SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુતા : એમાં અમે શું જાણીએ ? તમને એમ લાગતું હોય તો જાવ પૂછો જઈને બાપુજીને. ન નલિનકાન્ત : પ્રભુતા, તું વચ્ચે ન બોલ, કંચન, તું અત્યારે જતી રહે, – સમજીને જતી રહે. નકામું તારું અપમાન થશે. કંચન : જે થાય તે; હું જવાબ લીધા વગર જવાની નથી. બાપુજી ગમે ? તમે ના કહેતા હો તો મારે કંઈ મારી મેળે મારું ફોડી લઈશ; ને તે કહે. તમે પોતે શું કહો છો બળજબરીથી પરણવું નથી. નહિ ફાવે તો ઝેર ખાઈશ ! પ્રભુતા : જુઓ, એવી ધમકીથી અમે બી જવાનાં નથી, સમજ્યાં ? લ્યો, હું જ તમને કહી દઉં કે મારા ભાઈ તમારી સાથે લગ્ન... નલિનકાન્ત : (વચ્ચે) પ્રભુતા ! તને કોણ આ બધું ડહાપણ કરવાનું કહે છે ? (કંચનને) જો કંચન, હું તને હા કે ના કહું એ કશું ચાલવાનું નથી. બાપુજી થોડા વખતમાં તારે ઘેર કહેવડાવી દેશે, બસ ? પછી... કંચન : એમ જ કહોને કે તમારે જ નથી પરણવું, પણ પોતાના મોઢે મગનું નામ મરી નથી પાડવું. ને બાપુજી' બાપુજી' કર્યા કરવું છે ! પ્રભુતા : જે સમજો તે... નલિનકાન્તઃ પ્રભુતા ! તને કહ્યું ને કે તું વચ્ચે ન બોલ ! કંચન, તને પણ કેટલી વાર કહ્યું કે અત્યારે અહીંથી જતી... કંચન : (ઉગ્ર થઈ, જતાં જતાં) આ બધું પૈસાનું જ અભિમાન ! પ્રભુતા (સરોષ) હા, હા, જા – નલિનકાન્ત : (ઘાંટો પાડીને) પ્રભુતા !! કંચન : (જતાં જતાં આંખમાં આંસુ સાથે) હવે આ કંચનને જીવતી નહિ જુઓ. [જાય છે.] નલિનકાન્ત : તું નાહક વચ્ચે ડબડબ કરતી'તી. પ્રભુતા : પણ ભાઈ, મને તમારી રીત જ પસંદ નથી. એક વખત ચોખ્ખી ના કહી દીધી હોત તો થોડી પછી ઊભી રહેવાની હતી ? નલિનકાન્ત : એમ એકદમ ના કહી દેવાની શી જરૂર ? સામા માણસનો પણ વિચાર કરવો જોઈએ ને ? પંદર-સોળ વરસ સગાઈ રાખી, ને હવે જ્યારે એ નિરાધાર થઈ છે ત્યારે ના કહીએ તો સામા શ્યામ રંગ સમીપે ૪૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy