Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

Previous | Next

Page 416
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૯૩ શતાબ્દોમાં પણ ચાલુ રહ્યું છે..‘એટલે વાસણદાય યાદવરાયના પર્યાય તરીકે રાઘવરાય વાપરે છે. * (પૃ.૧૪-૧૫)એ મુજબ ભાલણ પણ કૃષ્ણના પર્યાયરૂપે અહીં રાઘવ, રઘુનાથ પ્રયોજતાં દષ્ટિગોચર થાય છે. દશમસ્કંધમાં વચ્ચે ૩૨૬ થી ૩૪૬ પદ-કડવાં સુધી ‘રુકમણી વિવાહ', ૩૪૭ થી ૩૬૬ કમ સુધી “સત્યભામાવિવાહ', ૩૯૪ થી ૪૧૪ કમ સુધી “ઓખાહરણ” અને ૪૫૯ થી ૪૬૮ ક્રમમાં ‘સુદામાચરિત્રનું કથાનક છે. આ સ્વતંત્ર કથાનકવાળી રચનાઓમાં “સત્ય ભામાવિવાહ' અને મૂળ દશમસ્કંધમાં “કમાણી વિવાહમાં તો આરંભ અને અંત પણ અલગ રીતે રચેલ હશે અને અહીં સંકલિત કરીને પ્રસ્તુત કરાઇ હશે એવા કે.કા. શાસ્ત્રીના તર્ક સાથે સહમત થવા જેવું છે. સળંગ કૃતિ તરીકે ઇ.સ. ૧૯૫૫માં હરગોવિંદદાસ કાંટાવાળાએ સંકલિત-સંપાદિત કરીને દશમસ્કંધ' નામે પ્રકાશિત કરી છે. - ભાલણની કથાને નિરૂપવાની કળાશક્તિનો પરિચય કરાવતી આ રચના મધ્યકાલીન ગુજરાતીમાં કૃષ્ણચરિત્ર નિરૂપણની દષ્ટિએ અત્યંત મહત્ત્વની છે. વાત્સલ્ય, શૃંગાર, વિરહ અને પ્રણયભાવોનું નિરૂપણ તથા રાગ, ઢાળ અને અલંકાર યોજનામાં ભાલણની વિષયને રસપ્રદ રીતે પ્રયોજવાની શક્તિમત્તાનું દર્શન થાય છે. પદબંધની રચનાઓ (૧૪) “રામબાલચરિતનાં પદો' રામની બાળલીલા, માતૃવાત્સલ્ય અને રામ પરત્વેની ભક્તિ ભાલણને પ્રગટ કરતાં આ પદો મધ્યકાલીન ગુજરાતીમાં જ કૃષ્ણ લીલાનાં પદો મળે છે. એ પરંપરાનાં જણાય છે. નિદ્રાધીન રામનું વર્ણન અને ચાલતાં શીખી રહેલા રામનું વર્ણન પ્રભાવક રીતે થયું હોઈ આ પદોની ભાલણની વર્ણનકલાશક્તિનાં પરિચાયક પદો તરીકે ઓળખાવી શકાય. કુલ ૩૧ પદો જેઠાલાલ ત્રિવેદીએ ‘ભાલણનાં પદ' (બી.આ. ઇ.સ. ૧૯૭૨)માં સંપાદિત કરીને પ્રસ્તુત ભાલણનાં ૪૦ પદો મળે છે. • ' પણ ૪૧મું પદ જેઠાલાલ ત્રિવેદીએ ભાલણના નામે રચીને પ્રસ્તુત કરેલ છે. (૧૫) પ્રકીર્ણ પદો' કેટલાંક ભાલણની નામછાપવાળાં છૂટક પદો પણ પ્રાપ્ત થયાં છે. રેટિયાનું પદ', “ભાલણ, ઉદ્ધવ અને ભીમમાં તથા બીજાં કેટલાંક પદો ધીરુભાઈ દોશીએ” ‘ભાલણનાં ભાવગીતો'માં પ્રકાશિત કર્યા છે. આ બધી કૃતિઓનો આછો પરિચય મેળવ્યો, એના સંદર્ભો પણ સાથે મૂક્યા છે. ભાલણની અવનવા વિષયોને સૂઝથી નિરૂપવાની શક્તિનો એમાંથી પરિચય મળે છે. ભાલણનું કવન ખરા અર્થમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક મહત્વના પરિબળ સમાન જણાય છે. આવા મહત્ત્વના મધ્યકાલીન સર્જનકના જીવન કવનના આકલન દ્વારા ખરી તથ્યપૂર્ણ વિગતો પ્રસ્તુત થઇ શકી. (ગુજરાતી સાહિત્ય પરિષદ ૪૧મું અધિવેશન : સ્મરણિકા માંથી સાભાર)

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582