.
અધ્યયન ૩: ‘‘ઉપસર્ગ પરિક્ષા'' નો છે. આમાં સારા નરસા જે ઉપસર્ગો કહ્યાં છે તે તો ત્યાગ કરવા સહનશીલતાથી સહન કરી શિખામણથી કહ્યું છે. આના ચાર ઉદ્દેશકો છે.
પહેલું ઉદ્દેશકઃ પ્રતિકૂળ ઉપસર્ગો વિષે છે.
બીજાં ઉદ્દેશકઃ અનુકૂળ ઉપસર્ગો વિષે છે.
ત્રીજ ઉદ્દેશકઃ વિષાદ અને વિવિધ આક્ષેપો વિષે કહ્યું છે.
ચોથું ઉદ્દેશકઃ હેત્વા ભાસો અને વ્યામોહિત થયેલાઓ માટે વ્યવસ્થિત ઉપદેશ છે.
Four
Page #8
--------------------------------------------------------------------------
________________
ચોથું અધ્યયનઃ સ્ત્રીયો વિષે છે. સ્ત્રીસંગ અને સહવાસ ટાળવા કહ્યું છે. પહેલો ઉદ્દેશકઃ સ્ત્રીયો ઠગારી છે વગેરે કહ્યું છે. બીજા ઉદ્દેશકમાં સ્ત્રીસંગથી પતન થયેલા વિશે કહ્યું છે. પાંચમું અધ્યયનઃ નરકો વિષે છે. તેના બે ઉદ્દેશકો છે. છઠું અધ્યયનઃ મહાવીર સ્તવનનું છે. સાતમું અધ્યયનઃ કુશીલ પરિભાષાનું છે. આમાં આચાર દોષ કહ્યા છે અને શીલવાન સાધુને સંયમ જાળવવા કહ્યું છે.
આઠમું અધ્યયનઃ “વીર્ય” નામે છે. તે બે જાતના કહ્યાં છે. નવમું અધ્યયનઃ “ધર્મ” નામે છે. જિનેશ્વરે કહેલો નૈઋજુ ધર્મ સાચો છે. નિર્મમ અને નિરહંકારી થાવ. ઉપસર્ગો સહન કરો, બાહ્ય અને અત્યંતર દોષોને ત્યાગો. ઇચ્છાઓ પર કાબૂ રાખો. મુક્તિનું લક્ષ રાખો વગેરે મુનિયોને આચરવા કહ્યું છે. દસમું અધ્યયનઃ સમાધિ નામે છે. શી રીતે તે પ્રાપ્ત થાય તે વિશે કહ્યું છે.
અગિયારમું અધ્યયનઃ “માર્ગ” નામે છે. આ અધ્યયનમાં મોક્ષમાર્ગ વિષે કહ્યું છે. આ સંસારનો દસ્તરમાર્ગ તરવા માટેનો ઉપદેશ કર્યો છે. દોષયુક્ત ધ્યાનથી મોક્ષ ન જ મળે તે કહ્યું છે.
બારમું અધ્યયનઃ સમોસરણ નામે છે. ચાર પરપંથીયો અહીં ભેગા થાય છે. આમાં ૩૬૩ પરપથીકોનો ઉલ્લેખ છે. ક્રિયાવાદને સારો વાદ કહ્યો છે.
તેરમું અધ્યયનઃ આહત્તહિયં એટલે સત્યકથન છે. સાધુ અને અસાધુ વિશે સમજાવ્યું છે.
ચૌદમું અધ્યયન ગ્રંથ નામે છે. બ્રહ્મચર્યનું મહત્ત્વ અને ધર્મજ્ઞાન મેળવતા મુશ્કેલીઓને કેમ દૂર રાખવી તે વિશે કહ્યું છે.
પંદરમું અધ્યયનઃ આ યમક અલંકારયુક્ત અધ્યયન છે. શુદ્ધ ભાવના યોગ વડે સંસાર તરી જવા વિશે કહ્યું છે. તથાગત જ્યાં ત્યાં ન જ થાય અને તે લોકોના ચહ્યુસમાન છે એમ કહ્યું છે.
સોળમું અધ્યયન ગાથા નામે છે. આમાં માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથ કોને કહેવાય તે સમજાવ્યું છે.
પરમપૂજ્ય જંબૂવિજય મહારાજની સઇચ્છા માટે હું આભારી છું. મારા વડીલ ધર્મબંધુ શ્રીમાન પ્રતાપભાઈ ભોગીલાલની સહાય માટે તેમનો ઋણી છું.
અ.સૌ. અનુપમા કાંતિલાલ કાપડિયાની મદદ અર્થે આભારી છું. મૌજ બ્યુરોના ભાગીદાર શ્રી માધવભાઈ ભાગવતે કરેલી મહેનત માટે આભારી છું.
Five
Page #9
--------------------------------------------------------------------------
________________
આશા રાખું છું કે આ ગ્રંથ ધર્મપ્રેમી જનોને અને વિદ્યાર્થીઓને લાભદાયક થશે.
શબ્દકોશ આ ગ્રંથ માટે તૈયાર કરી પ્રકાશન કરવાની હું ઇચ્છા ધરાવું છું કે જેથી વિદ્યાર્થીઓને સમજવા માટે તે મદદરૂપ થાય.
– કાંતિલાલ કાપડિયા ૫૧૭, અનુપમ વિલા, નાનુ બીચ રીટ્રીટ, બેટલ બાટીમ ૪૦૩૭૧૩ ગોવા સ્ટેટ. ૨૦-૧૦-૨૦૦૪
Six
Page #10
--------------------------------------------------------------------------
________________
अनुक्रम
विषय
पृष्ठांक
४४ ४८
५४
प्रथम अध्ययन समयो उद्देशक १ उद्देशक २ उद्देशक ३ उद्देशक ४ द्वितीय अध्ययन वेयालियं उद्देशक १ उद्देशक २ उद्देशक ३ तृतीय अध्ययन उवसग्गपरिण्णा उद्देशक १ उद्देशक २ उद्देशक ३ उद्देशक ४ चतुर्थ अध्ययन इत्थीपरिण्णा उद्देशक १ उद्देशक २ पंचम अध्ययन णिरयविभत्ती उद्देशक १ उद्देशक २ षष्ठं अध्ययन महावीरत्थवो सप्तमं अध्ययन कुसीलपरिभासियं अष्ठम अध्ययन वीरियं नवमं अध्ययन धम्मे दसं अध्ययन समाही एगादसं अध्ययन मग्गे द्वादसं अध्ययन समोसरणं त्रयोदसं अध्ययन आहत्तहियं चतुर्दसं अध्ययन गंथो पंचदसं अध्ययन जमतीतं षोडसं अध्ययन गाहा
૬૬
७४
८०
८८ ९४ १०२ ११० ११६ १२४ १३० १३८ १४४ १५०
१५८ - १६४
Seven
Page #11
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૪૫
४८
૫૫
વિષય અધ્યયન પહેલુ “સમય”. ઉદ્દેશક ૧ ઉદ્દેશક ૨ ઉદ્દેશક ૩ ઉદ્દેશક ૪ અધ્યયન બીજું “વૈદારિક - ઉદ્દેશક ૧ ઉદ્દેશક ૨ ઉદ્દેશક ૩ અધ્યયન ત્રીજું “ઉપસર્ગો ઉદ્દેશક ૧ ઉદ્દેશક ૨ ઉદ્દેશક ૩ ઉદ્દેશક ૪ અધ્યયન ચોથું “સ્ત્રીયો” ઉદ્દેશક ૧ ઉદ્દેશક ૨ અધ્યયન પાંચમું નરકો” ઉદ્દેશક ૧ ઉદ્દેશક ૨ અધ્યયન છä મહાવીર સત્વન અધ્યયન સાતમું કુશીલ વિશે અધ્યયન આઠમું વીર્ય અધ્યયન નવમું ધર્મ અધ્યયન દસમું સમાધિ અધ્યયન અગિયારમું માર્ગ અધ્યયન બારમું સમોસરણ અધ્યયન તેરમું સત્યકથન અધ્યયન ચૌદમું ગ્રંથ અધ્યયન પંદરમું જમતીત અધ્યયન સોળમું ગાથા
ક૭
૮૯ ૯૫ ૧૦૩ ૧૧૧ ૧૧૭ ૧૨૫ ૧૩૧ ૧૩૯ ૧૪૫ ૧૫૧ ૧૫૯ ૧૬૫
Eight
Page #12
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ
સ્કંધ પહેલો
Page #13
--------------------------------------------------------------------------
________________
पढमं अज्झयणं 'समयो'
पढमो उद्देसओ १. बुझिज्ज तिउद्देज्जा बंधणं परिजाणिया।
किमाह बंधणं वीरे? किं वा जाणं तिउट्टई? ॥१॥ २. चित्तमंतमचित्तं वा परिगिज्झ किसामवि।
अन्नं वा अणुजाणाति एवं दुक्खा णं मुच्चइ ॥२॥ ३. सयं तिवायए पाणे अदुवा अण्णेहिं घायए ।
हणंतं वाऽणुजाणाइ वेरं वड्डेति अप्पणो ॥३॥ ४. जस्सिं कुले समुष्पन्ने जेहिं वा संवसे णरे ।
ममाती लुप्पती बाले अन्नमन्नेहिं मुच्छिए ॥४॥ ५. वित्तं सोयरिया चेव सव्वमेतं न ताणए ।
संखाए जीवियं चेव कम्मणा उतिउट्टति ॥५॥
६. एए गंथे विउक्कम्म एगे समण-माहणा। ____ अयाणंता विउस्सिता सत्ता कामेहि माणवा ॥६॥ ७. संति पंच महब्भूया इहमेगेसिमाहिया ।
पुढवी आऊ तेऊ वाऊ आगासपंचमा ॥७॥ ८. एते पंच महन्भूया तेब्भो एगो त्ति आहिया ।
अह एसि विणासे उ विणासो होइ देहिणो ॥८॥
Page #14
--------------------------------------------------------------------------
________________
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૧.
અધ્યયન પહેલું ‘‘સમય’’ પ્રથમ ઉદ્દેશ
ભગવાન વીરે બંધન કોને કહ્યું છે ? તે તૂટે છે તે કેમ જાણીશ? માટે બંધનને બરાબર જાણી લે અને તે જાણી બંધનને તોડી નાખ.
ચિત્તતંતુ કે ચિત્તવગરનું કે તેવું કશું પણ પકડી રાખવું કે બીજાને તેમ કરવા સંમતિ આપવી તેથી દુઃખોથી મુક્ત ન થવાય.
જાતે જીવનો નાશ કરે કે અન્ય વડે તેનો ઘાત કરાવે અથવા કોઈ તે જીવને હણતો હોય તે માટે સંમતિ આપે તો પોતાનું જ વેર વધારે છે.
જે કુળમાં જન્મ્યો હોય તે જ કુળમાં માણસ રહે તો તે એકબીજામાં મૂર્છા પામી, માયામાં તે મંદ લુપ્ત થાય છે.
.
ધન – દોલત કે સગાંવ્હાલાં આ સર્વે અહીં રક્ષણ ન આપે, જીવનને આમ જાણી પણ, તે કર્મો વડે તૂટે છે.
કોઈ શ્રમણ બ્રાહ્મણ ગ્રંથોનું ઉલ્લંઘન કરે છે. અજ્ઞાનથી ઉત્સાહ પામી કામભોગોમાં આસક્તિ પામે છે.
કોઈ એક કહે છે કે અહીં પાંચ મહાભૂતો જ છે. તે છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પાંચમું તે આકાશ.
૮.
આ પાંચ મહાભૂતો જ તે એક છે. જ્યારે તેમનો નાશ થાય ત્યારે દેહનો
પણ નાશ થાય છે.
3
Page #15
--------------------------------------------------------------------------
________________
९. जहा य पुढवीथूभे एगे नाणा हि दीसइ ।
एवं भो! कसिणे लोए एके विज्जा णु वत्तए ॥९॥ १०. एवमेगे त्ति जंपंति मंदा आरंभणिस्सिया।
एगे किच्चा सयं पावं तिव्वं दुक्खं नियच्छइ ॥१०॥
११. पत्तेयं कसिणे आया जे बाला जे य पंडिता ।
संति पेच्चा ण ते संतिणथि सत्तोवपातिया ॥११॥
१२. णत्थि पुण्णे व पावे वा णथि लोए इतो परे ।
सरीरस्स विणासेणं विणासो होति देहिणो ॥१२॥ १३. कुव्वं च कारवं चेव सव्वं कुव्वं ण विज्जति ।
एवं अकारओ अप्पा एवं ते उ पगल्भिया ॥१३॥ १४. जे ते उ वाइणो एवं लोए तेसिं कुओ सिया।
तमातो ते तमं जंति मंदा आरंभनिस्सिया ॥१४॥
१५. संति पंच महन्भूता इहमेगेसि आहिता ।
आयछट्ठा पुणेगाऽऽहु आया लोगे य सासते ॥१५॥ १६. दुहओ ते ण विणस्संति नो य उप्पज्जए असं ।
सव्वे वि सव्वहा भावा नियतीभावमागता ॥१६॥
१७. पंच खंधे वयंतेगे बाला उखणजोगिणो ।
अन्नो अणन्नो णेवाऽऽहु हेउयं च अहेउयं ॥१७॥ १८. पुढवी आऊ तेऊ य तहा वाऊ य एकओ।
चत्तारि धाउणो रूवं एवमाहंसु जाणगा ॥१८॥
Page #16
--------------------------------------------------------------------------
________________
૯. જેમ પૃથ્વીના સ્થંભ ઉપરથી એક જ અનેક રૂપે વર્તાય છે તેમ હે ભવ્ય! આ
સર્વ જગતમાં વિદ્યા તેમ જ વર્તાય છે.
૧૦. આ રીતે કોઈ મંદ જે હિંસા માટે નિશ્ચિત છે, તે ગર્વથી બબડે છે, જે જાતે
પાપ કરે છે તે તીવ્ર દુઃખો ઇચ્છે છે.
૧૧. દરેકનો આત્મા સંપૂર્ણ હોય છે, ભલે તે મૂર્ખ હોય કે પંડિત હોય. જ્યારે તે
મરે ત્યારે તે નથી હોતો. આત્મા અકસ્માતથી ન જ ઊપજે.
૧૨. પુણ્ય કે પાપ નથી હોતું. આ લોક કે પરલોક પણ નથી. શરીરનો નાશ
થાય ત્યારે દેહધારીનો પણ નાશ થાય છે.
૧૩. કરવું કે કરાવવું આ સર્વે કરેલું વિદ્યમાન નથી હોતું. કારણ આત્મા કશુંયે
કરતો નથી, આમ તે બેશરમી બોલે છે.
૧૪. જે આમ બોલ્યા કરે છે તેને લોક કે પરલોક ક્યાંથી હોય? તે એક અંધારેથી - બીજા અંધારે જાય છે. તે હિંસાખોર જે હિંસા કરવા નિશ્ચિત છે તે મૂર્ખ છે.
૧૫. કોઈ કહે છે કે અહીં પાંચ મહાભૂતો છે. ત્યારે બીજો કોઈ કહે છે કે આત્મા
તે છઠ્ઠો છે અને તે આ લોકમાં શાશ્વત છે.
૧૬. વળી તેનો નાશ નથી કે તે અહીં ઊપજતો પણ નથી. આ સઘળું સર્વે ભાવ
સાથે નિયતિ ભાવમાં સમાય છે.
૧૭. કોઈ ક્ષણયોગી મૂર્ખ કહે છે કે, અહીં પાંચ સ્કંધો છે. અન્ય કે અનન્ય તે
કહેતો નથી. વળી તેનો હેતુ કે અહેતુ વિષે કશુંયે નથી કહેતો.
૧૮. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચારે ધાતુઓથી આ રૂપ થાય છે એમ
કોઈ જાણકાર કહે છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
१९. अगारमावसंता वि आरण्णा वा वि पव्वगा।
इमं दरिसणमावन्ना सव्वदुक्खा विमुच्चती ॥१९॥ २०. तेणावि संधि णच्चा णं न ते धम्मविऊ जणा ।
जे ते उ वाइणो एवं ण ते ओहंतराऽऽहिता ॥२०॥ २१. ते णावि संधि णच्चा णं न ते धम्मविऊ जणा ।
जे ते उ वाइणो एवं ण ते संसारपारगा ॥२१॥ २२. ते णावि संधि णच्चाणं न ते धम्मविऊ जणा।
जे ते उ वाइणो एवं ण ते गब्मस्स पारगा ॥२२॥ २३. ते णावि संधि णच्चा णं न ते धम्मविऊ जणा।
जे ते उ वाइणो एवं ण ते जम्मस्स पारगा ।। २३ ।। २४. ते णावि संधि णच्चा णं न ते धम्मविऊ जणा।
जे ते उ वाइणो एवं न ते दुक्खस्स पारगा ॥२४॥ २५. ते णावि संधि णच्चाणं न ते धम्मविऊ जणा।
जे ते उ वादिणो एवं न ते मारस्स पारगा ॥२५॥ २६. णाणाविहाइं दुक्खाइं अणुभवंति पुणो पुणो ।
संसारचक्कवालम्मि वाहि-मच्चु-जराकुले ॥२६॥ २७. उच्चावयाणि गच्छंता गम्भमेस्संतऽणंतसो।
नायपुत्ते महावीरे एवमाह जिणोत्तमे ॥२७॥त्ति बेमि ॥
॥पढमज्झयणे पढमो उद्देसओ॥
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૯. કોઈ અરણ્યવાસી કે પર્વતમાં રહેતો જો ઘરે આવી વસે અને આ દર્શનમાં
દાખલ થાય, તો તે સર્વ દુઃખોથી મુક્ત થાય છે.
૨૦. તે માણસો ધર્મવિદ નથી અને તે કેમ સાંધવું તે નથી જાણતા. જે આમ
અહંકારથી બોલ્યા કરે છે તે સંસારના ઓઘમાંથી છૂટે નહિ.
૨૧. તે ધર્મના વિદ્વાન નથી, વળી કેમ સાંધવું તે પણ તેઓ નથી જાણતા. જે
આમ બોલે છે તે સંસારપાર ન થાય. '
૨૨. તે ધર્મના વિદ્વાન નથી કે નથી જાણતા કે કેમ મૈત્રી કરવી. આમ જે બોલે છે - તે બધા ગર્ભપાર ન જ થાય.
૨૩. તે મૈત્રી કેમ કેળવવી તે નથી જાણતા કે નથી ધર્મના સારા જાણકાર, જે
આમ બબડે, તે જન્મપાર ન જ થાય.
૨૪. કેમ જોડવું તે નથી જાણતા, કે નથી ધર્મવિદ. જે આમ બોલે છે તે દુઃખોથી
પાર ન જ થાય.
૨૫. કેમ સાંધવું તે નથી જાણતા, કે નથી ધર્મજ્ઞાની. જે આમ બોલે છે તે
યમરાજાથી પાર ન જ થાય.
૨૬. અનેક જાતના દુઃખો તે વારંવાર અનુભવે છે. તે સંસારના ચક્રની અંદર
વ્યાધિ, મૃત્યુ અને ઘડપણની વ્યથાથી આકુળ થાય છે.
૨૭. જિનોત્તમ પ્રભુ મહાવીરે (જ્ઞાતપુત્રે) કહ્યું છે કે આ સર્વે, ઉપર નીચે જતાં
અનંત ગર્ભમાં જવા ઇચ્છે છે.
પ્રથમ ઉદ્દેશ પૂરો થયો (અધ્યયન ૧)
Page #19
--------------------------------------------------------------------------
________________
बिइओ उद्देसओ
२८. आघायं पुण एगेसिं उववन्ना पुढो जिया । वेदयंति सुहं दुक्खं अदुवा लुप्पंति ठाणओ ॥ १ ॥
२९. न तं सयंकडं दुक्खं कओ अन्नकडं च णं । सुहं वा जइ वा दुक्खं सेहियं वा असेहियं ॥२॥
३०. न सयं कडं ण अन्नेहिं वेदयंति पुढो जिया । संगतियं तं तहा तेसिं इहमेगेसिमाहियं ॥ ३ ॥
३१. एवमेताइं जंपता बाला पंडियमाणिणो । णियया ऽणिययं संतं अजाणता अबुद्धिया ॥ ४ ॥
३२. एवमेगे उपासत्था ते भुज्जो विप्पगब्भिया । एवं पुवट्ठिता संता ण ते दुक्खविमोक्खया ॥५॥
३३. जविणो मिगा जहा संता परिताणेण वज्जिता । असंकियाई संकंति संकियाइं असंकिणो ॥ ६ ॥
३४. परिताणियाणि संकंता पासिताणि असंकिणो । अण्णाणभयसंविग्गा संपलिंति तहिं तहिं ॥ ७ ॥
३५. अह तं पवेज्ज वज्झं अहे वज्झस्स वा वए । मुंचेज्ज पयपासाओ तं तु मंदे ण देहती ॥८॥
३६. अहियप्पाऽहियपण्णाणे विसमंतेणुवागते । से बद्धे पयपासेहिं तत्थ घायं नियच्छति ॥९ ॥
8
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૮.
અધ્યયન ૧ : ઉદ્દેશ બીજો
જીવો પૃથક્ પૃથક્ ઊપજે છે એમ કોઈએ કહ્યું છે. તે સુખ અને દુઃખ ભોગવે છે, અથવા તે સ્થાને, મરણ પામે છે.
૨૯. તે દુઃખો જાતે કર્યાં નથી, તો બીજા વડે કેમ કરી થાય ? તે દુઃખો કે સુખો ભલે સહ્યા હોય કે નહિ.
૩૦. પૃથક્ જીવો, દુઃખ કે સુખ, ન પોતે કરેલું કે અન્ય વડે, પણ ભોગવે છે. તે તેમનો સંગાથ કરે છે, એમ કોઈ કહે છે.
૩૧.
પણ
આમ મૂર્ખ માણસો કે જે પોતાને પંડિત માને છે તે આમ બોલે છે. નિયત એ જ અનિયત છે તે આ બુદ્ધિ-હીન અજ્ઞાની જાણતા નથી.
૩૨. કોઈ આની ઉપાસના કરે છે અને પહેલાથી ધારેલું બોલી મજા માને છે. હવે તે પહેલાની જેમ જ હોવાથી, દુ:ખોને દૂર નથી કરતા.
૩૩. જ્યારે ભય નથી ત્યારે જાનવર વેગપૂર્વક દોડે જાય છે. તે શંકા વગરની જગ્યાને શંકે છે, પણ શંકાવાળી જગ્યાની તે શંકા કરતો નથી.
૩૪. રક્ષણની શંકા કરતો, પાશની શંકા કરતો નથી. અજ્ઞાનરૂપી ભયથી ગ્રસ્ત થયેલો તરત જ ત્યાંને ત્યાં જ ભ્રમમાં પડે છે.
૩૫. હવે તેનું દોડવાનું વધ્યું, પણ નીચે પગ બંધાયાથી તે દોડી શકે નહીં ત્યારે પગના પાશ છોડી મૂકવા તે મૂર્ખ નથી જોતો.
૩૬. તે નુકસાન થયેલો આત્મા, શત્રુને ન જાણી, વિષમ રીતે વર્તે છે. હવે તેના પગ ફાંસથી બંધાયેલા હોવાથી, તે ત્યાં જ ઘાતને શરણે થાય છે.
9
Page #21
--------------------------------------------------------------------------
________________
३७. एवं तु समणा एगे मिच्छदिट्ठी अणारिया।
असंकिताइं संकंति संकिताइं असंकिणो ॥१०॥
३८. धम्मपण्णवणा जा सा तं तु संकंति मूढगा।
आरंभाइं न संकंति अवियत्ता अकोविया ॥११॥ ३९. सव्वप्पगं विउक्कस्सं सव्वं णूमं विहूणिया ।
अप्पतियं अकम्मंसे एयमटुं मिगे चुए ॥१२॥ ४०. जे एतं णाभिजाणंति मिच्छट्ठिी अणारिया ।
मिगा वा पासबद्धा ते घायमेसंतऽणंतसो ॥१३॥
४१. माहणा समणा एगे सव्वे णाणं सयं वदे ।
सव्वलोगे वि जे पाणा न ते जाणंति किंचणं ॥१४॥ ४२. मिलक्खु अमिलक्खुस्स जहा वुत्ताणुभासती
ण हेउं से विजाणाति भासियं तऽणुभासती ॥१५॥
४३. एवमण्णाणिया नाणं वयंता विसयं सयं ।
णिच्छयत्थं ण जाणंति मिलक्खू व अबोहिए ॥१६॥
४४. अण्णाणियाण वीमंसा अण्णाणे नो नियच्छती ।
अप्पणो य परंणालं कुतो अण्णेऽणुसासिउं? ॥१७॥ ४५. वणे मूढे जधा जंतू मूढणेताणुगामिए ।
दुहओ वि अकोविता तिव्वं सोयं णियच्छति ॥१८॥
४६. अंधो अंधं पहं णितो दूरमद्धाण गच्छती । आवज्जे उप्पधं जंतु अदुवा पंथाणुगामिए ॥१९॥
10
Page #22
--------------------------------------------------------------------------
________________
૩૭. તે પ્રમાણે જ, હે મિથ્યાત્વી અનાર્ય શ્રમણ ! તું શંકા ન હોય તેની શંકા કરે
છે, અને શંકાયુક્ત હોય તેની શંકા નથી કરતો.
૩૮. હે મૂઢ! જે ધર્મની પ્રજ્ઞાપના છે, તેનીતું શંકા કરે છે, પણ હિંસાના કૃત્યોની
શંકા નથી કરતો, જાણે કે તું અભણ છે.
૩૯. સર્વ જાતનો ઉત્કર્ષ અને પ્રશંસાનો ત્યાગ કરે. કરવા જેવું ન કરી, તે
જાનવરનો નાશ થયો.
૪૦. હે મિથ્યાત્વી અનાર્ય! જે આ નથી જાણતો, તે જાનવરની જેમ ફાંસમાં
પડી અનંત ઘાતની ઇચ્છા કરે છે.
૪૧. કોઈ બ્રાહ્મણ શ્રમણ સઘળું જ્ઞાન પોતે જ કહે છે. પરંતુ આ સર્વ લોકે જે
સર્વે જીવો છે, તે વિશે તેને જરા પણ જ્ઞાન નથી.
૪૨. જ્યારે કોઈ આંધળો, ઉઘાડી આંખોવાળાને વૃત્ત કહે છે ત્યારે તે તે કથનનો
હેતું નથી જાણતો, પણ બોલવા ખાતર જ બોલે છે.
૪૩. આ જ રીતે કોઈ અજ્ઞાની પોતાનું જ્ઞાન સેંકડો વિષયોથી કહે છે. પણ તેનો
નિશ્ચય અર્થ, તે નથી જાણતો જાણે કે તેણે આંખો મીંચી છે અને ભણ્યો નથી.
૪૪. અજ્ઞાનીનું જ્ઞાન અજ્ઞાન વડે ન જ જાય. જો પોતાનું જ પૂરું ન હોય તો
બીજાને કેમ કરી શીખવાડે ?
૪૫. જ્યારે કોઈ મંદ માણસ મૂર્ખનેતા વડે દોરાય છે. બન્ને પણ અભણ હોવાથી
તીવ્ર શોક પામે છે.
૪૬. એક આંધળો ગણગણતો અંધમાર્ગે દૂર જાય છે. ગેરરસ્તો જાણી તે પાછો
ફરે છે અથવા એ જ માર્ગે જાય છે.
11.
Page #23
--------------------------------------------------------------------------
________________
४७. एवमेगे नियायट्ठी धम्ममाराहगा वयं ।
अदुवा अधम्ममावज्जे ण ते सव्वज्जुयं वए ॥२०॥
४८. एवमेगे वितक्काहिं णो अण्णं पज्जुवासिया।
अप्पणो य वितक्काहि अयमंजू हि दुम्मती ॥२१॥ ४९. एवं तक्काए साहेंता धम्मा-ऽधम्मे अकोविया ।
दुक्खं ते नाइतुटुंति सउणी पंजरं जहा ॥२२॥
५०. सयं सयं पसंसंता गरहंता परं वइं।
जे उ तत्थ विउस्संति संसारं ते विउस्सिया ॥२३॥
५१. अहावरं पुरक्खायं किरियावाइदरिसणं ।
कम्मचिंतापणट्ठाणं संसारपरिवड्डणं ॥२४॥ ५२. जाणं काएण (s)णाउट्टी अबुहो जं च हिंसती ।
पुट्ठो वेदेति परं अवियत्तं खुसावज्जं ॥२५॥ ५३. संतिमे तओ आयाणा जेहिं कीरति पावगं।
अभिकम्माय पेसाय मणसा अणुजाणिया ॥२६॥ ५४. एए उ तओ आयणा जेहिं कीरति पावगं ।
एवं भावविसोहीए णेव्वाणमभिगच्छती ॥२७॥
५५. पुत्तं पिता समारंभ आहारट्ठमसंजए ।
भुंजमाणो य मेधावी कम्मुणा नोवलिप्पति ॥२८॥ ५६. मणसा जे पउस्संति चितं तेसिं न विज्जती ।
अणवज्ज अतहं तेसिं ण ते संवुडचारिणो ॥२९॥
12
Page #24
--------------------------------------------------------------------------
________________
૪૭. કોઈ નિયતિવાદી ધર્મઆરાધના કરવાનું કહે છે. અથવા તે અધર્મમાં જાય
છે અને તે યોગ્ય કહે અથવા ન પણ કહે. આમ તે સઘળું યોગ્ય કહેતો
નથી. ૪૮. આમ કોઈ તર્ક વિતર્ક કરી બીજાની ઉપાસના કરતો નથી. પોતાના જ તર્ક
વિતર્કને સારા માની તે દુર્મતિથી વર્તે છે.
૪૯. આમ તે પોતાના જ તર્ક વિતર્ક વડે કહે છે, તે ધર્મ અધર્મ વગેરે જાણતો
નથી. તેથી તેનું દુઃખ તૂટે નહિ જેમ પાંજરામાં પૂરેલી ચકલી સહે તેમ તે સહે છે.
૫૦. પોતપોતાનું કહેલું સારું કહી બીજા ધર્મોની નિંદા કરે છે. ત્યાં જે ઉત્કર્ષ
પામે છે તે સંસારમાં પણ વધારે ફસાય છે.
૫૧. આ પ્રમાણે ક્રિયાવાદી દર્શન કર્યું છે. જ્યાં કર્મની ચિંતા નષ્ટ થાય છે,
ત્યારે સંસાર સર્વ રીતે વધે છે.
પર. જ્યાં સુધી કાયાથી ઊઠે નહિ અને અજ્ઞાની તેની હિંસા કરે છે. પૂછે તો
જુદો જ જવાબ દે છે, જે યુક્ત નથી અને વર્યુ છે.
પ૩. જ્યારે તે પાવન થાય છે ત્યારે તેનો આત્મા શાંત થાય છે. જે સારું કરવા
જાય છે તેને મનપૂર્વક સંમતિ આપે છે.
૫૪. જ્યારે તે પાવન કૃત્યો કરે છે ત્યારે ભાવશુદ્ધિ કરી નિર્વાણ તરફ જાય છે.
૫૫. પુત્ર પણ સાધુના આહાર અર્થે સમારંભોમાં ખૂન કરે છે. તે જે સાધુ ખાય
તેને કર્મનો લેપ થતો નથી.
૫૬. જે મનપૂર્વક તેથી જોડાય છે તેને બુદ્ધિ નથી હોતી. અસત્ય તેને વર્ય નથી
તેથી તે સુવતી નથી.
Page #25
--------------------------------------------------------------------------
________________
५७. इच्चेयाहिं दिट्ठीहिं सातागारवणिस्सिता ।
सरणं ति मण्णमाणा सेवंती पावगं जणा ॥ ३० ॥
५८. जहा आसाविणि णावं जातिअंधो दुरूहिया । इच्छेज्जा पारमागंतुं अंतरा य विसीयति ॥ ३१ ॥
५९. एवं तु समणा एगे मिच्छद्दिट्ठी अणारिया । संसारपारकंखी ते संसारं अणुपरियट्टंति ॥ ३२ ॥ त्ति बेमि ।
॥ बितिओ उद्देसओ सम्मत्तो ॥
14
Page #26
--------------------------------------------------------------------------
________________
૫૭. આ દષ્ટિએ તે સુખશાતા માટે નિશ્ચિત થાય છે. તે તેને જ શરણ માની તે લોકોને પાપનું સેવન કરાવે છે.
૫૮. જ્યારે કાણાવાળી નાવમાં જન્મ આંધળો બેસે છે. તે પાર જવા ઇચ્છે છે,
પણ વચ્ચે જ તે ડૂબી જાય છે.
૫૯. હે મિથ્યાત્વી અનાર્ય શ્રમણ! તું સંસાર પાર કરવાની ઇચ્છા કરે છે, પણ
આ સંસારમાં જ તું ફરી ફરી ફરતો થઈશ.
આમ હું કહું છું. બીજો ઉદ્દેશ પૂરો થયો.
Page #27
--------------------------------------------------------------------------
________________
तइओ उद्देसओ ६०. जं किंचि वि पूतिकडं सढीमागंतुमीहियं ।
सहस्संतरियं भुंजे दुपक्खं चेव सेवती ॥१॥ ६१. तमेव अविजाणंता विसमंमि अकोविया।
मच्छा वेसलिया चेव उदगस्सऽभियागमे ॥२॥ ६२. उदगस्सऽप्पभावेणं सुक्कंमि घातमिति उ ।
ढंकेहि य कंकेहि य आमिसत्थेहिं ते दुही ॥३॥
६३. एवं तु समणा एगे वट्टमाणसुहेसिणो।
मच्छा वेसालिया चेव घातमेसंतऽणंतसो ॥४॥ ६४. इणमन्नं तु अण्णाणं इहमेगेसिमाहियं ।
देवउत्ते अयं लोगे बंभउत्तेत्ति आवरे ॥५॥ ६५. ईसरेण कडे लोए पहाणाति तहावरे ।
जीवा-ऽजीवसमाउत्ते सुह-दुक्खसमन्निए ॥६॥ ६६. सयंभुणा कडे लोए इति वुत्तं महेसिणा ।
मारेण संथुता माया तेण लोए असासते ॥७॥ ६७. माहणा समणा एगे आह अंडकडे जगे।
असो तत्तमकासी य अयाणंता मुसं वदे ॥८॥ ६८. सएहिं परियाएहि लोयं बूया कडे ति या ।
तत्तं ते ण विजाणंतीण विणासि कयाइ वि ॥९॥
16
Page #28
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૧ઃ ઉદેશ ત્રીજો
૬૦. જો જરા પણ આહાર પૂરતું કરવા અર્થે શ્રદ્ધાવડે મળે, ભલે તે હજારો વચ્ચે
પસાર થાય, તો પણ તે ખાવાથી બે પક્ષનું જ સેવન કરેલું થાય.
૬૧. તે વિષે જાણી હે અભણ! તું છીછરાં પાણીમાંના માછલાંની જેમ, વધારે
પાણી આવે તેમ વિષમ રીતે વર્તે છે.
૬૨. અલ્પ પાણી સુકાય તેથી તે માછલાનો ઘાત થાય છે. વળી ઢંક અને કંક
પક્ષીયો માંસ મેળવવા અર્થે તેને ઉપાડી જાય, આમ બીજી રીતે પણ ઘાત થાય છે. આમ તે બે દુઃખો થયા.
૬૩. તેથી હે શ્રમણ ! વર્તમાનકાળે તું સુખ ઇચ્છે છે. છીછરા પાણીમાંના
માછલાંની જેમ જ અનંત ઘાત ઇચ્છે છે.
૬૪. આ છે બીજું અજ્ઞાન, એમ કહ્યું છે કે, દેવે આ લોક ઉપજાવ્યો છે અને
બ્રહ્મા તેને આવરે છે.
૬૫. ઈશ્વરે આ લોક કર્યો છે અને પ્રધાન વડે તે આવર્યો છે. તે જીવાજીવથી
સમાયેલો છે. વળી તે સુખદુઃખથી પૂરો ભરાયેલો છે.
૬૬. સ્વયંભૂએ આ લોક ઉપજાવ્યો છે આમ ઋષિઓએ કહ્યું છે. યમરાજાએ
માયા સ્થાપી છે તેથી આ લોક અશાશ્વત છે.
૬૭. કોઈ શ્રમણ બ્રાહ્મણ કહે છે કે, આ જગ ઈંડાથી ઊપજ્યું છે. વિષ્ણુએ
અંધારું દૂર કર્યું છે. આમ તે અજ્ઞાનથી ખોટું કહે છે.
૬૮. સેંકડો પર્યાયોથી આ લોક ઊપજ્યો છે એમ કહે છે. ત્યારે તે નથી જાણતાં
કે તેનો ક્યારે પણ વિનાશ થશે નહિ.
Page #29
--------------------------------------------------------------------------
________________
६९. अमणुण्णसमुप्पादं दुक्खमेव विजाणिया।
समुप्पादमयाणंता किह नाहिति संवरं ॥१०॥ ७०. सुद्धे अपावए आया इहमेगेसि आहितं ।
पुणो कीडा-पदोसेणं से तत्थ अवरज्झति ॥११॥ ७१. इह संवुडे मुणी जाते पच्छा होति अपावए ।
वियडं व जहा भुज्जो नीरयं सरयं तहा ॥१२॥ ७२. एताणिवीति मेधावि बंभचेरे ण ते वसे ।
पुढो पावाउया सव्वे अक्खायारो सयं सयं ॥१३॥
७३. सते सते उवट्ठाणे सिद्धिमेव ण अन्नहा ।
अहो वि होति वसवत्ती सव्वकामसमप्पिए ॥१४॥
७४. सिद्धा य ते अरोगा य इहमेगेसि आहितं ।
सिद्धिमेव पुराकाउं सासए गढिया णरा ॥१५॥ ७५. असंवुडा अणादीयं भमिहिंति पुणो पुणो।
कप्पकालमुवज्जति ठाणा आसुर-किब्बिसिय ॥१६॥त्ति बेमि।
।। ततिओ उद्देसओ सम्पत्तो ।।
18
Page #30
--------------------------------------------------------------------------
________________
૬૯. મોટું સંકટ અપાયું છે. તેને દુ:ખ જ જાણી લેવું. જ્યારે તે સંકટ ક્યારે
આવશે, તે જાણ્યું નથી તો તેનો ઉપાય કોણ કહી શકે?
૭૦. આત્મા શુદ્ધ અને પાપ વિનાનો છે, એમ કહે છે. જ્યારે તે ક્રિીડા કરે છે,
ત્યારે તે દોષથી અપરાધી થાય છે.
૭૧. શરૂઆતમાં અહીં મુનિ સુવ્રતધારી થાય છે, પછી તે અશુદ્ધ થાય છે. જ્યારે
તે વિકૃત ભોજન કરે છે ત્યારે તે અકર્મી, કર્મયુક્ત થાય છે.
૭૨. આ પ્રમાણે વર્તતો તે બુદ્ધિમાન બ્રહ્મચર્ય ન જ પાળે. જાંદા જુદા પાપકર્મો ' કરી તેના સર્વે આચાર ભ્રષ્ટ થાય છે.
૭૩. સેંકડો સેંકડો વાર ઊપજ્યા વિના અન્ય રીતે તેને સિદ્ધિ ન જ મળે. સર્વ
કામભોગોને લઈ તે નીચે વસવાટ કરે છે.
૭૪. સિદ્ધ જીવો નિરોગી થાય છે એમ કહે છે. સિદ્ધિ મેળવવા માટે માણસો
શાશ્વત પ્રયત્નો કરતા રહે છે.
૭૫. અનાદિકાળથી ચારિત્ર્ય વિનાના માણસો આ લોકે વારંવાર ભ્રમણ કરે
છે. તે કલ્પકાળે અસુરોના સ્થાને, જે ગંદું છે ત્યાં ઊપજે છે.
આમ હું કહું છું. ત્રીજો ઉદ્દેશ પૂરો થયો.
19
Page #31
--------------------------------------------------------------------------
________________
चउत्थो उद्देसओ
७६. एते जिता भो! न सरणं बाला पंडितमाणिणो ।
हेच्चा णं पुव्वसंजोगं सिया किच्चोवदेसगा ॥१॥ ७७. तं च भिक्खू परिण्णाय विज्जं तेसुण मुच्छए ।
अणुक्कसे अप्पलीणे मज्झेण मुणि जावते ॥२॥ ७८. सपरिग्गहा य सारंभा इहमेगेसि आहियं ।
अपरिग्गहे अणारंभे भिक्खू ताणं परिव्वते ॥३॥ ७९. कडेसु घासमेसेज्जा विऊ दत्तेसणं चरे ।
अगिद्धो विष्पमुक्को य ओमाणं परिवज्जते ॥४॥ ८०. लोगवायं निसामेज्जा इहमेगेसि आहितं ।
विवरीतपण्णसंभूतं अण्णण्णबुतिताणुयं ॥५॥ ८१. अणंते णितिए लोए सासते ण विणस्सति ।
अंतवं णितिए लोए इति धीरोऽतिपासति ॥६॥ ८२. अपरिमाणं विजाणाति इहमेगेसि आहितं ।
सव्वत्थ सपरिमाणं इति धीरोऽतिपासति ॥७॥ ८३. जे केति तसा पाणा चिटुंतऽदुव थावरा ।
परियाए अत्थि से अंजू तेण ते तस-थावरा ॥८॥ ८४. उरालं जगओ जोयं विपरीयासं पलेंति य ।
सव्वे अक्कंतदुक्खा य अतो सब्वे अहिंसिया ॥९॥
201
Page #32
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૧ : ઉદેશ ચોથો
૭૬. બાળપંડિત માને છે કે આ સંસાર જીતી શરણ ન મળે. તે પૂર્વેના સંબંધો
અને સંજોગો છોડી આરંભ સમારંભનો ઉપદેશ કરતો થાય છે.
૭૭. તે સર્વે જાણીને ભિક્ષુ તેમાં મૂચ્છ પામે નહિ. તે અનુત્કર્ષવાન થઈ સાવધગીરી
પાળે અને મધ્યમાર્ગે જીવે.
૭૮. કોઈ સાધુ પરિગ્રહ કરે અને હિંસા પણ કરે એમ કહ્યું છે. સારો ભિક્ષુ
અપરિગ્રહી થાય, હિંસા કરે નહિ, આ રક્ષણના માર્ગે તે ફર્યા કરે.
૭૯. કરેલો આહાર ઇચ્છે. સ્વેચ્છાએ આપેલું જ ખાય. વિદ્વાન વિપ્રમુક્ત થઈ
અપમાન જેવા શબ્દો ન બોલે.
૮૦. લોકના બોલચાલ અને વાદને શાંત કરે, એમ કહ્યું છે. વિપરીત પ્રજ્ઞાવાળા
એકબીજા સાથે અસત્ય બોલે છે.
આ લોક અનંત અને નિત્ય છે. વળી તે શાશ્વત હોવાથી તેનો નાશ ન થાય. પણ ધીર પુરૂષ કહે છે કે આ લોકને અંત છે, તેથી તે નિત્ય નથી.
૮૨. તે પ્રમાણ વિનાનો છે એમ કહ્યું છે. પણ ધીર પુરૂષ કહે છે કે બધું જ
પ્રમાણવાળું છે, એમ તે જુએ છે.
૮૩. જે કોઈ ત્રસ પ્રાણીયો છે, તે ઊભા હોય કે સ્થાવર હોય, પર્યાય વડે તે
સારાં દેખાય છે, તેથી જ તે ત્રસ સ્થાવર કહેવાય છે.
૮૪. ઊભા થઈ પ્રાણીયો આ જગમાં જોયા કરે છે, તે જ્યારે સંકટ આવે ત્યારે
નાશ પામે છે અથવા દોડી જાય છે. તે બધાયે દુઃખોથી આકુળ થાય છે, રડે પણ છે. માટે તે સર્વેની હિંસા ન કરો.
2
Page #33
--------------------------------------------------------------------------
________________
८५. एतं खु णाणिणो सारं जं न हिंसति किंचणं । अहिंसासमयं चेव इत्तावंतं विजाणिया ॥ १० ॥
८६. वुसिए य विगयगेही य आयाणं सारक्खए । चरिया - ऽऽसण- सेज्जासु भत्तपाणे य अंतसो ॥ ११ ॥
८७. एतेहिं तिहिं ठाणेहिं संजते सततं मुणी । उक्कसं जलणं णूमं मज्झत्थं च विगिंचए ॥१२॥
८८. समिते उ सदा साहू पंचसंवरसंवुडे ।
सितेहिं असिते भिक्खू आमोक्खाए परिव्वज्जासि ॥ १३ ॥ त्ति बेमि ।
॥ पढमं अज्झयणं सम्मत्तं ॥
22
Page #34
--------------------------------------------------------------------------
________________
૮૫. જ્ઞાની પુરૂષોના ઉપદેશનો સાર, કોઈની હિંસા જરા પણ ન જ કરવી તેમ છે. અહિંસાનો સિદ્ધાંત અહીં વર્તે છે તે જાણી લે.
૮૬. હે અણગાર! આત્માનું રક્ષણ ક૨વા અર્થે ઉત્સાહિત થા. હલનચલન, બેસવું, સૂવું, અને ભાતપાણી અર્થે જાગ્રતિ રાખ. તે પણ આખી જિંદગી પૂરી થાય ત્યાં સુધી.
૮૭. મુનિ આ ત્રણે સ્થાનોમાં સંયમથી હમેશાં વર્તે. તે કીર્તિ, ક્રોધ, માયા અને લોભને અડે નહિ.
૮૮. સાધુ પાંચ સમિતિયો સદાયે પાળે, તે પાંચ સંવરનો વ્રતધારી થાય. તે પોતાનું અસ્તિત્વ દૂર કરી મોક્ષમાર્ગે ચાલી જાય.
આમ હું કહું છું. પ્રથમ અધ્યયનનો ચોથો ઉદ્દેશ પૂરો થયો.
23
Page #35
--------------------------------------------------------------------------
________________
२.
बिइयमज्झयणं 'वेयालियं' पढमो उद्देसओ
८९. संबुज्झह किं न बुज्झह, संबोही खलु पेच्च दुल्लभा । हूवणमंति रातिओ, णो सुलभं पुणरावि जीवियं ॥ १॥
९०. डहरा वुड्ढा य पासहा, गब्भत्था वि चयंति माणवा । सेणे जह वट्टयं हरे, एवं आउखयम्मि तुट्टती ॥२॥
९१. माताहिं पिताहिं लुप्पति, णो सुलभा सुगई वि पेच्चओ । एयाइं भयाइं देहिया, आरंभा विरमेज्ज सुव्वते ॥ ३ ॥
९२. जमिणं जगती पुढो जगा, कम्मेहिं लुप्पंति पाणिणो । सयमेव कडेहिं गाहती णो, तस्सा मुच्चे अपुट्ठवं ॥ ४ ॥
९३. देवा गंधव्व- रक्खसा, असुरा भूमिचरा सिरीसिवा ।
राया नर- सेट्ठि - माहणा, ते वि ठाणाइं चयंति दुक्खिया ॥ ५॥
९४. कामेहि य संथवेहि य, गिद्धा कम्मसहा कालेण जंतवो । ताले जह बंधणच्चुते, एवं आउखयम्मि तुट्टती ।। ६ ।
९५. जे यावि बहुस्सुए सिया, धम्मिए माहणे भिक्खुए सिया । अभिनूमकडेहिं मुच्छिए, तिव्वं से कम्मेहिं किच्चती ॥७॥
९६. अह पास विवेगमुट्ठिए, अवितिण्णे इह भासती धुवं । हिसि आरं कतो परं, वेहासे कम्मेहिं किच्चती ॥८॥
24
Page #36
--------------------------------------------------------------------------
________________
૨.
અધ્યયન બીજું ‘વૈદારિક’’ ઉદ્દેશ પહેલો
૮૯. રાત્રીયોનો અંત નથી હોતો તેમ જ ફરીથી જીવન મળવું તે સહેલું નથી. માટે આ સારી રીતે જાણી લે, શા માટે સમજતો નથી ? મરવા પછી સદ્બોધ મળવો દુર્લભ છે.
૯૦. જો જુવાન, વૃદ્ધ અને ગર્ભમાંનો જીવ અને માનવો ચાલ્યા જાય છે. જેમ શેન પંખી વર્તકને હરી જાય છે તેમ જ આ આયુષ્ય તૂટી જાય છે.
૯૧.
માતા અને પિતા પણ લુપ્ત થાય છે, મરવા પછી સુગતિ મળવી મુશ્કેલ છે. આ સર્વે ભયો જાણી સુવ્રતધારી હિંસાનો ત્યાગ કરે.
૯૨. જે જીવો આ લોકે પૃથક્ પૃથક્ જીવે છે તે જીવો કર્મોથી લુપ્ત થાય છે. પોતાનાં જ કૃત્યો વડે ડૂબે છે, કર્મો તેની પીઠ છોડતાં નથી.
૯૩. દેવો, ગંધર્વો, રાક્ષસો, અસુરો, સ્થલચરો, સાપ, રાજા, નરશ્રેષ્ઠી અને બ્રાહ્મણ પણ દુ:ખી થઈ સ્થાનેથી ચાલી જાય છે.
૯૪. ઘણાએ જીવો વિષયાસક્ત થઈ સંસ્થવ કરે છે અને તે કર્મો ઘણા કાળ સુધી સહન કરે છે. જેમ તાડફળ પડે તેમ જ આયુષ્ય તૂટી પડે છે.
૯૫. ઘણાએ માણસો, ઘણાજ ભણેલા હોય છે તે ધાર્મિકો, બ્રાહ્મણો, ભિક્ષુઓ પણ હોય, જ્યારે તે માયાનાં કૃત્યો કરે છે ત્યારે તે તીવ્ર કર્મો કર્યે જાય છે.
૯૬. હવે વિવેકથી જો, તર્યા વગર આ સઘળું ધ્રુવ લાગે છે. જ્યાં શરૂઆત જ નથી, ત્યાં છેડો ક્યાંથી હોય ? વખતો વખત તે હિંસાના કૃત્યો કર્યે જાય છે.
25
Page #37
--------------------------------------------------------------------------
________________
९७. जइ वि य णिगिणे किसे चरे, जइ वि य भुंजिय मासमंतसो । जे इह मायाइ मिज्जती, आमंता गन्भायऽणंतसो ॥९ ॥
९८. पुरिसोरमं पावकम्मुणा, पलियंतं मणुयाण जीवियं । सन्ना इह काममुच्छिया, मोहं जंति नरा असंवुडा ॥ १० ॥
९९. जययं विहराहि जोगवं, अणुपाणा पंथा दुरुत्तरा । अणुसासणमेव पक्कमे, वीरेहिं सम्मं पवेदियं ॥ ११ ॥
१०० विरया वीरा समुट्ठिया, कोहाकातरियादिपीसणा ।
पाणे ण हति सव्वसो, पावातो विरयाऽभिनिव्वुडा ॥ १२ ॥ १०१. ण वि ता अहमेव लुप्पए, लुप्पंती लोगंसि पाणिणो ।
एवं सहिएऽधिपासते, अणिहे से पुट्ठोऽधियासए ॥ १३ ॥
१०२. धुणिया कुलियं व लेववं, कसए देहमणासणादिहिं । अविहिंसामेव पव्वए, अणुधम्मो मुणिणा पवेदितो ।। १४ । ।
१०३. सउणी जह पंसुगुंडिया, विधुणिय धंसयती सियं रयं । एवं दविओवहाणवं, कम्मं खवति तवस्सि माहणे ॥ १५ ॥ १०४. उट्ठितमणगारमेसणं, समणं ठाणठितं तवस्सिणं ।
डहरा वुड्ढा य पत्थर, अवि सुस्से ण य तं लभे जणा ॥ १६ ॥
१०५. जड़ कालुणियाणि कासिया, जइ रोवंति व पुत्तकारणा । दवियं भिक्खुं समुट्ठितं णो लब्धंति ण संठवित्तए ॥ १७ ॥
26
Page #38
--------------------------------------------------------------------------
________________
૯૭. જો પણ નગ્ન થઈ ફરે કે એક માસના અંતે ખાય તો પણ જો તે માયાથી
મદ કરે તો અનંતવાર ગર્ભમાં આવશે.
૯૮. હે પુરુષ! પાપકર્મોને છોડ. માણસનું જીવન નષ્ટ થાય છે. જ્યારે માણસ
મોહમાં પડે ત્યારે તે વ્રતહીન વિષયાસક્ત થાય છે.
૯૯, જેને વિહાર કરવાનો યોગ છે, પણ ત્યાં નાના નાના જીવો હોવાથી માર્ગ
કઠણ છે, તે ભગવાન વીરના સિદ્ધાંત અર્થે જ ચાલે છે અને ઉપદેશ કરે
૧૦૦. વીર વિરતિથી ધર્મનું ઉત્થાન કરે છે, ક્રોધ અને ભીરુતાનો નાશ કરે છે. તે
સર્વ રીતે હિંસા નથી કરતો, નિવૃત્તિ લઈ તે પાપથી વિરત થાય છે.
૧૦૧. અહીં તારો નાશ થશે એમ નથી, પણ આ લોકે સર્વ જીવો નાશ પામે છે.
પોતાના ભલા માટે વિચાર કર. જ્યારે તેને પૂછે ત્યારે બેફિકર થઈ ખોટા જવાબ દે છે.
૧૦૨. કુળવાન કર્મોના લેપને ધોઈ નાખે છે. તે શરીરને અનશને (તપથી) કૃષ
કરે છે. તે મુનિનો ધર્મ જ પ્રવેદે છે અને અહિંસાનું કથન કરે છે.
૧૦૩. જ્યારે પંખીની પાંખો ધૂળથી ભરાય છે, ત્યારે તે દૂર કરવા ધસે છે. તે જ
રીતે તપસ્વી બ્રાહ્મણ તપમાં લીન થઈ કર્મક્ષય કરે છે.
૧૦૪. ઘરની ઇચ્છાથી મન ઊઠતા, તે શ્રમણ તપસ્વી એક જ સ્થાને સ્થિર થાય
છે. જુવાન અને ઘરડા પ્રાર્થે છતાંએ સુશ્રુષા અર્થે પણ તે તેમને મળતો નથી, તે લાભ ન આપે.
૧૦૫. ભલે કરુણાજનક વિનંતી કરે, અને પુત્ર અર્થે રડે તો પણ દ્રવેલો ભિક્ષુ જે
ત્યાં સમુસ્થિત છે તે તેમને મળે નહીં કે તેમની સાથે ઘરે રહેવા જાય નહિ.
27
- -
Page #39
--------------------------------------------------------------------------
________________
१०६. जइ वि य कामेहि लाविया, जइ णेज्जाहि ण बंधिरं घरं । जति जीवित णावकंखए, णो लब्धंति ण संठवित्त ॥ १८ ॥
१०७. सेहंति य णं ममाइणो, माय पिया य सुता य भारिया । पासाहि णे पासओ तुमं, लोगं परं पि जहाहि पोस णे ॥ १९ ॥ १०८. अन्ने अन्नेहिं मुच्छिता, मोहं जंति नरा असंवुडा ।
विसमं विसमेहिं गाहिया, ते पावेहिं पुणो पगब्भिता ॥ २० ॥
१०९. तम्हा दवि इक्ख पंडिए, पावाओ विरतेऽभिनिव्वुडे । पणया वीरा महाविहि, सिद्धिपहं णेयाउयं धुवं ॥ २१ ॥
११०. वेतालयमग्गमागओ, मण वयसा काएण संवुडो । चेच्चा वित्तं च णायओ, आरंभं च सुसंवुडे चरेज्जासि ॥ २२ ॥ त्ति बेमि ॥
॥वेतालियस्स पढमो उद्देसओ समत्तो ॥
28
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૦૬. જ્યાં સુધી તે વિષયોથી દૂર છે, અને તે ઘર બાંધવા જાય નહિ, જ્યારે તે
મુનિ, જીવનની ઇચ્છા નથી કરતો ત્યારે તે ઘેર જઈ રહેવાનું કરે નહિ કે લાભ આપે નહિ.
૧૦૭. માતા-પિતા, છોકરી અને સ્ત્રી તે સ્નેહથી માયા કરે છે. જૂઓ અમે તમને
દેખીએ છીએ, અમારું પોષણ કરો, બીજા લોકોને પોસવાનું છોડી દો. ૧૦૮. વતરહિત માણસ મોહમાં પડે છે, એકબીજામાં મૂચ્છ પામે છે, પ્રતિકૂળ
તે પ્રતિકૂળતાથી જ ડૂબે છે. પછી તે પાપયુક્ત બોલે છે.
૧૦૯. ત્યારે પ્રવેલો પંડિત દેખે છે અને પાપથી વિરત થાય છે, અને નિવૃત્ત થવા
માંગે છે. ભગવાન વીરે વિધિપૂર્વક કહ્યું છે કે સિદ્ધિનો માર્ગ જ આયુને ધ્રુવ કરે છે, તે તરફ લઈ જાય છે.
૧૧૦. મન, વચન અને કાયાથી સુવ્રતધારી થઈ આ વેતાલિય માર્ગમાં દાખલ
થાવ. ધન - દોલત, જ્ઞાતિજનો અને હિંસાને ત્યાગો. પછી સુવ્રત ધારતાં વિચારો.
આમ હું કહું છું. અધ્યયન બીજાનો પ્રથમ ઉદ્દેશ પૂરો થયો.
29
Page #41
--------------------------------------------------------------------------
________________
बिइओ उद्देसओ
१११. तय सं व जहाति से रयं, इति संखाय मुणी ण मज्जती गोतण्णतरेण माहणे, अहऽसेयकरी अन्नेसि इंखिणी ॥ १ ॥
११२. जो परिभवती परं जणं, संसारे परियत्तती महं ।
अदु इंखिणिया उपाविया, इति संखाय मुणी ण मज्जती ॥ २ ॥
११३. जे यावि अणायगे सिया, जे वि य पेसगपेसए सिया । जे मोणपदं उवट्ठिए, णो लज्जे समयं सया चरे ॥ ३ ॥
११४. सम अन्नयरम्मि संजमे, संसुद्धे समणे परिव्वए ।
जे आवकहा समाहिए, दविए कालमकासि पंडिए ॥४॥
११५. दूरं अणुपस्सिया मुणी, तीतं धम्ममणागयं तहा ।
पुट्ठे फरुसेहिं माहणे, अवि हण्णू समयंसि रीयति ॥ ५ ॥
११६. पण्णसमत्ते सदा जए, समिया धम्ममुदाहरे मुणी ।
सुहुमे उ सदा अलूस, णो कुज्झे णो माणि माहणे ॥६॥ ११७. बहुजणणमणम्मि संवुडे, सव्वट्ठेहिं णरे अणिस्सिते । हरए व सया अणाविले, धम्मं पादुरकासि कासवं ॥७॥
११८. बहवे पाणा पुढो सिया, पत्तेयं समयं उवेहिया ।
जे मोणपदं उवट्ठिते, विरतिं तत्थमकासि पंडिते ॥ ८ ॥
११९. धम्मस्स य पारए मुणी, आरंभस्स य अंतए ठिए । सोयंति य णं ममाइणो, नो य लभंति णियं परिग्गहं ॥९॥
30
Page #42
--------------------------------------------------------------------------
________________
અધ્યયન બીજું ઃ ઉદ્દેશ બીજો
૧૧૧. તે કર્મરજને ચામડીના જેમ ત્યાગે છે, છોડે છે, આ જાણી મુનિ મદ ન કરે. જે બ્રાહ્મણ ગોત્ર તરી ગયો છે તેને માટે અન્યને દેખવું શ્રેયસ્કર નથી.
૧૧૨. જે બીજા માણસનો પરાભવ કરે છે તે સંસારમાં લાંબા વખત સુધી ભ્રમણ કરે છે. પવિત્ર માણસ પર નજર રાખે તેથી અથવા તે જાણી મુનિ મદ ન કરે.
૧૧૩. જે નાયક વિનાનો છે અને તેને નીરખવા પ્રેક્ષક મોકલે છે, તે મૌનપદમાં ઉપસ્થિત છે. તે શરમ રાખ્યા વિના સિદ્ધાંતોનું પાલન સદાય કરે છે.
૧૧૪. અન્ય રીતે તે સમ્યક્ત્વ સંયમપૂર્વક પાળે છે. શુદ્ધ થઈ તે શ્રમણ પ્રવ્રજ્યા કરે છે. જે પોતાના કથનમાં સિદ્ધાંત કહે છે તેવો દ્રવિત પંડિત કાળને પ્રકાશિત ન કરે.
૧૧૫. જ્યારે મુનિ ક્રમથી વિચા૨ ક૨તો ભૂતકાળ અને ભવિષ્યકાળના ધર્મ વિષે તેને પરિષહ, કઠોર શબ્દો અને હણાય તેવા થાય તો પણ તે સિદ્ધાંત પાળતો રહે છે.
૧૧૬. મુનિ પ્રજ્ઞાપટુ સદાએ હોય છે તે સમ્યક્ ધર્મ કહેતો જાય છે, સૂક્ષ્મ જીવોની હિંસા નથી કરતો. તે ક્રોધ અને માનથી દૂર એવો બ્રાહ્મણ છે.
૧૧૭. તે સુવ્રતી મુનિને ઘણા જીવો નમન કરે છે. સર્વ રીતે તે મુનિ અનિશ્રાવાળો થાય છે. તે સરોવરના પાણીની જેમ સ્વચ્છ હોય છે અને શુદ્ધ ધર્મ કહે છે. કાશ્યપનો ધર્મ જ તે પ્રકાશે છે.
૧૧૮. ઘણાએ જીવો પૃથક્ પૃથક્ હોય છે. તે પ્રત્યેકને સિદ્ધાંતનું કથન કરે છે. જે પંડિત મૌન વ્રત ધારે છે તે ત્યાં વિરતિ પ્રકાશે છે.
૧૧૯. હિંસાનો ત્યાગ કરી મુનિ ધર્મમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે. તે મમતા કરતાને તે સાંભળે છે, પણ પરિગ્રહ માટે તે મળે નહિ જ.
31
Page #43
--------------------------------------------------------------------------
________________
१२०. इहलोग दुहावहं विऊ, परलोगे य दुहं दुहावहं !
विद्धंसणधम्ममेव तं, इति विज्जं कोऽगारमावसे ॥१०॥ १२१. महयं पलिगोव जाणिया, जा वि य वंदण-पूयणा इहं ।
सुहुमे सले दुरुद्धरे, विदुमंता पजहेज्ज संथवं ॥११॥
१२२. एगे चरे ठाणमासणे, सयणे एगे समाहिए सिया ।
भिक्खू उवधाणवीरिए, वइगुत्ते अज्झप्पसंवुडे ॥१२॥ १२३. णो पीहे णावऽवंगुणे, दारं सुन्नघरस्स संजते ।
पुट्ठोण उदाहरे वयिं, न समुच्छे नो य संथरे तणं ॥१३॥
१२४. जत्थऽत्थमिए अणाउले, सम-विसमाणि मुणीऽहियासए।
चरगा अदुवा वि भेरवा, अदुवा तत्थ सिरीसिवा सिया ॥१४ । १२५. तिरिया मणुया य दिव्वगा, उवसग्गा तिविहाऽधियासिया।
लोमादीयं पिण हरिसे, सुन्नागारगते महामुणी ॥१५॥ १२६. णो आवऽभिकंखे जीवियं, णो वि य पूयणपत्थए सिया ।
अब्भत्थमुवेंति भेरवा, सुन्नागारगयस्स भिक्खुणो ॥१६॥ १२७. उवणीततरस्स ताइपो, भयमाणस्स विवित्तमासणं ।
सामाइयमाहु तस्स जं, जो अप्पाणं भए ण दंसए ॥१७॥ १२८. उसिणोदगतत्तभोइणो, धम्मट्ठियस्स मुणिस्स हीमतो।
संसग्गि असाहु रायिहिं, असमाही उ तहागयस्स वि ॥१८॥
32
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૨૦. આ લોકે દુઃખ છે પણ પરલોક તેથી ઘણો જ દુઃખદાયક છે. ઘરે જવાથી ધર્મનો નાશ થાય છે તે જાણી ઘરે જઈ વસવાટ ક૨વા કોણ જાય ?
૧૨૧. આ લોકે જ્યાં વંદન પૂજન છે, તે એક મોટો ખાડો છે તેમ જાણી લે. સૂક્ષ્મ કાંટો કાઢવો ઘણો જ મુશ્કેલ છે, તેથી જ વિદ્વાન કોઈ સાથે સહવાસ ન કરે, સાથે રહેવાનું ત્યાગે.
૧૨૨. કોઈ પોતાની જગ્યાએ આસન કરે છે તો કોઈ શૈયા પર સમાધિ આચરે છે. ભિક્ષુ તપના બળ વડે વચન ગુપ્તિ પાળી સુવ્રત ધારતો અધ્યાત્મી થાય.
૧૨૩. સંયમ પાળતો મુનિ જ્યારે તે ઉજ્જડ ઘરે હોય, ત્યારે તે કમાડ ઉઘાડે નહિં કે બાહ૨ જુએ નહિ. પૂછે તો જવાબ ન આપે, તે જગ્યા સાફ ન કરે કે ઘાસ પણ ત્યાં પાથરે નહિ.
૧૨૪. સૂર્યાસ્ત થયે આકુળ ન થાય. સારા નરસા ઉપસર્ગો મુનિ સહન કરે. ત્યાં જાનવર, ભયંક૨ દેખાવ, કે સર્પ હોય તો પણ તે ઉપસર્ગો સહન કરે.
૧૨૫. ઉજ્જડ ઘરે ગયેલો મહામુનિ સર્વે ત્રણ પ્રકારના ઉપસર્ગો, જેવા કે તિર્યંચના, મનુષ્યના કે દેવોના હોય તે સહન કરે. તેનાં રૂવાં પણ ન હલે.
૧૨૬. ઉજ્જડ ઘરે ગયેલો ભિક્ષુ જીવવાની ઇચ્છા ન કરે, વળી વંદન પૂજન ટાળે. કારણસર ભયંકર ઉપસર્ગો ઊપજે તે સર્વે સહન કરે.
૧૨૭. ભય પામેલા અને ત્રસ્ત જીવોનો તારક, વિયુક્ત આસને બેસે છે, તે સામાયિકમાં છે જો તે ભયથી ડંખાય નહિ.
૧૨૮. ધર્મસ્થિત થયેલો મુનિ ગરમ પાણી વાપરવા શરમાય છે. દુષ્ટ રાજાના સંસર્ગથી તથાગત પણ સમાધિ ભ્રષ્ટ થાય છે.
33
Page #45
--------------------------------------------------------------------------
________________
१२९. अहिगरणकडस्स भिक्खुणो, वयमाणस्स पसज्झ दारुणं । अट्ठे परिहायती चहू, अहिगरणं न करेज्ज पंडिए ॥१९॥ १३०. सीओदगपडिदुगंछिणो, अपडिण्णस्स लवावसक्किणो । सामाइयमाहु तस्स जं, जो गिहिमत्तेऽसणं न भुंजती ॥ २० ॥
१३१. न य संखयमाहु जीवियं, तह वि य बालजणे पगब्भती । बाले पावेहिं मिज्जती, इति संखाय मुणी ण मज्जती ॥ २१ ॥
१३२. छंदेण पलेतिमा पया, बहुमाया मोहेण पाउडा ।
वियडेण पलेति माहणे, सीउण्हं वयसाऽहियासते ॥ २२ ॥
"
१३३. कुजए अपराजिए जहा अक्खेहिं कुसलेहिं दिव्वयं । कडमेव गहाय णो कलिं, नो तेयं नो चेव दावरं ॥ २३ ॥
१३४. एवं लोगंमि ताइणा, बुइएऽयं धम्मे अणुत्तरे ।
तं हि हितं ति उत्तमं, कडमिव सेसऽवहाय पंडिए ॥ २४ ॥
१३५. उत्तर मणुयाण आहिया, गामधम्मा इति मे अणुस्सुतं । जंसी विरता समुट्ठिता, कासवस्स अणुधम्मचारिणो ॥ २५ ॥ १३६. जे एय चरंति आहियं, नातेणं महता महेसिणा । उत ते समुट्ठिता, अन्नोन्नं सारेंति धम्मओ ॥ २६ ॥
१३७. मा पेह पुरा पणामए, अभिकंखे उवहिं धुणित्तए । जे दूवणतेहि णो णया, ते जाणंति समाहिमाहियं ॥ २७ ॥
34
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૨૯. અધિકાર કરતો ભિક્ષુ બોલતા ઘણાયે ભયંકર શબ્દો વાપરે છે. અર્થમાં ઘણી ભૂલો કરે છે, તેથી પંડિતે અધિકાર ન કરવો.
ન
૧૩૦. ઠંડા પાણી તરફ તેને અણગમો થાય છે. તે જરાપણ પ્રતિજ્ઞા ન કરે. જે સાધુ ગૃહસ્થના પાત્રોમાં આહાર ન કરે તે સામાયિકમાં છે એમ કહ્યું છે.
૧૩૧. મંદ માણસો કહે છે કે જીવનને જાણવું નહિ. મૂર્ખ પાપથી મદ કરે છે, એમ જાણી મુનિ મદ ન કરે.
૧૩૨. બહુ માયા અને મોહથી યુક્ત પ્રજા પોતાના છંદો વડે નાશ પામે છે. વિકૃતિ વાપરી બ્રાહ્મણ ભ્રષ્ટ થાય છે. તે સારા કે નરસા વચનો સહન કરે છે.
૧૩૩. કુશળ જાદુગર અજબ રીતે પાસાં ફેંકી ખોટી રીતે જય મેળવે છે. તે કડને જ પકડે છે, તે ત્રેતા, દ્વા૫૨ કે કળીને પકડતો નથી.
૧૩૪. તેમજ આ લોકે રક્ષક અનુત્તર ધર્મ ભાંખે છે. જે તે ગ્રહણ કરે તેનું સારું હિત થાય છે. જેમ પંડિત કૃતને પકડી બીજા પાસાને ન લે તેમ.
૧૩૫. પછી મેં સાંભળ્યું છે કે માણસોએ ગામધર્મ પાળવો જોઈએ, પણ કાશ્યપનો ધર્મ પાળતા, તેનાથી વિરત થઈ ધર્મમાં સ્થિર થાય છે.
૧૩૬. મહર્ષિ જ્ઞાતપુત્રે કહેલું જે આચરે છે, તે ઉઠેલાને ધર્મમાં બેસાડે છે, એક બીજા સાથે ધર્મસાર કહે છે.
૧૩૭. પૂર્વે પ્રણામ કરેલાને ન જો, કષાયોને દૂર કરવા ઇચ્છા કર. જે પાખંડીયોને નમે નહિ તે સમાધિને જાણે છે એમ કહ્યું છે.
35
Page #47
--------------------------------------------------------------------------
________________
१३८. णो काहिए होज्ज संजए, पासणिए ण य संपसारए ।
णच्चा धम्मं अणुत्तरं, कयकिरिए यण यावि मामए ॥२८॥
१३९. छण्णं च पसंस णो करे, न य उक्कास पगास माहणे ।
तेसिं सुविवेगमाहिते, पणया जेहिं सुज्झोसितं धुयं ॥२९॥ १४०. अणिहे सहिए सुसंवुडे, धम्मट्ठी उवहाणवीरिए ।
विहरेज्ज समाहितिदिए, आयहियं खुदुहेण लब्भई ॥३०॥ १४१. ण हि णूण पुरा अणुस्सुतं, अदुवा तं तह णो समुट्ठियं ।
मुणिणा सामाइयाहितं, णाएणं जगसव्वदंसिणा ॥३१॥
१४२. एवं मत्ता महंतरं, धम्ममिणं सहिता बहू जणा।
गुरुणो छंदाणुवत्तगा, विरता तिण्णा महोघमाहितं ॥३२॥
ति बेमि॥
॥ बितिओ उद्देसओ सम्मत्तो ॥
36
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૩૮. કથાકાર સંયમી નથી હોતા, પ્રાસ્તિક અને ધર્મના પ્રચારક પણ સંયમી નથી થતા. અનુત્તર ધર્મ જાણી ક્રિયા કરે, નહિ કે મમતા કરે.
૧૩૯. જે ગુપ્ત છે તે જાહેર ન કરે, ઉત્કર્ષ અને કીર્તિ બ્રાહ્મણ ન કરે. તેને સારો વિવેક કહ્યો છે, કે જેને પ્રિયકર ધ્રુવ માર્ગ કહ્યો છે.
૧૪૦. બેફિકર થઈ પોતાના હિત માટે સુવ્રતો પાળે, ધર્માર્થિ મુનિ તપશ્ચર્યા કરે. સર્વ ઇન્દ્રિયો પર કાબુ રાખી વિચરે . પોતાનું હિત મળવું મુશ્કેલ હોય છે.
૧૪૧. પૂર્વે સાચું સાંભળ્યું નથી અથવા તેથી જાગ્રત થયો નથી. મુનિ જ્ઞાતપુત્રે કે જે સર્વ જગતને જાણે છે તે સંપૂર્ણ જગદર્શક છે તેમને મુનિયોને સામાયિક કરવા કહ્યું છે.
૧૪૨. આ સર્વશ્રેષ્ઠ ધર્મને માન, તે હિતકર છે. ઘણા માણસો ગુરૂની ઇચ્છા મુજબ વર્તે છે. વિ૨ત થઈ આ સંસારનો મોટો પ્રવાહ તરે છે આમ કહ્યું છે.
બીજો ઉદ્દેશ પૂરો થયો.
37
Page #49
--------------------------------------------------------------------------
________________
तइओ उद्देसओ
१४३. संवुडकम्मस्स भिक्खुणो, जं दुक्खं पुढं अबोहिए । तं संजमओ विचिज्जइ, मरणं हेच्च वयंति पंडिता ॥१॥ १४४. जे विण्णवणाहिऽज्झोसिया, संतिण्णेहि समं वियाहिया । तम्हा उड्डुं ति पासहा, अद्दक्खू कामाई रोगवं ॥ २ ॥ १४५. अग्गं वणिएहिं आहियं, धारेंति राईणिया इहं ।
एवं परमा महव्वया, अक्खाया उ सराइभोयणा ॥ ३ ॥
१४६. जे इह सायाणुगा णरा, अज्झोववन्ना कामेसु मुच्छिया । किवणेण समं पगब्भिया, न वि जाणंति समाहिमाहियं ॥ ४ ॥
१४७. वाहेण जहा व विच्छते, अबले होइ गवं पचोइए । से यंतसो अप्पथामए, नातिवहति अबले विसीयति ॥ ५ ॥
१४८. एवं कामेसणं विदू, अज्ज सुए पयहेज्ज संथवं ।
कामी कामे ण काम, लद्धे वा वि अलद्ध कन्हुई ॥ ६ ॥
१४९. मा पच्छ असाहुया भवे, अच्चेही अणुसास अप्पगं । अहियं च असाहु सोयती, से थणती परिदेवती बहुं ॥७ ॥
१५०. इह जीवियमेव पासहा, तरुणए वाससयाउ तुट्टती । इत्तरवासे व बुज्झहा, गिद्धनरा कामेसु मुच्छिया ॥८ ॥
38
Page #50
--------------------------------------------------------------------------
________________
અધ્યયન બીજું : ત્રીજો ઉદ્દેશ
૧૪૩. સંયમ ધારતો ભિક્ષુ જ્યારે અણજાણ્યું દુઃખ આવી ચઢે ત્યારે સંયમ વિષે ખોટું ચિંતે છે. ત્યારે પંડિત કહે છે કે તેથી મરણ સારું.
૧૪૪. જે વિજ્ઞપ્તિ કરતી સ્ત્રી સાથે આનંદિત થાય છે, વળી સંસા૨ને તરી જવાનો ઉપદેશ કરે છે. તો ઉપર દેખો ! તે અદક્ષ કામાસક્ત રોગથી પીડાયો છે.
૧૪૫. પહેલા વણીકે આણેલું રત્ન અહીં રાજાઓ ધારણ કરે છે. તે જ રીતે શ્રેષ્ઠ મહાવ્રત રાત્રીએ ન ખાવાનું કહેલું છે.--
૧૪૬. જે અહીં સુખશાતા ભોગવતો માણસ સ્ત્રીયો સાથે વિષયાસક્ત થઈ મજા માને છે. તે કેમ કરી સિદ્ધાંત ગર્વથી કહે ? અને ધૃષ્ટતાથી બોલે ? જ્યારે તેને સમાધિ વિષે સમજ નથી.
૧૪૭. ગાડી હાંકનાર જ્યારે બળદને મારે છે, ત્યારે તે બળદ તેથી બહુ જ નબળો થાય છે. અંતે તે જરા થોભે છે. તે નબળો, હવે વધારે વહન નથી કરી શકતો, તેથી બળ વગ૨નો તે બેસી જાય છે.
૧૪૮. તે રીતે વિષયવાસના કરતો વિદ્વાન વર્તમાન સુખ માટે સ્ત્રીયો સાથે રહેવાનું ટાળે અને ત્યાગે. (આજના આર્યશ્રુત સાંભળી) કામી વિષયથી શરમાતો નથી, પછી તે મળે કે ન પણ મળે.
૧૪૯. જો કે તું હવે પછી અસાધુની જેમ ન વર્તે ? માટે તું અહીં જ થોડું શીખ. અહીં જ દુષ્ટ માણસ શોક કરે છે. થનથન કરે છે ને પસ્તાય પણ છે.
૧૫૦. અહીં જ તું આ જીવનનો વિચાર કરી દેખ. જુવાનીમાં સો વરસનું આયુ તૂટી જાય છે. રહેલાં વર્ષોનો વિચા૨ ક૨ અને સમજી લે કે વિષયવાસના જીવનનો નાશ કરે છે.
39
Page #51
--------------------------------------------------------------------------
________________
१५१. जे इह आरंभनिस्सिया, आयदंड एगंतलूसगा।
गंता ते पावलोगयं, चिररायं आसुरियं दिसं ॥९॥
१५२. ण य संखयमाहु, जीवियं, तह वि य बालजणे पगब्भती ।
पच्चुप्पनेण कारितं, के दट्ट् परलोगमागते ॥१०॥
१५३. अद्दक्खुव दक्खुवाहितं, सद्दहसु अद्दक्खुदंसणा ।
हंदि हु सुनिरुद्धदंसणे, मोहणिज्जेण कडेण कम्मुणा ॥११॥ १५४. दुक्खी मोहे पुणो पुणो, निव्विंदेज्ज सिलोग-पूयणं ।
एवं सहितेऽहिपासए, आयतुलं पाणेहिं संजते ॥१२॥ १५५. गारं पि य आवसे नरे, अणुपुव्वं पाणेहिं संजए ।
समया सव्वत्थ सुव्वए, देवाणं गच्छे स लोगतं ॥१३॥ १५६. सोच्चा भगवाणुसासणं, सच्चे तत्थ करे वक्कम ।
सव्वत्थऽवणीयमच्छरे, उंछं भिक्खु विसुद्धमाहरे ॥१४॥ १५७. सव्वं णच्चा अहिट्ठए, धम्मट्ठी उवहाणवीरिए ।
गुत्ते जुत्ते सदा जए, आय-परे परमाययट्ठिए ॥१५॥ १५८. वित्तं पसवो य णातयो, तं बाले सरणं ति मण्णती ।
एते मम तेसु वी अहं, नो ताणं सरणं च विज्जइ ॥१६॥ १५९. अब्भागमितम्मि वा दुहे, अहवोवक्कमिए भवंतए ।
एगस्स गती य आगती, विदुमं ता सरणं न मन्नती ॥१७॥ १६०. सव्वे सयकम्मकप्पिया, अव्वत्तेण दुहेण पाणिणो ।
हिंडंति भयाउला सढा, जाति-जरा-मरणेहऽभिद्रुता ॥१८॥
40
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૫૧. જે અહીં હિંસા કરે છે તે પોતાના આત્માને દંડે છે. તે પાપલોને જાય છે,
ત્યાં અસુરોના સ્થાને સદાયે રાત્રી હોય છે.
૧૫ર. કહે છે કે આયુને જાણવું નહિ, આમ મંદ જીવો ધૃષ્ટતાથી બોલે છે. તે
દોઢડાહ્યા થઈ કહે છે કે, પરલોક જવાનું કોણે દીઠું છે?
૧૫૩. એક મંદ માણસ ડાહ્યા માણસને પોતાના પંથમાં શ્રદ્ધા કરાવે છે તે પાખંડી
ધર્મ માટે હા પાડે છે, આ મોહનીય કર્મોના ઉદયે થાય છે.
૧૫૪. પૂજન, સત્કાર ભોગવવા દુ:ખી વારંવાર મોહમાં પડે છે. માટે હિતનો
વિચાર કરી સર્વ જીવોને આત્મતુલ્ય ગણી સંયમથી વર્તે.
૧૫૫. ભલે તે માણસ ઘરે આવી વસવાટ કરે, તે પહેલાની જેમ બીજા જીવો સાથે
સંયમથી વર્તે છે. સિદ્ધાંત મુજબ સુવ્રત પાળી દેવલોક જાય છે.
૧૫૬. ભગવાનનો આદેશ સાંભળી, સત્યથી શરૂઆત કરે છે. બધેય અદેખાઈ
અને વેરને દૂર કરે છે. વધારાનું છોડેલું શુદ્ધ અન્ન તે વાપરે છે.
૧૫૭. ધર્માર્થિ સર્વ જાણી લે અને તપસ્યાવીર્યથી પોતાનું સ્થાપન કરે, સદાયે
- ત્રણ ગુપ્તોઓને ધારે, પોતાની જેમ બીજા જીવોને માને.
૧૫૮. મૂઢ માણસ ધન-દોલત, પશુઓ અને જ્ઞાતિજનોને પોતાનું શરણ માને
છે. તે મારા અને હું પણ તેમનો જ, આથી શરણ કે રક્ષણ ન જ મળે.
૧૫૯. સંકટ આવે કે બીજાં કાંઈ થાય અને ભવનો અંત નજીક આવે ત્યારે એક જ
ગતિ મળે છે. વિદ્વાન તેને શરણ છે એમ નથી માનતો.
૧૬૦. અવ્યક્ત દુઃખો છે તે સર્વે પોતાનાં કરેલાં કર્મો વડે જ થાય છે. જન્મ
ઘડપણની વ્યથાઓ, અને મરણની વ્યાકુળતાથી ભરાઈ, ભયભીત થઈ ફર્યા કરે છે.
a
-41.
Page #53
--------------------------------------------------------------------------
________________
१६१. इणमेव खणं वियाणिया, जो सुलभं बोहिं च आहितं । एवं सहिएऽ हिपासए, आह जिणे इणमेव सेसगा ॥ १९ ॥
१६२. अभविसु पुरा वि भिक्खवो, आएसा वि भविसु सुव्वता । एताई गुणाई आहुते, कासवस्स अणुधम्मचारिणो ॥ २० ॥
१६३. तिविहेण वि पाणि मा हणे, आयहिते अणियाण संवुडे । एवं सिद्धा अणंतगा, संपति जे य अणागयाऽवरे ॥ २१ ॥
१६४. एवं सेउदाहु अणुत्तरनाणी अणुत्तरदंसी अणुत्तरनाणदंसणधरे अरहा णायपुत्ते भगवं वेसालीए वियाहिए ॥ २२ ॥ त्ति
इति कम्मवियालमुत्तमं जिणवरेण सुदेसियं सया । जे आचरंति आहियं खवितरया वइहिंति ते सिवं गतिं ॥ २३ ॥
ति बेमि ।
॥ ततिओ उद्देसओ | बितियं वेतालीयं सम्मत्तं ॥
42
Page #54
--------------------------------------------------------------------------
________________
૧૬૧. આ ક્ષણે જ જાણી લે કે સમ્યજ્ઞાન મળવું ઘણું જ અઘરું છે, તેથી પોતાના હિતનો વિચાર કરે, એમ જિનેશ્વરે કહ્યું છે અને આમ જ બાકીના જિનો કહેશે.
૧૬૨. ભવિષ્યના, ભૂતકાળે થયેલા, અને વર્તમાનકાળે સુવ્રતધારી થશે. કાશ્યપના ધર્મના આચરણ કરતા જીવો માટે આ પ્રમાણે ગુણો કહ્યા છે.
૧૬૩. ત્રણ રીતે જીવહિંસા ન કરે, સુવ્રતધારી આત્માર્થે નિયાણા ન કરે. આમ સઘળા સિદ્ધ જીવો કે જે અનંત છે, તેમાં વર્તમાન, ભૂત અને ભવિષ્ય
કાળના સિદ્ધો આવી જાય છે.
૧૬૪. આ પ્રમાણે અરહંત ભગવાન વૈશાલીના જ્ઞાતપુત્રે કહ્યું છે તે શ્રેષ્ઠ જ્ઞાની અને શ્રેષ્ઠ દર્શનયુક્ત સર્વશ્રેષ્ઠ જ્ઞાન દર્શન ધરે છે. આમ જિનવર ભગવંતે ઉત્તમ કર્મ વિદારણ કહ્યું છે. જે તેનું આચરણ કરે છે તે કર્મક્ષય કરી શિવ ગતિ તરફ જાય છે.
આમ હું કહું છું. ત્રીજો ઉદ્દેશ પૂરો થયો. અધ્યયન બીજાં પૂરું થયું.
43
Page #55
--------------------------------------------------------------------------
________________
तइयं अज्झयणं 'उवसग्गपरिणा'
पढमो उद्देसओ १६५. सूरं मन्नति अप्पाणं जाव जेतं न पस्सति ।
जुझंतं दढधम्माणं सिसुपाले व महारहं ॥१॥ १६६. पयाता सूरा रणसीसे संगामम्मि उवट्ठिते ।
माता पुत्तं ण याणाइ जेतेण परिविच्छए ॥२॥ १६७. एवं सेहे वि अप्पुढे भिक्खाचरियाअकोविए ।
सूरं मन्नति अप्पाणं जाव लूहं न सेवई ॥३॥ १६८. जदा हेमंतमासम्मि सीतं फुसति सवातगं ।
तत्थ मंदा विसीयंति रज्जहीणा व खत्तिया ॥४॥
१६९. पुढे गिम्हाभितावेणं विमणे सुप्पिवासिए ।
तत्थ मंदा विसीयंति मच्छा अपोदए जहा ॥५॥
१७०. सदा दत्तेसणा दुक्खं जायणा दुप्पणोलिया ।
कम्मत्ता दुब्भगा चेव इच्चाहंसु पुढो जणा ॥६॥
१७१. एते सद्दे अचायंता गामेसु नगरेसु वा ।
तत्थ मंदा विसीयंति संगामंसि व भीरुणो ॥७॥
१७२. अप्पेगे झुझियं भिक्खुं सुणी दसति लूसए ।
तत्थ मंदा विसीयंति तेजपुट्ठा व पाणिणो ॥८॥
44
Page #56
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ત્રીજ “ઉપસર્ગો”
પ્રથમ ઉદ્દેશ
૧૬૫. જ્યાં સુધી જેતાને જોતો નથી ત્યાં સુધી તે પોતાને શૂર માને છે. શિશુપાળ
મહારથીએ દ્રઢતાથી યુદ્ધ કર્યું હતું.
૧૬૬. શૂર રણમોખરે લડાઈમાં જવા દોડે છે. જ્યારે તે લડાઈમાં છેદભેદ થઈ
મરાય છે ત્યારે માતા પુત્રને પણ જાણી શકતી નથી.
૧૬૭. ભિક્ષા કેમ આચરવી તે સારી રીતે ન જાણી, જ્યાં સુધી રુક્ષ ખાધું નથી;
ત્યાં સુધી તે પોતાને શૂર માને છે.
૧૬૮. જ્યારે હેમંત માસમાં વાયરા સાથે ઠંડી અડી પડે ત્યારે, તે મંદ, રક્તહીન
થયેલા ક્ષત્રીયની જેમ બેસી જાય છે.
૧૬૯. ગ્રીષ્મ ઋતુમાં જ્યારે તેને ગરમી અડે છે ત્યારે ખિન્ન થઈ તેને ઊંઘ આવે
છે. જેમ છીછરા પાણીમાં માછલું બેચેન થાય છે, તેમ જ તે બેચેન થઈ બેસી જાય છે.
૧૭૦. તેને સદાયે ભિક્ષા મેળવવાની ઇચ્છાથી ચિંતા થાય છે વળી યાચના કરવાનું
બમણું દુઃખ થાય છે. પૃથક પૃથક્ માણસો કહે છે કે, તે કમનસીબ છે. તેના કર્મ દુર્ભાગ્યના છે.
૧૭૧. આવા શબ્દોથી ચલિત થઈ તે ગામ અને નગરમાં અસ્થિર થાય છે. જેમ
લડાઈમાં ભીરુ પાછો ફરી બેસી જાય, તેમ તે બેસી જાય છે.
૧૭૨. જ્યારે ભિલું જરા પણ ગણગણે, તે અવાજ સાંભળી શ્વાન તેને કરડી ઈજા
કરે છે. તેથી તે ફીકો પડી જાનવરની જેમ બેસી જાય છે.
45
Page #57
--------------------------------------------------------------------------
________________
१७३. अप्पेगे पडिभासंति पाडिपंथियमागता ।
पंडियारगया एते जे एते एवजीविणो ॥९॥ १७४. अप्पेगे वइं जुजति निगिणा पिंडोलगाहमा ।
मुंडा कंडूविणटुंगा उज्जला असमाहिया ॥१०॥ १७५. एवं विप्पडिवण्णेगे अप्पणा तु अजाणगा।
तमाओ ते तमं जंति मंदा माहेण पाउडा ॥११॥
१७६. पुट्ठो य दंस-मसएहि तणफासमचाइया।
न मे दिढे परे लोए जइ परं मरणं सिया ॥१२॥ १७७. संतत्ता केसलोएणं बंभचेरपराजिया।
तत्थ मंदा विसीयंति मच्छा पविट्ठा व केयणे ॥१३॥
१७८. आतदंडसमायारा मिच्छासंठियभावणा।
हरिसप्पदोसमावण्णा केयि लूसंतिऽणारिया ॥१४॥ १७९. अप्पेगे पलियतसि चारि चोरो त्ति सुव्वयं ।
बंधंति भिक्खुयं बाला कसायवयणेहि य ॥१५॥ १८०. तत्थ दंडेण संवीते मुट्ठिणा अदु फलेण वा।
णातीणं सरती बाले इत्थी वा कुद्धगामिणी ॥१६॥ १८१. एते भो कसिणा फासा फरुसा दुरहियासया ।
हत्थी वा सरसंवीता कीवाऽवस गता गिहं ॥१७॥ति बेमि ।
॥तृतीयस्य प्रथमोद्देशकः॥
46
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૭૩. જ્યારે તે પરપંથી સાથે વાત કરે અને પરપંથી વિરોધી બોલે ત્યારે તે તેનો
પ્રતિકાર ન કરી શકે, તેવું પ્રતિકાર વિનાનું જીવન તે ગુજારે છે.
૧૭૪. કોઈ તેને ખરાબ શબ્દોથી સંબોધે છે, જેમ કે નાગડો, ભિખારી, મૂંડિયો,
ખંજવાળીયો, વિકલાંગી, ધોળીયો, કોઢિયો, ગાંડો વગેરે.
૧૭૫. આમ વિરોધી વાતાવરણમાં તે પોતાના આત્માને નથી જાણી શકતો. તે
મોહ ભરેલો, એક અંધારેથી બીજા અંધારે જાય છે. આમ તેની મૂર્ખની જેમ સ્થિતિ થાય છે.
૧૭૬. ડાંસ, મચ્છરોના ડંખ, ઘાસની અણીયો ભોંકાય તેથી તે અસ્થિર થાય છે.
તે કહે છે, મેં પરલોક તો જોયો નથી તેથી અહીં જ મરવું તે શ્રેષ્ઠ છે.
૧૭૭. કેશના લોંચથી ત્રાસી જઈ અને બ્રહ્મચર્યન પાળી શકવાથી પરાજિત થયેલો
તે મંદ, માછલાંની જેમ ઘેર જઈ બેસી જાય છે.
૧૭૮. તેના આચાર પોતાને જ દંડે તેવા હોઈ, તેનો ભાવ મિથ્યાત્વ વડે ભરાય છે.
જ્યારે તે હર્ષ પામે છે ત્યારે કોઈ અનાર્ય તેને મારે છે અને ઈજા કરે છે.
૧૭૯. પ્રવાસ કરતા જો તે કાઈ ઝાલે, ત્યારે તે ચોર છે એમ કહે છે. ત્યાંના
અધિકારીયો તેને ખરાબ શબ્દોથી બોલે છે, તે મૂર્ખ ભિક્ષુને બાંધી રાખે છે.
૧૮૦. ત્યાં તેને દંડાથી, મૂઠીથી, અથવા ફળોથી મારે છે. ત્યારે તે મૂર્ણ જ્ઞાતિજનોને
યાદ કરે છે, જે ક્રોધ પામેલી સ્ત્રી જેવું છે.
૧૮૧. આ સઘળાં પરીષહો ઘણાં જ કઠણ છે અને અહિતકર છે. તે તીરથી વિંધાયેલા
હાથીની જેમ નબળો થઈ ઘેર જાય છે.
આમ હું કહું છું. પ્રથમ ઉદ્દેશ પૂરો થયો. (અધ્યયન ત્રીજું)
47
Page #59
--------------------------------------------------------------------------
________________
बिइओ उद्देसओ
१८२. अहिमे सुहुमा संगा भिक्खूणं जे दुरुत्तरा ।
जत्थ एगे विसीयंति ण चयंति जवित्तए ॥१॥ १८३. अप्पेगेणायओ दिस्स रोयंति परिवारिया।
पोसणे तात पुट्ठोऽसि कस्स तात चयासिणे ॥२॥ १८४. पिता ते थेरओ तात ससा ते खुड्डिया इमा ।
भायरो ते सगा तात सोयरा किं चयासिणे ॥३॥
१८५. मातरं पितरं पोस एवं लोगो भविस्सइ ।
एयं खु लोइयं ताय जे पोसे पिउ-मातरं ॥४॥
१८६. उत्तरा महुरुलावा पुत्ता ते तात खुड्डगा।
भारिया ते णवा तात मा से अण्णं जणं गमे ॥५॥
१८७. एहि ताय घरं जामो मा तं कम्म सहा वयं ।
बीयं पितात पासामो जाम ताव सयं गिहं ॥६॥
१८८. गंतुं तात पुणाऽऽगच्छे ण तेणऽसमणो सिया।
अकामगं परक्कम्म को ते वारेउमरहति ॥७॥
१८९. जंकिंचि अणगं तात तं पि सव्वं समीकतं ।
हिरण्णं ववहारादी तं पि दासामु ते वयं ॥८॥ १९०. इच्चेवणं सुसेहंति कालुणिया समुट्ठिया ।
विबद्धो नातिसंगेहिं ततोऽगारं पधावति ॥९॥
48
Page #60
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ત્રીજઃ ઉદેશ બીજો
૧૮૨. અહીં જે સૂક્ષ્મ સંગ છે તે ભિક્ષુ માટે દુસ્તર છે. તેથી તે ત્યાં જ બેસી જાય
છે. તેને જવા માટે ઉતાવળ નથી.
૧૮૩. જ્યારે તે કોઈ જ્ઞાતિજન દેખે, ત્યારે પરિવારના માણસો રડે છે. હે બાપુજી!
અમને પોસવા પીઠ બતાવો છો, તમે શું કામ અમને છોડી જાવ છો?
૧૮૪. હે બાપુજી! તમારા પિતા ઘરડા છે, તમારી બેન નાની છે, તમારા ભાઈ
સગા થાય, તો આ સઘળાઓને શું કામ તમે છોડી જાવ છો?
૧૮૫. લોકો કહે છે કે માતા-પિતાનું પોષણ કરવું જોઈએ. આ લૌકિક છે કે
માતા-પિતાનું પોષણ કરવું.
૧૮૬. તમારા નાના પુત્રનું મધુર બોલવું સાંભળો, પિતાજી! તે નાનો છે - તમારી
સ્ત્રી નવી છે, રખે તે અન્ય માણસ સાથે ચાલી જાય?
૧૮૭. તેથી હે તાત! ઘરે આવો, અમે તમારા કર્મસાથી થઈશું. બીજું તમારા
જમાઈ તમારા પોતાના ઘરે જ છે, તે જાંઓ.
૧૮૮. જઈને પાછા ફરવું તેથી તમે અશ્રમણ નહિ થાવ. સ્વાર્થ વિનાનું બીજાનું
કામ કરવા તમને કોણ રોકી શકે?
૧૮૯. હે તાત! જે કાંઈ થોડું કર્જ છે તે સઘળું સરખું કરી દઈશું. અમે તમને
સોનાચાંદીનો વ્યવહાર પણ સોંપી દઈશું.
૧૯૦. કરુણામય વિનંતીયો સાંભળી ત્યાં જ સ્નેહ પામે છે. જ્ઞાતિજનોના સંબંધથી
બંધાયેલો તે ઘેર દોડે છે.
49
Page #61
--------------------------------------------------------------------------
________________
१९१. जहा रुक्खं वणे जायं मालुया पडिबंधति ।
एवं णं पडिबंधंति णातओ असमाहिणा ॥१०॥ १९२. विबद्धो णातिसंगेहिं हत्थी वा वि नवग्गहे ।
पिटुतो परिसप्पंति सूतीगो व्व अदूरगा ॥११॥
१९३. एते संगा मणुस्साणं पाताला व अतारिमा ।
कीवा जत्थ य कीसंति नातिसंगेहि मुच्छिता ॥१२॥ १९४. तं च भिक्खू परिण्णाय सव्वे संगा महासवा ।
जीवितं नाहिकंखेज्जा सोच्चा धम्ममणुत्तरं ॥१३॥ १९५. अहिमे संति आवट्टा कासवेण पवेदिता ।
बुद्धा जत्थावसप्पंति सीयंति अबुहा जहि ॥१४॥ १९६. रायाणो रायमच्चा य माहणा अदुव खत्तिया ।
निमंतयंति भोगेहिं भिक्खुयं साहुजीविणं ॥१५॥ १९७. हत्थऽस्स-रह-जाणेहि विहारगमणेहि य ।
भुंज भोगे इमे सग्धे महरिसी पूजयामु तं ॥१६॥ १९८. वत्थगंधमलंकारं इत्थीओ सयणाणि य ।
भुंजाहिमाइं भोगाइं आउसो पूजयामु तं ॥१७॥
१९९. जो तुमे नियमो चिण्णो भिक्खुभावम्मि सुव्वता ।
अंगारमावसंतस्स सव्वो संविज्जए तहा ॥१८॥
२००. चिरं दूइज्जमाणस्स दोसो दाणि कुतो तव ।
इच्चेवणं निमंति नीवारेण व सूयरं ॥१९॥
50
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૯૧. જ્યારે વૃક્ષ વનમાં ઊપજે છે ત્યારે લતાઓ તેને બાંધે છે. તે રીતે જ જ્ઞાતિજનો તે અદક્ષ મુનિને બાંધે છે.
૧૯૨. હાથીની જેમ તે નવાગૃહે જ્ઞાતિ સંગે ગાઢ બંધાય છે. તે તેમની પાછળ નવપ્રસૂતા ગાયની માફક જાય છે.
૧૯૩. આ માણસોનો સંગ પાતાળે ગયેલાની જેમ તારે નહિ. કુટુંબીયોના મોહમાં પડેલા નબળા માણસો દુઃખથી પીડાય છે.
૧૯૪. ત્યારે જ ભિક્ષુ સારી રીતે જાણી લે કે સર્વ સમાગમો અને સહવાસો મોટા આશ્રવ છે. સર્વશ્રેષ્ઠ ધર્મ સાંભળી જીવવાની ઇચ્છા ન જ કરે.
૧૯૫. ભગવાન કાશ્યપે પ્રવેદ્યું છે કે અહીં જ મોટું વંટોળિયુ છે જ્યાંથી જ્ઞાની દૂર થાય છે, ત્યારે તે મંદ, ત્યાં જ બેસી રહે છે.
૧૯૬. તે સાધુનું જીવન ગુજારતા ભિક્ષુને, રાજાઓ, રાજાના મંત્રીયો, બ્રાહ્મણો અને ક્ષત્રીયો, ભોગ ભોગવવા આમંત્રે છે.
૧૯૭. હે મહાૠષિ ! અમો તમને પૂજીએ છીએ. આપ વિહારગમન અર્થે હાથી, ઘોડા, રથ અને વાહનોનો સ્વીકાર કરો.
૧૯૮. વળી સારાં વસ્ત્રો, સુગંધી દ્રવ્યો, અલંકારો, સ્ત્રીયો અને શયનો આપના ભોગ અર્થે તૈયા૨ છે, તે ભોગ ભોગવો. હે આયુષ્માન ! અમે તમને પૂજીએ છીએ.
૧૯૯. જો ભિન્નુભાવના નિયમો ભંગાય, તો તમો ઘરે આવી વસવાટ કરો તો, તે સર્વે બરાબર થઈ જશે. ત્યાં બધુંયે હાજર છે.
૨૦૦. જ્યારે ચિરકાળ મન દૂષિત હોય, ત્યારે તેને દોષ કેમ કરી અપાય ? જેમ નિવા૨થી સૂવરને આકર્ષે છે, તેમ ભિક્ષુને તે નિમંત્રણ આપે છે.
51
Page #63
--------------------------------------------------------------------------
________________
२०१. चोदिता भिक्खुचज्जाए अचयंता जवित्तए ।
तत्थ मंदा विसीयंति उज्जाणंसि व दुब्बला ॥२०॥
२०२. अचयंता व लूहेण उवहाणेण तज्जिता ।
तत्थ मंदा विसीयंति उज्जाणंसि जरग्गवा ॥२१॥ २०३. एवं निमंतणं लद्धं मुच्छिया गिद्ध इत्थीसु ।
अज्झोववण्णा कामेहिं चोइज्जंता गिहं गय ॥२२॥त्ति बेमि ।
॥उवसग्गपरिण्णाए बितिओ उद्देसओ सम्मत्तो ॥
Page #64
--------------------------------------------------------------------------
________________
૨૦૧. ભિક્ષુ ચર્ચાથી કંટાળી, તે ત્યાં ઉતાવળે જાય છે. જેમ ઉદ્યાને દુર્બળ જીવો બેસી જાય તેમ તે મંદ ભિક્ષુ ત્યાં જઈ બેસી જાય છે.
૨૦૨. ઋક્ષ જીવનથી થાકી ગયેલો અને તપના ડરથી તે મૂર્ખ ભિક્ષુ જેમ ઉદ્યાનમાં ઘરડો બળદ બેસી જાય, તેમ તે ત્યાં જ બેસી જાય છે.
૨૦૩. હવે ત્યાં નિમંત્રણ મળ્યું છે, તે સ્ત્રીલંપટ મૂર્છામાં પડે છે, વિષયવાસનાથી ભરાયેલો, તે ઉત્સાહમાં આવી ઘરે જાય છે.
'
આમ હું કહું છું. બીજો ઉદ્દેશ પૂરો થયો (અધ્યયન ત્રીજું)
53
Page #65
--------------------------------------------------------------------------
________________
तइओ उद्देसओ
२०४. जहा संगामकालम्मि पिट्ठतो भीरु पेहति । वलयं गहणं नूमं को जाणेइ पराजयं ॥ १ ॥
२०५. मुहुत्ताणं मुहुत्तस्स मुहुत्तो होति तारिसी । पराजियाऽवसप्पामो इति भीरु उवेहति ॥ २ ॥
२०६. एवं तु समणा एगे अबलं नच्चाण अप्पगं । अणागतं मयं दिस्सा अवकप्पंतिमं सुयं ॥ ३ ॥
२०७ को जाणति विओवातं इत्थीओ उदगाओ वा । चोइज्जता पवक्खामो न णे अत्थि पकप्पितं ॥ ४ ॥
२०८. इच्चेवं पडिलेहंति वलाइ पडिलेहिणो ।
वितिगिंछसमावण्णा पंथाणं व अकोविया ॥ ५ ॥
२०९. जे उ संगामकालम्मि नाता सूरपुरंगमा । ण ते पिट्ठमुवेहति किं परं मरणं सिया ॥ ६ ॥ २१०. एवं समुट्ठिए भिक्खू वोसिज्जाऽगारबंधणं । आरंभं तिरियं कट्टु अत्तत्ताएं परिव्वए ॥७ ॥ २११. तमेगे परिभासंति भिक्खुयं साहुजीविणं । जे ते उ परिभासंति अंतए ते समाहिए ॥ ८ ॥
२१२. संबद्धसमकप्पा हु अन्नमन्नेसु मुच्छिता । पिंडवायं गिलाणस्स जं सारेह दलाह य ॥ ९ ॥
54
Page #66
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ત્રીજું ઃ ઉદ્દેશ ત્રીજો
૨૦૪. લડાઈમાં ભયભીત થયેલો સૈનિક જ્યારે પાછળ જોવે છે ત્યારે તેને થાય છે કે સાચે જ! પાછા ફરવું સારું છે, પરાજય થશે તે કોણ જાણે છે ?
૨૦૫. મુહૂર્તોમાંનું મુહૂર્ત એવું પણ હોય કે તે મુહૂર્ત તે સમાન થાય. તેની અપેક્ષા છે કે પરાજય થયે દૂર ભાગી જવું પડશે.
૨૦૬. તે રીતે કોઈ શ્રમણ પોતાની થોડી નબળાશ જોઈ ભવિષ્યનું સંકટ જોય છે અને સૂત્રો વિષે ખોટી અટકળો કરે છે.
૨૦૭. સંકટ, સ્ત્રીસંગથી કે ઠંડું પાણી વાપરવાથી આવશે તે કોણ જાણે છે? જ્યારે કોઈ પ્રેરે તો કહીશ કે મેં તેવું વિચાર્યું નથી.
૨૦૮. આ તે ભૂંસી નાંખે છે અને વળવાનું માંડી વાળે છે. તેને ધર્મમાં શંકા થાય છે, તે ધર્મને જાણતો નથી.
૨૦૯. સંગ્રામ કાળે જે પ્રસિદ્ધ શૂર લડવૈયો હોય છે તે લડાઈમાં પીઠ ન બતાવે તેથી તે મરણને જ પસંદ કરે છે.
૨૧૦. ધર્મમાં જાગ્રત અને સ્થિર થયેલો ભિક્ષુ ઘ૨ બાંધે નહિ, હિંસાથી દૂર રહે અને આત્માર્થી થઈ વિચરે.
૨૧૧. સારું સાધુનું જીવન ગુજારતા ભિક્ષુની જે નિંદા કરે છે અને જે આમ ખરાબ બોલે તે પોતાની સમાધિનો અંત લાવે છે.
૨૧૨. સરખા વિચારોથી બંધાયેલા, એકબીજામાં મૂર્છા પામે છે. જ્યારે ભોજન સાથે વાયુને ગળી જાય ત્યારે તેને ફીણયુક્ત સારણી થાય છે.
55
Page #67
--------------------------------------------------------------------------
________________
२१३. एवं तुब्भे सरागत्था अन्नमन्नमणुव्वसा । नट्ठसप्पहसब्भावा संसारस्स अपारगा ॥ १० ॥
२१४. अह ते परिभासेज्जा भिक्खू मोक्खविसारए । एवं तुब्भे पभासेंता दुपक्खं चेव सेवहा ॥११॥ २१५. तुम्भे भुंजह पाएसु गिलाणा अभिहडं ति य ।
तं च बीओदगं भोच्चा तमुद्देसादि जं कडं ॥ १२ ॥
२१६. लित्ता तिव्वाभितावेण उज्जया असमाहिया । नातिकंडुइतं सेयं अरुयस्सावरज्झती ॥१३॥ २१७. तत्तेण अणुसट्टा ते अपडिण्णेण जाणया ।
ण एस यिए मग्गे असमिक्खा वई किती ॥१४ ॥
२१८. एरिसा जावई एसा अग्गे वेणु व्व करिसिता । गिहिणं अभिहडं सेयं भुंजितुं न तु भिक्खुणं ॥ १५ ॥
२१९. धम्मपण्णवणा जा सा सारंभाण विसोहिया । न तु एताहिं दिट्ठीहिं पुव्वमासि पकप्पियं ॥ १६ ॥
२२०. सव्वाहिं अणुजुत्तीहिं अचयंता जवित्तए ।
ततो वायं णिराकिच्चा ते भुज्जो वि पगब्भिता ॥१७॥ २२१. रागदोसाभिभूतप्पा मिच्छत्तेण अभिहुता । अक्कोसे सरणं जंति टंकणा इव पव्वयं ॥ १८ ॥
२२२. बहुगुणप्पगप्पाइं कुज्जा अत्तसमाहिए । Pursuit or विरुज्झेज्जा तेण तं तं समायरे ॥ १९॥
56
Page #68
--------------------------------------------------------------------------
________________
૨૧૩. તમે સરખા રાગવાળા થઈ એકબીજાના વશમાં છો. જ્યારે સારા માર્ગ
તરફનો સભાવ નષ્ટ થાય છે, તેથી સંસાર પાર ન જ થઈ શકે.
૨૧૪. હવે તે મોક્ષ વિશારદ્ ભિક્ષુની નિંદા, ગઈણા કરે છે. આમ બોલતાં તમે
પરપંથનું જ સેવન કરો છો.
૨૧૫. તમે ગૃહસ્થના પાત્રોમાં ખાવ છો, બહારથી લાવેલી વસ્તુઓને વાપરો
છો, વળી તમે બીજ અને ઠંડું પાણી વાપરો છો, અને તમારા અર્થે કરેલું ભોજન કરો છો.
૨૧૬. તીવ્ર દુઃખથી લેપાયેલા યશ વગરની અશાંતિથી નિરાશ થયા છો. ઘણું
ખંજવાળવાથી સારું થાય નહિં, પણ તેથી રોગ વધે છે.
૨૧૭. તે, તે વડે ખરડાયેલા છે, આમ જ્ઞાની પુરુષે જાણ્યું છે. આ નિયતિનો માર્ગ
નથી. આ છે અવિચારી વૃત્તિ અને કૃતિ.
૨૧૮. મદિરા પીધેલા જેમ આ બોલવું છે કે જે વાંસના અગ્ર ભાગમાંથી કરેલી છે.
ઘરે લાવે તે ઠીક છે, પણ ભિક્ષુએ તેનું સેવન કરવું નહિ.
૨૧૯. હિંસાથી ધર્મજ્ઞાનની શુદ્ધિ ન જ થાય. પહેલાથી વિચારેલી આ દૃષ્ટિયો
પહેલા પ્રકાશમાં લાવી નથી.
૨૨૦. સર્વ પ્રકારે પ્રયત્નથી સ્થિર થવા ઉતાવળ કરે. ત્યારે વાદને દૂર કરવા કહી
તેનો ઉપયોગ કરી તે અંદર ધારણ કરે.
૨૨૧. રાગદ્વેષથી ભરાયેલો આત્મા મિથ્યાત્વથી ત્રાસે છે, ભરાય છે. જેમ ટાંકી
પર્વતને ઈજા ન કરે તેમ બોલ્યા વિના તે શરણે જાય છે.
૨૨૨. આત્મસમાધિ અર્થે ઘણી જાતના ગુણો કેળવી પ્રકલ્પો કરે છે. જેનો અન્ય
વિરોધ ન કરે, તેમ તેમ તે તેને આચરે છે.
57
Page #69
--------------------------------------------------------------------------
________________
२२३. इमं च धम्ममादाय कासवेण पवेइयं ।
कुज्जा भिक्खू गिलाणस्स अगिलाए समाहिते ॥ २० ॥
२२४. संखाय पेसलं धम्मं दिट्ठिमं परिनिव्वुडे । उवसग्गे नियामित्ता आमोक्खाए परिव्वज्जासि ॥२१॥ त्ति बेमि ॥
॥ ततिओ उद्देसओ समत्तो ॥
58
Page #70
--------------------------------------------------------------------------
________________
૨૨૩. ભગવાન કાશ્યપે કહ્યું છે કે આ ધર્મનો જ અંગીકાર કરે. આ ધર્મ ભિક્ષુની
ગ્લાનિ દૂર કરી તેને સમાધિથી સાજો કરશે.
૨૨૪. આ સુંદર ધર્મની દૃષ્ટિને બરાબર જાણી લઈ નિવૃત્તિ લે. ઉપસર્ગો જીતીને
મોક્ષ માર્ગે ચાલી જા.
આમ હું કહું છું. ત્રીજો ઉદ્દેશ પૂરો થયો. (અધ્યયન ત્રીજાં)
59
Page #71
--------------------------------------------------------------------------
________________
चउत्थो उद्देसओ
२२५. आहंसु महापुरिसा पुव्विं तत्ततवोधणा । उदएण सिद्धिमावण्णा तत्थ मंदे विसीयती ॥१॥
२२६. अभुंजिया णमी वेदेही रामगुत्ते य भुंजिया । बाहुए उदगं भोच्चा तहा तारागणे रिसी ॥ २ ॥
२२७. आसिले देविले चेव दीवायण महारिसी । पारासरे दगं भोच्चा बीयाणि हरियाणि य ॥ ३ ॥
२२८. एते पुव्वं महापुरिसा आहिता इह संमता ।
भोच्चा बीओदगं सिद्धा इति मेतमणुस्सुतं ॥ ४ ॥
२२९. तत्थ मंदा विसीयंति वाहछिन्ना व गद्दभा । पिट्ठतो परिसप्पति पीढसप्पी व संभमे ॥ ५ ॥
२३०. इहमेगे उभासंति सातं सातेण विज्जती । जे तत्थ आरियं मग्गं परमं च समाहियं ॥ ६ ॥
२३१. मा एयं अवमन्नंता अप्पेणं लुंपहा बहुं ।
एतस्स अमोक्खाए अयहारि व्व जूरहा ॥७ ॥
२३२. पाणाइवाए वट्टंता मुसावाए असंजता । अदिन्नादाणे वट्टंता मेहुणे य परिग्गहे ॥८ ॥
२३३. एवमेगे तु पासत्था पण्णवेंति अणारिया । इत्थीवसं गता बाला जिणसासणपरम्मुहा ॥९॥
60
Page #72
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ત્રીજું ઉદ્દેશ ચોથો
૨૨૫. પૂર્વેના મહાપુરુષો, કે જે તપસ્વી હતા, તેમણે કહ્યું છે કે, ઠંડા પાણીથી - સિદ્ધિ મળે છે. આ જાણી તે મૂર્ખ બેસી જાય છે.
રર૬. વિદેહના નમી રાજાએ પાણીનો ઉપયોગ કર્યો નથી. પણ રામગુપ્ત તેનો
ઉપયોગ કર્યો છે. બાહુ અને તારાપણ ઋષિએ, ઠંડા પાણીનો ઉપયોગ કર્યો છે.
રર૭. આશિલ, દેવિલ અને દ્વીપાયન મહાષિયોએ અને પારાશર ઋષિએ
પણ પાણી, બીજો તથા હરિયાળીનો ઉપયોગ કર્યો છે.
૨૨૮. પૂર્વેના મહાપુરૂષોએ જે કહ્યું છે તે સંમત છે. તેમણે બીજ અને પાણીનો
ઉપયોગ કરી સિદ્ધિ મેળવી તે મેં સાભળ્યું છે.
ર૨૯. ત્યારે તે મૂર્ખ, ગધેડું ભારથી થાકી, બેસી જાય, તેમ બેસી જાય છે. પછી તે
પાટલા સાથે અપંગ ભ્રમે, તેમ ધીમો ધીમો પાછળ હીંડે છે.
૨૩૦. કોઈ કહે છે કે શાતા સુખો વડે મળે છે. જે ત્યાં આર્ય માર્ગ છે તે જ સર્વશ્રેષ્ઠ
છે અને શાંતિ આપે છે.
૨૩૧. જો તું આ ન માને અને અવગણે તો, જેમાં જુગારી જાગાર રમી હારે તેમ
તને મોક્ષ માર્ગ નહિ જ મળે.
૨૩૨. હિંસા કરે છે, જાઠું બોલતા અચકાતો નથી, ન આપેલું ગ્રહણ કરે છે,
બ્રહ્મચર્ય નથી પાળતો અને પરિગ્રહ કરતો જાય છે.
૨૩૩. હે અનાય! જ્યારે તું કોઈને જોવે છે ત્યારે તેમને આમ ઉપદેશ કરે છે. જે
સ્ત્રીયોના પાશમાં પડે છે તે જિનશાસનથી પરામુખ થાય છે.
61
Page #73
--------------------------------------------------------------------------
________________
२३४. जहा गंडं पिलागं वा परिपीलेज्ज मुहत्तगं ।
एवं विण्णवणित्थीसु दोसो तत्थ कुतो सिया ॥१०॥ २३५. जहा मंधादए नाम थिमितं भुंजती दगं ।
एवं विण्णवणित्थीसु दोसो तत्थ कुतो सिया ॥११॥ २३६. जहा विहंगमा पिंगा थिमितं भुंजती दगं ।
एवं विण्णवणित्थीसु दोसो तत्थ कुतो सिया ॥१२॥ २३७. एवमेगे उ पासत्था मिच्छादिट्ठी अणारिया ।
अज्झोववन्ना कामेहि पूतणा इव तरुणए ॥१३॥ २३८. अणागयमपस्संता पच्चुप्पन्नगवेसगा।
ते पच्छा परितप्पंति झीणे आउम्मि जोव्वणे ॥१४॥
२३९. जेहिं काले परक्कंतं न पच्छा परितप्पए ।
ते धीरा बंधणुम्मुक्का नावकंखंति जीवियं ॥१५॥
२४०. जहा नदी वेयरणी दुत्तरा इह सम्मता ।
एवं लोगंसि नारीओ दुत्तरा अमतीमता ॥१६॥ २४१. जेहिं नारीण संजोगा पूयणा पिट्ठतो कता ।
सव्वमेयं निराकिच्चा ते ठिता सुसमाहिए ॥१७॥ २४२. एते ओघं तरिस्संति समुदं (व) ववहारिणो ।
जत्थ पाणा विसण्णा सं कच्चंती सयकम्मुणा ॥१८॥ २४३. तं च भिक्खू परिण्णाय सुव्वते समिते चरे ।
मुसावायं विवज्जेज्जाऽदिण्णादाणाइ वोसिरे ॥१९॥
62
Page #74
--------------------------------------------------------------------------
________________
૨૩૪. જ્યારે શરીરે ગાંઠ થાય અને તેને એક મુહૂર્ત સુધી ઘણી જ દબાવે તો તરત
જ પીડા થાય છે. તેમ વિજ્ઞાપના કરતી સ્ત્રીથી શું દોષ છે?
૨૩૫. જ્યારે મંધાદય નામે ઘેટું ઊભા રહી પાણી પીવે તેમ વિજ્ઞાપના કરતી
સ્ત્રીથી શું દોષ છે?
૨૩૬. જ્યારે પિંગ પક્ષી ઊભું થઈ પાણી પીવે છે, તેમ વિજ્ઞાપના કરતી સ્ત્રીથી
શું દોષ છે?
૨૩૭. તેમ તું કોઈ અનાર્યને કે જે મિથ્યાત્વી છે તેની ઉપાસના કરે અને તેને જોઈ
વિષયવાસનાથી લંપટ થાય તો પૂતનાની જેમ તારુણ્યમાં નાશ પામીશ.
૨૩૮. ભવિષ્યનો વિચાર ન કરી વર્તમાનકાળને શોધે છે, પછી પસ્તાવો થશે કેમ
કે તારુણ્યનો યૌવને નાશ થાય તેથી.
૨૩૯. જે યોગ્યકાળે પરાક્રમ કરે છે તે પછીથી પસ્તાય નહિ. તે ધીર પુરુષ છે,
અને જીવવાની ઇચ્છા કરતો નથી.
૨૪૦. લોકમાં બધાયે માને છે કે વૈતરણી નદી તરવા દુસ્તાર છે. તેમ જ આ લોકે
સ્ત્રીયો દુસ્તર છે અને બુદ્ધિમાન નથી.
૨૪૧. જે સ્ત્રી સંયોગ અને પૂજનને પીઠ દાખવે છે તે સઘળું દૂર કરી સુસમાધિમાં
સ્થિર થઈ રહે છે.
૨૪૨. જેમ વેપારી સમુદ્ર તરી જાય છે તેમ આ સંસારનો ઓઘ તે તરે છે. આ લોકે
જીવો દુઃખી થયેલા તે, પોતાના કર્મો કરે છે અને દુઃખ પામે છે.
૨૪૩. આ જાણી ભિક્ષુ સુવતી થઈ સમિતિયો પાળે. ખોટું બોલે નહિ કે ચોરી પણ
ન કરે. તે સર્વે ત્યાગે.
63
Page #75
--------------------------------------------------------------------------
________________
२४४. उड्ढमहे तिरियं वा जे केई तस - थावरा । सव्वत्थ विरतिं कुज्जा संति नेव्वाणमाहितं ॥ २० ॥
२४५. इमं च धम्ममादाय कासवेण पवेदितं ।
कुज्जा भिक्खू गिलाणस्स अगिलाए समाहिते ॥ २१ ॥
२४६. संखाय पेसलं धम्मं दिट्टिमं परिनिव्वुडे । उवसग्गे नियामित्ता आमोक्खाए परिव्वज्जासि ॥ २२ ॥
॥ उवसग्गपरिण्णा तइयं अज्झयणं सम्मत्तं ॥
64
Page #76
--------------------------------------------------------------------------
________________
૨૪૪. ઉ૫૨, નીચે અને તિર્યક દિશાઓમાં જે કાંઈ ત્રસ અને સ્થાવ૨ જીવો છે તેમને મારે નહિ. વિરતિ કરવામાં નિર્વાણ છે એમ કહ્યું છે.
૨૪૫. ભગવાન કાશ્યપે કહ્યું છે કે આ ધર્મનો જ સ્વીકાર કરે. તે ગ્લાનિ થયેલા ભિક્ષુને સાજો કરી સમાધિત કરશે.
૨૪૬. ધર્મદ્રષ્ટિને સારી રીતે જાણી નિવૃત્તિ લે. સઘળા ઉપસર્ગો જીતીને મોક્ષ માર્ગે જઈશ.
આમ હું કહું છું. ઉદ્દેશ ચોથો પૂરો થયો. અધ્યયન ત્રીજું સમાપ્ત થયું.
65
Page #77
--------------------------------------------------------------------------
________________
४.
चउत्थं अज्झयणं 'इत्थीपरिणा'
पढमो उद्देसओ
२४७. जे मातरं च पितरं च, विप्पजहाय पुव्वसंयोग ।
एगे सहिते चरिस्सामि, आरतमेहुणे विवित्तेसी ॥१॥ २४८. सुहुमेण तं परक्कम्म, छन्नपदेण इथिओ मंदा ।
उवायं पि ताओ जाणिंसु, जह लिस्संति भिक्खुणो एगे ॥२॥ २४९. पासे भिसं निसीयंति, अभिक्खणं पोसवत्थ परिहिति ।
कायं अहे वि दंसेंति, बाहुमुद्ध? कक्खमणुवज्जे ॥३॥ २५०. सयणा-ऽऽसणेण जोगे(ग्गे)ण, इत्थीओ एगता निमंतेति ।
एताणि चेव से जाणे, पासाणि विरूवरूवाणि ॥४॥
२५१. नो तासु चक्खुसंधेज्जा, नो वि य साहसं समभिजाणे ।
नो सद्धियं पि विहरेज्जा, एवमप्या सुरक्खिओ होइ ॥५॥ २५२. आमंतिय ओसवियं वा, भिक्खं आतसा निमंतेति । ___एताणि चेव से जाणे, सद्दाणि विरूवरूवाणि ॥६॥ २५३. मणबंधणेहिं, णेगेहि, कलुणविणीयमुवगसित्ताणं ।
अदु मंजुलाइं भासंति, आणवयंति भिन्नकहाहिं ॥७॥
२५४. सीहं जहा व कुणिमेणं, णिन्भयमेगचरं पासेणं ।
एवित्थिया उ बंधंति, संवुडं एगतियमणगारं ॥८॥
66
Page #78
--------------------------------------------------------------------------
________________
૪. અધ્યયન ચોથું “સ્ત્રીયો”
ઉદેશ પહેલો
૨૪૭. જે માતા-પિતા અને પૂર્વેના સંબંધીયોને છોડી પોતાના હિત માટે ચારિત્ર
લે છે તેણે મૈથુનથી દૂર રહેવું, વિયુક્ત જીવન ગાળવું.
૨૪૮. તે મૂઢ તરફ ધીમેથી ગુપ્ત પગે જાય છે. તે તેનો ઉપાય પણ જાણે છે, તે છે
કોઈ ભિક્ષુનો નાશ કરવાનો (ભ્રષ્ટ કરી).
૨૪૯. તેને ભીડીને તે બેસે છે. પછી હર સમયે પોશ વસ્ત્રો ધારણ કરે છે. તેના
શરીરનો નીચેનો ભાગ દેખાડે છે. હાથ ઊંચા કરી કેડ ઉપર મૂકે છે.
૨૫૦. કોઈ વાર શયન અને આસનોના યોગ વડે સ્ત્રીયો આમંત્રણ આપે છે.
પાસાંઓ કેમ ફેંકવાં તે બરાબર જાણે છે.
૨૫૧. તેની આંખોથી આંખ ન સાંધે, વળી કોઈ સાહસ કરવા “હા” ન પાડે.
પોતાના આત્માને સુરક્ષિત રાખવા તેની સાથે હરવાફરવા જાય નહિ.
૨પર. આમંત્રી તેને ઉલ્લાસિત કરી ભિક્ષુને અંદર બોલાવે છે. જુદા જુદા આકર્ષક
શબ્દોથી કેમ આકર્ષવું, તે સારી રીતે જાણે છે.
૨૫૩. તેનું મન બાંધવા તે અનેક કરણાયુક્ત આકર્ષક વિનંતિયો કરે છે. તે મધુર
બોલે છે, અને જુદી જુદી કથાઓ કહી તેની ઉપર અસર કરે, પ્રવર્તે છે અને આજ્ઞા પણ કરે છે.
૨૫૪. જ્યારે સિંહ ગર્જના કરે છે (પાંજરામાં પૂરેલો) ત્યાં પાસેનું જાનવર ભય
વિના તેને જોવે છે. એ જ રીતે સ્ત્રીયો તે ભિક્ષુને બાંધી રાખે છે.
65
Page #79
--------------------------------------------------------------------------
________________
२५५. अह तत्थ पुणो नमयंति, रहकारु व्व णेमि आणुपुव्वीए । बद्धे मिए व पासेणं, फंदंते विण मुच्चती ताहे ॥ ९ ॥
२५६ अह सेऽणुतप्पती पच्छा, भोच्चा पायसं व विसमिस्सं । एवं विवेगमायाए, संवासो न कप्पती दविए ॥१० ॥ २५७ तम्हा उ वज्जए इत्थी, विसलित्तं व कंटगं णच्चा । ओए कुलाणि वसवत्ती, आघाति ण से वि णिग्गंथे ॥ ११ ॥
२५८ जे एवं उंछं अणुगिद्धा, अण्णयरा हु ते कुसीलाणं । सुतवस्सिए वि से भिक्खू, णो विहरे सह णमित्यीसु ॥ १२ ॥ २५९ अवि धूयराहिं सुण्हाहिं, धातीहिं अदुव दासीहिं ।
महतीहिं वा कुमारीहिं, संथवं से णेव कुज्जा अणगारे ॥ १३ ॥ २६० अदु णातिणं व सुहिणं वा, अप्पियं दट्टु एगता होति । गिद्धा सत्ता कामेहिं, रक्खण-पोसणे मणुस्सोऽसि ॥ १४॥
२६१ समणं पि दद्रुदासीणं, तत्थ वि ताव एगे कुप्यति । अदुवा भोयणेहिं णत्थेहिं, इत्थीदोससंकिणो होंति ॥ १५ ॥
२६२ कुव्वंति संथवं ताहिं पब्भट्ठा समाहिजोगेहिं ।
तम्हा समणा ण समेति, आतहिताय सण्णिसेज्जाओ ॥ १६ ॥
२६३ बहवे गिहाई अवहट्ट, मिस्सीभावं पत्थुता एगे । धुवमग्गमेव पवदंति, वायावीरियं कुसीलाणं ॥१७॥
889
68
Page #80
--------------------------------------------------------------------------
________________
૨૫૫. હવે તે રથ હાંકનારની જેમ ચાક ઉપરથી વળે તેમ નમે છે. તે જાનવરની
જેમ બંધાયેલો થનથને છે, પણ તે તેને છોડતી નથી.
૨૫૬. જાણે વિષયુક્ત દૂધ પીધું હોય તેમ તે પછી પસ્તાય છે. તેથી વિવેકથી
દ્રવિત થેયલા ભિક્ષુને સ્ત્રીયો સાથે સહવાસ ન જ કરવો ખપે.
૨૫૭. તેથી સ્ત્રીયોને, વિષયુક્ત અને કાંટા જેવી જાણી, તેમને ત્યાગે. નીચ કૂળમાં
રહી જે ઉપદેશ કરે તે નિગ્રંથ નથી.
૨૫૮. જે આમ કોઈ વધારાનું છોડેલું ગ્રહણ કરે છે, અન્ય રીતે તે કુશીલ છે. જે
શાસ્ત્રભક્ત ભિક્ષુ છે, તે સ્ત્રી સાથે હરે ફરે નહિ.
૨૫૯. અણગાર ભિક્ષુ દીકરી, ધાત્રી, વહુ કે દાસી, પ્રૌઢા કે કુમારી સાથે સહવાસ
ન જ કરે.
૨૬૦. જ્યારે કોઈ જ્ઞાતિજન કે મિત્ર, તે બન્નેને એકઠા થયેલા અપ્રિય રીતે વર્તતા
જોવે, ત્યારે કહે છે: “તું વિષયાસક્ત અને કામયુક્ત છે તેથી, તે સ્ત્રીના માણસની જેમ તેનું રક્ષણ-પોષણ કર.”
૨૬૧. જ્યારે કોઈ શ્રમણ દાસીને દેખે તો પણ કોઈ ગુસ્સે ભરાય છે. અથવા
ભોજન અર્થે કશું નથી, તેમ સ્ત્રીના દોષની શંકા કરે છે.
ર૬ર. જો સ્ત્રી સાથે રહે તો તે સમાધિયોગમાં ભ્રષ્ટ થાય છે. તેથી તે શ્રમણ સ્ત્રી
પાસે ન જાય કે આત્મહિત ખાતર તેની સાથે સુવાનું ત્યાગે.
૨૬૩. ઘણાયે ઘરોએ ઠગીને તે ભાગી જાય છે. તે મિશ્રભાવે શરૂઆત કરે છે. તે
કુશીલ પોતાની, વાચાશક્તિ વડે ધ્રુવમાર્ગનું પ્રવેદન કરે છે.
69
Page #81
--------------------------------------------------------------------------
________________
२६४. सुद्धं रवति परिसाए, अह रहस्सम्मि दुक्कडं करेति । जाणंति य णं तहावेदा, माइले महासढे ऽयं ति ॥ १८ ॥
२६५. सय दुक्कडं च न वयइ, आइट्ठो वि पकत्थती बाले । वेयाणवी मा कासी, चोइज्जतो गिलाइ से भुज्जो ॥१९॥
२६६. उसिया वि इत्थिपोसेसु, पुरिसा इत्थिवेदखेतण्णा । पण्णासमन्निता वेगे, णारीण वसं उवकसंति ॥ २० ॥
२६७. अवि हत्थ - पादछेदाए, अदुवा वद्धमंस उक्कंते ।
अवि तेयसाऽभितवणाइं, तच्छिय खारसिंचणाइं च ॥ २१ ॥
२६८. अदु कण्ण- णासियाछेज्जं, कंठच्छेदणं तितिक्खति । इति एत्थ पावसंतत्ता, न य बेंति पुणो न काहिं ति ॥ २२ ॥
२६९. सुतमेतमेवमेगेसिं, इत्थीवेदे वि हु सुअक्खायं ।
एवं पिता वदित्ताणं, अदुवा कम्मुणा अवकरेंति ॥ २३ ॥ २७०. अन्नं मणेण चिंतेंति, अन्नं वायाइ कम्मुणा अन्नं ।
तम्हाण सद्दहे भिक्खू, बहुमायाओ इत्थिओ णच्चा ॥ २४॥ २७१. जुवती समणं बूया उ, चित्तलंकारवत्थगाणि परिहेता । विरता चरिस्स हं लूहं, धम्ममाइक्ख णे भयंतारो ॥ २५ ॥ २७२. अदु साविया पवादेण, अहगं साधम्मिणी यं समणाणं । जतुकुंभे जहा उवज्जोती, संवासे विदू वि सीएज्जा ॥ २६ ॥
२७३. जतुकुंभे जोतिसुवगूढे, आसुऽभितत्ते णासमुपयाति । एवित्थियाहिं अणगारा, संवासेण णासमुवति ॥ २७ ॥
70
Page #82
--------------------------------------------------------------------------
________________
૨૬૪. પરીષદોમાં તે શુદ્ધ શબ્દોથી ગાય છે, પણ રહેઠાણે દુષ્કૃત્યો જ કરે છે. તે
સાચા વેદ જાણે છે પણ તે છે માયાથી ભરેલો મોટો ઠગારો!
૨૬૫. પોતાના દુષ્કૃત્યો તે કહેતો નથી, તે મંદ પુરુષોને કથાઓ કરતો દેખાય છે.
વેદો વિશે ક્રમથી નથી કહેતો, પ્રેરે તો કહે છે કે, તેને સારું નથી લાગતું.
૨૬૬. સ્ત્રીવેદ જાણતાં માણસો પણ ઉત્સાહથી સ્ત્રી પોષણ કરે છે. કોઈ પ્રજ્ઞાવાન
પણ સ્ત્રીયોના વશમાં કષ્ટનાં કામો કરે છે.
૨૬૭. ભલે હાથ-પગ કાપે, વધેલા માંસને કાઢી નાંખે અથવા અગ્નિથી બાળે,
છેદેલા જખમ પર ખારો સિંચે.
૨૬૮. અથવા કાન અને નાક કાપે, ગળું કાપે તે સઘળું તે સહન કરે છે. તે અહીં
આમ ત્રાસેલો છતાંએ, ફરી તેમ હું નહિ કરું એમ કહેતો નથી.
૨૬૯. આમ જ કોઈ પાસેથી કહેલું સાંભળ્યું છે કે “હું સ્ત્રીવેદનો સારો જ જાણકાર
છું.” ભલે તે આમ બોલે પણ કૃત્યોથી તેના અપકૃત્યો જ દેખાય છે.
૨૭૦. મનથી જાદું વિચારે, બોલવામાં જુદું કહે, વળી કૃત્યોથી અન્ય કરે છે.
સ્ત્રીયો ઘણી જ ઠગારી હોવાથી, ભિક્ષુ તેણીના શબ્દોમાં શ્રદ્ધા કરે નહિ.
૨૭૧. એક જાવાન સ્ત્રી શ્રમણને કહે છે. તે સારાં વસ્ત્રો અને અલંકારોથી ભૂષિત
છે. “હે શ્રમણ હું રુક્ષ જીવન ગાળીશ, હે ભયતારો, મન ધર્મ શીખવાડો.”
૨૭૨. તે વાદથી શ્રાવિકા કહે છે, હું શ્રમણોની સાધર્મિણી થઈ છું. જયારે લાખના
કુંભ પાસે જ્યોતિ હોય તેમ સાધુ ત્યાં બેસી ભ્રષ્ટ થાય છે.
૨૭૩. લાખનું વાસણ જો જ્યોતિથી ઘેરાય તો તે જલદીથી પીગળી નાશ પામે છે.
તેમ જ (સહવાસથી) સ્ત્રી સાથે અણગારનો નાશ થાય છે.
Zi
-
Page #83
--------------------------------------------------------------------------
________________
२७४. कुव्वंति पावगं कम्मं, पुट्ठा वेगे एवमाहंसु ।
नाहं करेमि पावं ति, अंकेसाइणी ममेस त्ति ॥२८॥
२७५. बालस्स मंदयं बितियं, जं च कडं अवजाणई भुज्जो ।
दुगुणं करेइ से पावं, पूयणकामए विसण्णेसी ॥२९॥ २७६. संलोकणिज्जमणगारं, आयगतं णिमंत (णे?) णाऽऽहंसु ।
वत्थं व ताति! पातं वा, अन्नं पाणगं पडिग्गाहे ॥३०॥
२७७. णीवारमेय बुझेज्जा, णो इच्छे अगारमागंतुं ।
बद्धे य विसयपासेहि, मोहमागच्छती पुणो मंदे ॥३१॥
त्ति बेमि ।।
॥इत्थिपरिणाए पढमो उद्देसओ सम्पत्तो ॥
Page #84
--------------------------------------------------------------------------
________________
૨૭૪. તે જ્યારે પાપકર્મો કરે છે અને કોઈ તેને પૂછે તો તે કહે છે કે હું પાપ કરતો
નથી, તે મારા સાથળ પર બેસવા ઇચ્છે છે.
ર૭૫. આ થયું બાળકની જેમ બોલવાનું, મૂઢનું કથન. પાપ કરી તે અવગણે છે,
આમ તે બમણું પાપ કરે છે. પૂજનની ઇચ્છાથી ત્યાં બેસી ખિન્ન થાય છે.
૨૭૬. સ્ત્રી પોતાના અણગારને જોઈ તે ઘરે આવવા આમંત્રણ દે છે, તે ત્રાતા!
તમે વસ્ત્ર, પાત્ર, અન્ન અને પાણી લો, એમ વિનવે છે.
૨૭૭. આ છે નિવાર જેવું, તે જાણી તેની ઘેર જવા તે નથી ધારતો, પણ તે સ્ત્રીથી
આસક્ત થયેલો મોહ પામી ફરી ઘેર જાય છે.
આમ હું કહું છું. પ્રથમ ઉદ્દેશ પૂરો થયો.
73.
Page #85
--------------------------------------------------------------------------
________________
बीओ उद्देसओ
२७८. ओजे सदा ण रज्जेज्जा, भोगकामी पुणो विरज्जेज्जा ।
भोगे समणाण सुणेहा, जह भुंजंति भिक्खुणो एगे ॥१॥ २७९. अह तं तु भेदमावन्नं मुच्छितं भिक्खं काममतिवर्ल्ड ।
पलिभिंदियाण तो पच्छा, पादुद्ध? मुद्धि पहणंति ॥२॥ २८०. जइ केसियाए मए भिक्खू, णो विहरे सह णमित्थीए ।
केसाणि वि हं लुचिस्सं, नऽन्नत्थ मए चरिज्जासि ॥३॥ २८१. अहणं से होति उवलद्धो, तो पेसंति तहाभूतेहिं ।
लाउच्छेदं पेहाहि, वग्गुफलाइं आहराहि त्ति ॥४॥ २८२. दारूणि सागपागाए, पज्जोओ वा भविस्सती रातो ।
पाताणि य मे रयावेहि, एहि य ता मे पट्टि उम्मद्दे ॥५॥
२८३. वत्थाणि य मे पडिलेहेहि, अन्नपाणं च आहराहि त्ति ।
गंधं च रओहरणं च, कासवगं च समणुजाणाहि ॥६॥
२८४. अदु अंजणि अलंकारं, कुक्कुहयं च मे पयच्छाहि ।
लोद्धं च लोद्धकुसुमं च, वेणुपलासियं च गुलियं च ॥७॥ २८५. कुटुं अगुरुं तगरुं च, संपिटुं समं उसीरेण ।
तेलू मुहं भिलिंजाए, वेणुंफलाइं सन्निधाणाए ॥८॥ २८६. नंदीचुण्णगाइं पहराहि, छत्तोवाहणं च जाणाहि ।
सत्थं च सूवच्छेयाए, आणीलं च वत्थयं रयावेहि ॥९॥
74
Page #86
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ચોથું : બીજો ઉદ્દેશ
૨૭૮. વીર્યથી હમેશાં આસક્તિ ન કર. ભોગોની ઇચ્છા એકવાર છોડી દે. ભોગો વિષે શ્રમણને સાંભળ, જ્યારે કોઈ ભિક્ષુ ભોગ ભોગવે તે.
૨૭૯. હવે તને ભેદ સમજાયો, વિષયલંપટ ભિક્ષુ ઘણોજ કામાસક્ત થાય છે ત્યારે તે પૂરેપૂરો બિંદાય છે, પછી સ્ત્રી તેને પગ ઉપાડી, ઉપરથી મારે છે.
'
૨૮૦. જો કેશ હોવાથી મારી સાથે તું હરેફરે નહિ તો હે ભિક્ષુ! હું મારા કેશનો લોચ કરીશ, મને કોઈપણ કારણે છોડી જાવ નહિ.
૨૮૧. હવે તે ઉપલબ્ધ થાય છે, ત્યારે તેને ત્યાં હોવાથી કામ ક૨વા કહે છે. તુંબડાં છેદે, તે જો, સારાં સારાં ફળો ખાવા અર્થે લાવ.
૨૮૨. શાક પકાવવા લઈ આવ, રાત થાય તે માટે દીવો પણ લાવ. મારાં વાસણ સાફ કર, અહીંજ મારી પીઠ ચોળી ચંપી કર.
૨૮૩. મારાં વસ્ત્રોની ઘડી વાળ, ભોજન અર્થે અન્ન પાણી લાવ, સુંગધી અત્તર અને ધૂળ સાફ ક૨વાનું લાવ.
૨૮૪. વળી અંજની, અલંકાર, તંબવીણા લાવ, લોધ્રના પાન અને ફૂલ, વેણીમાં મૂકવા પાંદડાં, અને ગોળી પણ લાવ.
૨૮૫. અગરૂ તગરૂને ફૂટી નાંખે અને ઉસીરના ચૂર્ણના સરખા ભાગ સાથે ભેળવી નાંખ. તેલ મોં ઉ૫૨ લગાડવા અને વેણુ ફળાદિ પણ લાવ.
૨૮૬. નંદીચૂર્ણ વગેરે લઈ આવ, છત્રી અને પગરખાં લાવ, દોરી કાપવા ચાકુ લાવ, અને કપડાં રંગવા નીલ પણ લઈ આવ.
75
Page #87
--------------------------------------------------------------------------
________________
२८७. सुफणि च सागपागाए, आमलगाई दगाहरणं च ।
तिलगकरणिमंजणसलागं, धिंसु मे विधूणयं विजाणाहि ॥ १० ॥
२८८. संडासगं च फणिहं च, सीहलिपासगं च आणाहि । आदंसगं पयच्छाहि, दंतपक्खालणं पवेसेहि ॥ ११॥
२८९. पूयफलं तंबोलं च, सूईसुत्तगं च जाणाहि ।
कोसं च मोयमेहाए, सुप्पुक्खलगं च खारगलणं च ॥ १२ ॥
२९०. चंदालगं च करगं च, वच्चघरगं च आउसो ! खणाहि । सरपादगं च जाताए, गोरहगं च सामणेराए ॥ १३ ॥ २९१. घडिगं च सडिंडिमयं च, चेलगोलं कुमारभूताए । वासं समभियावन्नं, आवसहं च जाण भत्तं च ॥१४॥
२९२. आसंदियं च नवसुत्तं, पाउलाई संकमट्ठाए ।
अदु पुत्तदोहलट्ठाए, आणप्पा हवंति दासा वा ॥१५॥
२९३. जाते फले समुप्पन्ने, गेण्हसु वा णं अहवा जहाहि । अह पुत्तपोसिणो एगे, भारवहा हवंति उट्टा वा ॥१६॥ २९४. राओ वि उट्ठिया संता, दारगं संठवेंति धाती वा । सुहिरीमणा वि ते संता, वत्थधुवा हवंति हंसा वा ॥१७॥ २९५ एवं बहुहिं कयपुव्वं, भोगत्थाए जेऽभियावन्ना ।
दासे मिए व पेस्से वा, पसुभूते वा से ण वा केइ ॥ १८ ॥
२९६. एयं खु तासु विण्णप्पं, संथवं संवासं च चएज्जा । तज्जातिया इमे कामा, वज्जकरा य एवमक्खाता ॥१९॥
76
Page #88
--------------------------------------------------------------------------
________________
૨૮૭. શાક પકાવવાનું વાસણ, આમળાદિ અને પાણી માટે હાંડી લાવ. તિલક
કરવાની સળી અને અંજનની સળી લાવ અને મારા માટે પંખો પણ લાવ.
૨૮૮. ચીપિયો, કાંસકો, વેણી બાંધવાની જાળી લાવ. અરિસો અને દંતમંજન
લાવ.
૨૮૯. પૂજા અર્થે ફળ, પાનસોપારી અને સોયદોરો પણ લાવ. ડોલ અને પેશાબનું
પાત્ર લાવ, ખાંડણી તથા ખાર ગાળવા ગળણી પણ લાવ.
૨૯૦. ચાંદલો કરવા વાટકી, પાણીનું પાત્ર, સંડાસ અર્થે ઘર, વચમાં ખોદ, પૂજા
માટે પગરખાં, શ્રમણરાય માટે ગાડું પણ લાવ.
૨૯૧. લેટી, કુમાર માટે પૂતળી લાવ. ડમરૂં અને સૂતરનો દડો પણ લાવ. વર્ષા
આવે તે માટે અન્નપાણી અને વાહનની જોગવાઈ કર.
ર૯૨. નવપુત્ર અર્થે ઘોડિયું લાવ, ચાલવા પગરખાં લાવ, આમ તે હમાલની
માફક પુત્ર દોહદ્ માટે દાસની જેમ વર્તે છે.
૨૯૩. જ્યારે બાળક જન્મ, ઘરે કે બીજી જગ્યાએ, ત્યારે પુત્રપોષણ અર્થે ઊંટની
જેમ તેને અઘરું કામ કરવું પડે છે.
૨૯૪. રાતના ઊઠી ધાત્રીની જેમ બાળકને સાચવવું પડે છે. ભલે તે શરમજનક
હોય તો પણ હંસની માફક કપડાં શુભ્ર ધોવાં પડે છે.
૨૯૫. આમ તો ઘણા માણસોએ પૂર્વે કર્યું છે. તેમણે આ સર્વે પણ ભોગવ્યું છે,
વેક્યું પણ છે. તે દાસ, જાનવર કે સેવકની જેમ, કે પશુની જેમ તેવું કામ કર્યું છે.
૨૯૬. આ તારા માટે વિજ્ઞપ્તિ છે કે સ્ત્રી સંગ કે સ્ત્રી સહવાસનો ત્યાગ કરે. તે
પ્રકારની ઇચ્છાઓ વજ જેવી ભયંકર કહી છે.
77
Page #89
--------------------------------------------------------------------------
________________
२९७. एवं भयं ण सेयाए, इति से अप्पगं निरुंभित्ता ।
इथं णोप भिक्खू, णो सयपाणिणा णिलिज्जेज्जा ॥ २० ॥
२९८. सुविसुद्धलेस्से मेधावी, परकिरियं च वज्जते णाणी । मणसा वयसा कायेणं, सव्वफाससहे अणगारे ॥ २१ ॥
२९९. इच्चेवमाहु से वीरे, धूतरए धूयमोहे से भिक्खू । तम्हा अज्झत्थविसुद्धे, सुविमुक्के आमोक्खाए परिव्वज्जासि ॥ २२ ॥ त्ति बेमि ।
॥ इत्थीपरिण्णा सम्मत्ता चउत्थमज्झयणं ॥
182
78
Page #90
--------------------------------------------------------------------------
________________
ર૯૭. આવાં ભયો સારાં નથી, માટે તેમનો વિરોધ કરે, પોતાને માટે ન સ્ત્રી, કે
ન પશુ કે પોતાના હાથનું પણ ભિક્ષુ વર્જન કરે.
૨૯૮. જ્ઞાની શુક્લ લેગ્યાથી પરક્રિયાઓ ત્યાગે, તે અણગાર મન, વચન અને
કાયાથી સર્વ જાતના ઉપસર્ગો સહન કરે.
૨૯૯. આમ તે વીર ભગવાને કહ્યું છે, તેમને કર્મ ધોઈ મોહને પણ દૂર કર્યો છે.
ત્યારે ભિક્ષુ અધ્યાત્મથી શુદ્ધ થઈ, સારી રીતે મુક્ત થઈ મોક્ષ માર્ગે ચાલી જાય.
આમ હું કહું છું. બીજો ઉદ્દેશ પૂરો થયો. ચોથું અધ્યયન સમાપ્ત થયું.
IS
Page #91
--------------------------------------------------------------------------
________________
पंचमं अज्झयणं 'णिरयविभत्ती'
पढमो उद्देसओ
३००. पुच्छिस्स हं केवलियं महेसि, कहंऽभितावा णरगा पुरत्था ।
अजाणतो मे मुणि बूहि जाणं, कहं णु बाला णरगं उवेंति ॥१॥
३०१. एवं मए पुढे महाणुभागे, इणमब्बवी कासवे आसुपण्णे ।
पवेदइस्सं दुहमट्ठदुग्गं, आदीणियं दुक्कडियं पुरत्था ॥२॥ ३०२. जे केइ बाला इह जीवियट्ठी, पावाइं कम्माइं करेंति रुद्दा ।
ते घोररूवे तिमिसंधयारे, तिव्वाभितावे नरए पडंति ॥३॥ ३०३. तिव्वं तसे पाणिणो थावरे य, जे हिंसती आयसुहं पडुच्चा।
जे लूसए होति अदत्तहारी, ण सिक्खती सेयवियस्स
किंचि ॥४॥
३०४. पागन्भि पाणे बहुणं तिवाती, अणिव्वुडे घातमुवेति बाले । णिहो णिसं गच्छति अंतकाले, अहो सिरं कट्ट उवेति
दुग्गं ॥५॥
३०५. हण छिंदह भिंदह णं दहह, सद्दे सुणेत्ता परधम्मियाणं ।
ते नारगाऊ भयभिन्नसण्णा, कंखंति कं नाम दिसं वयामो ॥६॥ ३०६. इंगालरासिं जलियं सजोति, ततोवमं भूमि अणोक्कमंता ।
ते डज्झमाणा कलुणं थणंति, अरहस्सग तत्थ
चिरद्वितीया ॥७॥
80
Page #92
--------------------------------------------------------------------------
________________
૫.
અધ્યયન પાંચમું “નરકો”
પ્રથમ ઉદ્દેશ
૩૦૦. મેં કેવળી મહર્ષિને પૂછ્યું કે નરકમાં કેવી જાતનાં દુઃખો છે? હું તે નથી
જાણતો કે મૂઢ માણસો કેવી રીતે નરકમાં ઉપજે છે? જ્યારે મુનિ મને કહેશે ત્યારે હું તે જાણીશ.
૩૦૧. જ્યાં મેં તે પ્રભાવશાળી મહાત્માને પૂછયું ત્યારે તેમણે કહ્યું માણસોએ પૂર્વે
કરેલાં દુષ્કૃત્યોથી બહુજ દુર્ગ દુઃખો મેળવે છે. ૩૦૨. જે કોઈ મૂઢ માણસો જીવવા માટે ખરાબ કૃત્યો કરે છે, તે બહુજ ઘોર
અંધારાયુક્ત કઠણ દુઃખોવાળા નરકે જાય છે.
૩૦૩. જે પોતાના સુખ માટે અહીં જે ઘણાંએ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા
કરે છે. તે હિંસા કરી, ન આપેલું ખાય છે, તે જરાપણ શ્રેયસ્કર નથી શીખતાં.
૩૦૪. ધૃષ્ટ માણસો ઘણી જ જીવહિંસા કરે છે. તે મૂઢ વ્રત વિનાના હોઈ, ઘણાં
ઘાત ઉપજાવે છે. છેવટે અંતકાળે તે નીચે નરકમાં જાય છે, જ્યાં માથું નમાવી ભયંકર દુઃખો વેઠે છે.
૩૦૫.માર, છંદ, બિંદી નાખ, બાળી કાઢ, આવા શબ્દો બોલતા નારકી
અધિકારીઓથી ભયભિન્ન થાય છે. અને કઈ દિશાએ જવું તે નથી જાણતા.
૩૦૬. ત્યાં અગ્નિના ઢગલાઓ જ્વાળા સાથે ભડકે છે, તે જાતની ભૂમિ તેમને
ઓળંગવી પડે છે. બળવાથી તે કરુણાજનક થનથને છે. ત્યાંના તે રહેવાસી નથી છતાં ત્યાં ચિરકાળ સ્થિતિ પ્રાપ્ત થાય છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
३०७. जइ ते सुता वेतरणीऽभिदुग्गा, निसितो जहा खुर इव तिक्खसोता ।
तरंति ते वेयरणि भिदुग्गं, उसुचोदिता सत्तिसु हम्ममाणा ॥८ ॥ ३०८. कोलेहिं विज्झंति असाहुकम्मा, नावं उवेंते सतिविप्पहूणा । अन्ने त्थ सूलाहिं तिसूलियाहिं, दीहाहिं विद्धूण अहे करेंति ॥९॥
३०९. केसिंच बंधित्तु गले सिलाओ, उदगंसि बोलेंति महालयंसि । कलंबुयावालुय मुम्पुरे य, लोलेंति पच्चंति या तत्थ अन्ने ॥१०॥
३१०. असूरियं नाम महम्भितावं, अंधंतमं दुप्पतरं महंतं । उड्डुं अहे य तिरियं दिसासु, समाहितो जत्थऽगणी झियाति ॥ ११ ॥
३११. जंसि गुहाए जलणेऽतियट्टे, अजाणओ डज्झति लुत्तपणे । सया य कलुणं पुण घम्मठाणं, गाढोवणीयं अतिदुक्खधम्मं ॥ १२ ॥
३१२. चतारि अगणीओ समारभित्ता, जहिं कूरकम्माऽभितवेंति बालं । तत्थ चितऽभितप्पमाणा, मच्छा व जीवंतुवजोतिपत्ता ॥ १३ ॥
३१३. संतच्छणं नाम महम्भितावं, ते नारगा जत्थ असाहुकम्मा । हत्थेहि पाएहि य बंधिऊणं, फलगं व तच्छंति कुहाडहत्था ॥ १४ ॥
३१४. रुहिरे पुणो वच्चसमूसियंगे, भिन्नुत्तमंगे परियत्तयंता । पयंति णं णेरइए फुरंते, सजीवमच्छे व अओकवले ॥१५॥
82
Page #94
--------------------------------------------------------------------------
________________
૩૦૭, ત્યાંની દુસ્તર વૈતરણી નદી વિશે સાંભળ્યું છે? તેનો પ્રવાહ તીણા છરાની
જેમ દુઃખદાયી છે. તેમને શક્તિથી ઘણું જ મારે છે અને ધમકાવે છે. નદીમાંથી પસાર થવા કહે છે.
૩૦૮. ત્યાં તે દુષ્કર્મીઓનાં ગળાં વધે છે. સ્મૃતિહીન થયેલા તે જીવો નાવમાં
ઊપજે છે. તે ઘણા જ નબળા થાય છે. અન્ય નારકીઓને શૂળ અને ત્રિશૂળ વડે ભોંકે છે અને નીચા પાડે છે.
૩૦૯. કેટલાક પાપીઓના ગળે શિલાઓ બાંધે છે પછી તળાવના પાણીમાં ડૂબાવે
છે. ત્યાંની ગરમ મરમર કરતી વાળમાં ફેરવે છે અને પકાવે છે.
૩૧૦. અસૂરિયં નામે અત્યંત દુઃખવાળો નરક છે. ત્યાં ઘણું અંધારું છે. તે ઘણો
મોટો પણ છે. ત્યાં ઉપર નીચે અને તિર્ય દિશાઓ અગ્નિ વડે પૂરી ભરાયેલી છે અને તે બળ્યાં કરે છે.
૩૧૧. તેની ગુફામાં બહુ જ અગ્નિ બળે છે, અણજાણ્યો તેથી દાઝી જાય છે. તે
નરક દુઃખે ભરેલો, કરુણા કરવા જેવો છે. ત્યાં હમેશાં ગાઢ દુઃખ વર્તે છે.
૩૧૨. ક્રૂર કર્મીઓને ચારે બાજુથી અગ્નિ વડે તપાવે છે. ત્યાં તે ઊભાઊભા તપે
છે, જાણે કે માછલાં અગ્નિ નજીક આવતાં મૂક્યાં હોય.
૩૧૩. સંતક્ષણ નામે મહાદુઃખી નરક છે. તે નરકમાં ખરાબ કૃત્યો કરેલાંને હાથપગે
બાંધી નાખે છે. પછી ફળિયાંની માફક કુહાડા વડે કાપે છે.
૩૧૪. તેમના લોહી ભરેલાં ચળકતાં અંગો અને ભેદેલાં માથાઓ સાથે તે ધડોને
ફેરવ્યાં કરે છે. તેમને પછી પકાવે છે જાણે કે જીવતાં માછલાં ન હોય તેમ હલે વળે છે.
83
Page #95
--------------------------------------------------------------------------
________________
३१५. णो चेव ते तत्थ मसीभवंति, ण मिज्जती तिव्वभिवेदणाए ।
तमाणुभागं अणुवेदयंता, दुक्खंति दुक्खी इह दुक्कडेणं ॥१६॥
३१६. तहिं च ते लोलणसंपगाढे, गाढं सुतत्तं अगणिं वयंति ।
न तत्थ सातं लभतीऽभिदुग्गे, अरहिताभितावा तह वी
तवेंति ॥१७॥
३१७. से सुव्वती नगरवहे व सद्दे, दुहोवणीताण पदाण तत्थ ।
उदिण्णकम्माण उदिण्णकम्मा, पुणो पुणो ते सरहं
दुहेति ॥१८॥
३१८. पाणेहि णं पाव विजोजयंति, तं भे पवक्खामि जहातहेणं ।
दंडेहि तत्था सरयंति बाला, सव्वेहिं दंडेहि पुराकएहिं ॥१९॥
३१९. ते हम्ममाणा णरए पडंति, पुण्णे दुरूवस्स महब्भितावे । ते तत्थ चिदंती दुरूवभक्खी, तुति कम्मोवगता
किमीहिं ॥२०॥
३२०. सदा कसिणं पुण घम्मठाणं, गाढोवणीयं अतिदुक्खधम्मं ।
अंदूसु पक्खिप्प विहत्तु देहं, वेहेण सीसं सेऽभितावयंति ॥२१॥
३२१. छिदंति बालस्स खुरेण नक्कं, उट्टे वि छिंदंति दुवे विकण्णे।
जिन्भं विणिक्कस्स विहत्थिमेत्तं, तिक्खाहिं सूलाहिं
तिवातयंति ॥२२॥ ३२२. ते तिप्पमाणा तलसंपुड व्व, रातिदियं जत्थ थणंति बाला ।
गलंति ते सोणितपूयमंसं, पज्जोविता खारपदिद्धितंगा ॥२३॥
84
Page #96
--------------------------------------------------------------------------
________________
૩૧૫. ત્યાં તે કાજળ જેમ કાળાં ન થાય, કે તીવ્ર વેદનાઓથી છૂટે નહિ. પોતાનાં
ભાગનાં દુઃખો પોતાનાં દુષ્કૃત્યો વડે તે નારકીઓ વેદનાઓ સહન કરી ભોગવે છે.
૩૧૬. ત્યાં પ્રખર અગ્નિમાં આળોટે છે, ત્યાં શાતા ન મળે, ત્યાં તેમના યોગ્ય
દુઃખો લાંબા કાળ સુધી તે વેઠે છે.
૩૧૭. ત્યાં તેમનાં દુઃખ ભરેલાં શબ્દો અને રડતો અવાજ ઘણે દૂરના નગર સુધી
સંભળાય છે. નારકીયોના ઉદયે ખાવેલાં કર્મોથી તે વારંવાર દુઃખ પામે
છે.
૩૧૮. પાપોના શિક્ષાની યોજના, પ્રાણ વડે થાય છે. હું તે જેમ છે તેમ કહું છું.
ત્યાં શિક્ષા પામતા નારકી દંડાનું સ્મરણ કરે છે. તેને સર્વ રીતે દંડાથી પૂરો ખલાસ કરે છે.
૩૧૯. ત્યાં તે હણાતાં નરકે પડે છે. મોટા તાપમાં બળતા કદરૂપા થાય છે. ત્યાં તે
ગંદું ખાય છે. તેમના શરીરો કમીઓ વડે ખવાય છે.
૩૨૦. તે પૂરેપૂરું દુઃખોનું ધામ છે. ત્યાં દુઃખ ગાઢ થઈ ઊપજે છે. ત્યાં દેહને
કુંડામાં નાખી દેહનો નાશ કરે છે. કાપેલું માથું તપાવે છે.
૩૨૧. તે નારકીઓના નાક, હોઠ અને બન્ને કાન છૂરા વડે કપાય છે. જીભને
ખેંચી તોડે છે. તીણ શૂલી વડે તેનો નાશ કરે છે.
૩૨૨. તેને તાડપત્રમાં પડિકાની જેમ તપાવે છે. દિનરાત તે નારકી જીવો થનથને
છે. તેમના શરીરોમાંથી પૂ અને માંસ ગળી પડે છે.
85
Page #97
--------------------------------------------------------------------------
________________
३२३. जइ ते सुता लोहितपूयपाती, बालागणीतेयगुणा परेणं।
कुंभी महंताधियपोरुसीया, समूसिता लोहितपूयपुण्णा ॥२४॥
३२४. पक्खिप्प तासुं पपयंति बाले, अट्टस्सरं ते कलुणं रसंते ।
तण्हाइता ते तउ तंबतत्तं, पज्जिज्जमाणऽट्टतरं रसंति ॥२५॥
३२५. अप्पेण अप्पं इह वंचइत्ता, भवाहमे पुव्व सते सहस्से ।
चिटुंति तत्था बहुकूरकम्मा, जहा कडे कम्मे तहा सि
भारे ॥२६॥
३२६. समज्जिणित्ता कलुसं अणज्जा, इटेहि कंतेहि य विप्पहूणा।
ते दुन्भिगंधे कसिणे य फासे, कम्मोवगा कुणिमे
आवसंति ॥२७॥
॥नरगविभत्तीए पढमो उद्देसओ सम्मत्तो ॥
86
Page #98
--------------------------------------------------------------------------
________________
૩૨૩. તમે લોહીથી અને પૂવડે ભરાયેલા પાત્ર વિશે સાંભળ્યું છે? તે મંદ અગ્નિ
પર તપાવે છે. તે પાત્ર (કુંભ) એક પુરુષથી વધારે ઊંચું છે. તે લોહી અને પૂથી પૂરું ભરાયેલું છે.
૩૨૪. તેમાં તે મૂઢોને ફેંકી દે છે, પકાવે છે. આર્તસ્વરે તે કરુણા થાય તેમ રડે છે.
તરસ લાગે ત્યારે તેમને, ઓગળેલા તાંબાને પિવરાવે છે. પ્રત્યાય થાય તેમ
તે રુદન કરે છે. ૩૨૫. તેત્રીસ સાગરોપમ સુધી જાતે, પોતાને ઠગી તે ક્રૂર કર્મીઓ ત્યાં હોય છે.
જેમ કર્મ ક્ય હોય તેમ તેનો ભાર ઊંચકવો જ પડે છે. દુઃખો ભોગવવાં જ પડે છે.
૩૨૬. હે અનાર્ય! કલેશવાળા કર્મોને જાણી લે, તું ઇષ્ટ અને પ્રિય ચીજોથી વંચિત
થયો છું. તે દુર્ગધી અને પૂરેપૂરા ફાંસોના પાશમાં તું નરકમાં આવી રહ્યો
આમ હું કહું છું. પ્રથમ ઉદ્દેશ પૂરો થયો. (અધ્યયન પાંચમું)
87
Page #99
--------------------------------------------------------------------------
________________
बीओ उद्देसओ
३२७. अहावरं सासयदुक्खधम्म, तं भे पवक्खामि जहातहेणं ।
बाला जहा दुक्कडकम्मकारी, वेदेति कम्माइं पुरेकडाइं ॥१॥ ३२८. हत्थेहि पाएहि य बंधिऊणं, उदरं विकत्तंति खुरासिएहिं ।
गेण्हेतु बालस्स विहन्न देहं, वद्धं थिरं पिट्ठतो उद्धरंति ॥२॥
३२९. बाहू पकत्तति य मूलतो से, थूलं वियासं मुहे आडहंति ।
रहंसि जुत्तं सरयंति बालं, आरुस्स विझंति तुदेण पट्टे ॥३॥ ३३०. अयं व तत्तं जलितं सजोति, ततोवमं भूमि अणोक्कमंता ।
ते डज्झमाणा कलुणं थणंति, उसुचोदिता तत्तजुगेसु जुत्ता ॥४॥
३३१. बाला बला भूमि अणोक्कमंता, पविज्जलं लोहपहं व तत्तं ।
जंसीऽभिदुग्गंसि पवज्जमाणा, पेसे व दंडेहिं पुरा करेंति ॥५॥ ३३२. ते संपगाढंसि पवज्जमाणा, सिलाहिं हम्मंतिऽभिपातिणीहिं ।
संतावणी नाम चिरद्वितीया, संतप्पति जत्थ असाहुकम्मा ॥६॥
३३३. कंदूसु पक्खिप्प पयंति बालं, ततो विडड्डा पुणरुप्पतंति ।
ते उड्ढकाएहिं पखज्जमाणा, अवरेहिं खज्जंति सणएफएहिं ॥७॥
३३४. समूसितं नाम विधूमठाणं, जं सोगतत्ता कलुणं थणंति ।
अहो सिरं कट्ट विगतिऊणं, अयं व सत्थेहिं समोसवेंति ॥८॥
३३५. समूसिया तत्थ विसूणितंगा, पक्खीहिं खज्जंति अयोमुहेहिं ।
संजीवणी नाम चिरद्वितीया, जंसि पया हम्मति पावचेता ॥९॥
88
Page #100
--------------------------------------------------------------------------
________________
અધ્યયન પાંચમું : ઉદેશ બીજો
૩૨૭. આ પ્રમાણે શાશ્વત દુઃખવાળા નરકો વિશે તે જેમ છે તેમ કહીશ. ત્યાંના
મૂઢ પાપીઓ પહેલા કરેલા સર્વે કર્મો ત્યાં વેઠે છે.
૩૨૮. તેમના હાથ-પગ બાંધી તેમનું પેટ તીક્ષણ ધારવાળી તરવારથી કાપે છે. તે
પાપીઓના વિંધાયેલા દેહને સ્થિર બાંધી પીઠ પર મારે છે.
૩૨૯. તેના બાહુને મૂળથી કાપે છે, તેનું મુખ ઉઘાડી દઝાડે છે. પછી તેને રથ
સાથે જોડી રોષથી ચાબકા મારે છે, ઈજાઓ કરે છે, દુઃખી કરે છે.
૩૩૦. જેમ વાળાથી લોઢું રાતા પ્રવાહમાં વર્તે છે, તેવી ગરમાગરમ ભૂમિ પર
તેને ચલાવે છે. દાઝેલા પગે તે દયાજનક થનથને છે, પછી તેમને ધમકાવી તપેલી ધુરીએ જોડી હંકારે છે.
૩૩૧. તે પાપીઓને બળજબરીથી ચળકતા ગરમ લોઢાના માર્ગ ઉપર ચલાવે છે.
તે કઠીન માર્ગે જતાં જતાં ત્યાંના સેવકો દંડાથી પૂરા મારી નાખે છે.
૩૩૨. જ્યારે તે પાપીઓ તે ભયંકર માર્ગે જાય છે ત્યારે ઉપરથી પડતી શિલાઓ
વડે તે હણાય છે. તે સંતાપણી નારકે ચિર સ્થિતિનાં દુઃખો હોય છે, ત્યાં
પાપીઓ ઘણા જ તપાય છે, દુઃખ પામે છે. ૩૩૩. કૂંડામાં ફેંકી તે પાપીઓને પકાવે છે. ત્યાં બળ્યા પછી તે ફરી ફરી ઊપજે
છે. ત્યાં ઊડતાં પંખીઓ તેમને બચકાં ભરે છે. વળી તીક્ષ્ણ નખોવાળાં
જાનવરો પણ તેમને ખરડી નાખે છે. ૩૩૪. હવે ત્યાં ધુમાડાથી ભરેલું સમુશિતા નામે નરક છે. શોકથી ત્રાસેલા જીવો
કરુણાજનક થનથને છે. તેમના શિર નીચા કરી કાપી નાંખે છે. લોઢાનાં
શસ્ત્રો વડે તેમનો નાશ કરે છે. ૩૩૫. ત્યાં વિખરાયેલાં અંગો હોય તેને લોઢા જેવી ચાંચોવાળાં પક્ષીઓ બચકાં
ભરે છે. સંજીવની નામે નરક ચિર સ્થિતિમાં ત્યાં છે. તે પાપીઓ ત્યાંની જગ્યાએ હણાય છે.
89
Page #101
--------------------------------------------------------------------------
________________
३३६. तिक्खाहिं सूलाहि भितावयंति, वसोवगं सोअरियं व लद्धं ।
ते सूलविद्धा कलुणं थणंति, एगंतदुक्खं दुहओ
गिलाणा ॥१०॥
३३७. सदा जलं ठाण निहं महंतं, जंसी जलंती अगणी अकट्ठा ।
चिती तत्था बहुकूरकम्मा, अरहस्सरा केइ चिरद्वितीया ॥११॥
३३८. चिता महंतीउ समारभित्ता, छुन्भंति ते तं कलुणं रसंतं ।
आवदृति तत्थ असाहुकम्मा, सप्पि जहा पतितं
जोतिमझे ॥१२॥
३३९. सदा कसिणं पुण धम्मठाणं, गाढोवणीयं अतिदुक्खधम्मं ।
हत्थेहिं पाएहि य बंधिऊणं, सत्तुं व दंडेहि समारभंति ॥१३॥ ३४०. भंजंति बालस्स वहेण पट्ठि, सीसं पि भिंदंति अयोधणेहिं ।
ते भिन्नदेहा व फलगावतट्ठा, तत्ताहिं आराहिं
णियोजयंति ॥१४॥ ३४१. अभिमुंजिया रुद्द असाहुकम्मा, उसुचोदिता हत्थिवहं वहति ।
एगंदुरुहित्तु दुए तयो वा, आरुस्स विझंति ककाणओ
से ॥१५॥
३४२. बाला बला भूमि अणोक्कमंता, पविज्जलं कंटइलं महंतं ।
विबद्ध तप्पेहिं विवण्णचित्ते, समीरिया कोट्ट बलिं करेंति ॥१६॥
३४३. वेतालिए नाम महब्भितावे, एगायते पव्वतमंतलिक्खे।
हम्मति तत्था बहुकूरकम्मा, परं सहस्साण मुहुत्तगाणं ॥१७॥
... 90
Page #102
--------------------------------------------------------------------------
________________
૩૩૬. તીક્ષ્ણ શૂલો વડે તેમને ભોંકે છે, જાણે કે તે સૂવર વશ થયું હોય તેમ. તે શૂલથી વિંધાયેલા, દયાજનક રુદન કરે છે. બહુ જ દુ:ખ અને તેથી થતો રોગ આમ તે બે રીતે પીડાય છે.
૩૩૭. સદાજલ નામે ત્યાં નીચો નરક છે, તે મોટો છે. ત્યાં અગ્નિ લાકડાં વિના બળે છે. ભલે તે નારકી ત્યાંના રહેવાસી ન હોય છતાં ત્યાં તે ચિ૨ સ્થિતિમાં વર્તે છે.
૩૩૮. જ્યારે ત્યાં મોટી ચિતા રચે છે ત્યારે ક્ષોભથી નારકી જીવો રડે છે. ત્યાં તે પાપીઓ વર્તાય છે, જાણે કે હોમની જ્વાળામાં ઘી નંખાય તેમ લાગે છે.
૩૩૯. સર્વદા ત્યાં દુઃખોનું સ્થાન હોય છે. ત્યાં દુઃખો ઘણા જ ગાઢ રીતે ઊપજતા થાય છે. પાપીઓના હાથ-પગ બાંધી, શત્રુની જેમ દંડા વડે મારે છે.
૩૪૦.તે પાપીઓની પીઠ મારી મારી ભાંગી નાખે છે, લોઢાના હથોડાથી શિરોને ભાંગે છે. તે ભેદેલા દેહોને ફળીની માફક ઊભા રાખે છે. પછી તપાવેલાં તીક્ષ્ણ શસ્ત્રોથી નાશ કરે છે.
૩૪૧. રૂદ્ર અસાધુ કર્મો તેમના અર્થે યોજે છે, પછી ધમકાવી હાથીની જેમ વહન કરાવે છે. એકને ચઢાવી, તેની ઉપર બે અને ત્રણને ચઢાવે છે. પછી રોષથી તેમના અંડાંઓને વિંધે છે.
૩૪૨. તે પાપીઓને બળથી ચળકતી કાંટાવાળી મોટી ભૂમિ પર ચલાવે છે. બંધાયાથી તપેલા, વિખરાયેલા મનથી તે સર્વેનો જાણે કે કોટમાં બળી કરે તેમ, બાળે છે.
૩૪૩. વેતાલિક નામનો નરક બહુ જ દુઃખદાયક છે. તે એક જ પર્વત અંતરિક્ષે છે. ત્યાં ઘણાં જ ક્રૂર કર્મીઓ અનંત કાળ સુધી હણાય છે.
91
Page #103
--------------------------------------------------------------------------
________________
३४४. संबाहिया दुक्कडिणो थणंति, अहो य रातो परितप्पमाणा।
एगंतकूडे नरए महंते, कूडेण तत्था विसमे हता उ ॥१८॥ ३४५. भंजंति णं पुवमरी सरोसं, समुग्गरे ते मुसले गहेतुं ।
ते भिन्नदेहा रुहिरं वमंता, ओमुद्धगा धरणितले पडंति ॥१९॥
३४६. अणासिता नाम महासियाला, पगम्भिणो तत्थ सयायकोवा ।
खज्जति तत्था बहुकूरकम्मा, अदूरया संकलियाहिं बद्धा ॥२०॥
३४७. सदाजला नाम नदी भिदुग्गा, पविज्जला लोहविलीणतत्ता ।
जंसी भिदुग्गंसि पवज्जमाणा, एगाइयाऽणुक्कमणं करेंति ॥२१॥ ३४८. एयाई फासाइं फुसंति बालं, निरंतरं तत्थ चिरद्वितीयं ।
ण हम्ममाणस्स तु होति ताणं, एगो सयं पच्चणुहोति दुक्खं ॥२२॥
३४९. जं जारिसं पुव्वमकासि कम्म, तहेव आगच्छति संपराए ।
एगंतदुक्खं भवमज्जिणित्ता, वेदेति दुक्खी तमणंतदुक्खं ॥२३॥ ३५०. एताणि सोच्चा णरगाणि धीरे, न हिंसते कंचण सव्वलोए ।
एगंतदिट्ठी अपरिग्गहे उ, बुज्झिज्ज लोगस्स वसं न गच्छे ॥२४॥ ३५१. एवं तिरिक्खे मणुयामरेसुं, चतुरंतऽणंतं तदणुविवागं ।
स सव्वमेयं इति वेदयित्ता, कंखेज्ज कालं धुवमाचरंतो ॥२५॥
त्ति बेमि ।
॥नरगविभत्ती सम्मत्ता ॥
Page #104
--------------------------------------------------------------------------
________________
૩૪૪. તે બાંધેલા અને દુષ્કૃત્ય કરેલા ત્યાં થનથને છે. તે દિનરાત પીડાય છે. એક
જ ઠગારા કૃત્યથી તે મોટા નરકે જાય છે અને વિષમ રીતે હણાય છે.
૩૪પ.તે નારકી દેવો હાથમાં મુસળ પકડી, તે પાપીઓને પૂર્વેના શત્રુ માની
રોષથી હણે છે. તે છિન્ન થયેલા દેહવાળા, લોહીની વાત કરે છે. તેથી તે ધરણી ઉપર ઊંચા મોઢે પડે છે.
૩૪૬. ત્યાં અનાશીતા નામે મોટું શીયાળ છે, તે ધૃષ્ટ સદાએ રોષ ભરેલો છે. તે
ત્યાં બહુ દૂર કર્મીઓને બચકાં ભરે છે. તે સાંકળ વડે નજીક જ બંધાયેલો
છે.
૩૪૭. સદાખલા નામે દુસ્તર નદી છે. તેનો પ્રવાહ પીગળેલા લોઢાની જેમ ચળકતો
અને ગરમ છે. તેને ઓળંગવા, અનુક્રમથી એકએકને મોકલે છે.
૩૪૮. આવા સંકટોથી પાપીઓ પીડાય છે. ત્યાં સદાયે ચિરકાળ દુઃખો હોય છે.
જ્યારે પાપી હણાય છે ત્યારે તેને રક્ષણ નથી. દરેકને આ દુઃખ પ્રત્યક્ષ ભોગવવું પડે છે.
૩૪૯. જેમ પાપ કર્યું હોય તેમ જ તે આ સંસારે આવે છે. ખરાબમાં ખરાબ
દુઃખને મેળવી, આ ભવે તે અનંત દુ:ખો ભોગવે છે, વેઠે છે.
૩૫૦. ધીર પુરુષ સર્વે નરકો વિશે સાંભળી, સર્વ લોકે જરા પણ હિંસા કરે નહિ.
અપરિગ્રહની શ્રેષ્ઠ દૃષ્ટિ રાખી બુદ્ધિમાન લોકવશ થાય નહિ.
૩૫૧. હવે તિર્યંચ, મનુષ્ય અને દેવોના ચતુરંત અનંત કર્મ વિપાકોને બરાબર
જાણી, કાળ કરવા ઇચ્છે અને ચિરકાળ સારું આચરણ કરતો વિચરે.
આમ હું કહું છું. બીજો ઉદ્દેશ પૂરો થયો. (અધ્યયન પાંચમું).
93
Page #105
--------------------------------------------------------------------------
________________
६. छट्ठे अज्झयणं 'महावीरत्थवो'
३५२. पुच्छिंसु णं समणा माहणा य, अगारिणो यं परतित्थिया य । से के इणेगंतहिय धम्ममाहु, अणेलिसं साधुसमिक्खयाए ॥ १ ॥
३५३. कहं च णाणं कह दंसणं से, सीलं कहं नातसुतस्स आसी । जाणासि णं भिक्खु जहातहेणं, अहासुतं बूहि जहा णिसंतं ॥२॥
३५४. खेयण्णए से कुसले आसुपन्ने, अनंतणाणी य अनंतदंसी ।
जसंसिणो चक्खुपहे ठियस्स, जाणाहि धम्मं च धिरं च पेहा ॥ ३ ॥
३५५. उड्डुं अहे य तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा । से णिच्चणिच्चेहि समिक्ख पण्णे, दीवे व धम्मं समियं उदाहु ॥४॥
३५६. से सव्वदंसी अभिमूय णाणी, निरामगंधे धिइमं ठितप्पा । अणुत्तरे सव्वजगंसि विज्जं, गंथातीते अभए अणाऊ ॥५॥ ३५७. से भूतिपणे अणिएयचारी, ओहंतरे धीरे अनंतचक्खू । अणुत्तरं तप्पति सूरिए वा, वइरोयणिदे व तमं पगासे ॥६॥
३५८. अणुत्तरं धम्ममिणं जिणाणं, णेता मुणी कासवे आसुपण्णे । इंदे व देवाण महाणुभावे, सहस्सनेता दिवि णं विसिट्टे ॥७ ॥
94
Page #106
--------------------------------------------------------------------------
________________
૬.
અધ્યયન છઠ્ઠું “મહાવીર સ્તવન’’
૩૫૨. કોઈ શ્રમણ બ્રાહ્મણ કે પ૨પંથીને પૂછીશું કે કોણે અહીં સર્વશ્રેષ્ઠ હિતકર ધર્મ તે પણ સારા વિચારથી ભાખ્યો છે.
૩૫૩. તે જ્ઞાત પુત્રના જ્ઞાન, દર્શન અને શીલ કેવી જાતના હતા? હે ભિક્ષુ તે જે પ્રમાણે સાંભળ્યા તેમ જ શાંતિપૂર્વક કહે.
7
૩૫૪. તે આશુપ્રજ્ઞ ઘણા જાણકાર અને કુશળ હતા, તેમનું જ્ઞાન અનંત હતું, તેમ જ દર્શન પણ અનંત હતું. જે તેમની નિશ્રામાં યશસ્વી થયા, તે ધર્મ અને ધૃતિ જાણતાં થયા.
૩૫૫. ઉ૫૨ નીચે અને તિર્યક્ દિશાઓમાંના ત્રસ અને સ્થાવર જીવોને સંયમયુક્ત ધર્મોપદેશ દીવાની માફક સ્પષ્ટ કરતા.
૩૫૬. તે સર્વદર્શી અને જબરા જ્ઞાની હતા. ગંધ માટે ફિકર વિનાના અને ધૃતિયુક્ત હતા. સર્વ જગને શ્રેષ્ઠ રીતે જાણી, ગ્રંથિ વિનાના સઘળાને અભય કરતા.
૩૫૭. તે સર્વજ્ઞ એકલ વિહારી હતા, સંસારના પ્રવાહમાં ધીર, સર્વદર્શી હતા. તેમનું તપ સહુશ્રેષ્ઠ હોઈ તે કઠણ સૂર્યની જેમ તેજસ્વી હતું. તે વૈરોચન ઇંદ્રની જેમ અંધારે પ્રકાશ કરતાં.
૩૫૮. આ જિન ભગવાનનો ધર્મ અનુત્તર છે, તેના નેતા આશુપ્રજ્ઞ કાશ્યપ મુનિ, ઇંદ્રો અને દેવોથી પૂજાયેલા, આ લોકે શ્રેષ્ઠ નેતા હતા.
95
Page #107
--------------------------------------------------------------------------
________________
३५९. से पण्णसा अक्खये सागरे वा, महोदधी वा वि अणंतपारे ।
अणाइले वा अकसायि मुक्के, सक्के व देवाहिपती जुतीमं ॥८॥
३६०. से वीरिएणं पडिपुण्णवीरिए, सुदंसणे वा णगसव्वसेटे।
सुरालए वा वि मुदागरे से, विरायतेऽणेगगुणोववेते ।।९।। ३६१. सयं सहस्साण उ जोयणाणं, तिगंडे से पंडगवेजयंते ।
से जोयणे णवणवते सहस्से, उड्ढुस्सिते हेतु सहस्समेगं ॥१०॥
३६२. पुढे णभे चिट्ठति भूमिए ठिते, जं सूरिया अणुपरियट्टयंति ।
से हेमवण्णे बहुणंदणे य, जंसी रति वेदयंती महिंदा ॥११॥
३६३. से पव्वते सद्दमहप्पगासे, विरायती कंचणमट्ठवण्णे ।
अणुत्तरे गिरिसु य पव्वदुग्गे, गिरीवरे से जलिते व भोमे ॥१२॥
३६४. महीय मज्झम्मि ठिते णगिंदे, पण्णायते सूरिय सुद्धलेस्से ।
एवं सिरीए उ स भूरिवण्णे, मणोरमे जोयति अच्चिमाली ॥१३ ॥
३६५. सुदंसणस्सेस जसो गिरिस्स, पवुच्चती महतो पव्वतस्स ।
एतोवमे समणे नायपुत्ते, जाती-जसो-दंसण-णाणसीले ॥१४॥ ३६६. गिरीवरे वा निसहाऽऽयताणं, रुयगे व सेढे वलयायताणं ।
ततोवमे से जगभूतिपण्णे, मुणीण मज्झे तमुदाहु पण्णे ॥१५॥ ३६७. अणुत्तरं धम्ममुईरइत्ता, अणुत्तरं झाणवरं झियाई ।
सुसुक्कसुक्कं अपगंडसुक्कं, संखेंदु वेगंतवदातसुक्कं ॥१६ ॥
Page #108
--------------------------------------------------------------------------
________________
૩૫૯. તેમનું અખંડ જ્ઞાન સાગર જેવું હતું. મહાસાગરના પાણી કરતાં પણ વધારે હતું. કષાયમુક્ત, તે દેવાધિપતિ શક્ર જેવા તેજસ્વી હતા.
૩૬૦. તે શક્તિથી પરિપૂર્ણ વીર્યવાન હતા, સર્વશ્રેષ્ઠ પર્વતની જેમ દેખાવડા હતા. તે સુરાલયે હોય કે આરાગૃહે હોય, ત્યાં તે અનેક ગુણો વડે શોભતા હતા.
૩૬૧. તે એક લાખ યોજનાવાળો ઊંચો પર્વત ત્રણ ભાગે સોનાની જેમ દીસતો. તેના નવાણું હજાર યોજન જમીન ઉપર અને એક હજાર યોજન ભોંય નીચે છે.
/
૩૬૨. તે જમીન પરથી આકાશને અડતો હોય તેમ લાગતો, સૂરજ તેને પ્રદક્ષિણા કરે છે. તે સુવર્ણ રંગે ઘણો જ સુંદર લાગે છે. તેની ઉપર મહેન્દ્ર રતિ ક્રીડા કરે છે.
૩૬૩. તે પર્વત પર શબ્દો મોટેથી ચોખ્ખા સંભળાય છે, તે આઠ વર્ણના સોનેરી રંગે શોભે છે. આ મોટો પર્વત સર્વ પર્વતોથી શ્રેષ્ઠ છે. ભૂમિ ૫૨ તે જ્વાળાની જેમ ચળકતો દીસે છે.
૩૬૪. પૃથ્વીના મધ્ય ભાગે આ શ્રેષ્ઠ પર્વત સ્થપાયો છે. સૂર્યકિરણોથી તે સરસ દીસે છે. તેના ભૂરા રંગનાં શિખરો, ચળકતી માળાઓની જેમ રમ્ય દેખાય છે.
૩૬૫. તે સર્વ પર્વતોથી મોટો અને ઘણો જ દેખાવડો છે. તે ઉપમાની જેમ શ્રમણ જ્ઞાતપુત્ર જાતિ, યશ, દર્શન, જ્ઞાન અને શીલથી સહુશ્રેષ્ઠ છે.
૩૬૬. નિષધ પર્વત સૌથી વિસ્તારમાં મોટો છે. તે રોચક છે અને તેના વળનો વિસ્તા૨વાળા છે. તેવા જ તે શ્રેષ્ઠ જ્ઞાની, મુનિઓમાં પ્રજ્ઞાથી શ્રેષ્ઠ છે.
૩૬૭. સર્વશ્રેષ્ઠ રીતે ધર્મ કહેતા, સર્વશ્રેષ્ઠ ધ્યાન ધરે છે. તેમનું શુકલ વીર્ય સારું છે, તેમનું યોવન શુકલ છે. તે વીર્યવાન છે, શંખ અને ચંદ્રમાની જેમ વીર્ય શ્વેત વર્ણનું છે અને તેજસ્વી છે.
97
Page #109
--------------------------------------------------------------------------
________________
३६८. अणुत्तरग्गं परमं महेसी, असेसकम्मं स विसोहइता।
सिद्धिं गतिं साइमणंत पते, नाणेण सीलेण य दंसणेणं ॥१७॥
३६९. रुक्खेसु णाते जह सामली वा, जंसी रति वेतयंती सुवण्णा ।
वणेसु या नंदणमाहु सेढे, णाणेण सीलेण य भूतिपन्ने ॥१८॥
३७०. थणियं व सद्दाण अणुत्तरे तु, चंदो व ताराण महाणुभागे।
गंधेसुया चंदणमाहु सेढे, सेटे मुणीणं अपडिण्णमाहु ॥१९॥ ३७१. जहा सयंभू उदहीण सेढे, णागेसु या धरणिंदमाहु सेठे।
खोतोदए वा रसवेजयंते, तवोवहाणे मुणिवेजयंते ॥२०॥ ३७२. हत्थीसु एरावणमाहुणाते, सीहे मियाणं सलिलाण गंगा ।
पक्खीसु या गरुले वेणुदेवे, णिव्वाणवादीणिह णायपुत्ते ॥२१॥
३७३. जोहेसु णाए जह वीससेणे, पुप्फेसु वा जह अरविंदमाहु ।
खत्तीण सेढे जह दंतवक्के, इसीण सेढे तह वद्धमाणे ॥२२॥ ३७४. दाणाण सेढे अभयप्पदाणं, सच्चेसु या अणवज्जं वदंति ।
तवेसु या उत्तमबंभचेरं, लोउत्तमे समणे नायपुत्ते ॥२३॥ ३७५. ठितीण सेट्ठा लवसत्तमा वा, सभा सुधम्मा व सभाण सेट्ठा ।
निव्वाणसेट्ठा जह सव्वधम्मा, णणायपुत्ता परमत्थि णाणी ॥२४॥
३७६. पुढोवमे धुणति विगतगेही, न सन्निहिं कुव्वति आसुपण्णे।
तरितुं समुदं व महाभवोघं, अभयंकरे वीरे अणंतचक्खू ॥२५॥
98
Page #110
--------------------------------------------------------------------------
________________
૩૬૮. તે સર્વશ્રેષ્ઠ કર્મરહિત અને શુદ્ધ છે. આદિ અનંત સિદ્ધિવાળી ગતિ મેળવી
છે, તે જ્ઞાન, શીલ અને દર્શનથી સર્વશ્રેષ્ઠ છે.
૩૬૯. શાલ્મલી સર્વ વૃક્ષોથી શ્રેષ્ઠ છે, તેના પર સુવર્ણ દેવો રતિ કરે છે. વનોમાં
નંદનવન શ્રેષ્ઠ છે. જ્ઞાન, દર્શન અને શીયળમાં ભૂતિપ્રજ્ઞ જ્ઞાતપુત્ર સર્વશ્રેષ્ઠ છે.
૩૭૦. અવાજમાં મેઘગર્જના શ્રેષ્ઠ છે. ચંદ્રમા તારાગણમાં સહુથી મોટો છે, વાસમાં
ચંદન શ્રેષ્ઠ છે, મુનિઓમાં અપ્રતિશ સર્વશ્રેષ્ઠ છે.
૩૭૧. સર્વ સમુદ્રોમાં સ્વયંભૂ શ્રેષ્ઠ છે. નાગોમાં ધરણેન્દ્ર શ્રેષ્ઠ છે. રસોમાં શેરડીનો
રસ શ્રેષ્ઠ છે. તપ કરવામાં કાશ્યપ મુનિ વિજયી છે.
૩૭૨. ઐરાવત હાથીઓમાં પ્રખ્યાત છે, જાનવરોમાં સિંહ અને પાણીમાં ગંગા
જાણીતા છે. ગરૂડોમાં વેણુદેવ પક્ષી અને નિર્વાણવાદીયોમાં જ્ઞાતપુત્ર પ્રખ્યાત
૩૭૩. વિશ્વસેન યોધ્ધાઓમાં જાણીતા છે, અરવિંદ પુષ્પોમાં જાણીતું છે, દંતવક્ર
ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ છે, ઋષિઓમાં વર્ધમાન શ્રેષ્ઠ કહ્યાં છે.
૩૭૪. અભયદાન સર્વદાનોથી શ્રેષ્ઠ છે. સત્યમાં નબોલ (મૌન) શ્રેષ્ઠ છે. તપમાં
બ્રહ્મચર્ય શ્રેષ્ઠ કહ્યું છે. લોકોમાં જ્ઞાતપુત્ર શ્રમણ શ્રેષ્ઠ છે.
૩૭૫. લવસપ્તમા સર્વ સ્થિતિઓમાં શ્રેષ્ઠ કહેવાય છે, સભાઓમાં સુધર્મ સભા
શ્રેષ્ઠ છે. સર્વ ધર્મોમાં નિર્વાણ શ્રેષ્ઠ છે ત્યારે પરમાર્થી જ્ઞાની જ્ઞાતપુત્ર જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ કહ્યાં છે.
૩૭૬. આ અણગાર અલગ રીતે કર્મનાશ કરે છે. તે આશુપ્રજ્ઞની સંજ્ઞા કરતા
નથી. ભવરૂપી મહાન પ્રવાહને અને સંસારસમુદ્રને તરી વીર ભગવાન અનંત ચક્ષુ, સર્વ જીવોને અભય આપે છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
३७७. कोहं च माणं च तहेव मायं, लोभं चउत्थं अज्झत्थदोसा ।
एताणि वंता अरहा महेसी, ण कुव्वति पावं ण कारवेती ॥२६॥
३७८. किरियाकिरियं वेणइयाणुवायं, अण्णाणियाणं पडियच्च ठाणं।
से सव्ववायं इति वेयइत्ता, उवहिते संजम दीहरायं ॥२७॥
३७९. से वारिया इत्थि सराइभत्तं, उवहाणवं दुक्खखयट्टयाए ।
लोगं विदित्ता आरं परं च, सव्वं पभू वारिय सव्ववारं ॥२८॥
३८०. सोच्चा य धम्मं अरहंतभासियं, समाहितं अट्ठपओवसुद्धं । तं सद्दहंता य जणा अणाऊ, इंदा व देवाहिव
आगमिस्संति ॥२९ ॥ त्ति बेमि ।
॥महावीस्थवो सम्मत्तो । षष्ठमध्ययनं समाप्तम् ॥
100
Page #112
--------------------------------------------------------------------------
________________
૩૭૭. અધ્યાત્મના ચારદોષતે ક્રોધ, માન, માયા અને લોભ છે. આ સર્વે કષાયોને
દૂર કરી, તે મહર્ષિ નથી કરતા કે નથી કરાવતા, પાપ.
૩૭૮. ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદીઓનાં સ્થાનો જાણી
લીધાં છે. આ સઘળા વાદોને બરાબર જાણી લઈ દીર્ધ સંયમમાં તે ભગવાન લીન થાય છે.
૩૭૯. તેમને સ્ત્રી અને રાત્રિભોજનનો ત્યાગ કર્યો અને કર્મક્ષય માટે તપશ્ચર્યા
કરી. આ લોકને શરૂઆતથી છેલ્લે સુધી જાણીને પ્રભુએ સર્વ ત્યાગ સર્વ રીતે સદાય માટે કર્યો હતો.
૩૮૦. અષ્ટપદવાળી સમાધિમાં શુદ્ધ આ અરિહંતે ભાષેલો ધર્મ સાંભળી તેમાં
શ્રદ્ધા કરી માણસો અણાયુ થઈ સિદ્ધ થાશે અથવા ઇંદ્ર દેવાધિપતિની જેમ દેવલોક જાશે.
આમ હું કહું છું. છઠું અધ્યયન સમાપ્ત થયું.
101.
Page #113
--------------------------------------------------------------------------
________________
७. सत्तमं अज्झयणं 'कुसीलपरिभासियं'
३८१. पुढवी य आऊ अगणी य वाऊ, तण-रुक्ख-बीया य तसा य पाणा।
जे अंडया जे य जराउ पाणा, संसेयया जे रसयाभिघाणा ॥१॥
३८२. एताइं कायाइं पवेदियाइं, एतेसुजाण पडिलेह सायं ।
एतेहिं कायेहि य आयदंडे, एतेसु या विप्परियासुर्विति ॥२॥
३८३. जातीवहं अणुपरियट्टमाणे, तस-थावरेहिं विणिघायमेति ।
से जाति-जाती बहुकूरकम्मे, जं कुव्वती मिज्जति तेण
बाले ॥३॥
३८४. अस्सिंचलोगे अदुवा परत्था, सतग्गसो वा तह अन्नहा वा ।
संसारमावन परं परं ते, बंधंति वेयंति य दुण्णियाइं ॥४॥
३८५. जे मायरं च पियरं च हेच्चा, समणव्वदे अगणि समारभेज्जा ।
अहाहु से लोगे कुसीलधम्मे, भूताई जे हिंसति आतसाते ॥५॥
३८६. उज्जालओ पाण तिवातएज्जा, निव्वावओ अगणि तिवातइज्जा।
तम्हा उ मेहावि समिक्ख धम्म, ण पंडिते अगणि
समारभेज्जा ॥६॥
३८७. पुढवी वि जीवा आऊ वि जीवा, पाणा य संपातिम संपयंति ।
संसेदया कट्ठसमस्सिता य, एते दहे अगणि समारभंते ॥७॥
102
Page #114
--------------------------------------------------------------------------
________________
૭.
અધ્યયન સાતમું “કુશીલ વિશે’’
૩૮૧. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, ઘાસ, વૃક્ષ-બિયાં અને ત્રસ જીવો, અંડજ, પોતજ જીવો, પરસેવો અને રસોમાં જીવતા જીવો.
૩૮૨. આટલી કાયાઓ કહી છે, આ સર્વે જાણી લેવ. તેમના સુખની ઉપેક્ષા કરી આત્માને જ દંડો છો તેથી, તેઓમાં ઉપરીત રીતે ઊપજશો.
૩૮૩. યથાક્રમે જાતિવધ કરી ત્રસ સ્થાવર જીવો નાશ પામે છે. તે જાતિઓ બહુ જ ક્રૂકર્મી હોય છે. તેમ કરી મંદ નાશ પામે છે.
૩૮૪. આ લોકે કે પરલોકે સેંકડોવા૨ કે અન્યથા, તે સંસારમાં વારંવાર આવે છે. જુદી જુદી રીતે કર્મબંધન કરે છે, વેદે છે બન્ને પણ રીતે.
૩૮૫. જે માતા-પિતાને છોડી શ્રમણ થઈ અગ્નિને સળગાવે છે, તે લોકો કુશીલધર્મી છે. કહ્યું છે કે જે આત્મ શાતા માટે જીવહિંસા કરે છે, તે કુશીલ છે.
૩૮૬. અગ્નિને ઉજાળતો જીવોને મારે છે. બુઝાવે ત્યારે પણ જીવહિંસા કરે છે. તેથી હે ચતુર! ધર્મને દેખ ! પંડિત અગ્નિને સમારંભે નહિ.
૩૮૭. પૃથ્વી અને પાણી જીવ છે. પ્રાણીઓને મારી તે નષ્ટ થાય છે. ૫૨સેવામાં અને કાષ્ટમાંના જીવો અગ્નિ સળગાવે, દાઝી મરે છે.
103
Page #115
--------------------------------------------------------------------------
________________
३८८. हरिताणि भूताणि विलंबगाणि, आहारदेहाइं पुढो सिताई।
जे छिंदती आतसुहं पडुच्चा, पागन्भि पाणे बहुणं तिवाती ॥८॥
३८९. जातिं च वुढेिच विणासयंते, बीयादि अस्संजय आयदंडे ।
अहाहु से लोए अणज्जधम्मे, बीयाति जे हिंसति आयसाते ॥९॥
३९०. गन्भाइ मिज्जति बुया-ऽबुयाणा, णरा परे पंचसिहा कुमारा ।
जुवाणगा मज्झिम थेरगा य, चयंति ते आउखए पलीणा ॥१०॥
३९१. संबुज्झहा जंतवो माणुसत्तं, दटुं भयं बालिसेणं अलंभो ।
एगंतदुक्खे जरिते व लोए, सकम्मुणा विप्परियासुवेति ॥११॥
३९२. इहेगे मूढा पवदंति मोक्खं, आहारसंपज्जणवज्जणेणं ।
एगे य सीतोदगसेवणेणं, हुतेण एगे पवदंति मोक्खं ॥१२॥ ३९३. पाओसिणाणादिसुणत्थि मोक्खो, खारस्स लोणस्स अणासएणं।
ते मज्ज मंसं लसुणं च भोच्चा, अन्नत्थ वासं परिकप्पयंति ॥१३॥
३९४. उदगेण जे सिद्धिमुदाहरंति, सायं च पातं उदगं फुसंता ।
उदगस्स फासेण सिया य सिद्धी, सिज्झिंसु पाणा बहवे
दगंसि ॥१४॥
३९५. मच्छा य कुम्मा य सिरीसिवा य, मग्गू य उट्टा दगरक्खसा य ।
अट्ठाणमेयं कुसला वदंति, उदगेण जे सिद्धिमुदाहरंति ॥१५॥
104
Page #116
--------------------------------------------------------------------------
________________
૩૮૮. હરિત, લટકતી વનસ્પતિ થોડા સમયે જુદી જુદી જાતનાં ખાવાનાં ફળો
આપે છે, જે તેમને આત્મ સુખ માટે જ છેદે છે, તેવા ધૃષ્ટ જીવો ઘણાને હણે છે.
૩૮૯. તે ધૃષ્ટ, ઊગેલા અને વધેલા બિયાંનો અસંયમથી નાશ કરી આત્માને જ
દંડે છે. તે અનાર્ય લોકો છે, એમ કહ્યું છે કે તે આત્મ સુખ અર્થે બિયાંનો બહુ નાશ કરે છે.
૩૯૦. જીવો ગર્ભમાં મરે છે, બોલતાં કે મૂંગાં, માણસો, પાંચ ચોટલી ધારતા
કુમારો, જાવાન, પ્રૌઢ અને વૃદ્ધ, આયુ ખતમ થયે ચાલ્યા જાય છે.
૩૯૧. હે પ્રાણીઓ! માનવતાને જાણી લો. ભય દેખી બાલિશ થાવ નહિ. આ
લોકે ભયંકર દુઃખથી લોકો પીડાય છે. પોતાનાં કર્મો વડેજ જીવો વિપરિત થઈ ઊપજે છે.
૩૯૨. આહાર ન મેળવી, મોક્ષ મળે છે એમ કોઈ મૂઢ કહે છે. કોઈ એક કહે છે
ઠંડા પાણીથી, ત્યારે કોઈ કહે છે કે અગ્નિ વડે મોક્ષ મળે છે.
૩૯૩. સવાર અને સાંજના સ્નાનથી મોક્ષ નથી કે ખાર અથવા મીઠું ન ખાવાથી
પણ મોક્ષ નથી. જે મદિરા, માંસ અને લસણ ખાય છે તે અન્ય જગ્યાએ રહેવાનું કહ્યું છે.
૩૯૪. સાંજે અને સવારે પાણીમાં જઈ પાણીથી જે સિદ્ધિ બતાવે છે, તેમને જો
પાણીના સ્પર્શથી સિદ્ધિ મળે તો સઘળાં જળચરો તેથી સિદ્ધ થશે, જેવા કેઃ
૩૯૫. માછલાં, કાચબા, સર્પો, મગરો, ઊંટ અને દગ રાક્ષસ વગેરે જળચરો
સિદ્ધિ મેળવે. જે પાણીથી સિદ્ધિ મળે એમ કહે છે તે યુક્ત નથી એમ પંડિત કહે છે.
- 105.
Page #117
--------------------------------------------------------------------------
________________
३९६. उदगं जती कम्ममलं हरेज्जा, एवं सुहं इच्छामेत्तता वा ।
अंधव्व णेयारमणुस्सरित्ता, पाणाणि चेवं विणिहंति मंदा ॥१६॥
३९७. पावाई कम्माइं पकुव्वतो हि, सिओदगं तु जइ तं हरेज्जा ।
सिझिंसु एगे दगसत्तघाती, मुसं वयंते जलसिद्धिमाहु ॥१७॥
३९८. हुतेण जे सिद्धिमुदाहरंति, सायं च पातं अगणिं फुसंता ।
एवं सिया सिद्धि हवेज्ज तम्हा, अगणिं फुसंताण कुकम्मिणं
पि ॥१८॥
३९९. अपरिक्ख दिटुंण हु एव सिद्धी, एहिति ते घातमबुज्झमाणा।
भूतेहिं जाण पडिलेह सातं, विज्जं गहाय तस-थावरेहिं ॥१९॥
४००. थणंति लुप्पंति तसंति कम्मी, पुढो जगा परिसंखाय भिक्खू ।
तम्हा विदू विरते आयगुत्ते, दर्बु तसे य पडिसाहरेज्जा ॥२०॥ ४०१. जे धम्मलद्धं वि णिहाय भुंजे, वियडेण साहट्ट य जो सिणाति ।
जो धावति लूसयती व वत्थं, अहाहु से णागणियस्स दूरे ॥२१॥ ४०२. कम्मं परिण्णाय दणंसि धीरे, वियडेण जीवेज्ज य आदिमोक्खं ।
से बीय-कंदाति अभुंजमाणे, विरते सिणाणादिसु
इत्थियासु ॥२२॥ ४०३. जे मातरं च पियरं च हेच्चा, गारं तहा पुत्त पसुंधणं च ।
कुलाइंजे धावति साउगाई, अहाऽऽहु से सामणियस्स दूरे ॥२३॥
106
Page #118
--------------------------------------------------------------------------
________________
૩૯૬. પાણીથી કર્મમળ દૂર થાય અને સુખ મળે તે ઇચ્છા છે. તે આંધળા નેતાની
પાછળ જવા જેવું છે, મૂર્ણ જીવહિંસા જ કરે છે.
૩૯૭. પાપી કૃત્યો કરતો હોય તેનાં કર્મ જો પાણી વડે દૂર થાય તો, જે કોઈ
જળચર જીવોને ખાઈ સિદ્ધિ પામે, તે અસત્ય બોલે છે કે જળ વડે સિદ્ધિ મળે.
૩૯૮. અગ્નિમાં આહુતિ નાખી સિદ્ધિ મળે છે એમ કહે છે, તે સાંજે અને સવારે
અગ્નિને અડે છે. જો આમ સિદ્ધિ મળે તો કુકર્મી પણ અગ્નિ ચેતાવે છે.
૩૯૯. અવિચારી દૃષ્ટિથી સિદ્ધ ન જ મળે. તે ઘાતની અજ્ઞાનથી ઇચ્છા કરે છે.
પ્રાણીઓ શાતાની પરવા નથી કરતા. ત્રસ અને સ્થાવર જીવોથી વિદ્યા ગ્રહણ કરે.
૪૦૦.પાપી થનથને છે, ત્રાસ પામે છે, અને લુપ્ત થાય છે. ભિક્ષુ જગતને પૃથક્
જાણી લે. ત્રસ જીવોને દેખી ભિક્ષુ પોતે આત્મગુપ્તિ સાધી વિરતિ લે.
૪૦૧. જે ધર્મ મેળવી, રાખેલું ખાય, વિકૃતથી દૂર રહી જે સ્નાન કરે. જો તે પલાયન
કરતાં વસ્ત્ર ફાડે, ત્યારે તે નગ્નતાથી દૂર નથી એમ કહ્યું છે.
૪૦૨. ધીર પુરૂષ કર્મોને જાણી તેનું દમન કરે છે. કદરૂપું જીવન, મોક્ષ શીધ્ર મળે
તે માટે જીવે છે. તે કંદમૂળાદિ ન ખાય, જ્ઞાન અને સ્ત્રીઓથી વિરતિ લે
૪૦૩. જે માતપિતા, ઘર, પુત્ર, પશુ અને ધનનો ત્યાગ કરે છે, પણ કુળમાં સ્વાદ
અર્થે જાય છે તે શ્રમણ્યથી દૂર છે એમ કહ્યું છે.
107
Page #119
--------------------------------------------------------------------------
________________
४०४. कुलाई जे धावति सादुगाई, आघाति धम्मं उदराणुगिद्धे । अहाहु से आयरियाण सतंसे, जे लावइज्जा असणस्स हेउं ॥ २४ ॥
४०५. निक्खम्म दीणे परभोयणम्मि, मुहमंगलिओदरियाणुगिद्धे । नीवारगिद्धे व महावराहे, अदूर एवेहति घातमेव ॥ २५॥ ४०६. अन्नस्स पाणस्सिहलोइयस्स, अणुप्पियं भासति सेवमाणे । पासत्थयं चेव कुसीलयं च, निस्सारए होति जहा पुलाए ॥ २६ ॥
४०७. अण्णातपिंडेणऽधियासएज्जा, नो पूयणं तवसा आवहेज्जा । सद्देहिं रूवेहिं असज्जमाणे, सव्वेहिं कामेहिं विणीय हिं ॥ २७ ॥
४०८. सव्वाइं संगाई अइच्च धीरे, सव्वाइं दुक्खाइं तितिक्खमाणे । अखिले अगिद्धे अणि यचारी, अभयंकरे भिक्खू अणाविलप्पा ॥ २८ ॥
४०९. भारस्स जाता मुणि भुंजएज्जा, कंखेज्ज पावस्स विवेग भिक्खू । दुक्खेण पुट्ठे धुयमातिएज्जा, संगामसीसे व परं दमेज्जा ॥२९॥
४१०. अवि हम्ममाणे फलगावतट्ठी, समागमं कंखति अंतगस्स । णिद्धूय कम्मं ण पवंचुवेति, अक्खक्खए वा सगडं ति
बेमि ॥ ३० ॥
।। सप्तममध्ययनं समाप्तं ।।
108
Page #120
--------------------------------------------------------------------------
________________
૪૦૪ જે કુળમાં સ્વાદિષ્ટ અર્થે દોડે છે અને પેટ ભરવા ધર્મ કહે છે, તે જો ખાવા
અર્થે ઉપદેશ કરે છે તો આચાર્યના શતાંશ જેવો છે.
૪૦૫.સદાયે પરભોજન અર્થે દીનતા દાખવે, ખાવાથી પેટ ભરાય તે અર્થે મીઠું
મીઠું બોલે, તે સૂવરની જેમ નિવારથી આકર્ષાઈ ઘાતની ઇચ્છા જ કરે છે.
૪૦૬. આ લોકે જે અન્નપાણી અર્થે તેનું સેવન કરતા, પ્રિયકર બોલે છે તેનું કુશીલ
તો જાવો. તે સડેલાં ધાન્યની જેમ બોલે છે, કે જે સત્ય વિનાનું છે.
૪૦૭.અજ્ઞાન પિંડની આશા કરે, તપથી પૂજન ન કરાવે, શબ્દો અને રૂપથી
બેફિકર રહે, સર્વ ઇચ્છાઓને દૂર કરે તે ધીર છે.
૪૦૮. ધીર સર્વ સંગનો ત્યાગ કરે અને સર્વ દુઃખો સહન કરે. સર્વ રીતે નિર્લોભી
અને એકલવિહારી પવિત્ર અણગાર લોકોને અભય દે છે.
૪૦૯. જ્યારે કર્મ ભારે થાય ત્યારે તેનો નાશ કરે, વિવેકથી ભિક્ષુ શુદ્ધતાનો
વિચાર કરે, જ્યારે દુઃખો અડે ત્યારે તેમને ધોઈને સાફ કરે, જેમ કે સંગ્રામની વખતે શત્રુને શરણે કરે તેમ.
૪૧૦. જ્યારે કોઈ મારે ત્યારે પાટિયાની જેમ ઊભો રહે. જીવનના અંતની ઈચ્છા
કરે. કર્મોને નષ્ટ કરે, ઠગે નહિ, પ્રપંચ ઉપજાવે નહિ. જેમ ગાડાની ધૂરી તૂટે તેમ નિવૃત્ત થાય.
આમ હું કહું છું. અધ્યયન સાતમું સમાપ્ત થયું.
109
Page #121
--------------------------------------------------------------------------
________________
.....८. अट्ठमं अज्झयणं 'वीरियं'
४११. दुहा चेयं सुयक्खायं, वीरियं ति पवुच्चति ।
किं नु वीरस्स वीरतं, केण वीरो त्ति वुच्चति ॥१॥ ४१२. कम्ममेगे पवेदेति, अकम्मं वा वि सुव्वता ।
___ एतेहिं दोहिं ठाणेहिं, जेहिं दिस्संति मच्चिया ॥२॥
४१३. पमायं कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं ।
तब्भावादेसतो वा विं, बालं पंडितमेव वा ॥३॥ ४१४. सत्यमेगे सुसिक्खंति, अतिवायाय पाणिणं ।
एगे मंते अहिज्जंति, पाणभूयविहेडिणो ॥४॥ ४१५. माइणो कट्ट मायाओ, कामभोगे समारभे ।
हंता छेत्ता पकत्तित्ता, आयसायाणुगामिणो ॥५॥ ४१६. मणसा वयसा चेव, कायसा चेव अंतसो ।
आरतो परतो यावि, दहा वि य असंजता ॥६॥ ४१७. वेराइं कुव्वती वेरी, ततो वेरेहिं रज्जती ।
पावोवगा य आरंभा, दुक्खफासा य अंतसो ॥७॥
४१८. संपरागं णियच्छंति, अत्तदुक्कडकारिणो ।
रोग-दोसस्सिया बाला, पावं कुव्वंति ते बहुं ॥८॥ ४१९. एतं सकम्मविरियं, बालाणं तु पवेदितं ।
एत्तो अकम्मविरियं पंडियाणं सुणेह मे ॥९॥
110
Page #122
--------------------------------------------------------------------------
________________
અધ્યયન આઠમું “વીર્ય”
૪૧૧. શ્રુતમાં બે જાતનું વીર્ય કહ્યું છે. વીરનું વીરત્વ તે કેવું હોય અને કોને વીર
કહેવાય?
૪૧૨. કર્મોથી વીર થવાય એમ કોઈ કહે છે, ત્યારે સુવતી અકર્મથી વીર થાય એમ
પણ કહે છે. આ બન્ને સ્થાનો તે મૃત્યુલોકના છે.
૪૧૩. પ્રમાદને કર્મ કહ્યું છે. તેમાં જાગૃતિ પણ સમાય છે. તે ભાવ કહેતો મંદ
હોય કે પંડિત પણ હોય.
૪૧૪. શસ્ત્રવિદ્યા કોઈ શીખે છે, તે જીવહિંસા કરવા અર્થે. ત્યારે કોઈ એક મંત્રો
ભણે છે, જેથી તે જીવહત્યા કરે છે.
૪૧૫. ઠગારો ઠગે છે અને કામભાગો આચરે છે. હણે છે, છેદે છે, કાપે પણ છે,
તે સર્વે પોતાનાં સુખ અર્થે કરે છે.
૪૧૬. તે મન, વચન અને છેવટે કાયાથી રાગ-દ્વેષથી ભરાઈને બન્ને રીતે અસંયમી
વર્તન કરે છે.
૪૧૭. વેરથી વેર કરે છે અને તેથી રંજાય છે. હિંસાથી પાપ ઊપજે છે અંત સુધી,
તે દુખનો પાશ છે.
૪૧૮. જાતે દુષ્કૃત્યો કરતો તે લડાઈઓ ઈચ્છે છે. રાગ-દ્વેષથી ભરેલો મૂઢ ઘણાં
જ પાપો કરે છે.
૪૧૯. આ થયું કર્મોવાળું મૂઢ માણસનું વીર્ય, તે મેં કહ્યું છે. હવે તું સકર્મ વીર્ય જે
પંડિતો કરે છે, તે સાંભળ.
11
Page #123
--------------------------------------------------------------------------
________________
४२०. दविए बंधणुम्मुक्के, सव्वतो छिण्णबंधणे ।
पणोल पावगं कम्मं, सलूकंतति अंतसो ॥१०॥ ४२१. णेयाउयं सुयक्खातं, उवादाय समीहते ।
भुज्जो भुज्जो दुहावासं, असुभत्तं तहा तहा ।।११।। ४२२. ठाणी विविहठाणाणि, चइस्संति न संसओ।
अणीतिते अयं वासे, णायएहि य सुहीहि य ॥१२॥ ४२३. एवमायाय मेहावी, अप्पणो गिद्धिमुद्धरे ।
आरियं उवसंपज्जे सव्वधम्ममकोवियं ॥१३॥ ४२४. सहसम्मुइए णच्चा, धम्मसारं सुणेत्तु वा ।
समुवट्टिते अणगारे, पच्चक्खायपावए ॥१४॥ ४२५. जं किंचुवक्कम जाणे, आउक्खेमस्स अप्पणो ।
तस्सेव अंतरा खिप्पं, सिक्खं सिक्खेज्ज पंडिते ॥१५॥
४२६. जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे ।
एवं पावाई मेधावी, अज्झप्पेण समाहरे ॥१६॥ ४२७. साहरे हत्थ-पादे य, मणं सव्वेंदियाणि य ।
पावगं च परीणामं, भासादोसंच तारिसं ॥१७॥
४२८. अणु माणं च मायं च, तं परिण्णाय पंडिए ।
सातागारवणिहुते, उवसंतेऽणिहे चरे ॥१८॥ ४२९. पाणे य णाइवातेज्जा, अदिण्णं पि य णादिए ।
सादियं ण मुसं बूया, एस धम्मे वुसीमतो ॥१९॥
112
Page #124
--------------------------------------------------------------------------
________________
૪૨૦. તે દ્રવિત થયેલો, બંધનોથી મુક્ત, સર્વ કર્મબંધનોને છેદી પાકેલાં પાપ
કર્મોને શલ્ય માની કાપે છે જીવનના અંત સુધી.
૪૨૧. નેતાએ સૂત્રોમાં કહ્યું છે કે હોમ કરવા બળતણ મેળવવું તે દુઃખમાં રહેવા
જેવું સાચે જ અશુભત્વ છે.
૪૨૨. વિવિધ સ્થાને રહેતા, આ લોકથી ચાલ્યા જાય છે તેમાં શંકા નથી. આ
સંસારવાસ અનિત્ય છે, આમ બુદ્ધિમાન જ્ઞાતપુત્રે કહ્યું છે.
૪૨૩. હે બુદ્ધિમાન! હવે તું માયાથી આસક્તિ છોડ, આર્ય ધર્મને પ્રાપ્ત કર, સર્વ
ધર્મો પર ક્રોધ ન કરે.
૪૨૪. સર્વ સંમતિથી ધર્મનો સાર સાંભળે. ધર્મસ્થિત અણગારે પાપોનું પચ્ચખાણ
કરવું જોઈએ.
૪૨૫. જ્યારે જરાપણ જીવનનો અંત આવતો જાણે ત્યારે વચલા સમયમાં ભિક્ષ,
પંડિત પાસે, યોગ્ય શિક્ષણ, તે અર્થે શીખે.
૪૨૬. જેમ કાચબો પોતાનાં અંગોને શરીરમાં ખેંચી લે છે, તે પ્રમાણે પંડિત
પાપોને અધ્યાત્મ વડે દૂર કરે.
૪૨૭. હાથ-પગ, મન અને સર્વ ઇન્દ્રિયો પર કાબુ મેળવી પવિત્રતામાં પરિણમે.
ભાષાના દોષ પણ તે જ પ્રકારે કાબુમાં રાખે.
૪૨૮. જ્યારે પંડિત માન કે માયા જરાપણ ઊપજેલી જાણે અને શાતા ગૌરવ
નાશ થાય તેમ જાણી, બેફિકર શાંતિથી વિચરે.
૪૨૯. જીવહિંસા કરે નહિ કે ન આપેલું લે નહિ, માયા કરે નહિ અને પોતે જૂઠું
બોલે નહિ. આ ધર્મનો શ્રેષ્ઠ મત છે.
113
Page #125
--------------------------------------------------------------------------
________________
४३०. अतिक्कमं ति वायाएं, मणसा वि ण पत्थए । सव्वतो संवुडे दंते, आयाणं सुसमाहरे ॥२०॥ ४३१. कडं च कज्जमाणं च, आगमेस्सं च पावगं । सव्वं तं णाणुजाणंति, आतगुत्ता जिइंदिया ॥ २१ ॥ ४३२. जे याऽबुद्धा महानागा, वीरा असम्मत्तदंसिणो । असुद्धं तेसि परक्कंतं, सफलं होइ सव्वसो ॥२२॥
४३३. जे य बुद्धा महानागा, वीरा सम्मत्तदंसिणो ।
सुद्धं तेसिं परक्कंतं, अफलं होति सव्वसो ॥२३॥
४३४. तेसिं पि तवोऽसुद्धो, निक्खंता जे महाकुला । जं नेवऽन्ने वियाणंति, न सिलोगं पवेदए ॥ २४ ॥
४३५. अप्पपिंडासि पाणासि, अप्पं भासेज्ज सुव्वते । खंतेऽभिनिव्वडे दंते, वीतगेही सदा जते ॥ २५ ॥
४३६. झाणजोगं समाहट्टु, कायं विउसेज्ज सव्वसो । तितिक्खं परमं णच्चा, आमोक्खाए परिव्वज्जासि ॥ २६ ॥ त्ति बेमि ।
॥ वीरियं सम्मत्तं । अष्टममध्ययनं समाप्तम् ॥
114
Page #126
--------------------------------------------------------------------------
________________
૪૩૦.વાચાથી અયોગ્ય અને દોષવાળું બોલવું તે મનથી પણ ન ઇચ્છે. સર્વ રીતે
સુવ્રતો પાળી દાંત થાય, પોતાના આત્માને સમ્યકત્વથી ધારે.
૪૩૧. કોઈ જાતના પાપી કૃત્યો કરવાં કે કરાવવાં અને ભવિષ્યના પાપી કર્મોને
સંમતિ ન આપે. તે જિતેન્દ્રિય જાતે ગુપ્તિઓને ધારે.
૪૩૨. જે બોધ વિનાના મોટા નાગો (પુરૂષો) છે તે વીર, સમ્યક દર્શનવિનાના
છે. તેમનાં કૃત્યો અશુદ્ધ છે પણ તે સફળ થાય છે, સર્વ રીતે.
૪૩૩. જે નાગો સમ્યક જ્ઞાની છે તે વીર, સમ્યક દર્શનયુક્ત છે. તેમનાં કૃત્યો શુદ્ધ
છે, પણ તે કોઈ પણ વખતે સર્વ રીતે ફળ મેળવતાં નથી.
૪૩૪. જે મહાકુળોમાં જન્મેલા છે તેમના તપો પણ અશુદ્ધ થાય છે. જેને અન્ય
કોઈ નથી જાણતા કે તેમની સ્તુતિ નથી કરતા.
૪૩૫. તે થોડુંક જ ખાય અને પીવે છે. તે સુવતી અલ્પ બોલે છે. તે શાંત અને દાંત
હોઈ નિવૃત્તિ લે છે. તે ઘર વગરના સદાયે વિચરે છે.
૪૩૬. ધ્યાનયોગને આચરતા, કાયાનો ઉત્સર્ગ કરે છે. સર્વ રીતે અને સદા માટે
સહનતાને શ્રેષ્ઠ માની મોક્ષમાર્ગે ચાલી જાય છે.
આમ હું કહું છું. અધ્યયન આઠમું સમાપ્ત થયું.
-115
Page #127
--------------------------------------------------------------------------
________________
नवमं अज्झयणं 'धम्मे'
४३७. कतरे धम्मे अक्खाते माहणेण मतीमता ।
अंजु धम्मं अहातच्चं जिणाणं तं सुणेह मे ॥१॥ ४३८. माहणा खत्तिया वेस्सा, चंडाला अदु बोक्कसा ।
एसिया वेसिया सुद्दा, जे य आरंभणिस्सिता ॥२॥ ४३९. परिग्गहे निविट्ठाणं, वेरं तेसिं पवड्डई ।
आरंभसंभिया कामा, न ते दुक्खविमोयगा ॥३॥
४४०. आघातकिच्चमाधातुं नायओ विसएसिणो।
अन्ने हरंति तं वित्तं, कम्मी कम्मेहिं कच्चति ॥४॥
४४१. माता पिता ण्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा ।
णालं ते तव ताणाए, लुप्पंतस्स सकम्मुणा ॥५॥
४४२. एयमटुं सपेहाए, परमट्ठाणुगामियं ।
निम्ममो निरहंकारो, चरे भिक्खू जिणाहितं ॥६॥
४४३. चेच्चा वित्तं च पुत्ते य, णायओ य परिग्गहं ।
चेच्चाण अंतगं सोयं निरवेक्खो परिव्वए ॥७॥ ४४४. पुढवीऽऽऊ अगणि वाऊ तण रुक्ख सबीयगा।
अंडया पोय-जराऊ-रस-संसेय-उब्भिया ॥८॥ ४४५. एतेहिं छहि काएहि, तं विज्जं परिजाणिया।
मणसा कायवक्केणं, णारंभी ण परिग्गही ॥९॥
116
Page #128
--------------------------------------------------------------------------
________________
અધ્યયન નવમું “ધર્મ”
૪૩૭. બુદ્ધિમાન બ્રાહ્મણે કયો ધર્મ ભાખ્યો છે? તે જિનનો સુંદર ધર્મ જેમ છે તેમ
હું કહીશ તે તું સાંભળ.
૪૩૮. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, ચંડાળો અને કસાઈઓ, એશિતા વેશ્યાઓ,
શુદ્રો કે જે હિંસા કરે છે.
૪૩૯. જે પરિગ્રહ કરે છે તેનું વેર વધે છે. હિંસાથી ઊપજતી ઇચ્છાથી દુઃખોમાંથી
મુક્ત ન થવાય.
૪૪૦.ખાટિકનું કામ હાથ ધરે તે વિષની ઈચ્છા કરે છે તે જાણ. અન્ય તેનું ધન
હરી જાય છે, પણ કર્મી કર્મનાં કૃત્યો કરે જાય છે.
૪૪૧. માતા-પિતા, વહુ કે ભાઈ, ભાર્યા કે પુત્ર અથવા ઓરસ આ સર્વે રક્ષણ
કરવા પૂરતા નથી. સ્વકર્મે દરેક નાશ પામે છે.
૪૪૨. પરમાર્થી જીવ આ અર્થ જાણી લે અને વિચાર કરે. ભિક્ષુ જિનાજ્ઞાથી કહ્યા
મુજબ માયા અને મમતા વિના કે અહંકાર વિના વિચરે.
૪૪૩. ધન-દોલત પુત્રો, અને જ્ઞાતિઓને ત્યાગી પરિગ્રહ પણ ત્યાગે. જીવના
અંત વિષેનો શોક ત્યાગે અને નિરપેક્ષ વિચરે.
૪૪૪ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, ઘાસ અને બી સાથે વૃક્ષ પણ. અંડજ, પોતજ,
જરાય, રસ અને પરસેવામાં થતાં જીવો.
૪૪૫. આ છ કાયા વિષેની વિદ્યાને જાણ. આ છે કાયાઓ જ વિદ્યમાન છે તે
જાણ. તેનો મન, વચન અને કાયાથી હિંસા કે પરિગ્રહ ન કરે.
117
Page #129
--------------------------------------------------------------------------
________________
४४६. मुसावायं बहिद्धं च, उग्गहं च अजाइयं ।
सत्थादाणाइं लोगंसि, तं विज्जं परिजाणिया ॥१०॥
४४७ पलिउंचणं च भयणं च, थंडिलुस्सयणाणि य । धूणाऽऽदाणाइं लोगंसि, तं विज्जं परिजाणिया ॥ ११ ॥
४४८. धोयणं रयणं चेव, वत्थीकम्म विरेयणं ।
वमणंजण पलिमंथं, तं विज्जं परिजाणिया ॥ १२ ॥
४४९. गंध मल्ल सिणाणं च, दंतपक्खालणं तहा ।
परिग्गहित्थि कम्मं च तं विज्जं परिजाणिया ॥ १३ ॥ ४५०. उद्देसियं कीतगडं, पामिच्चं चेव आहडं ।
पूर्ति अणेसणिज्जं च तं विज्जं परिजाणिया ॥१४॥
४५१. आसूणिमक्खिरागं च, गिद्धुवघायकम्मगं ।
उच्छोलणं च कक्कं च, तं विज्जं परिजाणिया ॥ १५ ॥
४५२. संपसारी कयकिरिओ, पसिणायतणाणि य । सागारियपिंडं च तं विज्जं परिजाणिया ॥ १६ ॥ ४५३. अट्ठापदं ण सिक्खेज्जा, वेधादीयं च णो वदे । हत्थकम्पं विवादं च तं विज्जं परिजाणिया ॥ १७ ॥
४५४. पाणहाओ य छत्तं च, णालियं वालवीयणं । परकिरियं अन्नमन्नं च, तं विज्जं परिजाणिया ॥ १८ ॥
४५५. उच्चारं पासवणं, हरितेसु ण करे मुणी । वियडेण वा वि साहट्टु, णायमेज्ज कयाइ वि ॥१९॥
118
Page #130
--------------------------------------------------------------------------
________________
૪૪૬. મૃષાવાદ, અબ્રહ્મચર્ય (મથુન), ન આપેલી વસ્તુઓ ઉપાડવી તે ન કરે.
આ લોકે શસ્ત્ર ધારવાં, તે પણ અયોગ્ય અને ત્યાજ્ય છે આ બરાબર જાણી લે.
૪૪૭.વસ્તુઓ ઊંચકી લેવી, ભય પમાડવો, સ્પંડિલનો નાશ કરવો, લોકોમાં
ધૂણ લેવી આ સર્વે વર્ક્સ કહ્યું તે જાણ.
૪૪૮. ધોવાનું, રંગવાનું, અને ઝાડા કરાવવા, ઊલટી કરાવવી, જુલાબ દેવો,
લોકો સમક્ષ વાંતિનું મંથન કરવું આ સર્વે વર્જ્ય કહ્યું છે તે જાણી લે.
૪૪૯ સુગંધી દ્રવ્યો, માળાઓ, સ્નાન, દાતણ કરવું, પરિગ્રહ અને મૈથુન આવાં
કર્મો વર્યુ છે તે જાણી લે.
૪૫૦. ઉદ્દેશિત ભોજન, તૈયાર કરી રાખેલું ભોજન, મેળવેલું કે બજારથી કે બહારથી
લાવેલું ખાવાનું, ભોજન પૂરતું થાય તે માટેની પૂર્તિ કરવી આ સર્વેની ઇચ્છા ન કરવી. આ વર્ય કહ્યું છે તે બરાબર જાણી લે.
૪૫૧. આંખનું અંજન કરવું, ગીધનો વધ કરવા જેવું કામ, કલ્ફને છોલવાનું કામ,
આ સઘળાં વર્ર કહ્યાં છે તે જાણી લે.
૪૫ર. સંસારી કામ કરવાં, પ્રાઝિક થઈ જવાબ દેવા, ગૃહસ્થના ઘરે ખાવું, આ
સર્વે વર્ય છે તે જાણી લે.
૪૫૩. જાગાર રમવા ન શીખે, કોઈનું ભવિષ્ય ભાખે નહિ, હસ્ત કર્મો અને વિવાદ
કરવા, તે સર્વે વર્યુ છે તે જાણી લે.
૪૫૪. પગરખાં, છત્રી, વીણા અને પંખો પણ ન લે, પરક્રિયાઓ એકબીજાની
કરવી તે પણ વર્યુ છે તે જાણ.
૪૫૫. મુનિ હરિયાળીમાં પેશાબ કે માત્રુ? ન કરે એટલે ઝાડે ન જાય. વિકૃતથી દૂર થાય, તે ઠંડા પાણીને ચૂમે પણ નહિ.
119
Page #131
--------------------------------------------------------------------------
________________
४५६. परमत्ते अन्नपाणं च, ण भुंजेज्ज कयाइ वि ।
परवत्थमचेलो वि, तं विज्जं परिजाणिया ॥२१॥
४५७. आसंदी पलियंके य, णिसिज्जं च गिहतरे ।
संपुच्छणं च, सरणं च तं विज्जं परिजाणिया ॥२१॥
४५८. जसं कित्तिं सिलोगं च, जा य वंदणपूयणा ।
सव्वलोयंसि जे कामा, तं विज्जं परिजाणिया ॥२२॥
४५९. जेणेहं णिव्वहे भिक्खू, अन्न-पाणं तहाविहं ।
अणुप्पदाणमन्नेसि, तं विज्जं परिजाणिया ॥२३॥ ४६०. एवं उदाहु निग्गंथे, महावीरे महामुणी ।
अणंतणाणदंसी से, धम्मं देसितवं सुतं ॥२४॥ ४६१. भासमाणो न भासेज्जा, णेय वंफेज्ज मम्मयं ।
मातिट्ठाणं विवज्जेज्जा, अणुविति वियागरे ॥२५॥ ४६२. तत्थिमा ततिया भासा, जं वदित्ताऽणुतप्पती ।
जं छन्नं तं न वत्तव्वं, एसा आणा नियंठिया ॥२६॥ ४६३. होलावायं सहीवायं, गोतावायं च नो वदे।
तुमं तुमं ति अमणुण्णं, सव्वसो तं ण वत्तए ॥२७॥ ४६४. अकुसीले सया भिक्खू, णो य संसग्गिय भए ।
सुहरूवा तत्थुवस्सग्गा पडिबुज्झेज्ज ते विदू ॥२८॥ ४६५. णण्णस्थ अंतराएणं, परगेहे ण णिसीयए ।
गामकुमारियं किडं, नातिवेलं हसे मुणी ॥२९॥
120
Page #132
--------------------------------------------------------------------------
________________
૪પ૬. બીજાનાં પાત્રોમાં અન્નપાણી ખાય નહિ, પરવસ્ત્ર નગ્ન હોય છતાં ધારે
નહિ. આ સઘળું વર્ય કહ્યું છે તે જાણ.
૪૫૭.પરઘરે, ઘરની અંદર, પલંગ કે ખુરસી પર બેસે નહિ. વળી પૂછપરછ કે
સ્મરણ ન કરે કે કરાવે, આ સર્વે વર્યુ છે તે જાણ.
૪૫૮, યશ, કીર્તિ અને સ્તુતિ, વળી પૂજન સત્કારની ઇચ્છા થવી, અને આ લોકમાંની
સુખેચ્છાઓ વર્જ્ય છે, તે જાણી લે.
૪૫૯. જે ખાવા-પીવાની ચીજો ભિલું પોતાના માટે વાપરે છે તે જાતનું ખાવા.
પીવાનું બીજાને આપે નહિ. તે વર્યુ છે તે જાણી લે.
૪૬૦. મહામુનિ મહાવીર ભગવંતે આમ નિગ્રંથોને કહ્યું છે. તે અનંત જ્ઞાન અને
દર્શન યુક્ત હોઈ તેમણે આ ધર્મદેશના કહી છે શ્રુતના રૂપે તે જાણ.
૪૬૧. બોલવા ખાતર ન બોલ.વળી મમતા કે માયાવાળું બકે નહિ કે ડંફાશ મારે
નહિ. ઘણી જગ્યાને છોડે નહિ પણ યથાક્રમે ધર્મ જાગૃતિ કરે.
૪૬૨. જેમ જરૂર પડે તેવી ભાષા વાપરે, જે બોલવાથી ક્રોધ ઊપજે તેવી ભાષા ન
બોલે. જે ગુપ્ત વાત છે તે પ્રસિદ્ધ ન કરે. આ છે નિગ્રંથની આજ્ઞા.
૪૬૩. હોળીનો વાદ, મિત્રનો વાદ, ગોત્રનો વાદ વદે નહિ. તું તું કહેવું સારું
નથી, તેથી તે પ્રમાણે ન બોલે. તે પ્રવર્તે નહિ તેમ જાણ.
૪૬૪. ભિક્ષુ સદા સારા શીલવાળો રહે. ભયના સંસર્ગે ડરે નહિ. ત્યાં જે કાંઈ
સારા કે નરસા ઉપસર્ગો હોય તે સર્વે જાણી લે.
૪૬૫. અંતરાય વિના કોઈ પણ કારણે પરધરે ભિક્ષુ ન બેસે. ગામના કુમારો
ક્રિીડા કરે ત્યાં મુનિ બહુવાર હસે નહિ.
121
Page #133
--------------------------------------------------------------------------
________________
४६६. अणुस्सुओ उरालेसु, जयमाणो परिव्वए ।
चरियाए अप्पमत्तो, पुट्ठो तत्थऽहियासते ॥३०॥ ४६७. हम्ममाणो न कुप्पेज्जा, वुच्चमाणो न संजले ।
सुमणो अहियासेज्जा, ण य कोलाहलं करे ॥३१॥ ४६८. लद्धे कामे ण पत्थेज्जा, विवेगे एसमाहिए।
आरियाई सिक्खेज्जा, बुद्धाणं अंतिए सया ॥३२॥ ४६९. सुस्सूसमाणो उवासेज्जा, सुप्पण्णं सुतवस्सियं ।
वीराजे अत्तपण्णेसी, धितिमंता जितिंदिया ॥३३॥
४७०. गिहे दीवमपस्संता, पुरिसादाणिया नरा ।
ते वीरा बंधणुम्मुक्का, नावकंखंति जीवितं ॥३४॥ ४७१. अगिद्धे सद्द-फासेसु, आरंभेसु अणिस्सिते ।
सव्वेतं समयातीतं, जमेतं लवितं बहुं ॥३५॥ ४७२. अतिमाणं च मायं च, तं परिण्णाय पंडिते ।
गारवाणि य सव्वाणि, निव्वाणं संघए मुणि ॥३६॥त्ति बेमि ॥
॥धम्मो सम्पत्तो । नवममध्ययनं समाप्तम् ॥
122
Page #134
--------------------------------------------------------------------------
________________
૪૬૬. જ્યારે જાનવરો દેખે ત્યારે તેમની પાછળ યતનાપૂર્વક જાય. વર્તનમાં પ્રમાદ કરે નહિ, ઉપસર્ગો અડે તો તે સહન કરે.
૪૬૭. હણાય તો કોપાયમાન ન થાય, બોલતા ક્રોધ કરે નહિ, સારા મનથી દુ:ખો સહે, પણ કોલાહલ ન જ કરે.
૪૬૮. કામેચ્છા થાય, તે રસ્તે ન જા, વિવેકથી તે શાંત કરે, આર્યોથી શીખે, હમેશાં જ્ઞાનીઓના સમીપે રહે.
૪૬૯. સારા જ્ઞાની અને શ્રુતવત્સલ વિદ્વાનની સુશ્રુષા કરે તે વીરો આત્મ પ્રજ્ઞાવાન્, ધૃતિમાન્ અને જિતેન્દ્રિય હોય છે.
૪૭૦.તેમનાં ઘેરે દીપક ન હોય છતાં એ તે પુરુષોના આકર્ષક છે. તે વીર બંધનોથી મુક્ત છે, તેમને જીવવાની આશા નથી હોતી.
૪૭૧. તે શબ્દોનાં પાશમાં પડતા નથી અને આરંભ સમારંભથી દૂર છે. આ સઘળું સિધ્ધાંતમાં કહેલું છે કે જે મેં અહીં ઘણું કહ્યું છે.
૪૭૨. પંડિત જ્યારે જાણે કે બહુ જ માન અને માયા થાય છે ત્યારે આ સઘળાને ત્યાગે અને મુનિ નિર્વાણ સાંધે.
આમ હું કહું છું. અધ્યયન નવમું સમાપ્ત થયું.
123
Page #135
--------------------------------------------------------------------------
________________
१०. दसमं अज्झयणं 'समाही'
४७३. आघं मइमं अणुवीति धम्मं, अंजू समाहिं तमिणं सुणेह । अपडिण्णे भिक्खु तु समाहिपत्ते, अणियाणभूतेसु परिव्वज्जः ॥ १ ॥
४७४. उड्ढढं अहे य तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा । हत्थेहि पाएहि य संजमेत्ता, अदिण्णमन्नेसु य नो गहेज्जा ॥ २ ॥
४७५. सुअक्खातधम्मे वितिगिच्छतिण्णे, लाढे चरे आयतुले पयासु । आयं न कुज्जा इह जीवियट्ठी, चयं न कुज्जा सुतवस्सि भिक्खू ॥३॥
४७६. सव्विंदियऽभिनिव्वुडे पयासु, चरे मुणी सव्वतो विष्पमुक्के । पासाहि पाणे य पुढो वि सत्ते, दुक्खेण अट्टे परिपच्चमाणे ॥४॥ ४७७. एतेसु बाले य पकुव्वमाणे, आवट्टती कम्मसु पावसु ।
अतिवाततो कीरति पावकम्मं, निउंजमाणे उ करेति कम्मं ॥५॥ ४७८. आदीणभोई वि करेति पावं, मंता तु एगंतसमाहिमाहु ।
बुद्धे समाहीय रते विवेगे, पाणातिपाता विरते ठितप्पा ॥ ६ ॥
४७९. सव्वं जगं तू समयाणुपेही, पियमप्पियं कस्सइ नो करेज्जा । उट्ठाय दीणे तु पुणो विसणे, संपूयणं चेव सिलोयकामी ॥७॥
४८० आहाकडं चेव निकाममीणे, निकामसारी य विसण्णमेसी । इत्थीसु सत्ते य पुढो य बाले, परिग्गहं चेव पकुव्वमाणे ॥८ ॥
124
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૦.
અધ્યયન દસમું “સમાધિ” (ધર્મચિંતન)
૪૭૩. હું અહીયા પહેલાથી સંસ્થાપિત અને સારો ધર્મ કહું છું. બહુ સારી સમાધિ
વિશે તું અહીં સાંભળ. અપ્રતિજ્ઞ ભિક્ષુ જ્યારે સમાધિ પ્રાપ્ત થાય છે ત્યારે નિયાણા છોડી વિચરે છે.
૪૭૪.ઉપર, નીચે અને તિર્ય દિશાઓમાં જે ત્રસ' અને સ્થાવર જીવો છે, હાથ
અને પગ વડે સંયમથી તેમના તરફ વર્તે. બીજાએ ન આપેલા જીવોનું ગ્રહણ કરે નહિ.
૪૭૫. શ્રુતમાં કહેલા ધર્મમાં શંકાપાર થઈ, આનંદથી બીજાઓને પોતાની જેમ
માની વિચરે, જીવવા અર્થે આવક કરે નહિ, કે વેચે પણ નહિ. આમ શ્રુતવત્સલ ભિક્ષુ વર્તે.
૪૭૬. સર્વ ઇન્દ્રિયોને નિવૃત્ત કરી, જગમાં મુનિ સર્વ રીતે મુક્ત થઈ વર્તે. ભલે
પ્રાણીયો પૃથક્ પૃથક્ હોય તે સર્વે મરતાં દુઃખ આવે, ત્યારે રુદન કરે છે.
૪૭૭.અહીં મૂઢ માણસો રોષ ભરેલા થાય ત્યારે, પાપનાં કૃત્યો કરતાં જાય છે.
ઘાત કરી પાપકર્મ કરે છે. હિંસા કરવાની યોજનાથી પણ પાપો કરે છે.
૪૭૮. દોષયુક્ત ભોજન કરતો પણ પાપ કરે છે, તેથી તે બહુ જ સમાધાન માને
છે. જ્ઞાની સમાધિથી વિવેકપૂર્વક રમણ કરે છે. તે સ્થિતાત્મા જીવહિંસાથી વિરતિ લે છે.
૪૭૯. સર્વ જગને તું સમતાથી જો. પ્રિય કે અપ્રિય કશાને પણ ન કહે. ગરીબોનું
ઉત્થાન કરવા તું નારાજ થાય છે, પૂજન અને સત્કારની ઉચ્છા કરે છે.
૪૮૦. આધાકૃત ખાવાનું ઘણું જ ઇચ્છે છે. જ્યારે સમાધાન દૂર થાય ત્યારે દુઃખી
થાય છે. પૃથક્ પૃથક્ સ્ત્રીયોમાં આસક્તિ પામે છે. વળી તે પરિગ્રહ પણ કરતો રહે છે.
"
-
.
. --125
SS
Page #137
--------------------------------------------------------------------------
________________
४८१. वेराणुगिद्धे णिचयं करेति, इतो चुते से दुहमट्ठदुग्गं । तम्हा तु मेधावि समिक्ख धम्मं, चरे मुणी सव्वतो विमुक्के ॥ ९ ॥
४८२. आयं न कुज्जा इह जीवितट्ठी, असज्जमाणो य परिव्वज्जा । णिसम्मभासी य विणीय गिद्धि, हिंसण्णितं वा ण कहं करेज्जा ॥ १० ॥
४८३. आहाकडं वाण णिकामएज्जा, णिकामयंते या संथवेज्जा । धुणे उरालं अणुवेहमाणे, चेच्चाण सोयं अणपेक्खमाणे ॥११॥
४८४. एगत्तमेव अभिपत्थएज्जा, एवं पमोक्खी ण मुसं ति पास । एसप्पमोक्खो अमुसे वरे वी अकोहणे सच्चरते तवस्सी ॥ १२ ॥
४८५. इत्थीसु या आरत मेहुणा उ, परिग्गहं चेव अकुव्वमाणे । उच्चावएसु विसएसु ताई, णिस्संसयं भिक्खू समाहिपत्ते ॥ १३ ॥
४८६. अरतिं रतिं च अभिभूय भिक्खु, तणाइफासं तह सीतफासं । उन्हं च दंसं च हियासएज्जा, सुब्भिं च दुब्भिं च तितिक्खएज्जा ॥ १४ ॥
४८७. गुत्तो वईए य समाहिपत्ते, लेसं समाहट्टु परिव्वज्जा । गिहं न छाए ण वि छावएज्जा, संमिस्सभावं पजहे पयासु ॥ १५ ॥
४८८. जे केइ लोगंसि उ अकिरियाया, अण्णेण पुट्ठा धुतमादिसंति । आरंभसत्ता गढिता य लोए, धम्मं न याणंति विमोक्खहेउं ॥ १६ ॥
126
Page #138
--------------------------------------------------------------------------
________________
૪૮૧. વેરથી ભરાઈ તે પરિગ્રહ કરે છે. પછી અહીંથી મરણ પામ્યા પછી બહુ કપરી જગ્યાએ (નરકે) જાય છે. તેથી હે બુદ્ધિમાન! ધર્મનો વિચા૨ ક૨ અને સર્વદા મુક્ત થઈ મુનિ વિચરતો રહે.
૪૮૨. જીવવા અર્થે આવક ન કરે, તે માટે તૈયા૨ થયા વિના ફરતો રહે. સમતાયુક્ત બોલે, લોભનો નાશ કરે અને જેથી હિંસા થાય તેવી વાર્તા ન કથે.
૪૮૩. આધાકૃત ખાવાપીવાનું ઇચ્છે નહિ. ઇચ્છા થાય તો પણ તે રાખે નહિ. છેદાયેલું જાનવર હલે છે. તે પ્રમાણે જેનો ધનદોલતનો પ્રવાહ અપેક્ષા વિના નાશ પામે તે પણ દુ:ખથી હલે છે.
૪૮૪. તું એકત્વની પ્રાર્થના કરે, તેથી મોક્ષ મળે તે જાઠું નથી તે સમજ. અહીં મોક્ષ સાચો હોઈ, તપસ્વી ક્રોધ કે કષાયોમાં પડે નહિ અને સત્યમાં લીન થાય.
૪૮૫. સ્ત્રી સાથે મૈથુન ત્યાગે, પરિગ્રહ ન કરે, ઊંચાનીચા વિષયોનો રક્ષક અને તારક હોય, તે ભિક્ષુને નિશ્ચયથી, શંકા વિના સમાધિ પ્રાપ્ત થાય છે.
૪૮૬. રાગનો પ્રેમ ન કરી, તે શક્તિશાળી ભિક્ષુ ઘાસની અણીયો ભોંકે, જબરી ઠંડી કે ગરમી, મચ્છરોના દંશ, વિગેરે ઉપસર્ગો સહન કરે. સુવાસ અને દુર્ગંધને પણ સહે.
૪૮૭. ત્રણ ગુપ્તિઓ ધારતો સમાધિ પ્રાપ્ત કરે છે, ખરાબ લેશ્યાઓને ત્યાગી વિચરતો રહે. ઘર છાદે નહિ કે છદાવે પણ નહિ. પણ પ્રજા સાથે સંમિશ્ર ભાવે વર્તે.
૪૮૮. આ લોકે જે અક્રિયાવાદી છે, જ્યારે બીજા પંથના પૂછે ત્યારે તે વૈરાગ્યની વાત કરે છે. હિંસાથી આસક્ત, આ લોકે ઘણાય છે. તે મુક્તિ અર્થે ધર્મને
નથી જાણતા.
127
Page #139
--------------------------------------------------------------------------
________________
४८९. पुढो य छंदा इह माणवा उ, किरियाकिरीणं च पुढो य वायं । जायस्स बालस्स पकुव्व देहं पवडती वेरमसंजतस्स ॥ १७ ॥
,
४९०. आउक्खयं चेव अबुज्झमाणे, ममाति से साहसकारि मंदे । अहो य रातो परितप्पमाणे, अट्टे सुमूढे अजरामर व्व ॥ १८ ॥
४९१. जहाहि वित्तं पसवो य सव्वे, जे बांधवा जे य पिता य मित्ता । लालप्पती सो वि य एड़ मोहं, अन्ने जणा तं सि हरंति वित्तं ॥ १९ ॥ ४९२. सीहं जहा खुद्दमिगा चरंता, दूरे चरंती परिसंकमाणा ।
एवं तु मेधावि समिक्ख धम्मं, दूरेण पावं परिवज्जएज्जा ॥ २० ॥
४९३. संबुज्झमाणे तु णरे मतीमं, पावातो अप्पाण निवट्टएज्जा । हिंसप्पसूताइं दुहाई मंता, वेराणुबंधीणि महत्भयाणि ॥ २१ ॥ ४९४. मुसं न बूया मुणि अत्तगामी, णिव्वाणमेयं कसिणं समाहिं । सयं न कुज्जा न वि कारवेज्जा, करेंतमन्नं पि य नाणुजाणे ॥ २२ ॥
४९५. सुद्धे सिया जाए न दूसएज्जा, अमुच्छिते ण य अज्झोववण्णे । घितिमं विमुक्के ण य पूयणट्ठी, न सिलोयकामी य परिव्वज्जा ॥ २३ ॥
४९६. निक्खम्म गेहाउ निरावकखी, कायं विओसज्ज नियाणछिण्णे । नो जीवितं नो मरणाभिकंखी, चरेज्ज भिक्खू वलया विमुक् ॥ २४ ॥ बेमि ।
॥ समाही सम्मत्ता । दशममध्ययनं समाप्तम् ॥
128
Page #140
--------------------------------------------------------------------------
________________
૪૮૯. જુદા જાદા મતવાળા માણસો હોય છે. ક્રિયા અને અક્રિયાનો પૃથકુવાદ
હોય છે. જાણે કે નવા જન્મેલા બાળકનો દેહ કાપ્યો છે, તેની માફક તે અસંયમી માણસોનું વેર વધારે છે.
૪૯૦. હિંસાખોર જીવો સાહસો કરે છે. તે અજ્ઞાને, આયુષ્યનો ક્ષય નથી જાણતા.
તે એકબીજાની મમતા કરે છે. દિનરાત તે સંતાપ કરે છે, જાણે કે તે અજરામર છે તેમ માની, સંસારમાં ભ્રમણ કરે છે.
૪૯૧. તે ધન-દોલત, જાનવરો અને સર્વે ત્યાગી, બાંધવો, પિતા, મિત્રોના મોહમાં
પડે છે. લલચાય પણ છે. ત્યારે અન્ય માણસો તેમનું વિત્ત હરણ કરે છે.
૪૯૨. જ્યાં સિંહ છે, ત્યારે નાનાં જાનવરો ભયની શંકાથી દૂર ચરે છે. તે બુદ્ધિમાન!
તે જ પ્રમાણે તું ધર્મનો વિચાર કર, અને પાપોથી દૂર થવા તેનો સર્વદા ત્યાગ કરે.
૪૯૩. બુદ્ધિથી વિચાર કરી અને તું પાપોને આત્માથી દૂર કરી નિવૃત્ત થા. હિંસાથી
વેર બંધાય છે અને તે મોટા ભય ઉપજાવે છે, તેથી હિંસા ન કરે.
૪૯૪. આત્માર્થિ, મુનિ ખોટું ન બોલે. પૂરેપૂરી સમાધિથી નિર્વાણ મળે છે. પોતે
ખરાબ કરે નહિ કે કરાવે નહિ. અન્ય કરતો થાય તેને સંમતિ ન આપે.
૪૯૫. શુદ્ધ થઈ દોષ ન કરે. અધ્યાત્મ મેળવવા મૂચ્છ ન કરે. ધૃતિથી મુક્ત થઈ
પૂજન સત્કાર ઇચ્છે નહિ. આમ મુનિ પ્રવજ્યા કરતો થાય.
૪૯૬, કોઈ જાતની પોતે ઇચ્છા ન કરી, કાયાનો ઉત્સર્ગ કરે, નિયાણા છેદે.
જીવન કે મરણની ઇચ્છા ન કરે. ભિક્ષુ વળવાથી મુક્ત થઈ વિચરે.
આમ હું કહું છું. અધ્યયન દસમું સમાપ્ત થયું.
129
Page #141
--------------------------------------------------------------------------
________________
११. एगारसमं अज्झयणं 'मग्गे'
४९७. कयरे मग्गे अक्खाते, माहणेण मतीमता । जं मग्गं उज्जु पावित्ता, ओहं तरति दुत्तरं ॥ १ ॥ ४९८. तं मग्गं अणुत्तरं सुद्धं, सव्वदुक्खविमोक्खणं । जाणासि णं जहा भिक्खू, तं णे बूहि महामुनी ॥२॥ ४९९. जड़ णे केइ पुच्छिज्जा, देवा अदुव माणुसा ।
सिं तु कतरं मग्गं, आइक्खेज्ज कहाहि णे ॥ ३ ॥
५००. जड़ वो केइ पुच्छिज्जा, देवा अदुव माणुसा । तेसिमं पडिसाहेज्जा, मग्गसारं सुणेह मे ॥४॥
५०१. अणुपुव्वेण महाघोरं, कासवेण पवेदियं । जमादाय इओ पुव्वं, समुद्दे व ववहारिणो ॥ ५ ॥
५०२. अतरिंसु तरंतेगे, तरिस्संति अणागता ।
तं सोच्चा पडिवक्खामि, जंतवो तं सुणेह मे ॥ ६ ॥ ५०३. पुढवीजीवा पुढो सत्ता, आउजीवा तहाऽगणी । वाउजीवा पुढो सत्ता, तण रुक्ख सबीयगा ॥७॥
५०४. अहावरा तसा पाणा, एवं छक्काय आहिया । इत्ताव ताव जीवकाए, नावरे विज्जती काए ॥ ८॥
५०५. सव्वाहिं अणुजुत्तीहिं, मतिमं पडिलेहिया । सव्वे अकंतदुक्खा य, अतो सव्वे न हिंसया ॥ ९ ॥
130
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧.
અધ્યયન અગિયારમું ‘“માર્ગ’’
૪૯૭.બુદ્ધિમાન બ્રાહ્મણે કયો માર્ગ ભાખ્યો છે ? કે તે સરળ માર્ગ પ્રાપ્ત કરી આ સંસારનો દુસ્તર પ્રવાહ માણસો તરી જાય છે.
૪૯૮. તે સર્વશ્રેષ્ઠ ધર્મ શુદ્ધ હોઈ સર્વ દુઃખોને દૂર કરે છે. હે ભિક્ષુ! જેમ તે મહામુનિએ ભાખ્યો છે, તે જાણેલો માર્ગ તેમજ મને કહે.
૪૯૯. જો કોઈ પૂછે, દેવ અથવા માણસ, તેને કયો માર્ગ કહીશ ? તેજ અમને કહે.
૫૦૦. જ્યારે કોઈ દેવ અથવા માણસ પૂછે તો તે માર્ગ સાધવો કેમ ? હું તે માર્ગ કહું છું તે સાંભળ.
૫૦૧. પૂર્વેથી જ તે મહાઘોર માર્ગ કાશ્યપ મુનિએ પ્રવેઘો છે. તેને પ્રાપ્ત ક૨વો તે જેમ વેપારી સમુદ્ર ખેડે તેમ, કઠણ છે.
૫૦૨. ભૂતકાળે તરી ગયા છે અને ભવિષ્યમાં પણ તરી જશે, અંતરમાં જે તરે છે, તેમને કહેલું, હે જીવો ! તે મારાથી સાંભળો !
૫૦૩. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના જીવો પૃથક્ પૃથક્ છે. વળી વૃક્ષ, બીજ અને ઘાસ પણ જુદા જુદા જીવો છે.
૫૦૪.તે જ પ્રમાણે ત્રસજીવો જુદા જુદા છે. આ છ કાય જીવો કહ્યાં છે. આટલાજ જીવકાયો છે. બીજા કોઈ વિદ્યમાન નથી.
૫૦૫. સર્વ યુક્તિઓ વડે મનમાં તે ધારી લે. બધા જીવો દુઃખથી રડે છે માટે તે સર્વે જીવોની હિંસા જરાયે ન કરે.
131
Page #143
--------------------------------------------------------------------------
________________
५०६. एयं खु णाणिणो सारं, जं न हिंसति कंचणं । अहिंसा समयं चेव, एतावंतं विजाणिया ॥ १० ॥
५०७. उड्डुं अहे तिरियं च, जे कइ तस - थावरा । सव्वत्थ विरतिं विज्जा, संति निव्वाणमाहियं ॥ ११॥ ५०८. पभू दोसे निराकिच्चा, ण विरुज्झेज्ज केणति मणसा वयसा चेव, कायसा चेव अंतसो ॥ १२ ॥ ५०९. संवुडे से महापणे, धीरे दत्तेसणं चरे ।
एसणासमिए णिच्चं, वज्जयंते असणं ।। १३ ।।
५१०. भूयाई समारंभ, समुद्दिस्स य जं कडं ।
तारिसं तु ण गेण्हेज्जा, अन्नं पाणं सुसंजते ॥१४॥
५११. पूतिकम्मं ण सेवेज्जा, एस धम्मे वुसीमतो ।
जं किंचि अभिकंखेज्जा, सव्वसो तं ण कप्पते ॥ १५॥
५१२. हणंतं नाणुजाणेज्जा, आतगुत्ते जिइंदिए ।
ठाणाइं संति सड्डीणं, गामेसु णगरेसु वा ॥ १६ ॥ ५१३. तहा गिरं समारंभ, अस्थि पुण्णं ति नो वदे । अहवा णत्थि पुण्णं ति, एवमेयं महब्भयं ॥१७॥
५१४. दाणट्टयाए जे पाणा, हम्मंति तस - थावरा । तेसिं सारक्खणट्ठाए, तम्हा अस्थि त्ति णो वए ॥ १८ ॥
५१५. जेसिं तं उवकप्पेंति, अण्ण-पाणं तहाविहं । तेसिं लाभंतरायं ति, तम्हा णत्थि त्ति णो वदे ॥१९॥
132
Page #144
--------------------------------------------------------------------------
________________
૫૦૬. જ્ઞાનીનો કહેલો સાર આમ છે કે કોઈની પણ નાની સરખી હિંસા ન કરે.
અહિંસાનો સિધ્ધાંત જ અહીં વર્તે છે તે જાણ.
૫૦૭. ઊંચે, નીચે અને તિર્યક દિશાઓમાં જે કોઈ ત્રસ અને સ્થાવર જીવો છે ત્યાં
બધી રીતે વિરતિ કરે. તે જ શાંતિ અને નિર્વાણ છે, એમ કહ્યું છે.
૫૦૮. મોટા દોષ દૂર કરે, કોઈનો વિરોધ ન કરે. આ પ્રમાણે મન, વચન, કાયા
વડે જીવનના અંત સુધી પાળે.
૫૦૯. તે સુવ્રતધારી જ્ઞાની, ધીર થઈ આપેલી ભિક્ષાનો આહાર કરે છે. નિત્ય
એષણા સમિતિ પાળી, ઇચ્છાઓ ત્યાગે છે.
૫૧૦. જીવહિંસા કરી, ઉદ્દેશથી જે કર્યું છે, તેવું અન્નપાણી તું ગ્રહણ ન કરે અને
સંયમને સારી રીતે જાળવે.
૫૧૧. વધુ મેળવી ખાવા પિવાનું ન જ કરે, આ ધર્મનો શ્રેષ્ઠ મત છે. જરા પણ તે
માટે મેળવવાનું સર્વ રીતે ન જ કહ્યું.
૫૧૨. આત્માની ગુપ્તિ ધારતો જિતેન્દ્રિય, હણવા સંમતિ ન આપે, તે સ્થાનની,
ગામની કે નગરની શાંતિ અર્થે પણ ન જ આપે.
૫૧૩. ત્યાં શબ્દો ઉપર કાબુ રાખે અને તેમાં પુણ્ય છે એમ ન કહે, અથવા પુણ્ય
નથી એમ કહેવું તે જ ઘણું ભયજનક છે.
૫૧૪. જે માણસો દાન આપવા અર્થે, ત્રસ સ્થાવર જીવોની હિંસા કરે છે તેમનું
રક્ષણ કરવા માટે પુણ્ય છે, તેમ ન કહે.
૫૧૫. જે વિષે તે વિચારે છે તે જાતનું અન્ન પણ (હિંસાવાળું) તેથી લાભાંતરાય
થાય માટે પુણ્ય નથી, તેમ પણ કહે નહિ.
133
-
Page #145
--------------------------------------------------------------------------
________________
५१६. जे य दाणं पसंसंति, वहमिच्छंति पाणिणं ।
जे य णं पडिसेहंति, वित्तिच्छेयं करेंति ते ॥२०॥
५१७. दुहओ वि ते ण भासंति, अस्थि वा नत्थि वा पुणो ।
आयं रयस्स हेच्चाणं, णिव्वाणं पाउणंति ते ॥२१॥
५१८. णिव्वाणं परमं बुद्धा, णक्खत्ताण व चंदिमा ।
तम्हा सया जते दंते, निव्वाणं संधते मुणी ॥२२॥
वुज्झमाणाण पाणाणं, कच्चंताण सकम्मुणा ।
आघाति साहु तं दीवं, पतिढेसा पवुच्चती ॥२३॥ ५२०. आयगुत्ते सया दंते, छिण्णसोए अणासवे ।
जे धम्मं सुद्धमक्खाति, पडिपुण्णमणेलिसं ॥२४॥ ५२१. तमेव अविजाणंता, अबुद्धा बुद्धमाणिणो ।
बुद्धा मो त्ति य मण्णंता, अंतए ते समाहिए ॥२५॥ ५२२. ते य बीओदगं चेव, तमुद्दिस्सा य जंकडं ।
भोच्चा झाणं झियायंति, अखेतण्णा असमाहिता ॥२६॥
५२३. जहा ढंका य कंका य, कुलला मग्गुका सिही ।
मच्छेसणं झियायंति, झाणं ते कलुसाधमं ॥२७॥ ५२४. एवं तु समणा एगे, मिच्छद्दिट्ठी अणारिया ।
विसएसणं झियायंति, कंका वा कलुसाहमा ॥२८॥
५२५. सुद्धं मग्गं विराहित्ता, एहमेगे उ दुम्मती ।
उम्मग्गगता दुक्खं, घंतमेसंति ते तधा ॥२९॥
134
Page #146
--------------------------------------------------------------------------
________________
૫૧૬. જે આવા દાનની પ્રશંસા કરે છે, તે જીવહિંસા ઇચ્છે છે. જે તેનો વિરોધ કરે
છે, તે વૃત્તિચ્છેદ કરે છે.
૫૧૭. માટે, બન્ને રીતે પુણ્ય છે કે નથી, તેમ બોલે નહિ. આત્મરક્ષા અર્થે તે ત્યાગે
કે જેથી નિર્વાણ પ્રાપ્ત થાય.
૫૧૮. જેમ નક્ષત્રોમાં ચંદ્ર છે તેમ જ્ઞાનીઓ માટે નિર્વાણ શ્રેષ્ઠ છે. તેથી ઇન્દ્રિયોનું
દમન કરતો, મુનિ નિર્વાણ મેળવે છે.
૫૧૯. કર્મોથી સંસારમાં વહી જતા જીવો માટે, સાધુ પ્રતિષ્ઠા રૂપે દ્વીપ છે એમ
કહ્યું છે.
પ૨૦. આત્મગુપ્તિ ધારતો, વિષયોનું દમન કરે છે, તે જ્ઞાની આશ્રવીરહિત છે.
તે પૂરો શુદ્ધ ધર્મ કહે છે.
પર૧. ધર્મને ન જાણતાં તે બુદ્ધ નથી છતાંયે પોતાને બુદ્ધ માને છે. જ્ઞાની મુક્તિને
માને છે અને છેવટે તે સમાધિ મેળવે છે.
પરર. તે ન જાણતા, બીજ અને પાણી વાપરે છે. તેમના અર્થે કરેલું ખાય છે અને
ધ્યાન ધરે છે. તે જાણકાર નથી અને સંતોષવિનાના છે.
પર૩. ઢંક, કંક, કૂતરું કે બગલો, વિચાર સાથે માછલાં તે ખાવાં ધ્યાન ધરે છે.
આ જાતનું ધ્યાન ખરાબ કહ્યું છે તે અધમ છે.
પ૨૪. મિથ્યાત્વી અનાર્ય શ્રમણ વિષની ઇચ્છા કરે છે. તેથી તે કંકપક્ષીની જેમ
અધમ હોય છે. તેનું ધ્યાન અધમ છે.
પ૨૫. શુદ્ધ માર્ગને ગ્રહણ કરવો એ તેને માટે દુર્મતિ છે. ઉન્માર્ગે જઈ તે દુઃખ
પામે છે. તેથી તે ત્યારે ઘાતની ઇચ્છા કરે છે.
135
Page #147
--------------------------------------------------------------------------
________________
५२६. जहा आसाविणि नावं, जातिअंधे दुरूहिया । इच्छती पारमागंतुं, अंतरा य विसीयती ॥ ३० ॥
५२७. एवं तु समणा एगे, मिच्छद्दिठ्ठी अणारिया |
सोयं कसिणमावण्णा, आगंतारो महब्भयं ॥ ३१ ॥
५२८. इमं च धम्ममादाय, कासवेण पवेदितं ।
तरे सोयं महाघोरं, अत्तत्ताए परिव्व ॥ ३२ ॥
५२९. विरते गामधम्मेहिं, जे केइ जगती जगा ।
तेसिं अत्तुवमायाए, थामं कुव्वं परिव्व ॥ ३३ ॥
५३०. अतिमाणं च मायं च तं परिण्णाय पंडिते । सव्वमेयं निराकिच्चा, निव्वाणं संधए मुणी ॥ ३४ ॥
५३१. संधते साहुधम्मं च, पावं धम्मं णिराकरे ।
उवधाणवीरिए भिक्खू, कोहं माणं न पत्थए ॥३५॥
५३२. जे य बुद्धा अतिक्कंता, जे य बुद्धा अणागता । संति तेसिं पतिद्वाणं, भूयाणं जगती जहा ॥ ३६ ॥
५३३. अह णं वतमावण्णं, फासा उच्चावया फुसे । ण तेसु विणिहण्णेज्जा, वातेणेव महागिरी ॥ ३७ ॥
५३४. संवुडे से महापण्णे, धीरे दत्तेसणं चरे ।
निव्वुडे कालमाकंखी, एवं केवलिणो मयं ॥ ३८ ॥ति बेमि ।
॥ मग्गो समत्तो एकादशमध्यमनम् ॥
136
Page #148
--------------------------------------------------------------------------
________________
પ૨૬. જ્યારે ઝરતી નાવમાં આંધળો માણસ ચડે છે અને તે પાર જવા ઇચ્છે છે,
પણ તે અધવચ્ચે ડૂબી જાય છે. ,
પર૭. હે મિથ્યાત્વી અનાર્ય શ્રમણ ! ભવિષ્યમાં આવતા મોટા ભય વડે કે સંકટ
વડે મોટો શોક પામીશ.
પ૨૮. આ ધર્મનો અંગીકાર કરે આમ કાશ્યપ મુનિએ કહ્યું છે. તેથી તું સંસારના
મહાઘોર પ્રવાહને તરી જઈશ. તું અધ્યાત્મ વિચરતો રહે.
પ૨૯. જે કોઈ આ લોકમાં જીવે છે, તે ગ્રામધર્મથી વિરતિ લે. ત્યાં જાતે વિચાર
કરી, જરા પણ થોભવાનું વર્જ.
પ૩૦. પંડિત જ્યારે જાણે કે બહુ જ માન અને માયા થાય છે ત્યારે આ સઘળાને
ત્યાગ અને મુનિ નિર્વાણ સાંધે.
૫૩૧. સમ્યફધર્મથી જોડાય અને પાપી ધર્મને છોડે. તપના બળથી મુનિ ક્રોધ અને
માનને ત્યાગે.
પ૩૨. જે બુદ્ધ થઈ ગયા છે અને ભવિષ્યમાં થશે, તેઓએ આ જગમાં રહેતાં
જીવોમાં શાંતિ સ્થાપી છે અને સ્થાપશે પણ.
પ૩૩. હવે અહીં જ વંટોળિયું આવ્યું છે, તે ઉચ્ચ અને નીચ માણસોને (જીવોને)
અડે છે. જેમ વાયુથી પર્વત ન હલે તેમ તું તેથી હણાય નહિ તે વિચાર.
પ૩૪. વીર સુવતી મુનિ પોતાને આપેલું જ ખાય. કાળની ઇચ્છા કરી નિવૃત્તિ લે.
આ છે કેવળી ભગવાનનો મત.
આમ હું કહું છું. અગિયારમું અધ્યયન સમાપ્ત થયું.
Page #149
--------------------------------------------------------------------------
________________
१२. बारसमं अज्झयणं 'समोसरणं'
५३५. चत्तारि समोसरणाणिमाणि, पावादुया जाइं पुढो वयंति । किरियं अकिरियं विणयं ति तइयं, अण्णाणमाहंसु
चउत्थमेव ॥१॥
५३६. अण्णाणिया ता कुसला विसंता, असंथुयाणो वितिगिछतिण्णा।
अकोविया आहु अकोवियाए, अणाणुवीयीति मुसं वदंति ॥२॥ ५३७. सच्चं असच्चं इति चिंतयंता, असाहु साहु त्ति उदाहरंता ।
जेमे जणा वेणइया अणेगे, पुट्ठा वि भावं विणइंसु नाम ॥३॥ ५३८. अणोवसंखा इति ते उदाहु, अढे स ओभासति अम्ह एवं ।
लवावसंकी य अणागतेहि, णो किरियमाहंसु
अकिरियआया ॥४॥
५३९. सम्मिस्सभावं सगिरा गिहीते, से मुम्मई होति अणाणुवादी।
इमं दुपक्खं इममेगपक्खं, आहंसु छलायतणं च कम्मं ॥५॥ ५४०. ते एवमक्खंति अबुज्झमाणा, विरूवरूवाणि अकिरियाता ।
जमादिदित्ता बहवो मणूसा, भमंति संसारमणोवतग्गं ॥६॥ ५४१. णाइच्चो उदेति ण अत्थमेति, ण चंदिमा वढती हायती वा ।
सलिला ण संदंति ण वंति वाया, वंझे णियते कसिणे हु
लोए ॥७॥
138
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨.
અધ્યયન બારમું સમોસરણ’’
૫૩૫. ચા૨ ધર્મોના પ્રાવાદિકો ભેગા થઈ જુદી જુદી વાર્તાઓ કરે છે. તે છે ક્રિયાવાદી, અક્રિયાવાદી, ત્રીજો વિનયવાદી અને ચોથો અજ્ઞાનવાદી.
૫૩૬. અજ્ઞાનવાદી કુશળ છે પણ તે શંકા પાર નથી અને સંસ્થાપિત થયા નથી. અચતુર અભણ સાથે અમાન્ય અનુક્રમ વિનાનું અસત્ય કહે છે.
૫૩૭. તે અસત્યને સત્ય માને છે, અને દુષ્ટને સાધુ કહે છે. અહીં જે વિનયવાદી છે તેમને ભાવ પૂછે, તો કહે છે કે વિનય અમારું નામ છે.
૫૩૮. તાત્પર્ય જાણ્યા વિના તે કહે છે કે અર્થ અમારી જેમ જ દીસે છે. તે ભવિષ્ય વિશે થોડુંક કહે છે. અક્રિયાવાદી ક્રિયા છે એમ કહેતા નથી.
૫૩૯. પોતાનું કહેવું મિશ્ર ભાવયુક્ત હોય છે. અજ્ઞાનવાદી કશું બોલતા નથી. આમ બીજો પક્ષ એ જ તેનો પક્ષ છે. તે ઠગારા જેવી વાત કરે છે.
૫૪૦. અક્રિયાવાદી જુદા જુદા પ્રકારની વાતો અજ્ઞાનથી કરે છે. ઘણાએ માણસો તે પહેલાથી લઈ આ સંસારે ઉપતર્કથી ભમ્યા કરે છે.
૫૪૧. સૂરજ ઊગતો નથી અને આથમતો પણ નથી. ચંદ્રમા વધતો નથી કે ઘટતો નથી. પાણી હલતું નથી, પવન ફૂંકાતો નથી. આ સર્વે ધ્રુવ જગત વાંઝણું છે.
-139
Page #151
--------------------------------------------------------------------------
________________
५४२. जहा य अंधे सह जोतिणा वि, रूवाइंणो पस्सति हीणनेते ।
संतं पि ते एवमकिरियआता, किरियंण पस्संति
निरुद्धपण्णा ॥८॥
५४३. संवच्छरं सुविणं लक्खणं च, निमित्तं देहं उप्पाइयं च ।
अटुंगमेतं बहवे अहित्ता, लोगंसि जाणंति अणागताइं ॥९॥
५४४. केई निमित्ता तहिया भवंति, केसिंचि तं विप्पडिएति णाणं ।
ते विज्जभावं अणहिज्जमाणा, आहेसु विज्जापलिमोक्खमेव ॥१०॥ ५४५. ते एवमक्खंति समेच्च लोगं, तहा तहा समणा माहणा य ।
सयंकडं णण्णकडं च दुक्खं, आहेसु विज्जाचरणं __पमोक्खं ॥११॥
५४६. ते चक्खु लोगंसिह णायगा तु, मग्गाऽणुभासंति हितं पयाणं ।
तहा तहा सासयमाहु लोए, जंसी पया माणव! संपगाढा ॥१२॥
५४७. जे रक्खसाया जमलोइयाया, जे या सुरा गंधव्वा य काया ।
आगासगामी य पुढोसिया य, पुणो पुणो विप्परियासुवेति ॥१३॥
५४८. जमाहु ओहं सलिलं अपारगं, जाणाहि णं भवगहणं दुमोक्खं ।
जंसी विसन्ना विसयंगणाहिं, दुहतो वि लोयं अणुसंचरंति ॥१४॥
५४९. ण कम्मुणा कम्म खवेंति बाला, अकम्मुणा उकम्म खति धीरा ।
मेधाविणो लोभमयावतीता, संतोसिणो णो पकरेंति पावं ॥१५॥
140
Page #152
--------------------------------------------------------------------------
________________
૫૪૨. આંધળો નેત્ર ન હોવાથી કશાને પણ જોઈ ન શકે. અક્રિયાવાદી પણ આ જ
રીતે ક્રિયા છે છતાં તે વિરૂદ્ધ પ્રજ્ઞાથી જોતા નથી.
૫૪૩. જ્યોતિષી સપનાં, લક્ષણો, નિમિત્તો, શરીરનાં ચિન્હો, ઉત્પાતો વગેરે
આઠ જાતની વિદ્યાઓ, ઘણી ભણી કરી લોકોનું ભવિષ્ય જાણે છે અને
કહે છે.
૫૪૪. કેટલાક નિમિત્તો સાચાં પડે છે ત્યારે બીજાં સાચાં પડતાં નથી તે જાણ. તે
વિદ્યા ભણતા, જાણકારની જેમ મોક્ષે જવાની વાતો કરે છે.
૫૪૫. તે લોકો પાસે આમ કહે છે. શ્રમણ બ્રાહ્મણ સાચા છે. જાતે દુઃખ કરેલું
હોય ન કે બીજાએ. વિદ્યાનું આચરણ કરી મોક્ષ મળે છે, એમ તે કહે છે.
૫૪૬. અહીં તે લોકોનાં ચહ્યું છે અને નાયક પણ છે. હિતકર માર્ગ વિષે તે પ્રવેદે
છે. આ લોક શાશ્વત છે અને તે સાચું છે એમ કહે છે. તેમનાં ચરણો પાસે અગાધ માણસ વસે છે.
૫૪૭. રાક્ષસોના આત્મા, યમલોકના આત્માઓ, દેવો, અસુરોનાં શરીરો અને
આકાશમાં ફરતાં એમ જુદા જુદા આત્માઓ છે અને તે વિપરીત થઈ ઊપજે છે.
૫૪૮. અપારપાણીના પ્રવાહ જેવો સંસાર છે તે જાણ અને તેમાં ભવગ્રહણ કરી
મોક્ષ પામવો મુશ્કેલ છે. અહીં કામી સ્ત્રીઓ દુઃખી થાય છે, તે ફરીફરી આ જગમાં સંચાર કરે છે.
૫૪૯. મૂઢ, કર્મથી કર્મ ન ખપાવી શકે, ધીર પુરુષ, અકર્મથી કર્મ ખપાવે છે.
ડાહ્યા પુરુષો લોભનો મેલ દૂર કરે છે. સંતોષથી તે શુદ્ધ થાય છે.
141
Page #153
--------------------------------------------------------------------------
________________
५५०. ते तीत-उप्पण्ण-मणागताइं, लोगस्स जाणंति तहागताई।
णेतारो अण्णेसि अणण्णणेया, बुद्धा हु ते अंतकडा
भवंति ॥१६॥
५५१. तेणेव कुव्वंति ण कारवेंति, भूताभिसंकाए दुगुंछमाणा।
सया जता विप्पणमंति धीरा, विण्णत्तिधी(वी)रा य भवंति ___ एगे ॥१७॥
५५२. डहरे य पाणे वुड्डे य पाणे, ते आततो पासति सव्वलोए।
उवेहती लोगमिणं महतं, बुद्धऽप्पमत्तेसु परिव्वएज्जा ॥१८॥ ५५३. जे आततो परतो याविणच्चा, अलमप्पणो होति अलं परेसिं । तं जोतिभूतं च सता(सतता?)ऽऽवसेज्जा,
जे पादुकुज्जा अणुवीयि धम्मं ॥१९॥ ५५४. अत्ताण जो जाणति जो य लोगं, आगइंच जो जाणइऽणागइंच।
जो सासयं जाणइ असासयं च, जाती मरणंच जणोववातं ॥२०॥
५५५. अहो वि सत्ताण विउट्टणंच, जो आसवं जाणति संवरं च ।
दुक्खं च जो जाणति निज्जरं च,
___ सो भासितुमरिहति किरियवादं ॥२१॥ ५५६. सद्देसु रूवेसु असज्जमाणे, गंधेसु रसेसु अदुस्समाणे ।
णो जीवियं णो मरणाभिकंखी, आदाणगुत्ते
वलयाविमुक्के ॥२२॥ त्ति बेमि ॥
॥समोसरणं सम्मत्तं । द्वादशमध्ययनं समाप्तम् ॥
142
Page #154
--------------------------------------------------------------------------
________________
૫૫૦ તથાગત ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના આ લોકને જાણે છે. તે બીજાઓ
માટે અનન્ય નેતા છે. જ્ઞાની જીવનનો અંત કરતા થાય છે.
૫૫૧. તે કર્મો કરતા કે કરાવતા નથી. હિંસાની શંકાએ અણગમો કરે છે. સદાયે
ધીરો યત્નોપૂર્વક પ્રનમન કરે છે, કોઈ વિજ્ઞપ્તિથી ધીર થાય છે.
પપર. આ સર્વ લોકે તે, જાવાન અને વૃદ્ધ માણસોને પોતાના સમાન ગણે છે. તે
આ મોટા લોકની ઉપેક્ષા કરે છે. જ્ઞાની અપ્રમત્ત થઈ વિચરે છે.
પપ૩. જે પોતાને અને બીજાને પણ જાણે છે, તે પોતાના અને બીજાના માટે પૂરા
છે, તેવા દિવ્યજ્ઞાની પાસે સદાયે આવી વસે, તે ક્રમથી ધર્મ પ્રકાશે છે.
૫૫૪. જે પોતાને જાણે છે તે જગતને જાણે છે. જે આ ભવ જાણે છે તે પરભવ
પણ જાણે છે. જે શાશ્વતને જાણે છે તે અશાશ્વતને પણ જાણે છે. તે જન્મ, મરણ અને લોકમાં ઉત્પાતો થાય, તે પણ જાણે છે.
પપપ. જે નીચે હોઈ ઊઠવાનું જાણે છે, તે આશ્રવ અને સંવરને જાણે છે. જે
દુઃખને જાણે છે તે નિર્જરાને પણ જાણે છે. તે ક્રિયાવાદ કહેવા યોગ્ય છે.
૫૫૬. શબ્દો અને રૂપો માટે તે તૈયાર નથી. તે ગંધ અને રસમાં ન માને. જીવન
કે મરણની ઇચ્છા ન કરે. જે કર્મ મેળવવાથી દૂર છે તે ફરી સંસારમાં વળવાથી મુક્ત છે.
આમ હું કહું છું. બારમું અધ્યયન સમાપ્ત થયું.
- 143
Page #155
--------------------------------------------------------------------------
________________
१३. तेरसमं अज्झयणं 'आहत्तहियं'
५५७. आहत्तहियं तु पवेयइस्सं, नाणप्पकारं पुरिसस्स जातं ।
सतोय धम्मं असतो य सीलं, संतिं असंतिं करिस्सामि पाउं ॥ १ ॥
५५८. अहो य रातो य समुट्ठितेहिं, तहागतेहिं पडिलब्भ धम्मं । समाहिमाघातमझोसयंता, सत्थारमेव फरुसं वयंति ॥२॥ ५५९. विसोहियं ते अणुकाहयंते, जे आतभावेण वियागरेज्जा । अट्ठाणिए होति बहूगुणाणं, जे णाणसंकाए मुसं वदेज्जा ॥ ३ ॥
५६०. जे यावि पुठ्ठा पलिउंचयंति, आदाणमट्टं खलु वंचयंति । असाहुणो ते इह साधुमाणी, मायण्णि एसिंति अणंतघंतं ॥४॥
५६१. जे कोहणे होति जगदृभासी, विओसियं जे उ उदीरएज्जा । अंधे व से दंडपहं गहाय, अविओसिए घासति पावकम्मी ॥५॥
५६२. जे विग्गहीए अन्नायभासी, न से समे होति अझंझपत्ते ।
ओवायकारी य हिरीमणे य, एगंतदिट्ठी य अमाइरूवे ॥ ६ ॥
५६३. से पेसले सुहुमे पुरिसजाते, जच्चण्णिए चेव सुउज्जुयारे ।
बहुं पि अणुसासिते जे तहच्चा, समे हु से होति अझंझपत्ते ॥७॥
५६४. जे आवि अप्पं वसुमं ति मंता, संखाय वादं अपरिच्छ कुज्जा । तवेण वा हं सहिते त्ति मंता, अण्णं जणं पस्सति बिंबभूतं ॥ ८ ॥
५६५. एगंतकूडेण तु से पलेति, ण विज्जती मोणपदंसि गोते । जे माणणण विउक्कसेज्जा, वसुमण्णतरेण अबुज्झमाणे ॥ ९ ॥
144
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩. અધ્યયન તેરમું “સત્ય કથન”
૫૫૭. હું અહીં સત્ય કથન પ્રકાશમાં લાવીશ. અનેક જાતના પુરુષો ઊપજે છે.
કોઈ ધર્મવાન તો કોઈ કુશીલ, હું અશાંતિની ફરીથી સર્વત્ર શાંતિ કરીશ.
૫૫૮. ધર્મ જાણવા અને પામવા તથાગત સમીપે દિનરાત રહે છે તે સમાધિ ભંગ
કરાવતા કે કરતા હર્ષ પામતા નથી પણ શસ્ત્રની જેમ તીવ્ર બોલે છે.
૫૫૯. શોધન કરેલું તે કહે છે, તે બીજાને આત્મભાવથી જાગ્રત કરે છે. આવા | ગુણો ધારતાં જે શંકાયુક્ત થઈ જ્ઞાનને ખોટી રીતે કહે છે, તે અસ્થાને છે.
પ૬૦. જે પુષ્ટ છે, તે દેખાય તે ઊંચકી જાય છે અને લેવા અર્થે ઠગે છે. તે દુષ્ટ
પોતાને સજ્જન માને છે. ઠગારો અનંત ઘાત ઇચ્છે છે.
પ૬૧. જે ક્રોધથી જગનો ઉદ્દેશ કહે છે તે દોષવાળું કહે છે. જેમ કોઈ આંધળો
ખોટો (અવળો) માર્ગ લે છે, તે પોતાના દોષવાળાં કર્મ કરી ઘસાય છે.
પ૬ર. જે ઝઘડાખોર અણજાણ્યું બોલે છે તે શાંતિ મળે સરખો ન થાય. તે નીચે
પડતો, શરમે ભરાય છે. તેની એક જ દષ્ટિ તે માપ વગરની છે.
૫૬૩. તે કુશળ પણ નાનો પુરુષ હોય છે, જે સરળ રીતે ગુજરાણ મેળવે છે. તેને
ઘણું સાચું કહ્યા પછી, શિખામણ આપે ત્યારે શાંત થઈ જાય છે.
પ૬૪. જે પોતાને શ્રીમંત માને છે, વાદને જાણી કરી ન જોવાય તેમ કરે છે. તપને
તે હિતકર માને છે, અન્ય જીવોને તે બિંબની જેમ જોવે છે.
૫૬૫. તે ખરાબ કૂડકપટથી પ્રલિપ્ત થયો છે, ગોત્રમાં મૌન ધારતો નથી. જે
ગર્વનાશ થાય ત્યારે ઉત્કર્ષ પામે છે, તે ધનને અન્ય રીતે જાણતો નથી.
145
Page #157
--------------------------------------------------------------------------
________________
५६६. जे माहणे जातिए खत्तिए वा, तह उग्गपुत्ते तह लेच्छती वा ।
जे पव्वइते परदत्तभोई, गोत्ते ण जे थब्भति माणबद्धे ॥१०॥ ५६७. ण तस्स जाती व कुलं व ताणं, णण्णत्थ विज्जा-चरणं सुचिण्णं ।
णिक्खम्म जे सेवतिऽगारिकम्मं, ण से पारए होति
__ विमोयणाए ॥११॥ ५६८. णिक्किंचणे भिक्खू सुलूहजीवी, जे गारवं होति सिलोयगामी।
आजीवमेयं तु अबुज्झमाणे, पुणो पुणो विप्परियासुवेति ॥१२॥
५६९. जे भासवं भिक्खु सुसाधुवादी, पडिहाणवं होति विसारए य ।
आगाढपण्णे सुविभावितप्पा, अण्णं जणं पण्णसा
परिभवेज्जा ॥१३॥ ५७०. एवंण से होति समाहिपत्ते, जे पण्णसा भिक्खु विउक्कसेज्जा ।
अहवा वि जे लाभमयावलित्ते, अण्णं जणं खिसति
बालपण्णे ॥१४॥
५७१. पण्णामयं चेव तवोमयं च, णिण्णामए गोयमयं च भिक्खू ।
आजीवगं चेव चउत्थमाहु, से पंडिते उत्तमपोग्गले से ॥१५॥
५७२. एताई मदाई विगिंच धीरे, ण ताणि सेवंति सुधीरधम्मा ।
ते सव्वगोत्तावगता महेसी, उच्चं अगोत्तं च गतिं वयंति ॥१६॥
५७३. भिक्खू मुयच्चा तह दिट्ठधम्मे, गामं च(व?)णगरं च(व?)
__अणुप्पविस्सा। से एसणं जाणमणेसणंच, अण्णस्स पाणस्स अणाणुगिद्धे ॥१७॥
146
Page #158
--------------------------------------------------------------------------
________________
પ૬૬. જે જાતિથી બ્રાહ્મણ કે ક્ષત્રિય છે, વળી ઉગ્રપુત્ર કે લચ્છવી હોય, જે પ્રવજ્યા
લઈ બીજાએ આપેલું ખાય છે, તે ગોત્રમાં ગર્વને લઈ થોભતો નથી.
પ૬૭. તેને જાતિ કે કુળ રક્ષણ ન કરે, કોઈ પણ અર્થે વિદ્યાનું આચરણ લાંબું ટકે
નહિ. જે ગૃહસ્થી કામ કરે છે તે મુક્તિ માટે પાર થાય નહિ.
પ૬૮. તે અકિંચન ભિક્ષુયોગ્ય પણ રુક્ષ ખાઈ જીવે છે. તે ગૌરવ માટે સ્તુતિ ઇચ્છે
છે. આખી જિંદગી સુધી અજ્ઞાનથી યુક્ત રહે છે અને તેથી તે વિપર્યાસ વારંવાર ઉપજાવે છે.
૫૬૯. જે સજ્જનની જેમ બોલે છે. તે વાદ કરી વિશારદ થાય છે. તેનું જ્ઞાન
અગાધ હોઈ તે સારો ભાવયુક્ત થાય છે. તે અન્ય જણોને તેમના જ્ઞાનને બાલિશ માની પરાજિત કરે છે.
૫૭૦. આથી તેને સમાધિ પ્રાપ્ત ન થાય, જ્યારે જ્ઞાનના ઘમંડથી પોતાનો ઉત્કર્ષ
કરે છે. અથવા જો તે લોભના મેલથી લીંપાય છે તો તે અન્ય જણોને તેમના થોડા જ્ઞાન માટે ખીજવે છે.
૫૭૧. જ્ઞાનનો મદ, તપનો મદ, નામનો મદ, ગોત્રના મદવાળો ભિક્ષુ તે ત્યાગે.
આજીવ ચોથા વતે રહે છે. તે પંડિત ઉત્તમ શરીરી છે.
૫૭૨. આ સર્વે મદનો, ધીર પુરુષ ત્યાગ કરે, ધર્મસ્થિત મુનિ તે નજ સેવે. આ સર્વ
ગોત્રો ઉપર થયેલા મહર્ષિ, તે સર્વેને જાણી, તે અગોત્રને ઉચ્ચ ગતિ માને છે અને તેમ જ કહે છે.
૫૭૩. જ્યારે ભિક્ષુ ગામ કે નગરે પ્રવેશે ત્યાં દેખાતા ધર્મને અર્થે તે મૃત્યુ થયાની
જેમ વર્તે. તે એષણાને અનેષણા કરે વળી અન્ન પાણી માટે ગૃદ્ધિ ન કરે.
147
Page #159
--------------------------------------------------------------------------
________________
५७४ अरतिं रतिं च अभिभूय भिक्खू, बहूजणे वा तह एगचारी । एतमोणेण वियागरेज्जा, एगस्स जंतो गतिरागती य ॥ १८ ॥
५७५. सयं समेच्चा अदुवा वि सोच्चा, भासेज्ज धम्मं हितदं पयाणं । जे गरहिया सणियाणप्पओगा, ण ताणि सेवंति सुधीरधम्मा ॥ १९ ॥ ५७६. केसिंचि तक्काइ अबुज्झ भावं, खुडुं पि गच्छेज्ज असद्दहाणे । आयुस्स कालातियारं वघातं, लद्धाणुमाणे य परेसु अट्ठे ॥२०॥
५७७. कम्मं च छंदं च विविंच धीरे, विणएज्ज उ सव्वतो आयभावं । रूवेहिं लुप्पंति भयावहेहिं, विज्जं गहाय तसथावरेहिं ॥२१॥
५७८. न पूयणं चेव सिलोयकामी, पियमप्पियं कस्सति णो कहेज्जा । सव्वे अणट्टे परिवज्जयंते, अणाउले या अकसाइ भिक्खू ॥ २२ ॥
५७९. आहत्तहियं समुपेहमाणे सव्वेहिं पाणेहिं निहाय दंडं ।
नो जीवियं नो मरणाभिकंखी, परिव्वज्जा वलयाविमुक्के ॥२३॥
॥ आहत्तहितं सम्मत्तं । त्रयोदशमध्ययनम् ॥
148
Page #160
--------------------------------------------------------------------------
________________
પ૭૪. શ્રેષ્ઠ ભિલુ રાગને દૂર કરે. બહુજનોમાં એકલવિહારી થાય. શ્રેષ્ઠ મૌન
ધારી જાગ્રતિ કરે. જીવને એક જ ગતિ મળશે, તે જાણે.
પ૭૫. પોતાનો જાણેલો કે સાંભળેલો ધર્મ, જે હિતકર છે, તે કહે. જે નિયાણાયુક્ત
પ્રયોગો છે, તે ધર્મધીર સેવતા નથી.
પ૭૬. કોઈ ન સમજાતો ભાવ હોય તેનો તર્ક કરી, ક્ષુદ્ર પણ શ્રદ્ધા કરતો નથી.
આયુષ્યનો કાળ ટૂંકો થાય છે એમ જાણે ત્યારે તેનું અનુમાન બીજે અર્થે કરે.
પ૭૭.ધીર માણસ કર્મ અને છંદને જાણે. સર્વ રીતે આત્મભાવ બધેય લાવે.
જીવોના પોતાનાં રૂપનો, ભયથી નાશ થાય છે તે ત્રસ સ્થાવર જીવોથી
શીખે.
૫૭૮. ભિક્ષુ પૂજન, સત્કારની ઇચ્છા ન કરે, કશાને પણ પ્રિય કે અપ્રિય એમ કહે
નહિ. અર્થ વગરનું સઘળું વર્પ કરે. ભિક્ષુ અનાકુલ અને અકષાઈ થાય.
૫૭૯. કહેલા સત્યને સારી રીતે જોઈ અને જાણી સર્વ પ્રાણીઓની હિંસા ન કરે કે
શિક્ષા ન દે. જીવવા કે મરણની ઇચ્છા ન કરે. તે ફરી આ સંસારે વળવાનું છોડી મુક્ત થાય તેમ વિચારે, અને પ્રવજ્યા કરે.
આમ હું કહું છું. અધ્યયન તેરમું સમાપ્ત થયું.
149.
Page #161
--------------------------------------------------------------------------
________________
१४. चउद्दसमं अज्झयणं 'गंथो'
५८०. गंथं विहाय इह सिक्खमाणो, उट्ठाय सुबंभचेरं वसेज्जा । ओवायकारी विणयं सुसिक्खे, जे छेए विप्पमादं नकुज्जा ॥१ ॥
५८१. जहा दियापोतमपत्तजातं, सावासगा पविडं मण्णमाणं ।
तमचाइयं तरुणमपत्तजातं, ढंकादि अव्वत्तगमं हरेज्जा ॥२॥
५८२. एवं तु सेहं पि अपुट्ठधम्मं, निस्सारियं वुसिमं मण्णमाणा । दियस्स छावं व अपतजातं, हरिंसु णं पावधम्मा अणेगे ॥ ३ ॥
५८३. ओसाणमिच्छे मणुए समाहिं, अणोसिते णंतकरे ति णच्चा । ओभासमाणो दवियस्स वितं, ण णिक्कसे बहिता आसुपणे ॥ ४ ॥ ५८४. जे ठाणओ या सयणासणे या, परक्कमे यावि सुसाधुजुत्ते । समितीसु गुत्तीसु य आयपण्णे, वियागरेंते य पुढो वदेज्जा ॥५॥
५८५. सद्दाणि सोच्चा अदु भेरवाणि, अणासवे तेसु परिव्वज्जा । निद्दं च भिक्खू न पमाय कुज्जा, कहंकहं पी वितिगिच्छति ॥६॥
५८६. डहरेण वुड्ढेणऽणुसासिते ऊ, रातिणिएणावि समव्वएणं । सम्मं तगं थिरतो णाभिगच्छे, णिज्जंतए वा वि अपारए से ॥७॥
150
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪.
અધ્યયન ચૌદમું ‘‘ગ્રંથ''
૫૮૦. ગ્રંથને છોડી શીખ, અહીંજ જાગ્રતિ કરવા સારું બ્રહ્મચર્ય પાળે. લોકવાદને સારી રીતે જાણે અને તેને દૂર કરવા પ્રમાદ ન કરે.
૫૮૧. જ્યાં પંખીનું પીલું પાંખ વિનાનું જન્મે, ત્યાં ઊડવા અર્થે ગમે તેમ અવાજ કરે છે. ત્યારે તેને પાંખો વિનાનું જાણી અવ્યક્ત રીતે ઢંક જેવા પક્ષીઓ તેને હરી જાય છે.
૫૮૨. ભલે તને પ૨પંથ ગમે, તું તે વિશે મનમાણ્યો છૂટથી બોલે છે. જેમ પક્ષીનું પીલું પાંખ વગરનું હોય તેને પાપીઓ હરી જાય તેમ તને મિથ્યાત્વીઓ હરી જશે.
૫૮૩. બળવા સિવાય અંત નથી તે જાણી માણસ સમાધિથી અંત કરવા માંગે છે. દયાયુક્ત વૃત્તનો સાક્ષાત્કાર કરતો તે આશુપ્રજ્ઞથી દૂર નથી જવા માંગતો.
૫૮૪. જે સારા સજ્જન સાથે પોતાના સ્થાને કે શયનાસને પરાક્રમી કૃત્યો કરે છે, તે સમિતિ પાળતો, ગુપ્તિઓ ધારતો, આત્મપ્રજ્ઞાથી જાગૃતિ કરવા જુદું જાદું બોલે છે.
૫૮૫. ભયંક૨ શબ્દો સાંભળે છતાં તેનાથી ન ડગે અને પાપ વિનાનો થઈ પ્રવજ્યા કરે. ઊંઘમાં ભિક્ષુ પ્રમાદ ન કરે વળી કેમ કેમ કહી પૃચ્છા ન કરે.
૫૮૬. નાના કે મોટા વડે, કે સમાન ઉંમરના ગુરૂ વડે, શિક્ષણ અપાય ત્યારે સમતાથી ત્યાં જ સ્થિર થાય, તે છોડી જાય નહિ. વળી જો તે પૂરું ન થયેલું હોય, છતાંય ત્યાંથી ક્યાંય જાય નહિ, છોડે નહિ. સ્થિર થઈ રહે.
151
Page #163
--------------------------------------------------------------------------
________________
५८७. विउट्ठितेणं समयाणुसट्टे, डहरेण वुड्ढेण व चोतिते तु । अच्चुट्ठिताए घडदासिए वा, अगारिणं वा समयाणुसट्टे ॥८ ॥
५८८ . ण तेसु कुज्झे ण य पव्वज्जा, ण यावि किंचि फरुसं वदेज्जा । तहा करिस्सं ति पडिस्सुणेज्जा, सेयं खु मेयं ण पमाद कुज्जा ॥ ९ ॥
५८९. वर्णसि मूढस्स जहा अमूढा, मग्गाणुसासंति हितं पयाणं । तेणावि मज्झं इणमेव सेयं, जं मे बुहा सम्मऽणुसासयंति ॥१०॥
५९०. अह तेण मूढेण अमूढगस्स, कायव्व पूया सविसेसजुत्ता । एतोवमं तत्थ उदाहु वीरे, अणुगम्म अत्थं उवणेति सम्मं ॥११॥
५९१. या जहा अंधकारंसि राओ, मग्गं ण जाणाइ अपस्समाणे । से सूरियस अब्भुग्गमेणं, मग्गं विजाणाति पगासियंसि ॥ १२ ॥
५९२ एवं तु सेहे वि अपुट्ठधम्मे, धम्मं न जाणाति अबुज्झमाणे ।
से कोविए जिणवयणेण पच्छा, सूरोदए पासति चक्खुणेव ॥ १३ ॥
५९३ . उड्डुं अहे य तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा । सया जते तेसु परिव्वज्जा, मणप्पदोसं अविकंपमाणे ॥ १४ ॥ ५९४. कालेण पुच्छे समियं पयासु, आइक्खमाणो दवियस्स वित्तं । तं सोयकारी य पुढो पवेसे, संखा इमं केवलियं समाहिं ॥ १५ ॥
५९५. अस्सिं सुठिच्चा तिविहेण तायी, एतेसु या संति निरोहमाहु । ते एवमक्खंति तिलोगदंसी, ण भुज्जमेतं ति पमायसंगं ॥ १६ ॥
152
Page #164
--------------------------------------------------------------------------
________________
૫૮૭. જ્યારે જાવાન કે વૃદ્ધ ધર્મનું શિક્ષણ ભણવા પ્રેરે ત્યારે ત્યાંથી ઊઠી જાય
નહિ, જેમ ઘરની દાસી ઘણી જ ગુસ્સે ભરાય પણ ઘર છોડી જાય નહિ તેમ તે ત્યાંથી જાય નહિ.
૫૮૮. માટે તું ક્રોધ ન કરે કે ત્યાંથી ન ચાલી જાય, વળી જરાપણ ઉધ્ધત બોલે
નહિ કે ખરાબ શબ્દોથી જવાબ ન આપે. તેમની આજ્ઞા ધારી તે જ પ્રમાણે વર્તે. ભૂલ કરવા કરતાં આ શ્રેષ્ઠ છે.
૫૮૯. વનમાં ડાહ્યા માણસને મૂઢ માણસ હિતકર માર્ગ કહે છે તેથી આ મારા
માટે શ્રેયસ્કર છે. જ્યારે મને વિદ્વાન, ધર્મનું શીખવાડે છે, તે મારા હિતમાં છે.
૫૯૦. હવે તે મૂઢ માણસની ડાહ્યા માણસે કાયાથી પૂજા કરવી અને ત્યાં તે વિશેષ
રીતે કરવી ઘટે. આ ઉપમા કહી ભગવાન મહાવીરે કહ્યું છે કે સિધ્ધાંત મેળવવા અર્થને જાણી લે. .
૫૯૧. જ્યારે અંધારામાં જતાં રાતના માર્ગ દેખાય નહિ, પછી જ્યારે સૂરજ ઊગે
તે જ માર્ગે પ્રકાશ થવાથી સારું દેખાય છે.
૫૯૨. ભલે તને પરપંથ ગમે પણ અજ્ઞાનથી ધર્મ જાણે નહિ. જ્યારે જ્ઞાની જિનનાં
વચનોથીસૂર્યોદયની જેમ આંખોથી સ્પષ્ટ દેખે તેમ સારું અને સ્પષ્ટ ધર્મજ્ઞાન થાય તે દેખે.
૫૯૩. ઊંચે, નીચે અને તિર્ય દિશાઓમાં જે કોઈ ત્રસ અને સ્થાવર જીવો છે.
સદાય તેમની યતના કરે અને મનને દોષ ન લગાડી કે ધ્રુજાવી, પ્રવજ્યા કરે.
૫૯૪. કેવળીની સમાધિ જાણી, યોગ્ય કાળે પ્રજાને પૂછે. દ્રવેલા માણસનું વૃત્ત
જોઈ, તે સાંભળવા જાદા જુદા શ્રોતાઓ પ્રવેશ કરે છે.
૫૯૫. અહીં સ્થિરતાથી રહી ત્રણ રીતે રક્ષણ આપે છે. આને શાંતિનો નિરોધ કહે
છે. ત્રણ લોકને જોનારા કહે છે કે આનો ઉપયોગ પ્રમાદથી ન કરે.
153
Page #165
--------------------------------------------------------------------------
________________
५९६. णिसम्म से भिक्खुसमीहम, पडिभाणवं होति विसारते या ।
आयाणमट्ठी वोदाण मोणं, उवेच्च सुद्धेण उवेति मोक्खं ॥१७॥
५९७. संखाय धम्मं च वियागरेंति, बुद्धा हु ते अंतकरा भवंति ।
ते पारगा दोण्ह वि मोयणाए, संसोधितं पण्हमुदाहरंति ॥१८॥
५९८. नो छादते नो वि य लूसएज्जा, माणं ण सेवेज्ज पगासणं च।।
ण यावि पण्णे परिहास कुज्जा, ण याऽऽसिसावाद
वियागरेज्जा ॥१९॥
५९९. भूताभिसंकाए दुगुंछमाणो, ण णिव्वहे मंतपदेण गोत्तं ।
णकिंचि मिच्छे मणुओ पयासु, असाहुधम्माणिण संवदेज्जा ॥२०॥
६००. हासं पि णो संधये पावधम्मे, ओए तहियं फरुसं वियाणे ।
नो तुच्छए नो व विकंथतिज्जा, अणाइले या अकसाइ
__ भिक्खू ॥२१॥ ६०१. संकेज्ज याऽसंकितभाव भिक्खू, विभज्जवादं च वियागरेज्जा ।
भासादुगं धम्म समुढितेहिं, वियागरेज्जा समया सुपण्णे ॥२२॥
६०२. अणुगच्छमाणे वितहं भिजाणे, तहा तहा साहु अकक्कसेणं ।
ण कत्थती भास विहिंसएज्जा, निरुद्धगंवा वि नदीहएज्जा ॥२३॥ ६०३. समालवेज्जा पडिपुण्णभासी, निसामिया समिया अट्ठदंसी।
आणाए सुद्धं वयणं भिउंजे, भिसंधए पावविवेग भिक्खू ॥२४॥
154
Page #166
--------------------------------------------------------------------------
________________
પ૯૬, ત્યાગ અર્થે તે ભિક્ષુ શાંત રહે છે, પોતાના તેજ વડે તે વિશારદ થાય છે.
આત્માર્થી થઈ મૌન પાળે છે. શુદ્ધ થઈ મોક્ષે જાય છે.
૫૯૭. ધર્મને જાણી જાગ્રતિ કરે છે. જ્ઞાની હોય તે અંત કરતા થાય છે. તે સંશોધન
કરી પ્રશ્નોનો જવાબ દે છે, તે બન્ને કર્મનાશ કરી મુક્ત થવા અને સંસાર પાર થવા માંગે છે.
પ૯૮. તે ઘર છાજે નહિ કે કોઈને ઈજા પણ ન કરે. માન અને કીર્તિને ઇચ્છે નહિ.
તે પોતાના જ્ઞાન વડે કોઈની મશ્કરી ન કરે, વળી કોઈને આશીર્વાદ આપી જાગ્રતિ કરે નહિ.
૫૯૯. જરા પણ હિંસાની શંકાથી તેને અણગમો થાય છે, તે પોતાના ગોત્રનું
જીવનનિર્વાહ મંત્રોથી કરે નહિ, પ્રજા પાસેથી તે જરા પણ ઇચ્છે નહિ, મિથ્યાત્વી ધર્મો વિશે કશુંયે ન કહે.
૬૦૦. મિથ્યાત્વીઓના હસવામાં સંધાય નહિ. નીચ પણ સાચું અને કર્કશ પણ
જાણી લે. કોઈને હલકો માને કે કરે પણ નહિ. ભિક્ષુ આકુળ ન થાય અને કષાયોથી દૂર રહે.
૬૦૧. ભિક્ષુ શંકા વિનાના ભાવમાં શંકા કરે. તે બોલવામાં સ્યાદ્વાદનો ઉપયોગ
કરે. ધર્મમાં સ્થિર રહી બે જાતની ભાષાનો પણ ઉપયોગ કરે. પોતાની હોંશિયારી અને જ્ઞાનથી જાગ્રતિ આણે.
૬૦૨. સમય જાય તેમ અસત્યને પણ જાણે. સાચું સાચું છે એમ કર્કશ થઈ ન
બોલે. હિંસાની વાર્તા ન કરે. નિરુદ હોય તેને લંબાવે નહિ.
૬૦૩. સમિતિઓ પાળી શાંત થઈ અર્થયુક્ત અને પરિપૂર્ણ રીતે સિધ્ધાંતનું કહે.
આજ્ઞા શુદ્ધ વચને કરે, ભિક્ષુ પાપનો વિવેકથી વિચાર કરે અને તે દૂર કરે.
155
Page #167
--------------------------------------------------------------------------
________________
६०४. अहाबुइयाई सुसिक्खएज्जा, जएज्ज या णातिवेलं वदेज्जा।
से दिद्विमं दिद्विण लूसएज्जा, से जाणति भासिउं तं
समाहिं ॥२५॥
६०५. अलूसए णो पच्छण्णभासी, णो सुत्तमत्थं च करेज्ज ताई।
सत्थारभत्ती अणुवीति वायं, सुयं च सम्मं पडिवातएज्जा ॥२६॥
६०६. से सुद्धसुत्ते उवहाणवं च, धम्मं च जे विंदति तत्थ तत्थ ।
आदेज्जवक्के कुसले वियत्ते, से अरिहति भासिउं तं समाहिं ॥२७॥
ति बेमि ।
॥चतुर्दशमध्यमनं समाप्तम् ॥
156
Page #168
--------------------------------------------------------------------------
________________
૬૦૪. સારી રીતે યોગ્ય રીતે, બોલે અને શીખવાડે પણ. બહુ ન બોલવા યતના
કરે. તે દૃષ્ટિમાં પોતાની દષ્ટિને હાનિ કરે નહિ. તે ભિક્ષુ સમાધિને જાણી તેને કહેવા સમર્થ છે.
૬૦૫. જેથી દુઃખ થાય તેવું પીઠ પાછળ ન બોલે, રક્ષણહાર સૂત્રાર્થ કરે નહિ.
શાસ્ત્ર અને શ્રુત ભક્તિથી ક્રમવાર બોલે, તે રીતે જ શ્રત અને સમ્યકત્વનું પ્રતિપાદન કરે.
૬૦૬. તે સૂત્રોને શુદ્ધ રીતે જાણે છે, તપ કરે છે, તે ધર્મોપદેશ સાચી રીતે દે છે.
તે શ્રેષ્ઠ વક્તા કુશળ છે અને જાદો તરી આવે છે. તેવો મુનિ સમાધિ વિશે બોલવા પાત્ર છે.
આમ હું કહું છું. અધ્યયન ચૌદમું સમાપ્ત થયું.
157
Page #169
--------------------------------------------------------------------------
________________
१५. पण्णरसमं अज्झयणं 'जमतीतं'
६०७. जमतीतं पडुप्पण्णं, आगमिस्सं च णायगो ।
सव्वं मण्णति तं ताती, दंसणावरणंतए ॥१॥ ६०८. अंतए वितिगिछाए, से जाणति अणेलिसं ।
अणेलिसस्स अक्खाया, ण से होति तर्हि तहिं ॥२॥ ६०९. तहिं तहिं सुयक्खायं, से य सच्चे सुयाहिए ।
सदा सच्चेण संपण्णे, मेत्तिं भूतेहिं कप्पते ॥३॥ ६१०. भूतेहिं न विरुज्झेज्जा, एस धम्मे वुसीमओ ।
वुसीमं जगं परिण्णाय, अस्सिं जीवितभावणा ॥४॥
६११. भावणाजोगसुद्धप्पा, जले णावा व आहिया ।
नावा व तीरसंपत्ता, सव्वदुक्खा तिउट्टति ॥५॥ ६१२. तिउट्टति तु मेधावी, जाणं लोगंसि पावगं ।
तिउटुंति पावकम्माणि, नवं कम्ममकुव्वओ ॥६॥ ६१३. अकुव्वतो णवं नत्थि, कम्मं नाम विजाणइ ।
विनाय से महावीरे, जेण जाति ण मिज्जती ॥७॥
६१४. न मिज्जति महावीरे, जस्स नत्थि पुरेकडं ।
वाऊ व जालमच्चेति, पिया लोगंसि इथिओ ॥८॥
६१५. इथिओ जे ण सेवंति, आदिमोक्खा हु ते जणा ।
ते जणा बंधणुम्मुक्का, नावकंखंति जीवितं ॥९॥
158
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫. અધ્યયન પંદરમું “જમતીત”
૬૦૭. ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યના નાયકો જ્યારે દર્શનાવરણી
કર્મો નાશ થાય ત્યારે તે સઘળા રક્ષણકર્તા મનાય છે.
*
**
૬૦૮. જ્યારે સર્વ શંકા નાશ પામે ત્યારે તે પૂરેપૂરું જાણે છે. પરિપૂર્ણ જ્ઞાની જ્યાં
ત્યાં થાય નહિ એમ કહેલું છે. તે યથાતથ્ય છે.
૬૦૯. જે સત્ય શ્રુતને ભાખે છે તે જ સાચું શ્રુત કહે છે. તે સત્યથી સદાપૂર્ણ છે,
સર્વ સાથે મૈત્રી વિચારવી યોગ્ય છે.
૬૧૦. કોઈ પણ જીવનો વિરોધ કરવો નહિ એમ શાસ્ત્રમાં કહ્યું છે તે શ્રેષ્ઠ મત
છે. આ જગને શ્રેષ્ઠ રીતે જોવાની આ દરેક જીવની ભાવના છે.
૬૧૧. ભાવ અને યોગથી શુદ્ધ આત્મા, તે જળમાં નાવની જેમ કહ્યો છે. નાવથી
તીર પ્રાપ્ત થાય છે તેમ સર્વ દુઃખો તૂટે છે.
૬૧૨. વિદ્વાન પોતાનાં કર્મો અને પાપોને જાણી તોડે છે. પાપ કર્મો તે તોડે છે
અને નવાં કર્મો કરતો નથી.
૬૧૩. તે નવાં કર્મો કરતો નથી, નામ કર્મ પણ ન કરે. ભગવાન વીરે તે જાણી
લીધું છે, તેમને જન્મ અને મૃત્યુ નથી.
૬૧૪. મહાવીરને મૃત્યુ નથી, તેમને પૂર્વેના કર્મો જ રહ્યાં નથી. વાયુ વાળાને
અર્ચે છે તેમ સ્ત્રીયો આ લોક પ્રિય છે.
૬૧૫. જે સ્ત્રીઓને સેવે નહિ તે લોકો પ્રથમ મોક્ષે જાય છે. તે લોકો બંધનોથી
મુક્ત છે અને જીવવા ઇચ્છા નથી કરતા.
159 - -
Page #171
--------------------------------------------------------------------------
________________
६१६. जीवितं पिट्ठतो किच्चा, अंतं पार्वति कम्मुणा । कम्मुणा संमुहीभूया, जे मग्गमणुसासति ॥ १० ॥
६१७. अणुसासणं पुढो पाणे, वसुमं पूयणासते । अणासते जते दंते, दढे आरयमेहुणे ॥ ११ ॥
६१८. णीवारे य न लीएज्जा, छिन्नसोते अणाइले । अणाइले सया दंते, संधि पते अणेलिसं ॥ १२ ॥
६१९. अणेलिसस्स खेतण्णे, ण विरुज्झेज्ज केणइ । मणसा वयसा चेव, कायसा चेव चक्खुमं ॥१३॥
६२०. से हु चक्खू मणुस्साणं, जे कंखाए तु अंतए । अंतेण खुरो वहती, चक्कं अंतेण लोट्टति ॥१४॥
६२१. अंताणि धीरा सेवंति, तेण अंतकरा इहं । इह माणुस्सए ठाणे, धम्ममाराहिउं णरा ॥ १५ ॥
६२२. निट्ठितठ्ठा व देवा वा, उत्तरीए इमं सुतं ।
सुतं च मेतमेगेसिं, अमणुस्सेसु णो तहा ॥१६॥
६२३. अंतं करेंति दुक्खाणं, इहमेगेसि आहितं । आघायं पुण एगेसिं, दुल्लुभेऽयं समुस्सए ॥१७॥
६२४. इतो विद्धंसमाणस्स, पुणो संबोहि दुल्लभा । दुल्लभा उ तहच्चा णं, जे धम्मट्ठ वियागरे ॥ १८ ॥
६२५. जे धम्मं सुद्धमक्खंति, पडिपुण्णमणेलिसं । अणेलिसस्स जं ठाणं, तस्स जम्मका कुतो ॥१९॥
160
Page #172
--------------------------------------------------------------------------
________________
૬૧૬. જીવનને પીઠ બતાવી, કર્મનો નાશ કરે છે. જે માર્ગને શિખવાડે છે તે
કર્મોનો સામનો કરે છે.
૬૧૭. જાદા જાદા માણસોને ધર્મની દેશના આપી આ લોકે પૂજનની આશા કરે
છે. તે આશા વિનાની યતના કરે છે, શાંત થાય છે, તે દ્રઢ થઈ મૈથુન સેવવું બંધ કરે છે.
૬૧૮. નિવારને ન લે. જ્ઞાની કે જે અનાકુળ છે, પવિત્ર છે, તે સદા શાંત હોય છે.
તે પૂરેપૂરી સિદ્ધિ મેળવે છે.
૬૧૯. તે સંપૂર્ણ જ્ઞાની કુશળ હોય છે, તે કશાનો પણ વિરોધ મન, વચન અને
કાયાથી અને આંખોથી જોઈ, કરી ન શકે.
૬૨૦. તે આ લોકે માણસોનાં ચક્ષુ જેવા છે. જે અંતની ઇચ્છા કરે છે. અંતથી જ
છૂરો વધ કરે છે. ચાક પણ અંતથી જ ગોળ ગોળ ફેરવે છે (ફરે છે).
૬૨૧. ધીર પુરુષ અંતને સેવે છે. તેથી જ તે અંતકર થાય છે. આ લોકે માણસો
ધર્મનું આરાધન કરે છે.
૬૨૨. તે દેવની જેમ નિશ્ચિત અર્થે દેખાય છે. મેં છેલ્લે છેલ્લે આમ સાંભળ્યું છે. મેં
આ એક જ સાંભળ્યું છે કે અમનુષ્ય માટે તે સાચું નથી.
૬૨૩. તે દુઃખનો અંત કરે છે એમ કહે છે. વળી એમ કહે છે કે અહીંથી ઉચ્ચ
ગતિએ જવાનું દુર્લભ છે.
૬૨૪. અહીંનાશ કરનારને ફરી સમ્યકત્વ પ્રાપ્તિ દુર્લભ છે તેમ જ ત્યાં સાચા ધર્મ
જાગ્રતિ કરનારા મળવા પણ મુશ્કેલ છે.
૬૨૫. જે શુદ્ધ ધર્મને પૂરેપૂરો અખંડ કહે છે તે અખંડ જ્ઞાનીને જે સ્થાન છે તેને
પુનર્જન્મ ક્યાંથી હોય?
161
Page #173
--------------------------------------------------------------------------
________________
६२६. कुतो कताई मेधावी, उप्पज्जंति तहागता ।
तहागता य अपडिण्णा, चक्खू लोगस्सऽणुत्तरा ॥ २० ॥ ६२७. अणुत्तरे य ठाणे से, कासवेण पवेदिते ।
जं किच्चा णिव्वुडा एगे, निट्टं पावंति पंडिया ॥२१॥ ६२८. पंडिए वीरियं लद्धुं, निग्घायाय पवत्तगं । धुणे पुव्वकडं कम्मं नवं चावि न कुव्वति ॥ २२ ॥
६२९. न कुव्वती महावीरे, अणुपुव्वकडं रयं । रयसा संमुहीभूते, कम्मं हेच्चाण जं मतं ॥ २३ ॥
६३०. जं मतं सव्वसाहूणं, तं मयं सल्लकत्तणं ।
साहइत्ताण तं तिण्णा, देवा वा अभविसु ते ॥२४॥
६३१. अभविसु पुरा वीरा, आगमिस्सा वि सुव्वता । दुण्णिबोहस्स मग्गस्स, अंतं पादुकरा तिण्ण ॥ २५ ॥ त्ति बेमि ॥
॥जमती(तं) सम्मत्तं पञ्चदशमध्ययनम् ॥
162
Page #174
--------------------------------------------------------------------------
________________
૬૨૬. ક્યાં અને કેટલા બુદ્ધિમાન તથાગત રૂપે ઊપજે છે? તથાગત અપ્રતિજ્ઞ છે
તે લોકોનાં શ્રેષ્ઠ નેત્ર જેવાં છે.
૬૨૭. જે સ્થાન વિશે કાશ્યપ મુનિએ કહ્યું છે તે સ્થાનસર્વ શ્રેષ્ઠ છે. પંડિતો તે
કૃત્યો કરવાં નિવૃત્ત થાય છે અને તે ચોક્કસ મેળવે છે.
૬૨૮. પંડિત પોતાની શક્તિથી પ્રવર્તતાં કર્મોનો નાશ કરે છે. પછી તે પૂર્વે કરેલાં
કર્મો તે ધોઈ નાખે છે. નવાં કર્મો તે કરતાં નથી.
૬૨૯. મહાવીર અનુપૂર્વથી કરેલાં કર્મોના રજનો સામનો કરી તે સર્વે કર્મોને
ત્યાગે છે. એવો મત છે.
૬૩૦. કર્મોના મેલનો શલ્યની જેમ નાશ કરવો તે મત સર્વે સાધુઓનો છે. તે
સાધ્ય કરી તે તરે છે અને દેવ થાય છે.
૬૩૧. પૂર્વે વીર થઈ ગયા છે અને ભવિષ્યમાં પણ સુવ્રતધારી થશે. તે બન્ને સમ્યક્
જ્ઞાનનો માર્ગ જ છેવટે પ્રકાશમાં લાવશે અને સંસાર તરી જશે.
આમ હું કહું છું. અધ્યયન પંદરમું સમાપ્ત થયું.
163
Page #175
--------------------------------------------------------------------------
________________
१६. सोलसमं अज्झयणं 'गाहा'
६३२. अहाह भगवं-एवं से दंते दविए वोसट्टकाए ति वच्चे माहणे तिवा
१ समणे ति वा २, भिक्खू ति वा ३, णिग्गंथे ति वा ४ । (१) ६३३. पडिआह-भंते! कहं दंते दविए वोसट्ठकाए ति वच्चे माहणे ति वा
समणे ति वा भिक्खूति वा णिग्गंथे ति वा? तं नो बूहि महामुणी! (२)
६३४. इति विरतसव्वपावकम्मे पेज्ज-दोस-कलह-अब्भक्खाण-पेसुन्न
परपरिवाय-अरतिरति-मायामोस-मिच्छादसणसले विरए समिते सहिते सदा जते णो कुज्झे णो माणी माहणे ति वच्चे । (३)
६३५. एत्थ वि समणे अणिस्सिते अणिदाणे आदाणं च अतिवायं च
मुसावायं च बहिद्धं च कोहं च माणं च मायं च लोभं च पेज्जं च दोसंच इच्चेवं जतो जतो आदाणातो अप्पणो पदोसहेतुं ततो तओ आदाणातो पुव्वं पडिविरते विरते पाणाइवायाओ दंते दविए
वोसट्ठकाए समणे त्ति वच्चे । (४) ६३६. एत्थ वि भिक्खू अणुन्नए नावणए णामए दंते दविए वोसट्ठकाए
संविधुणीय विरूवरूवे परीसहोवसग्गे अज्झप्पजोगसुद्धादाणे उवट्ठिते ठितप्या संखाए परदत्तभोई भिक्खुत्ति वच्चे । (५)
164
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬.
અધ્યયન સોળમું “ગાથા’’
૬૩૨. આમ ભગવાન બોલ્યા ઃ આમ તે શાંત, વેલો, કાયાથી કાર્યોત્સર્ગ કરેલો, તેને બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ કે નિગ્રંથ કહ્યો છે. (૧)
૬૩૩. શિષ્યે કહ્યું: હે ભગવંત! તેને કેમ કરી શાંત દ્રવેલો, કાયાથી કાર્યોત્સર્ગ કરેલો હોય, તો તે બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ કે નિગ્રંથ કહેવાય? તે હે મહામુનિ ! તમે કહ્યું નથી. (૨)
૬૩૪. જે અહીં સર્વ પાપોથી વિરતિ કરે છે, રાગ, દ્વેષ, કલહ, આરોપ કરવો, પૈશૂન્ય, પ૨પરિવાદ, અરિત, ચિંત, માયા, ખોટું બોલવું, મિથ્યાદર્શન શલ્ય, આ સર્વેથી વિરતિ કરે, સમિતિ પાળે, સ્વહિતે યતના કરે, ક્રોધ કે ગર્વ ન કરે તે બ્રાહ્મણ કહેવાય. (૩)
૬૩૫. અહીં પણ, શ્રમણ નિશ્રામાં ન રહે, નિયાણું ન કરે, ક્રોધ, માન, માયા ને લોભ ન કરે, રાગદ્વેષ ટાળે, યતના કરે, પોતાના દોષ વર્જન કરે. હિંસા ન કરે, તેને શાંત, વેલો, કાયાથી કાર્યોત્સર્ગ કરેલાં, તે શ્રમણ કહેવાય. (૪)
૬૩૬. જે આમ ઉન્નતિ વિનાનો, નામથી નમે નહિ. તે દાંત, દ્રવેલો અને શરીરથી કાર્યોત્સર્ગ કરેલો, જુદા જુદા ઉપસર્ગોને સહે છે. અધ્યાત્મ, શુદ્ધ થઈ પ્રાપ્ત કરે છે. શુદ્ધ યોગ કરે છે. તે પરદત્ત ભોજન જાણે છે. તેને ભિક્ષુ કહેવાય. (૫)
165
Page #177
--------------------------------------------------------------------------
________________
६३७. एत्थ वि णिग्गंथे एगे एगविऊ बुद्धे संछिण्णसोते सुसंजते सुसमिते
सुसामाइए आयवायपत्ते य विदू दुहतो वि सोयपलिच्छिण्णे णो पूया-सक्कार-लाभट्ठी धम्मट्ठी धम्मविदू णियागपडिवण्णे समियं चरे दंते दविए वोसट्टकाए निग्गंथे त्ति वच्चे । (६) से एवमेव जाणह जमहं भयंतारो त्ति बेमि ।
॥गाथा षोडशमध्ययनं समाप्तम ॥ ॥पढमो सुयक्खंघो सम्मत्तो ॥
166
Page #178
--------------------------------------------------------------------------
________________
૬૩૭. નિગ્રંથ એકલવિહારી, એકલ જ્ઞાની, બોધ પામેલો, શ્રુત જાણકાર, સારો સંયમ પાળે છે. સમિતિયુક્ત, સામાયિકમાં વર્તે છે. તે વિદ્વાન, આત્મવાદી અને શોકવિનાનો છે. પૂજન સત્કારથી દૂર રહે છે. તે ધર્મમાં સ્થિર, વિદ્વાન, નિયાગ મેળવે છે. તે દાંત, દ્વવેલો અને કાર્યોત્સર્ગ કરતો નિગ્રંથ કહેવાય છે. (૬)
આ સર્વે તું જાણ, તેને હું ભયતારક કહું છું. અધ્યયન સોળમું સમાપ્ત થયું. પ્રથમ શ્રુતસ્કંધ પૂરો થયો.
167
Page #179
--------------------------------------------------------------------------
Page #180
--------------------------------------------------------------------------
_