Book Title: Sahitya Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 467
________________ પ્રભુતા : એમાં અમે શું જાણીએ ? તમને એમ લાગતું હોય તો જાવ પૂછો જઈને બાપુજીને. ન નલિનકાન્ત : પ્રભુતા, તું વચ્ચે ન બોલ, કંચન, તું અત્યારે જતી રહે, – સમજીને જતી રહે. નકામું તારું અપમાન થશે. કંચન : જે થાય તે; હું જવાબ લીધા વગર જવાની નથી. બાપુજી ગમે ? તમે ના કહેતા હો તો મારે કંઈ મારી મેળે મારું ફોડી લઈશ; ને તે કહે. તમે પોતે શું કહો છો બળજબરીથી પરણવું નથી. નહિ ફાવે તો ઝેર ખાઈશ ! પ્રભુતા : જુઓ, એવી ધમકીથી અમે બી જવાનાં નથી, સમજ્યાં ? લ્યો, હું જ તમને કહી દઉં કે મારા ભાઈ તમારી સાથે લગ્ન... નલિનકાન્ત : (વચ્ચે) પ્રભુતા ! તને કોણ આ બધું ડહાપણ કરવાનું કહે છે ? (કંચનને) જો કંચન, હું તને હા કે ના કહું એ કશું ચાલવાનું નથી. બાપુજી થોડા વખતમાં તારે ઘેર કહેવડાવી દેશે, બસ ? પછી... કંચન : એમ જ કહોને કે તમારે જ નથી પરણવું, પણ પોતાના મોઢે મગનું નામ મરી નથી પાડવું. ને બાપુજી' બાપુજી' કર્યા કરવું છે ! પ્રભુતા : જે સમજો તે... નલિનકાન્તઃ પ્રભુતા ! તને કહ્યું ને કે તું વચ્ચે ન બોલ ! કંચન, તને પણ કેટલી વાર કહ્યું કે અત્યારે અહીંથી જતી... કંચન : (ઉગ્ર થઈ, જતાં જતાં) આ બધું પૈસાનું જ અભિમાન ! પ્રભુતા (સરોષ) હા, હા, જા – નલિનકાન્ત : (ઘાંટો પાડીને) પ્રભુતા !! કંચન : (જતાં જતાં આંખમાં આંસુ સાથે) હવે આ કંચનને જીવતી નહિ જુઓ. [જાય છે.] નલિનકાન્ત : તું નાહક વચ્ચે ડબડબ કરતી'તી. પ્રભુતા : પણ ભાઈ, મને તમારી રીત જ પસંદ નથી. એક વખત ચોખ્ખી ના કહી દીધી હોત તો થોડી પછી ઊભી રહેવાની હતી ? નલિનકાન્ત : એમ એકદમ ના કહી દેવાની શી જરૂર ? સામા માણસનો પણ વિચાર કરવો જોઈએ ને ? પંદર-સોળ વરસ સગાઈ રાખી, ને હવે જ્યારે એ નિરાધાર થઈ છે ત્યારે ના કહીએ તો સામા શ્યામ રંગ સમીપે ૪૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508