Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 11
________________ કિશોર શિક્ષાનો અર્થ યૌનશિક્ષા નથી. - c.B.s.E. ના ચૅરમૅન અશોક ગાંગુલી દૈનિક ભાસ્કર: તા. ૭/૪/૦૦ બારદાન બદલી નાખવાથી અંદરનો માલ બદલાઈ જતો નથી એ વાસ્તવિકતા હોવા છતાં બહુજનવર્ગ તો બદલાયેલા બારદાનને જોઈને અંદરનો માલ બદલાઈ ગયો જ હશે એમ સમજીને સામે ચડીને છેતરાતો જ રહે છે. ગાંગુલી સાહેબ પણ આ દેશના પ્રજાજનોના આ ભોળપણનો કિ મૂર્ખાઈનો?] લાભ ઉઠાવવા જ આવી બોગસ જાહેરાતો કરી રહ્યા છે. પૂછો ગાંગુલી સાહેબને, તમે કિશોર શિક્ષાના નામે અમારાં બાળકોને સ્કૂલોમાં જે કાંઈ ભણાવવાના છો એની તમામે તમામ વિગતો અમને બતાવવા તૈયાર છો ખરા? એ શિક્ષામાં બાપ અને દીકરાને, મા અને દીકરીને, ભાઈ અને બહેનને જાહેરમાં ચર્ચા કરતાં શરમ આવે એવું કશું જ લખાણ નહીં હોય એની બાંયધરી આપવા તૈયાર છો ખરા? અરે, તમારા જ દીકરા-દીકરી સમક્ષ તમે ખુદ શિક્ષક બનીને એ શિક્ષા આપવા તૈયાર છો ખરા ? ગાંગુલી સાહેબ, વેશ્યાને “નગરવધુ’નું નામ આપીને એની સોબતમાં ચડી જવા મહેરબાની કરીને અમને ઉશ્કેરો નહીં. ૧૧

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100