________________
એમની આ કૃતિઓમાંથી ઘણીખરી કૃતિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. પરંતુ એમની કેટલીક લઘુરચનાઓ, ખાસ કરીને ઘણીખરી સઝાયો હજુ પ્રકાશિત થઈ નથી. એમની કૃતિઓમાં સૌથી સમર્થ અને યશદાયી કૃતિ તે “વિમલપ્રબંધ' છે.
વિમલપ્રબંધ – કવિ લાવણ્યસમયની કદની દૃષ્ટિએ મોટી અને ગુણવત્તાની દષ્ટિએ સૌથી ચડિયાતી કૃતિ તે ‘વિમલપ્રબંધ છે. ઈ. સ. ૧૫૧૨માં કવિએ એની રચના કરી છે. ચૂલિકા સહિત નવખંડની ૧૩પ૬ જેટલી કડીમાં લખાયેલી આ કૃતિને કવિએ એમાં પ્રબંધ' ઉપરાંત કેટલેક સ્થળે રાસ' તરીકે અથવા “રાપ્રબંધ' તરીકે ઓળખાવી છે, પરંતુ સ્વરૂપે તે પ્રબંધના પ્રકારની જ છે. અલબત્ત, એ જેમ પ્રબંધ છે, તેમ ચરિતાત્મક પદ્યકૃતિ પણ છે, કારણ કે સોલંકી યુગમાં રાજા ભીમ પહેલાના સમયમાં થઈ ગયેલા સુપ્રસિદ્ધ જૈન મંત્રી વિમલનું ચરિત્ર એમાં આલેખાયું છે. વિમલ મંત્રીએ આબુ પર્વત પર દેલવાડામાં બંધાવેલ વિમલવસહી' નામનું જૈન મંદિર એની કલાકારીગીરીને કારણે આજે તો જગતભરમાં સુપ્રસિદ્ધ છે. કવિ લાવણ્યસમયના સમયમાં પણ એની કીર્તિ ચારે બાજુ પ્રસરેલી હતી જ અને વિમલમંત્રીનું જીવન આદરણીય અને અનુકરણીય હતું. એથી કવિએ એ દ્વારા ધર્મનો મહિમા ગાવા અને ધર્મોપદેશ આપવાના હેતુથી આ કૃતિની રચના કરેલી છે. વિમલમંત્રીના સમય પછી લગભગ પાંચસો વર્ષે કવિ લાવણ્યસમયે આ કૃતિની રચના કરી છે, જે સમયે અલબત્ત કવિને વિમલના જીવનની હકીકતો મેળવવા માટે ઉપલબ્ધ લેખિત સાધનો ઉપરાંત દંતકથા ઉપર વિશેષ આધાર રાખવો પડ્યો હશે. વળી, એકંદરે જોતાં પ્રબંધના પ્રકારની આ કતિ હોવા છતાં એમાં ઐતિહાસિક ઘટનાઓના આલેખનના પ્રમાણ કરતાં સામાજિક અને ધાર્મિક બાબતોનું નિરૂપણ વિશેષ થયું છે. ઇતિહાસ અને કવિતાની દૃષ્ટિએ નહિ એટલું સામાજિક પરિસ્થિતિની અને લોકાચારના નિરૂપણની દૃષ્ટિએ એનું મૂલ્ય છે. તેમ છતાં ઇતિહાસના સંશોધન માટે તે મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે એમાં પણ શંકા નથી.
વિમલપ્રબંધમાં ‘કાન્હડદે પ્રબંધ'ની સરખામણીએ કથાપ્રવાહ મંદ ગતિએ વહે છે. વળી એમાં પ્રસંગો પણ કૃતિના કદની અપેક્ષાએ ઓછા છે. આ પ્રબંધમાં વિમલ મંત્રીના જીવનને જ મુખ્યપણે આલેખવાનો કવિનો આશય હોવાથી તે પ્રશસ્તિકાવ્ય જેવો બની જાય છે. એમાં શ્રી, વીરમતી, રાજા ભીમદેવ, ઠંડાનગરનો રાજા, રોમનગરના સુલતાનો અને એમની બીબીઓ, જૈન સાધુ ધર્મધોષસૂરિ ઇત્યાદિ ગૌણ પાત્રોનું આલેખન પણ એટલું સુરેખ થયું છે. વિમલના પાત્રાલેખનમાં એનાં રાજદ્વારી કાર્યોને જેટલું પ્રાધાન્ય અપાયું છે, એના કરતાં એનાં ધાર્મિક કાર્યોને વિશેષ પ્રાધાન્ય અપાયું છે, પરંતુ જૈન સાધુકવિને હાથે તેમ બનવું સ્વાભાવિક છે. વસ્તુતઃ એ પ્રકારના
જૈન સાહિત્ય - ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org