Book Title: Yog Drushti Samucchay Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 92
________________ ૪૭૧ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૩ वर्तमानः स्यात्', तद्वत्सदा तद्भावादिति, पक्षान्तरमाह-'असन्वा सदैव हि' तया विरोधेन तद्ग्रस्तत्वाિિત ા૨૨રૂપા ટીકાર્ય : ‘મનન્નરક્ષTSભૂતિઃ'.... તસ્તત્વાતિ / અનંતર ક્ષણની અભૂતિ વિદ્યમાન પદાર્થક્ષણની પૂર્વેક્ષણ અને પશ્ચાત્ ક્ષણની અભૂતિ, અહીં=સ્વભાવ ભાવાવધિવાળો નથી એ પ્રકારના સ્વીકારમાં, જેની પદાર્થની વર્તમાન ક્ષણની, આત્મભૂત છે, વા=અથવા, યસ્થ વાહિન =જે વાદીના મતમાં, અનંતર ક્ષણની અભૂતિ પદાર્થક્ષણની આત્મભૂત છે, એમ સંબંધ છે. તેને તે કથન સ્વીકારનારને, દોષ કહે છે – તેની સાથે અનંતર ક્ષણની અભૂતિ સાથે, વર્તમાનભાવથી અવિરોધ હોવાને કારણે આ=વર્તમાન પદાર્થ, નિત્ય થાય; કેમ કે તેની જેમ=અનંતર ક્ષણની અભૂતિ સાથે વર્તમાન ક્ષણ રહેલી છે, તેની જેમ, સદા=હંમેશાં, તેનો ભાવ છે=વર્તમાન પદાર્થનો ભાવ છે. ત્તિ' શબ્દ પ્રથમ પક્ષની સમાપ્તિમાં છે. પક્ષાતરને કહે છે – વા=અથવા, સત્ સવ દિ=સદા જ અસત્ થાય=પદાર્થ સદા અવિદ્યમાન થાય; કેમ કે તેની સાથે અનંતર ક્ષણની અભૂતિ સાથે, વિરોધ હોવાને કારણે=વર્તમાન ક્ષણનો વિરોધ હોવાને કારણે, તદ્ ગ્રસ્તપણું છે=અનંતર ક્ષણની અભૂતિથી વર્તમાન ક્ષણનું પ્રસ્તપણું છે. ‘તિ' શબ્દ પક્ષાતરની સમાપ્તિ માટે છે. ૧૯૩ ભાવાર્થ : પૂર્વશ્લોકમાં કહ્યું કે સ્વભાવ ભાવાવધિયુક્ત છે, અને તેમ ન સ્વીકારવામાં આવે તો અતિપ્રસંગ છે. તે અતિપ્રસંગ પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – જો સ્વભાવ ભાવાવધિ ન સ્વીકારવામાં આવે અને એમ માનવામાં આવે કે પદાર્થની વર્તમાનક્ષણનો તેવો સ્વભાવ છે કે પૂર્વેક્ષણ અને પશ્ચાત્સણમાં તે પદાર્થ હોતો નથી, માત્ર વર્તમાનક્ષણમાં હોય છે, તો એ પ્રાપ્ત થાય કે પદાર્થની વર્તમાનક્ષણરૂપ અનંતર ક્ષણની અભૂતિ છે; કેમ કે પદાર્થક્ષણથી અતિરિક્ત પ્રસ્તુત પદાર્થની પૂર્વેક્ષણ નથી અને પશ્ચાત્કણ નથી. તેથી પદાર્થની પૂર્વેક્ષણની અભૂતિ અને પશ્ચાત્મણની અભૂતિ પદાર્થક્ષણરૂપ છે, અને તેમ સ્વીકારનાર વાદીને એ દોષ આવે કે અનંતરક્ષણની અભૂતિ સાથે પદાર્થના વર્તમાન ભાવનો વિરોધ નથી. તેથી પદાર્થ વર્તમાન ક્ષણમાં રહે છે, અને તે પદાર્થક્ષણમાં અનંતરક્ષણની અભૂતિ રહે છે, અને જે રીતે વર્તમાનક્ષણમાં અનંતરક્ષણની અભૂતિ સાથે પદાર્થક્ષણ રહે છે, તે રીતે ઉત્તરમાં પણ અનંતરક્ષણની અભૂતિ સાથે પદાર્થ રહે છે, તેમ માની શકાય; કેમ કે અનંતરક્ષણની અભૂતિ સાથે પદાર્થક્ષણનો વિરોધ નથી. અને જો એમ માનવામાં આવે કે પદાર્થક્ષણની સાથે અનંતરક્ષણની અભૂતિનો વિરોધ છે, તો પદાર્થક્ષણમાં પણ અનંતરક્ષણની અભૂતિ રહેલી હોવાને કારણે પદાર્થક્ષણમાં પણ

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158