SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જે દિવસે રાજકારણ સુધરશે તે દિવસે પોલીસ સુધરશે ગુજરાત સમાચાર : તા. ૮/૫/૦૭ આ વિધાન એટલું જ કહે છે કે રાજકારણીઓએ સમગ્ર પોલીસતંત્રને બાનમાં લઈ લીધું છે. ન્યાયતંત્ર હજી રાજકારણીઓ સામે માથું ઊંચકવાની સ્થિતિમાં આજે છે પરંતુ પોલીસતંત્રને તો રાજકારણીઓ જેમ નચાવે તેમ જ નાચવું પડે છે. પ્રશ્ન અહીં કોઈ રાજકારણના ચોક્કસ પક્ષનો નથી, સમસ્ત રાજકારણનો છે. એમાં ઘૂસી ગયેલ શાસકોને આડુંઅવળું, ઊંધું-ચત્તે, સાચું-ખોટું, સારું-ખરાબ બધું ય કરવું જ પડે છે. એવું કરવા માગતા શ્રીમંતોને, ઉદ્યોગપતિઓને, માફિયાઓને બચાવવા જ પડે છે કારણ કે એ વિના પક્ષ ચલાવવા માટેનું ‘ફંડ” મળતું જ નથી. આ સ્થિતિમાં રાજકારણીઓ પોલીસતંત્રને અપરાધીઓને પકડવાની અને સજા કરવાની છૂટ આપી દે એ શક્યતા જ ક્યાં છે? સડી ગયેલા મકાનમાં ખુરશી પર બેસનારને બદલતા રહેવાથી કોઈ સમસ્યા હલ થઈ જાય એ વાત મગજમાં બેસે છે ખરી? ૭૮
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy