Book Title: Yogabheda Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 54
________________ ૨૮ યોગભેદદ્વાત્રિશિકા/શ્લોક-૮ हि स्फुटं, अद एवाध्यात्ममेव नु अतिदारुणमोहविषविकारनिराकारकत्वादस्येति ।।८।। ટીકાર્ય : તો ..... પ્રતિય, આનાથી શાસ્ત્રાનુસારી તત્વચિંતનરૂપ અધ્યાત્મથી, જ્ઞાનાવરણીયાદિ ક્લિષ્ટકર્મના પ્રલયરૂપ પાપક્ષય-આત્માને પારમાર્થિક હિત બતાવવામાં પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ ક્લિષ્ટકર્મના નાશ સ્વરૂપ પાપક્ષય, સર્વત્રવીર્યનો ઉત્કર્ષ-આત્મગુણોનો પ્રકર્ષ કરવામાં ઉપયોગી એવા વીર્યનો ઉત્કર્ષ, શીલ=ચિત્તની સમાધિ=ચિત્ત બાહ્ય પદાર્થોથી સમાધાન પામેલું હોવાથી આત્મભાવમાં વિશ્રાંત પામે એવું ચિતનું સ્વરૂપ, શાશ્વતઃઅપ્રતિઘ, વસ્તુના અવબોધરૂપ જ્ઞાન-તત્ત્વને જોવામાં પ્રતિઘાત ન પામે તેવું તત્ત્વનું જ્ઞાન, થાય છે. તથતિ ..સમુચ્ચયે / શ્લોકમાં તથા' શબ્દ અન્ય વક્તવ્યના સમુચ્ચયમાં છે. તે અન્ય વક્તવ્ય શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે – હનુમવસદ્ધ ..... ઉચ્ચતિ આ જ અધ્યાત્મ જ, સ્પષ્ટ અનુભવસંસિદ્ધર સ્વસંવેદન પ્રત્યક્ષ, અમૃત–પીયૂષ છે; કેમ કે આનું અધ્યાત્મનું, અતિદારુણ એવા મોહરૂપ વિષના વિકારોનું નિરાકારકપણું છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિસૂચક છે. Iટા ભાવાર્થ : કોઈ યોગીએ ઔચિત્યપૂર્વક વ્રતોને ગ્રહણ કર્યા હોય અને વ્રત ગ્રહણ કરીને મૈત્યાદિ ભાવોથી આત્માને વાસિત કરેલો હોય, તેથી મૈત્યાદિના પ્રતિપક્ષ એવા ઈર્ષ્યાદિ દોષો ચિત્તમાં કાલુષ્ય કરતા ન હોય, આવા નિર્મળ ચિત્તવાળો યોગી શાસ્ત્રવચનાનુસાર તત્ત્વચિંતન કરતો હોય, તે ચિંતનકાળમાં વર્તતો ઉપયોગ અધ્યાત્મના પરિણામરૂપ છે. આ અધ્યાત્મથી થતા કાર્યને બતાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130