Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 9
________________ - ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - (૬) અખેલક પરિષહ - જીર્ણ વસ્ત્રો, ફાટેલા વસ્ત્રો કે હલકા વસ્ત્રોથી દીનતા કે ક્ષોભ ન અનુભવે. જિનકલ્પી સાધુઓ કે દિગમ્બર સાધુ વસ્રરહિત હોય તે નગ્ન પરિષદને સ્વેચ્છાએ સ્વીકારે છે. (૭) અરતિ - અરઈ પરિષહ – અરતિ એટલે આનંદનો અભાવ. પ્રતિકૂળ પદાર્થોમાં ગ્લાનિ, શોક કે ચિંતા ન કરે. (૮) સ્ત્રી (ઈન્દી) પરિષહ – સાધુ ભગવંતોને ક્યારેક દુરાચારી સ્ત્રી તરફથી પરિષહ સહન કરવાના પ્રસંગો આવે છે. તેના હાવભાવ, કટાક્ષના આકર્ષણથી ચળ્યા વિના નવ વાડે વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે. (૯) ચર્યા પરિષહ - એક ગામથી બીજે ગામ વિચરતા વિહારના થાક, વિઘ્નો કષ્ટ સમભાવે સહે એ સ્થળે લાંબો સમય નિવાસ ન કરે. (૧૦) નૌષધિકી (નિસ્ત હિયા) પરિષહ -વિહારમાં રહેવા, કાયોત્સર્ગ, પ્રતિક્રમણ આદિ ક્રિયા કરવા ખંડેર, સ્મશાન, જંગલ જે સ્થળ મળે તેને ગમાં અણગમા વિના સ્વીકારે. (૧૧) શયા (સેજા) પરિષહ - વિરાટ કે ચાતુર્માસમાં ઊંચી-નીચી ટાઢ – તડકા, પવન વાળી જગા સૂવા મળે તો પ્રસન્ન ચિત્તે સ્વીકારે છે. (૧૨) આક્રોશ પરિષહ - કૂતરા ભસે કે અજ્ઞાન માણસો ભાંડે કે નિંદે તેનો ગુસ્સો, આક્રોશ ન કરે. | (૧૩) વધુ પરિષહ- કોઈ ક્રોધી મારે તો પણ શાંતિથી સહન કરે. (૧૪) યાચના પરિષહ - ગોચરી લેવા જવા ક્ષોભ કે અભિમાન ન કરે. ગોચરી ન મળે તો પણ સ્વસ્થ રહે. (૧૫) -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) (૧૫) અલાભ પરિષહ – ખપતી વસ્તુ કે ગોચરી ન મળે તો ગ્લાનિ વિના લાભાંતરનો ઉદય છે તેમ સ્વીકારે. (૧૬) રોગ પરિષહ - તીવ્ર રોગના ઉદયે સમતાભાવમાં રહે છે. (૧૭) તૃણ સ્પર્શ (તણફાસ પરિષહ) – ઘાસના સંથારા કે ખરબચડી જમીનમાં સૂવું પડે તો સમભાવે સહન કરે. (૧૮) મલ પરિષહ - શરીર કે વસ્ત્રો પરના મેલ કાઢવા સ્નાનની ઇચ્છા ન કરે. (૧૯) સત્કાર પુરસ્કાર પરિષહ – માન - અપમાનમાં સમતા રાખે. (૨૦) પ્રજ્ઞા પરિષહ - ગમે તેવા સંજોગોમાં જ્ઞાનનો ગર્વ ન કરે, પણ પોતા પાસે જે જ્ઞાન છે તે બીજાને આપવાની ભાવના રાખે. (૨૧) અજ્ઞાન પરિષહ – જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં જ્ઞાન ન મળે તો ખેદ ન કરે, પણ તપ-જપ-સમિતિ-ગુપ્તિ આરાધે. (૨૨) દર્શન (દંસણ) પરિષહ - સમ્યક પરિષહ કસોટીના સમયે પણ દેવ, ગુરુ અને ધર્મમાં શ્રદ્ધા રાખે. આ પરિષદોને સમતાભાવે સહન કરનાર સાધુ, સાધ્વી કે શ્રાવક – શ્રાવિકાઓ કોટિ કર્માન્ત નિર્જરા કરી આત્માનું ઊર્ધ્વગમન કરી શકે છે. જૈન આગમ ગ્રંથો - જૈન ઈતિહાસ અને કથાનુયોગમાં હજારો ઉપસર્ગ અને પરિષહ પ્રધાન કથાનકો જોવા મળે છે. પરિષહને સહન કરી ઉપસર્ગો સામે ઝઝૂમી વિજય મેળવનાર આત્માઓ મોક્ષપંથના પ્રવાસી બન્યા છે. (૧૬)

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 109