Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 78
________________ જે દિવસે રાજકારણ સુધરશે તે દિવસે પોલીસ સુધરશે ગુજરાત સમાચાર : તા. ૮/૫/૦૭ આ વિધાન એટલું જ કહે છે કે રાજકારણીઓએ સમગ્ર પોલીસતંત્રને બાનમાં લઈ લીધું છે. ન્યાયતંત્ર હજી રાજકારણીઓ સામે માથું ઊંચકવાની સ્થિતિમાં આજે છે પરંતુ પોલીસતંત્રને તો રાજકારણીઓ જેમ નચાવે તેમ જ નાચવું પડે છે. પ્રશ્ન અહીં કોઈ રાજકારણના ચોક્કસ પક્ષનો નથી, સમસ્ત રાજકારણનો છે. એમાં ઘૂસી ગયેલ શાસકોને આડુંઅવળું, ઊંધું-ચત્તે, સાચું-ખોટું, સારું-ખરાબ બધું ય કરવું જ પડે છે. એવું કરવા માગતા શ્રીમંતોને, ઉદ્યોગપતિઓને, માફિયાઓને બચાવવા જ પડે છે કારણ કે એ વિના પક્ષ ચલાવવા માટેનું ‘ફંડ” મળતું જ નથી. આ સ્થિતિમાં રાજકારણીઓ પોલીસતંત્રને અપરાધીઓને પકડવાની અને સજા કરવાની છૂટ આપી દે એ શક્યતા જ ક્યાં છે? સડી ગયેલા મકાનમાં ખુરશી પર બેસનારને બદલતા રહેવાથી કોઈ સમસ્યા હલ થઈ જાય એ વાત મગજમાં બેસે છે ખરી? ૭૮

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100