SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ માણસનું તો કાળજું જ બેસી જાય ને ? તને જ, દાખલા તરીકે, અત્યારે બિપિનચંદ્ર ના પાડી દે તો કેવું થાય ? પ્રભુતા : બિપિનચંદ્ર મને શું કામ ના પાડે? મારામાં એવી શી ખોડખાંડપણ કે અવગુણ છે? નલિનકાન્ત : ત્યારે કંચન કાળી છે, એ સિવાય બીજો શો અવગુણ છે એનામાં ? ઊલટાનું તું બિપિનચંદ્રને શ્યામ હોવા માટે જેવી રીતે... પ્રભુતા : (ઉગ્ર થઈ જાવ, જાવ. એવી ખોટી વાત કરો નહિ. પૂછજો બિપિનચંદ્રને... (ઘંટડી વાગે છે. પ્રભુતા ઊભી થઈ બારણું ઉઘાડે છે. બિપિનચંદ્ર પ્રવેશે છે.] પ્રભુતા : આવો. નલિનકાન્ત : આવો બિપિનચંદ્ર. કેમ, કેવો ગયો અત્યારનો પેપર ? બિપિનચંદ્ર : સારો ગયો. નલિનકાન્ત : આજે છૂટ્યા ત્યારે. બિપિનચંદ્ર : હા, આજથી ઉજાગરા બંધ. પ્રભુતા : પાણી લાવીને આપતાં) ખૂબ થાકી ગયા લાગો છો ? બિપિનચંદ્ર : ના, જરા વિચારમાં હતો. નલિકાન્ત, શું શેઠસાહેબ આવી ગયા નલિનકાન્ત : હા, તમારી જ રાહ જુએ છે. બાજુના રૂમમાં બેઠા છે, મોહનલાલ શેઠ સાથે. બિપિનચંદ્ર : મોહનલાલ ? યશવંતના બાપા? નલિનકાન્ત : હા. જા ને પ્રભુતા, બાપુજીને કહે.. બિપિનચંદ્ર : કામમાં હોય તો હમણાં ભલે ત્યાં બેઠા. ત્યાં સુધી આપણે વાતો કરીએ. પ્રભુતા : હા, પછી આપણી વાત નહિ થાય. નલિનકાન્ત : કેમ, આગળ પછી શું નક્કી કર્યું? બિપિનચંદ્ર : એલએલ.એમ.નો તો પાકો વિચાર હજુ કર્યો નથી, પણ સોલિસિટરનું કરવા તો આવવાનો જ છું. નલિનકાન્ત : તો તો બે-ત્રણ વર્ષ અમને તમારી કંપની મળવાની. પ્રભુતા : ભાઈ, મુખ્ય વાત કરી દોને. પછી બાપુજી આવશે એટલે... બિપિનચંદ્ર : શું ? ૪૧૮ : સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy