________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડોદરાના એક સરસ ઉલ્લેખ
પુરાતત્વવિદેના મત અનુસાર વડોદરાના પશ્ચિમ છેડે આજે આવેલ અકોટા ગામ પ્રાચીન સમયમાં અંકોક નામથી જાણીતું એક સમૃદ્ધ શહેર હતું અને વડોદરા તે ત્યારે તેનું નાનકદ પર હતું !-જે છે આ વિમલેશ્વરમાહાસ્યમાં અમેદક કે આકોટાને નામે લેખ મળતું નથી.
આ જગપુરને આજનું વડોદરા માનવામાં એવો મેટો અવરોધ આવે છે કે રાજા સમલે ભગવાન શંકરને જગપુરમાં વિમલેશ્વર નામ ધારણ કરીને સ્થિર થવા વિનતિ કરી હતી અને આથી વિમલેશ્વર ત્યાં રહ્યા તે પહેલાંથી તે જગપુર અસ્તિત્વમાં હતું જ એ અર્થ આ ઉલેખમાંથી સ્પષ્ટ રીતે નીકળે છે; જ્યારે ભગવાન શંકરે કાડલી આ કથામાં જણાવાયું છે કે મહર્ષિ વિશ્વામિત્રે વટવૃક્ષને વચન આપ્યું કે પોતે ત્યાં તેનું નામ ધારણ કરેલા વટપદ્ર નામના વીરાયતન નગરની સ્થાપના કરશે. આથી તે સમયે વટ૫ક સ્થપાયેલું ન હોય. તેથી જગપુર વટ૫ એમ માની શકાય નહિ.
આ સાથે બીજી એક દલીલને પણ વિચાર કરવાને પ્રાપ્ત થાય છે. સંસ્કૃત શબ્દ Tr= 'ને અર્થ થાય “હમેશાં ગતિમાન, પ્રગતિ કર્યા કરતું, વિકસ્યા કરતું, સમૃદ્ધ થયા કરતું” (જત નત્તિ ત્તિ નાત). આ પરિસ્થિતિ આપણને જગપુ૨ એ જ વડોદરા એવું માનવા પ્રેરે છે; કેમકે પાંચ હજાર વર્ષ જૂનું અંકોટક પાછળ પડી ગયું અને નાનકડું વટપક ધીમે ધીમે વિકસીને વડોદરા શહેર બની ગયું !
આની સામે વળી એક બીજી દલીલ પણ વિચારવા જેવી છે. પ્રાચીન કાળમાં અકેદક મોટું સમૃદ્ધ શહેર હતું એમ પુરાતત્ત્વવિદે માને છે, તો “જતિ ત ત ગાત' એ રીતે અકેકને પણ વિકસ્યા કરતું સ્થાન કહી શકાય, કેમકે પ્રાચીન કાળમાં તે વડોદરા તેના પર જેવું જ હતું, અને આ ઉલલેખ પ્રાચીન કાળને છે એ સ્પષ્ટ છે. વળી જગપુર પાસે વિમલેશ્વર રહ્યા અને તેની પાસેના વડના નામ ઉપરથી તેની નજીક વટ૫ક પાછળથી વસાવ્યું એ કથાને અંશ એટલું તે સ્પષ્ટ કરે છે જ કે વટ૫ક વસ્યું તે પૂર્વે જગપુર અસ્તિત્વમાં હતું જ. આથી પ્રાચીન અંકાકને ઉલેખ regઇ' દ્વારા કરવામાં આવ્યો હોય તે વધારે ઉચિત લાગે છે. પુરાતત્ત્વવિદોના મત મુજબ વડોદરા નદીની પૂર્વમાં અને કેટક કે અકોટા નદીની પશ્ચિમે વસેલાં હતાં. આજે પણ એમ જ છે અને વિમલેશ્વર પશ્ચિમ તટે હોવાથી જગત્પર અર્થાત અંકેટ્ટકમાં આવેલું ગણવું એ બરાબર લાગે છે. આમ “વિશ્વામિત્રી માતા નું જગપુર અકેક કે અકોટા હોવાને વધારે સંભવ છે.
(૭) હિરણમય ન્યગોધ –આ વડને નામે લેખ આ વિમલેશ્વરમાહાસ્યમાં દસ કરતાં યે વધારે વખત આવે છે. તે દરેક સ્થળની વિગત અહીં આપવી એ પુનરુક્તિ જેવું થશે. કેમકે ઉપર વિમલેશ્વરમાહામ્યની કથા સંક્ષેપમાં આલેખી છે તેમાં તે બધી વિગતોને સમાવેશ થઈ જાય છે . તેથી તેના વિષે વિમર્શ જ કરવાને પ્રાપ્ત થાય છે, સ્વા પ
For Private and Personal Use Only