Book Title: Sharda Siddhi
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ પ્રખર વ્યાખ્યાતા, બાલ બ્રહ્મચારી, વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીની જીવનરેખા “ પ્રેરણાદાયી વૈરાગ્યમય જીવન” પવિત્ર ભારતભૂમિ એ અનેક વીર રત્નની ખાણ છે. જે ભૂમિમાં અનેક તીર્થકરો, કેવળી ભગવંતે અને શાસનના વીરલા ને હીરલા જેવા તેજસ્વી રત્ન થયા છે. તેવા શાસન રત્નથી આજે પણ આ ભૂમિ ઝળહળી રહી છે. તે રત્નોમાં એક છે જૈન શાસનમાં એક સાધવી તરીકે રહી જેમણે જૈન શાસનને ડકે દેશદેશમાં વગાડી, જ્ઞાનની પરમ તેજસ્વી પ્રભા પ્રગટાવી અનેક સુષુપ્ત આત્માઓની ચેતનાને જાગૃત કરી અધ્યાત્મ માર્ગે વાળ્યા છે, જેમણે દિવ્ય જીવન જીવવાની કળાને અપૂર્વ બોધપાઠ જગતને આપ્યો છે, જેમના નામથી આજે કઈ પણ વ્યક્તિ અજાણ નહિ હોય, એવા છે ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા શાસનરત્ના, મહાન વિદુષી બા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી. સંત પુરૂને જન્મ આપનાર માતા પણ અમર બની જાય છે. તારાઓના સમૂહરૂપ હજારો બાળકને જન્મ આપનાર અનેક માતાઓ હોય છે પણ સૂર્ય સમાન મહાન તેજસ્વી, યશસ્વી શાસનરને જન્મ આપનાર માતાએ વિરલ હોય છે. આદર્શ માતાઓ જ જૈન શાસનમાં ધર્મ ધુરંધર બની શકનાર આત્માઓને જન્મ આપી શકે છે અને પિતાના સંતાનોને વીરતાના, ધર્યતાના પાઠ પઢાવી, સદ્ગુણેના શણગારોથી શણગારી સંતનેની મહામૂલ્ય ભેટ જૈન શાસનને અર્પણ કરી શકે છે, તેથી આવા શાસનરત્ના સતીજીના જીવનની રૂપરેખા આલેખતા પહેલા તેમના જન્મદાતા માતા-પિતાનું આલેખન કરવાનું મન થઈ જાય છે. શાસનપ્રેમી ધર્મરસિક પિતા વાડીભાઈ તથા સદ્દગુણથી શોભતા માતા સકરીબહેને જૈન શાસનને ઉજ્જવળ કરનાર અને સંપ્રદાયની શાન વધારનાર, જીવન ઉધારક, પ્રતિભાશાળી, મહાનસતીરત્ન બા.બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીને સંવત ૧૯૮૧ના માગશર સુદ ૧૧ ના પવિત્ર દિવસે મધ્યરાત્રીએ સાણંદ શહેરમાં જન્મ આપ્યો. ખરેખર કોને ખબર હતી કે આ નાનકડી બાળા ભવિષ્યમાં વીર પ્રભુના મહાન ત્યાગ માર્ગે પ્રયાણ કરી પિતાના સદ્ગુણ સુમનની સૌરભ સારી દુનિયામાં પ્રસરાવી, અમૃત વાણીના સિ ચનથી ભવ્ય જીવોને બળતા દાવાનળમાંથી ત્યાગની શીતળ તપોવન ભૂમિમાં લાવી માતા પિતાના નામને દુનિયામાં રેશન કરશે. આ ભાગ્યશાળી માતા સકરીબહેનને પાંચ દીકરીઓ અને બે દીકરા હતા. જેમાં અત્યારે ચાર દીકરીઓ અને બે દીકરા. મોજુદ છે. આપણે તે મુખ્ય વાત જૈનશાસનને જયવંત રાખનાર શાસનદીપિકા બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીના જીવનની રૂપરેખા લખવી છે તેથી તેમના જીવનના પ્રસંગે વિચારીએ. શિશુવયને વટાવી બાલ્યવયના પ્રાંગણમાં પગ મૂકતા શારદાબહેનને તેમના ઉપકારી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 992