Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 73
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સદ્દગત કવિ પતીલ'નાં અપ્રમઢ હિંદી-અગ્રેજી ગીતકાવ્યા ... સંગીતની સારી સૂઝ હતી. કવિની શૈલી મેન્ટિક છે. અને આત્મલક્ષીતા એમનાં કાવ્યાનું વ્યાક લક્ષણુ છે. પ્રયાગપરાયણુતા, સંસ્કૃત ફારસી વૃત્તોનું મિશ્ર, નૈસર્ગિક પ્રવાહી કાવ્યપ્રવાહ, સરળ ખેાલચાલની ભાષા, ઊર્દૂ-ફારસી શબ્દોના શેખ પશુ તેના અતિશય વિનિયોગથી આવતી દુર્ગંધત આણંદ કવિની કવિતાનાં ધ્યાનપાત્ર લક્ષણા છે. બ. ક. ઠાકારે કવિને · સ્વાવલખી એકાકી અને તેજસ્વી સ્વમાનપ્રિય આત્મનિર્ભર કવિ' કહીને નવાજ્યા છે. કવિ ‘ઉશનસે ’ એમને ‘ પંડિતયુગના બાલાશંકર કથારિયા અને મણિલાલ દ્વિવેદીની કાવ્યપર'પરાના પ્રગતિશીલ અનુયાયી નર્મદાકાંઠાના સુકવિ' કહ્યા છે. ડૉ. ધીરૂભાઈ ઠાકર કવિને ‘ઢાકારની પ્રત્યેાગશીલતાને સફળપણે અપનાવનાર, મસ્તી ને વૈદનાગાન ગાનાર, તે સમકાલીનાથી અનેક રીતે અનેાખા રૂઢિભ’જક તથા ફનાગીરી તે દર્દે દિલોના મનસ્વી, લાપરવાહ તે વિષાદશીલ ' કહ્યા છે. રા. વિ. પાઠક કવિના પિગળ પરના પ્રભુત્વને વખાણે છે. ‘ નમ દાને ’કવિનું સર્વાંત્તમ કાવ્ય છે—કરુષ્ણ વિષાદ એ કવિતા મુખ્ય ભાવ છે અને ગઝલ તથા વિવિધ વૃત્તોના પ્રયોગ એમનું વિશિષ્ટ પ્રદાન છે. જ્યા હુ ના એક કાવ્ય એફેકશન' સાથે સામ્ય ધરાવતું કાવ્ય ' સદ્ભાવના ' કવિની ભાવની દૃષ્ટિએ સર્વોત્તમ રચના છે. નિરંજન ભગતના મત મુજબ કવિનું ઉત્તર જીવન કવિ એદલેરના ઉત્તર વન સાથે સામ્ય ધરાવે છે. લય અને પ્રાસની જાળવણીમાં આ કવિ પુરાગામીઓથી અનન્ય તરી આવે છે. વિષાદ, લાધવ, ઉત્કટ સ્વમાનવૃત્તિ અને આવેશ-આવેગપ્રધાનતા આદિ કવિની લાક્ષણિકતા છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ તાઝગી, ઇલિઝાબેથ યુગના કવિએ જેવી સાહસિકતા, ચાર્લ્સ પહેલાના યુગકવિએ જેવી ઉદ્દંડતા, બાયરન જેવા વિષાદ, ભાવમય અભિનિવેશ યુક્ત સુદર લયાત્મક પ્રાસબદ્ધતા, આદિ કાવ્યલક્ષણા કવિ ધરાવે છે. “ સૌદર્ય જયગાન ” કવિનું સર્વોત્તમ વિષાદયુક્ત મધુર કાવ્ય છે. કવિકૃત · નદાને' કાવ્ય શૈલીકૃત ‘સ્કાયલા ' કાવ્ય સાથે સુંદર પ્રાસસામ્ય ધરાવે છે, Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિના ‘પ્રભાતનમ દા ' નામક કાવ્યસંગ્રહનાં કાવ્યો પર કવિ વડ્ઝવર્થ, કીટ્સ અને કાઉપરના પ્રભાવ વરતાય છે, વળી એમની કાવ્યશૈલી પર ચેાસર, સ્પેન્સર, શૈલી, ટેનિસન અને ચાઇલ્ડહેલ્ડની અસર દેખાય છે. કવિએ ઇટાલિયન પ્રકારનાં સેાનેટ લખ્યાં છે, કેમકે કવિના મત મુજબ એ જ ખરાં સેનેટ છે, આવા કવિએ આસરે ૭૫ જેટલાં અંગ્રેજી કાવ્યો ભિન્નભિન્ન વિષય અને સ્વરૂપપ્રકારનાં લખ્યાં છે, જે અદ્યાપિ અપ્રગટ છે. કવિકૃત અ'ગ્રેજી ઉર્મિન કાન્યાને સંચય · સનરાઈઝ ’, “ ઇન્દ્ર એન્ડ શચી ” નામક અંગ્રેજી પ્રણયકાન્ય અને કવિ કાલિદાસકૃત મેઘદૂત જેવું બ્લેન્કવસમાં ‘ધ મેસેજ પેએમ ' નામક અંગ્રેજી કાવ્યગ્રંથે અદ્યાપિ અપ્રગટ છે. વિકૃત અંગ્રેજી ઊર્મિકાવ્યેના “ માય મિસેલંગ્ઝ ” નામક સ’ગ્રહમાં ગઝલા પણ સમાવિષ્ટ છે. વિષાદ-નિરાશા, ઉત્કટ સ્વમાન પ્રિયતા, પ્રવાહી જોશીલી અભિવ્યક્તિ, ખાયરન શી ગ્લાનિ—ઉદાસીનતા તથા પ્રબળ આત્મલક્ષીતા વગેરે એમનાં અંગ્રેજી કાવ્યાનાં લક્ષણા છે. અપ્રગઢ અંગ્રેજી-હિંદી કાવ્યગીતા ܕ . ઇ. સ. ૧૯૫૪માં પ્રકાશિત કવિના હિંદી-ઉર્દૂ કાવ્યસ`ગ્રહ નથી ત`` ' પછીના ગાળામાં લખાયેલ ધ્યાનપાત્ર એવાં ૪૦ જેટલાં અપ્રગટ કાવ્યગીતા પ્રાપ્ત થાય છે. પ્રકૃતિ, પ્રણય, દેશભક્તિ આદિ વિષય પર આ કાવ્યે લખાયેલ છે અને અધિકાંશ તઝ, ગઝલ, સેાનેટ જેવા પ્રકારો For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108