________________
માતાપિતાની શીતળ છાયા છોડી શકશે? માતા-પિતા રજા આપશે? જુઓ. હવે વૈરાગી શારદા બહેનને જવાબ પણ કેવો વૈરાગ્યભર્યો છે! તેમણે કહ્યું ગુરૂદેવ! મારી સંપૂર્ણ તૈયારી છે. (અંતરના ઉંડાણને અંતરંગ વૈરાગ્યને આ રણકાર હતે.) જેને મન સંસાર અનર્થની ખાણ છે અને જેને છેડવું છે તેને કેણ રોકનાર છે? ક્ષણિક જીવનમાંથી આત્મપ્રકાશ લેવાની મારી અહોનિશ ભાવના છે..
હજુ બાલ્યવયના પ્રાંગણમાં રમતી બાળાની સંયમ પંથે પ્રયાણ કરવાની કેટલી તીવ્ર ઉત્કંઠા છે. સંયમી જીવનની મોજ માણવા તેનું અંતર ઝંખી રહ્યું છે, જેથી હવે સંસારમાં વ્યતીત થતી ક્ષણે તેને યુગે જેવી વસમી લાગે છે. પૂ. ગુરૂદેવને ખાત્રી થઈ કે આ કન્યારત્ન દીક્ષા લઈને જૈન શાસનને અજવાળશે, સંપ્રદાયની શાન વધારશે અને ખંભાત સંપ્રદાયમાં ભવિષ્યમાં એવો પ્રસંગ આવશે કે સંપ્રદાયનું સુકાન તે ચલાવશે, અને શાસનને રોશન કરશે. એ ચાતુર્માસમાં વૈરાગી શારદાબહેને પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં ટૂંક સમયમાં દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર અને થેકડા કંઠસ્થ કર્યા. તેમણે માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં ટ્રેઈનની મુસાફરી ન કરવી અને બસમાં અમદાવાદથી આગળ ન જવું તેવી મનથી દઢ પ્રતિજ્ઞા કરી. આ બતાવી આપે છે કે શારદાબહેનને વૈરાગ્ય કેટલી ઉચ્ચ કેટીને હશે !
દૃઢ વૈરાગી શારદાબહેનની કસોટી :-શારદાબહેનના માતા પિતાએ તેમના ભાઈજી હીરાચંદભાઈ સકરચંદભાઈ ન્યાલચંદભાઈ, ખીમચંદભાઈ, ચીમનભાઈ તેમના મામા નરસિંહભાઈ સંઘવી, તેમજ કેશવલાલભાઈ આદિ બધાએ બહેન શારદાને સમજાવવા ઘણું પ્રયત્નો કર્યા ને ઘણું આકરી કસોટી કરી છતાં શારદાબહેન પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા. એકના બે ન થયા, તેથી માતા પિતાને ઘણું દુઃખ થયું ને કહ્યું કે અમે અન્નજળને ત્યાગ કરીશું પણ જેની રગેરગમાં વૈરાગ્યને સ્ત્રોત વહી રહ્યો છે જેના ચિત્તડામાં ચારિત્રની ચટપટી લાગી છે ને સંસાર રૂપી જ્વાળામુખીથી સુરક્ષિત રહેવા માટે જેમણે મેરૂ પર્વત જેવી અડેલ, અડગ દઢ શ્રધ્ધાને ધારણ કરી છે તે શું વૈરાગ્યભાવથી ચલિત થાય ખરા? વિવિધ પ્રકારની આકરી કસોટી કર્યા બાદ તેમને ભાવનામાં અડગ, નિષ્કપન જોઈને માતા પિતાએ કહ્યું કે અત્યારે સેળ વર્ષની ઉંમરે નહિ પણ ૨૧ વર્ષની ઉંમરે દીક્ષા માટે રજા આપીશું, પરંતુ શારદાબહેન તે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લેવામાં મક્કમ હતા. તેમણે કહ્યું કે સત્તર વર્ષની વિમળાબહેનના મૃત્યુને કઈ રોકી શકયું નહિ તે મારી જિંદગીને શે ભરોસો ? મારું મન બૈરાગ્યના રંગે રંગાયેલું છે. તેમાં પીછેહઠ થનાર નથી. અંતે શારદાબહેનને વિજય થશે ને માતાપિતાએ રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપી,
શારદાબહેનને ભાગવતી દીક્ષા મહત્સવ” – સંવત ૧૯૬ના વૈશાખ સુદ છઠ્ઠ તા. ૧૩-૫-૧૯૪૦ને સોમવારે સાણંદમાં તેમના માતા-પિતાના ઘેરથી ભવ્ય રીતે ખૂબ ધામધુમથી શારદાબહેનને દીક્ષા મહોત્સવ ઉજવાયે. સાણંદ શહેરમાં બહેનોમાં