Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 14
________________ વૈશ્વીકરણનો લાભ બધા જ વર્ગોને મળવો જોઈએ. - ઉપરાષ્ટ્રપતિ ભેરોસિંહ શેખાવત પત્રિકાઃ તા. ૨૪/૫/૦૦ ૭ ગરીબ તો શ્રીમંત સાથે બેસવા તૈયાર થઈ જશે પણ શ્રીમંત ગરીબનું ગૌરવ જાળવવાપૂર્વક એને પોતાની સાથે રાખવા તૈયાર થશે ખરો? આદર્શ તરીકે આ વાત બરાબર છે પણ વાસ્તવિકતાના સ્તર પર આ વાત શક્ય છે ખરી ? અને એમાંય યંત્રોના આ યુગમાં? ઑફિસમાં એક કયૂટર આવે છે અને એ ૨૫ અશિક્ષિતોને બેકાર બનાવી દે છે. ખેતરમાં એક ટ્રેક્ટર આવે છે અને એ લગભગ ૧૬૦ બળદોને કતલખાને રવાના કરવાપૂર્વક કેટલાય ખેડૂતોને આપઘાતના માર્ગે જવા મજબૂર કરી દે છે. રસ્તા પર રિક્ષાઓ દોડતી થાય છે અને એ ઘોડાની તથા ઘોડાગાડીવાળાની પથારી ફેરવી નાખે છે. બજારમાં ‘લૂમ્સ’ આવે છે અને એ હાથવણાટના કેટલાય કારીગરોને ઘરે બેસાડી દે છે. શું કહું? મુખ જેમ ખોરાક લઈને પેટમાં મોકલે છે અને પેટ એ ખોરાકને શરીરમાં બધે જ મોકલી આપીને શરીરને તંદુરસ્ત રાખે છે તેમ સંપત્તિ કહો તો સંપત્તિ અને શક્તિ કહો તો શક્તિ, એ જેની પણ પાસે હોય એ જો મુખ જેવો બની જાય તો જ વૈશ્વીકરણનો લાભ બધા જ વર્ગોને મળવો જોઈએ.’ એ આદર્શ બહુ નાના પાયા પર સફળ થાય. બાકી, શ્રોતાઓ વચ્ચે આ આદર્શને રજૂ કરીને શ્રોતાઓની તાળી મેળવવી ખૂબ સરળ છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100