Book Title: Yogabheda Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 128
________________ ૧૦૨ યોગભેદદ્વાચિંશિકા/બ્લોક-૩૨ શ્લોકાર્થ : ભગવાનના વચનની સ્થિતિથી પાંચ પ્રકારનો પણ આકચોગ શીઘ પરમાનંદરૂપ સર્વોત્તમ ફળને આપે છે. II3રા કન્વિવિઘSધ્યયમ્ - અહીં ‘પ' થી એ કહેવું છે કે વૃત્તિક્ષયરૂપ એક પ્રકારનો યોગ તો સર્વોત્તમ ફળને આપે છે, પરંતુ અધ્યાત્માદિ પાંચે પણ પ્રકારનો યોગ સર્વોત્તમ ફળને આપે છે. ટીકા - માવતિ-નિવસિદ્ધોડયમ્ આરૂરી ટીકાર્ચ - નિયાસિદ્ધોડયમ્ - શ્લોકના કથનમાત્રથી અર્થ સિદ્ધ છે. ૩રા ભાવાર્થઅધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગનું ફળ : પાંચમાં ગુણસ્થાનકે રહેલા સાધક, આગમને પરતંત્ર થઈને મન, વચન કાયાના યોગો યોગમાર્ગની ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તાવતા હોય ત્યારથી અધ્યાત્મયોગનો પ્રારંભ થાય છે; અને તે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ જેમ જેમ ભગવાનના વચનાનુસાર ઉપર ઉપરની ભૂમિકાવાળી થાય છે, તેમ તેમ ઉપર ઉપરની કક્ષાનો યોગ પ્રગટે છે અને તેની નિષ્ઠા યોગનિરોધમાં થાય છે. તેથી સર્વજ્ઞના વચનની પરતંત્રતાથી કરેલા અનુષ્ઠાનથી માંડીને યોગનિરોધ સુધીનો સર્વ યોગ ભગવાનના વચનની મર્યાદા પ્રમાણે હોવાથી શીઘ્ર પરમાનંદરૂપ સર્વોત્તમ એવા મોક્ષફળને આપે છે. માટે મોક્ષના અર્થી એવા જીવે શાસ્ત્રવચનથી યોગનો બોધ કરીને શાસ્ત્રને પરતંત્ર થઈને શક્તિના પ્રકર્ષથી યોગમાર્ગમાં યત્ન કરવો જોઈએ કે જેથી શીધ્ર મોક્ષફળની પ્રાપ્તિ થાય.IIરૂરી इति योगभेदद्वात्रिंशिका ।।१८।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130