Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જયંત પ્રે, ઠાકર આ વિમલેશ્વરમન્દિરમાં પાંચ લિગ પાસે પાસે આવેલાં છે. તેમાં એકને નાગ તથા છત્ર છે. તેથી તે મૂળ વિમલેશ્વર મહાદેવ હશે. આ પાંચે લિંગનું સ્થાન સહેજ ઊંડું હાવાથી થોડાં પગથિયાં ઊતરીને લિંગ પાસે પહોંચાય છે. આ સ્થળે કેટલાક સાધુ રહે છે અને પૂજન આદિ કરે છે. મન્દિર સાફસૂફ અને સારી હાલતમાં છે. લબ્ધપ્રતિષ્ટ પુરાતત્વવિદ્દ અને સંકાયના નિવૃત્ત “ ડીન . રમણલાલ ના. મહેતાએ વડોદરાનાં વિવિધ સ્થળોએ અને અન્યત્ર પણ ઘણું સંશોધનાત્મક ખોદકામ કરેલું છે. તેમનું વડોદરાઃ એક અધ્યયન” એ નામનું એક પુસ્તક મ. સ. વિશ્વવિદ્યાલયની સયાજ સાહિત્ય માળામાં કેટલાંક વર્ષો પહેલાં પ્રકાશિત થયું છે. તે પૃ. ૨ ઉપર તેમણે એમ જણાવેલું છે કે આ મંદિરમાંના લિંગના ચક્કસ સ્થળનું અવલોકન કરતાં સમજાય છે કે મૂળ ખુલ્લી જગામાં રહેલા લિગ ઉપર આ ઘુમ્મટવાળું મંદિર પાછળથી બાંધવામાં આવ્યું છે અને એ મન્દિરની રચનામાં ઉપયોગમાં લેવાયેલી ઈંટોને પ્રકાર જોતાં એમ કહી શકાય કે આ પ્રકારની ઈટાનો ઉપયોગ સત્તરમા શતકમાં શરૂ થયેલો. અહીં એ નોંધવું રસપ્રદ થશે કે જે ગ્રન્થમાં આ તીર્થસ્થળની વિગત આપેલી છે તે “વિશ્વામિત્રીનાથ' પણ સત્તરમા શતકમાં રચાયેલો લાગે છે. આ તીર્થ વિશ્વામિત્રી નદીના પશ્ચિમ કિનારા ઉપર આવેલું છે. (૨) જગપુર :-- આ સ્થળનામને ઉલેખ બે સ્થળે આવે છે ? ( ) ચોઘTeતર નregણમોતઃ મ: સવંગજનૂન ઘડ્રમ ફુવા:૨: I {.૨ અર્થાત જે તે વિમલેશ્વરતીર્થમાં જગપુર સમીપે એક ઈષ્ટફળ આ૫નાર વડનું ઝાડ હતું. ' 2 . (આ) સમતો વિમો ગાતો મગ મહેર विमलेश्वरनाम्ना त्वं स्थिरो भव जगत्पुरे ॥ १९.२९ ॥ અર્થાત—“ સમલ એ હું અહીં વિમલ બની ગયું તેથી હે મહાદેવ ! અહીં જગપુરમાં આપ વમલેશ્વર નામ ધરીને સ્થિર થાઓ.” આ બે ઉલેખ ઉપરથી એટલું સ્પષ્ટ સમજાય છે કે જગપુર એ નામનું કોઈ ગામ હશે જેમાં વિમલેશ્વરનું તીર્થક્ષેત્ર આવેલું હશે. પરંતુ આ સ્થળની આસપાસમાં આવા નામનું કોઈ ગામ હાવાનું આપણે જાણતા નથી. ગુજરાતને છતહાસ પણ કેવળ એક જ જગપુરને એાળખે છે અને તે છે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં છેક પાશ્ચમ સમુદ્રતટ ઉપર આવેલું પ્રાંસદ્ધ યાત્રાધામ દ્વારકા. પ મહેતા રમણલાલ નાગરજી: ‘વડોદરા: એક અધ્યયન', પ્ર. નિયામક, પ્રાયવિદ્યા મન્દિર. મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૮૭, આ. ૧, ૫, ૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108