Book Title: Yog Drushti Samucchay Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 116
________________ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૩-૨૦૪ ૪૯૫ જ્ઞાન વગરનો યોગીનો આત્મા હતો, તેવો જ વર્તમાનમાં પણ મુક્તના જ્ઞાન વગરનો યોગીનો આત્મા થાય; છતાં તેને જ્ઞાન થયું છે, તેવો તેને ભ્રમ થયો છે તેમ માનવું પડે. તે આ રીતે સંસારી અવસ્થામાં આત્મા મુક્ત હોવા છતાં હું બંધાયો છું, તેવો ભ્રમ થયો છે. વસ્તુતઃ તે મુક્ત જ છે; તેમ યોગી પણ જેવો પૂર્વમાં મુક્ત હતો તેવો જ વર્તમાનમાં પણ મુક્ત છે, આમ છતાં તેને ભ્રમ થયો કે મને જ્ઞાન થયું છે. માટે યોગીના જ્ઞાનને ભ્રાંત માનવું પડે. જો યોગીનું જ્ઞાન અભ્રાંત છે, તેમ સ્વીકારવામાં આવે, તો એ સિદ્ધ થાય કે યોગી પૂર્વમાં તેવા પ્રકારના મુક્તના જ્ઞાન વગરનો હતો, અને હવે તેવા પ્રકારના મુક્તના જ્ઞાનવાળો થયો. તેથી યોગીની બે અવસ્થા સિદ્ધ થાય; અને યોગીના આત્માની બે અવસ્થા સિદ્ધ થાય તો સંસારી અને મુક્ત એ બે અવસ્થા પણ સિદ્ધ થઈ શકે. II૨૦૩I] અવતરણિકા : उक्तमानुषङ्गिकं, प्रकृतं प्रस्तुमः तच्च सिद्धस्वरूपं 'व्याधिमुक्तः पुमान् लोके' (श्लो. १८७) इत्याद्युपन्यासात्, तत्र અવતરણિકાર્ય : આનુષંગિક કહેવાયું=શ્લોક-૧૮૮ થી ૨૦૩ સુધી આનુષંગિક કહેવાયું. પ્રકૃતને=શ્લોક-૧૮૭માં બતાવ્યું કે વ્યાધિમુક્ત પુરુષ જેવો મુક્ત આત્મા છે એ રૂપ પ્રકૃતને, અમે કહીએ છીએ, અને ‘વ્યાધિમુવતઃ પુમાન્ તોò' ઇત્યાદિ શ્લોકના ઉપન્યાસથી તત્ર પ્રકૃત એવા સિદ્ધના સ્વરૂપમાં, મુક્ત કોને કહી શકાય ? તે દૃષ્ટાંતથી બતાવવા માટે શ્લોક-૨૦૪ થી ૨૦૬ સુધી કહે છે . - ભાવાર્થ: શ્લોક-૧૮૭માં કહ્યું કે “સંસારમાં વ્યાધિથી મુક્ત પુરુષ જેવો છે, તેના જેવો સિદ્ધનો આત્મા છે, પરંતુ અભાવરૂપ નથી; અથવા વ્યાધિથી મુક્ત નથી એમ નહિ; અથવા મુક્ત થતા પૂર્વમાં વ્યાધિ વગરનો નથી એમ નહિ” તે પ્રકૃત પદાર્થ છે. ત્યાં પ્રશ્ન થયો કે વ્યાધિ શું વસ્તુ છે ? તેથી બ્લોક-૧૮૮થી ભવવ્યાધિ છે, તે બતાવ્યું; અને પછી ભવવ્યાધિથી મુકાયેલો આત્મા કઈ રીતે મુક્ત બને છે ? તે યુક્તિથી બતાવ્યું; અને એકાંત ક્ષણિકવાદમાં કે એકાંત નિત્યપક્ષમાં વ્યાધિમુક્તની સંગતિ થાય નહિ, તેનું સ્થાપન શ્લોક-૨૦૩ સુધી કર્યું, જે સર્વ આનુષંગિક કથન છે. હવે શ્લોક-૧૮૭માં બતાવેલ કે મુક્ત આત્મા પ્રધ્યાતદીપકલ્પની ઉપમાવાળો નથી કે વ્યાધિથી મુક્ત નથી, એમ નહિ, કે મુક્ત થતાં પૂર્વમાં વ્યાધિ વગરનો નથી એમ નહિ, એ કથનમાં દૃષ્ટાંત બતાવીને વ્યાધિથી મુક્ત જેવો પૂર્ણ સ્વસ્થ મુક્તનો આત્મા છે, તે વાત શ્લોક-૨૦૪ થી ૨૦૬ સુધી બતાવે છે શ્લોક ઃ व्याधितस्तदभावो वा तदन्यो वा यथैव हि । व्याधिमुक्तो न सन्नीत्या कदाचिदुपपद्यते । । २०४ ।।

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158