________________
પ૦૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧૦-૨૧૧ ભાવાર્થ :
(૧) જે જીવો યોગીકુળમાં જન્મેલા છે અને યોગીના ધર્મને અનુસરતા નથી, તેઓ દ્રવ્યથી કુલયોગી છે; અને (૨) જે જીવો યોગીના કુળમાં જન્મ્યા છે અને યોગીધર્મને અનુસરે છે, અથવા યોગીકુળમાં જન્મ્યા નથી પરંતુ પ્રકૃતિથી યોગીના ધર્મને અનુસરનારા છે, તેઓ બન્ને ભાવથી કુલયોગી છે; અને (૩) જેઓ આર્યદેશમાં ઉત્પન્ન થયા છે, આમ છતાં યોગીના કુળમાં જન્મ્યા નથી અને યોગીના ધર્મને અનુસરતા પણ નથી, તેઓ ગોત્રયોગી છે, પરંતુ કુલયોગી નથી. ll૨૧૦ના અવતરણિકા :
एतद्विशेषलक्षणमधिकृत्याह - અવતરણિકાર્ચ -
આતા કુલયોગીના,વિશેષ લક્ષણને શ્લોક-૨૧૦માં બતાવાયેલા વિશેષ લક્ષણને, આશ્રયીને કહે છે - ભાવાર્થ :
શ્લોક-૨૦૯માં યોગશાસ્ત્રના અધિકારી કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી છે તેમ કહ્યું. તેનાથી કુલયોગીનું સામાન્ય સ્વરૂપ બતાવાયું, અને શ્લોક-૨૧૦માં કુલયોગીનું વિશેષ સ્વરૂપ બતાવાયું. હવે ભાવથી કુલયોગીના વિશેષ સ્વરૂપને આશ્રયીને તેવા વિશેષ સ્વરૂપવાળા કુલયોગીની પ્રકૃતિ અને પ્રવૃત્તિ કેવી હોય ? તે બતાવે છે – શ્લોક :
सर्वत्राऽद्वेषिणश्चैते गुरुदेवद्विजप्रियाः ।
दयालवो विनीताश्च बोधवन्तो यतेन्द्रिया: ।।२११।। અન્વયાર્થ :
ર=અને સર્વત્ર=સર્વદર્શનવિષયક ગષિ =અષવાળા ગુ નપ્રિયા =ગુરુ, દેવ અને દ્વિજ પ્રિય છે જેમને એવા યાતવ:=દયાળુ વિનીતા=વિનયવાળા વાઘવ7:=બોધવાળા ર=અને વન્દ્રિય:સંયમિત ઇન્દ્રિયવાળા પતે આ ભાવથી કુલયોગીઓ છે. ર૧૧ાા શ્લોકાર્ધ :
અને સર્વદર્શનવિષયક અદ્વૈષવાળા, ગુરુ, દેવ અને દ્વિજ પ્રિય છે જેમને એવા, દયાળુ, વિનયવાળા, બોધવાળા અને સંયમિત ઇંદ્રિયવાળા, ભાવથી કુલયોગીઓ છે. રિ૧૧TI ટીકા :'सर्वत्राऽद्वेषिणश्चैते'-तथाऽऽग्रहाऽभावेन, तथा 'गुरुदेवद्विजप्रिया'-धर्मप्रभावात् तथा ‘दयालव:'