Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 87
________________ કેમ થયું છે તેનું રિસર્ચ શાણા માણરોએ કરવાનો સમય પાકી ગયો છે. વર્ષો પહેલાં મુંબઈમાં રામન રાઘવન નામનો એક કુંખ્યાત ખૂની થઈ ગયો. કહેવાય છે કે તેના માથા ઉપર એવું પાગલપન રાવાર થઈ ગયેલું કે માણરાને દેખે ત્યાં એને માણસને મારી નાખવાનો હડકવા ઉપડતો. અંગ્રેજોની વિદાય પછી સત્તાના સિંહાસનો પચાવી પાડનાર આ દેશના રાવાઈ અંગ્રેજોને પણ મારો-કાપો'નું એક પાગલપન લાગું પડયું છે. તેમની આર્થિક-સામાજિક-રાજકીય નીતિઓના પાપે આજે આ દેશમાં ચારે બાજુ ‘મારો-કાપો'ના જ જાણે કે નાદ સંભળાઈ રહ્યા છે. માથામાં જ્ ગારો, પથારીમાં માંકડ મારો, રસોડામાં વાંદા મારો, પોલ્ટ્રીફાર્મમાં મરઘાં મારો, કતલખાનાઓમાં પશુઓ કાપો, કૉલેજોમાં દેડકાં ચીરો અને એટલેથી રાંતોષ ન થતાં પેટમાં રહેલા બાળકને પણ 'કાયદેસર સલામત અને ખાનગી ગર્ભપાત'ના સુંવાળા નામ નીચે મારવા સુધી વાત પહોંચી છે. જે દેશનો ખેડૂત ‘જગતના તાતને નામે ઓળખાતો તથા ‘ચોરું ખાય, મોર ખાય અને બાકી બચ્યું તે ઢોર ખાય' કહી તે હિંસાથી વેગળો રહેવા પોતાને થતા નુકશાનને પણ હળવેકથી હસી કાઢતો તે ખેડૂતને પણ જંતુનાશક ઝેરના રવાડે ચડાવી દઈ આજે હિંદુસ્તાનના ગામડે-ગામડે આવેલા પ્રત્યેક ખેતર સુદ્ધાંને પણ જીવાત મારવાના કતલખાનામાં ફેરવી નાખવામાં આવ્યું છે. ક્ષુદ્ર જીવજંતુઓને મારી નાખવા સ્વરૂપે શરૂ થયેલું હિંસાનું આ કાળરાક્ર પૂંજાબ અને આસામમાં જીવતા મનુષ્યોને પણ ભૂંજી નાખવા રૂપે "રાકાષ્ઠાએ પહોંચ્યું છે. વિશ્વયુદ્ધોની હિંસાને રોકવી હોય તો સૌથી પહેલાં તો પ્રત્યેક વ્યક્તિએ પોતાનાં ઘરમાં પોતાના રોજિંદા જીવનમાં થતી હિંસાને રોકવી પડશે. ‘ઑમલેટ’ના રૂપમાં આજે ઇંડાંને ભૂંજી નાખનાર માણરાના મનોજગતની ધરતી પર અવતરિત થન્નેલ હિંાર્ક વ આવતીકાલે જીવતા જાગતા માણસને પણ ભૂંજી નાખવા સુધી પહોંરો તો તેમાં કોઈ આશ્ચર્ય નથી . પર્યુષણ મહાપર્વનો, અમારિ-પ્રવર્તનનો સંદેશ જગતને અહિંરાક બનાવતાં પહેલાં તે માટે સૌ પહેલાં પોતાના હૃદયમંદિરમાં અહિંસાધર્મની પ્રાણપ્રતિષ્ઠા કરવી તે છે. Jain Education International શિર તુંજ આણ વ ....... For Personal & Private Use Only ૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104