Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 14
________________ પણ જીર્ણશીર્ણ બની રહેવાને બદલે નમૂનારૂપ બને જે દેરારારોનું બાંધકામ શિલ્પી-રોમપુરાઓને રોપાય છે, તેમ મોટા ભવ્ય ઉપાશ્રયોનું બાંધકામ શિલ્પ-શાસ્ત્રના જાણકાર સોમપુરાંઓને તથા નાના ગ્રામ્ય ઉપાશ્રયોનું બાંધકામ સ્થાનિક પરંપરાગત કયાઓ વગેરેને જ સોંપવું જોઈએ. વિદેશી || પદ્ધતિનું ભણતર પામેલા ઇજનેરી (આર્કિટેક્ટ) વગેરે જેમ ગૃહસ્થોને રહેવાના મકાનમાં પણ વિદેશી શેલીનું અંધ અનુકરણ કરી, જે તે દેશના વાતાવરણ વગેરેથી તદ્દન વિપરીત •કાનો બનાત છે, તે જ રીતે ઉપાશ્રયમાં ઉપાશ્રયની વિશિષ્ટ જરૂરિયાતોંધી તદ્દન અનભિજ્ઞ રહી ખૂબ જ વિચિત્ર મકાન બનાવે છે. માટે આ કામ તેમને ન સોંપતાં ડારોıરા અથવા પરંપરાગત અનુભવજ્ઞાનનો વારસો ધરાવતા સ્થાનિક કીયા વગેરેને fજ સોંપવું જોઈએ. કિટેકટો આજે ગૃહસ્થોને ઘર તેમજ ઉપાશ્રયોની ઉપર છત અને ચાર બાજ ખ્યાબંધ બારી-બારણાં બનાવે છે, જે આ દેશના વાતાવરણ તથા ઉપાશ્રયની • વિશિષ્ટ જરૂરિયાતોથી તદ્દન વિસંગત છે. હકીકતમાં ઉપાશ્રયનું મકાન ચારેબાજુથી બંધ તથા વચ્ચે ખુલ્લા ચોક (ઓપન ટુ સ્કાય)વાળું હોવું જોઈએ. આમ થવાથી હવા ઉજાસ | પણ ખૂબ પ્રમાણમાં મળી રહેશે અને આજના વિષમ યુગમાં, વડીયો, ટી.વી ના જમાનામાં ચારે બાજું બારી બારણાંનો અભાવ (અલ્પતા) હોવાથી સંયમ શિથિલતાનું એક મોટું નિત્તિ દૂર થઈ જશે. તદુપરાંત આપણી આજુબાજુની (ચારે બાજુની)હવામાનવીઓના પાસોáાસ્તદિ તથા આજના યુગમાં તો મોટરગાડીઓ આદિના ઝેરી ધૂમાડાથી પ્રદુષિત હોય છે. બારીઓ દ્વારા હવાની અવરજવર કરવાની યોજનામાં પ્રદૂષિત હર્ષાની અવરજવર થાય છે. જ્યારે વચ્ચેના ખુલ્લા ચોકમાંથી આકાશની ચોખ્ખી સ્વચ્છ હવા આવે છે. આજકાલ મોટા શહેરોમાં ઉપાશ્રયો ચારેબાજુ ઊંચા ઊંચા મકાનોથી ઘેરાયેલા હોય છે. આ ગીચતાને પરિણામે ગમે તેટલાં બારીબારણાં હોવા છતાં પણ હવાઉજાસ રીકાઈ જાય છે. વચમાં ખુલ્લો રાક હોય છે આ નડતર પણ નડે નહિ. આ ઉપરાંત અવાજના પ્રદૂષણના આજના યુગમાં ગાડીઓ દ્વારા પ્રવેશતો મોટરગાડીઓનો ઘોંઘાટ વ્યાખ્યાન થી માંડીને સ્વાધ્યાયાદિમાં ખલેલ પહોંચાડે છે, તે નડતર પણ દૂર થઈ જાય. વ્યાખ્યાનો રામય દરમિયાન પણ વ્યાખ્યાકાર- મુની રામાંતર રહેલી ખુલ્લી બારીઓમાંથી અવાજ પ્રસરી જતો હોય છે, જેથી ઓછા ઝમે વધુ જિજ્ઞાસ સાંભળી શકે, તેનો લાભ મળતો નથી. આ રીતે અવાજને હણાઈ જતો રોકવા જો બારી બંધ કરવામાં આવે, તો પાછો ઉકળાટનો સવાલ ઊભો થાય છે. ઇલેક્ટ્રીકના આરંભની બાબતમાં નિર્બરા પરિણામ બનેલા આજના યુગમાં આજે ગામેગામ ઉપાશ્રયની બારીમાંથી લાછૂટની ઉગ્નેહી (ઉધોતાદિ) આવવાનો સવાલ ઊભો થાય છે, તે પણ વચ્ચે ખુલ્લો ચોક રાખવાથી રાળતાથી ઉકેલાઈ જાય. ગૃહરપોના ઘરમાં કે ગૃહસ્થો ઉપાશ્રયમાં) શિર તુજ આણ વહેં- - * ૨ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104