Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 59
________________ મુંબઈમાં જ્યેષ્ઠ યુગલોના છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે દિવ્ય ભાસ્કર : તા. ૩/૬૦૦ વિજ્ઞાનયુગમાં જીવી રહેલ ભોગલંપટ માનવોએ જાણે કે નિર્ણય કરી લીધો છે કે માનવના ખોળિયે અમે પશુ ભલે નહીં બની જઈએ પરંતુ પશુઓ જે રીતનાં સુખો ભોગવી રહ્યા છે એ તમામ સુખો તો અમે ભોગવીને જ રહેશું ! પશુઓના જગતમાં તમને મર્યાદા જોવા મળે ? ના. વિવેકનાં દર્શન થાય? ના. શરમની ઉપસ્થિતિ દેખાય ? ના. સંબંધોની સ્થિરતા દેખાય? ના. સહિષ્ણુતા દેખાય? ના. બસ, આજના ભોગલંપટ માનવો પશુજગતની બધી જ મસ્તી અનુભવી લેવા જાણે કે દોટ લગાવી રહ્યા છે ! યુવાન દીકરા-દીકરીઓની હાજરીમાં એમના ટેકાથી, સહકારથી અને પ્રોત્સાહનથી મા-બાપો લગ્નજીવનનાં ૨૫/૨૫ વરસ બાદ છૂટાછેડા લઈ રહ્યા છે! આવતી કાલે કદાચ દાદા-દાદીઓ પણ આ જ માર્ગે જાય તો નવાઈ નહીં!

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100