________________
ઠેરઠેર જૈન મંદિરો બંધાવ્યાં અને પરમાર્હુતનું બિરુદ લોકો તરફથી મેળવ્યું. સિદ્ધરાજની જેમ કુમારપાળને પણ પુત્ર ન હોવાથી જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં એમની નિરાશા વધી ગઈ હતી. તે સમયે એમના મનનું સમાધાન કરાવવા માટે હેમચન્દ્રાચાર્યે યોગશાસ્ત્રની રચના કરી.
હેમચન્દ્રાચાર્યનું આખું જીવન સતત ઉદ્યોગપરાયણ હતું. એકંદરે દીર્ઘાયુષ્ય એમને સાંપડ્યું હતું. પોતાની આયુષ્યમર્યાદા પૂરી થવા આવેલી જાણી તેમણે અનશનવ્રત શરૂ કર્યું. શિષ્યોને પણ અગાઉથી સૂચના આપી દીધી હતી. એમ કરતાં સં. ૧૨૨૯માં ૮૪ વર્ષની વયે તેઓ કાળધર્મ પામ્યા.
સાહિત્યના ક્ષેત્રમાં પણ હેમચન્દ્રાચાર્યનું અર્પણ જેવુંતેવું નથી. માત્ર હિંદુસ્તાનની અન્ય ભાષાઓના સાહિત્યમાં જ નહિ, વિશ્વસાહિત્યમાં જેને મૂકી શકાય એવી સર્વતોમુખી પ્રતિભાવાળા હેમચન્દ્રાચાર્ય હતા. એમની કીર્તિ દેશવિદેશના પ્રાચીન ભાષાસાહિત્યના અભ્યાસીઓમાં પ્રસરેલી છે. આશ્ચર્ય થશે કે અર્વાચીન સમયમાં એમના જીવન અને સાહિત્ય ઉપર સૌ પ્રથમ સુંદર સમીક્ષા કરનાર એક જર્મન પંડિત ડૉ. બુલ્હેર છે. શ્રી કનૈયાલાલ મુનશીએ હેમચન્દ્રાચાર્યને યોગ્ય રીતે જ ગુજરાતના મહાન જ્યોતિર્ધર તરીકે ઓળખાવ્યા છે. હેમચન્દ્રાચાર્યની સાહિત્યસેવાનો સુંદર, સચોટ અને સંક્ષિપ્ત પરિચય સોમપ્રભસૂરિએ એક શ્લોકમાં આપ્યો છે ઃ क्लृप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं द्वयाश्रयाSलंकारी प्रथितौ नवौ प्रकटिती श्री योगशास्त्रं नवम् । तर्क: संजनितो नवों जिनवरादीनां चरित्रं नवं
बद्धं येन न केन विधिना माहः कृतो दूरतः ॥
અર્થાત્ “નવું વ્યાકરણ, નવું છંદશાસ્ત્ર, યાશ્રય મહાકાવ્ય, નવું અલંકારશાસ્ત્ર, નવું યોગશાસ્ત્ર, નવું તર્કશાસ્ત્ર અને જિનવરોનાં નવાં ચરિત્ર – આ સઘળું જેમણે રચ્યું તે હેમચન્દ્રાચાર્યે લોકોનો મોહ કઈ કઈ રીતે દૂર નથી કર્યો ??’ એમણે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણની રચના કરી. એ વ્યાકરણની એ સમયથી તે અત્યાર સુધી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના એક આધારભૂત વ્યાકરણ તરીકે ગણના થાય છે. પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના બંધારણ વિષે આપણને હેમચન્દ્રાચાર્યના વ્યાકરણ જેવું આધારભૂત વ્યાકરણ બીજું એકે મળતું નથી; એટલે ભવિષ્યમાં પણ વર્ષો સુધી એમનું આ વ્યાકરણ જ આધારગ્રંથ તરીકે રહેશે. હેમચન્દ્રાચાર્યે આ વ્યાકરણમાં વિશેષતઃ અપભ્રંશ ભાષાના વ્યાકરણના નિયમોમાં – ઉદાહરણ તરીકે વ્યવહાર, પ્રેમ, શૌર્ય અને શૃંગારના જે દુહાઓ આપ્યા છે તે વ્યાકરણના ઉદાહરણ તરીકે જાણીતા છે તેના કરતાં ઉત્તમ કવિતા તરીકે વધુ જાણીતા થયા છે. એ દુહાઓ એ જમાનાનો આપણને ખ્યાલ આપે છે અને હેમચન્દ્રાચાર્ય : એમનું જીવન અને કવન * ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org