Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ અથડાયા કરે છે. પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી ૨૦૧૧ ધ્યાન ધરીને સાધનાનો ખોટો દેખાવ કરનારા કરતાં જે પોતાના વગેરે પાત્રો પોતપોતાની રીતે દરેક વસ્તુને મૂલવવાનો પ્રયાસ બંધન કાપી શકે તે ઉત્તમ. કરે છે પણ એ પાત્રો જેના તાબામાં છે એ છઠ્ઠું પાત્ર-માલિક મન પરંપરિત સાધનાત્મક પરિભાષા જાણ્યા વિના આવી અવળવાણીનોએ તમામને એક થવા દેતું નથી એટલે જુદા જુદા વિષયોમાં આમતેમ સાચો અર્થ ન સાંપડે. જીવ, જગત, માયા, બ્રહ્મ, બ્રહ્માનુભૂતિ, વૈરાગ્ય, ભક્તિ, યોગ અને આત્મા વિશે આપણા સંતોએ પ્રતીકાત્મક રીતે ગૂઢ રહસ્યમય વાણીમાં ઘણું ચિંતન આપ્યું છે. એક એક શબ્દ સંતો માટે જીવનસાધના હતો. શબ્દમની ઉપાસના કરતાં કરતાં જે નવનીત આ સંતોને મળ્યું તે પોતાની વાણીમાં વ્યક્ત કર્યું છે. ‘સમજ્યા સોઈ નર પાયા...' જે આ રહસ્યને સમજી શક્યા છે તે જ પૂર્ણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી શક્યા છે, તેમ કબીરજીએ અમસ્તું નથી કહ્યું. કવિઓની શબ્દલીલા સામે સંતોની શબ્દસાધના એનું પ્રમાણ છે. અલખને લખવા આપણી સામાન્ય બોલી કે ભાષા કામ નથી આવતી, એ માટે તો આશરો લેવો પડે અવળવાણીનો. ગૂઢ રહસ્યાત્મક ઊક્તિઓની આ પરંપરાના મૂળ છેક વેદો સુધી પહોંચે છે પણ સંતવાણી પ્રવાહમાં કબીર એના વિશિષ્ટ ને વિરલ પુરસ્કર્તા છે. કબીર-ગોરખની અવળવાણી શબ્દ ફેર-ભાષાહેરે આજ સુધીના તમામ ભજનિક કવિઓ સુધી વિસ્તરતી રહી છે. સભામાં સૌના સોઈ ન મળે, મૂંગા, બહેરા, નકટા, આંધળા પ્રભુની ખોજમાં ફરે, ભામાં સતા સોઈ ન મળે... વક્તા પુરુષનો વેશ જ બહેરો, વેદ ચાકરી ચરે, પ્રેમ થકી પરને પરોઢે પણ પોતે નહીં સાંભળ... સભામાં રાત અસત બે જ રાજદની, ભૂંગી પરીયા કરે, ભલી ભૂરીનું ભાન પછા સુખથી ના ઓચરે... સભામાં અત્તર ફૂલેલ કળી કેવડો, તે નકટાની નજર ચડે, પદારથ પરખે ખરો પા, ખાસ કરી ના ... સભામાં અંધો સુગંધી સરવે લેવે, ખાસ ખુશબોઈને કહે, ભભકામાં ભરપુર રહે પણ વસ્તુ નજરે નવ ચડે... સભામાં. શીત ઉષ્ણાને સહન કરી, મહા અજર જગ્યા જ, ગણી ૠતુની ખમે તીતીશા, ટુ:ખી કદી નવ ડરે... રસભામાં. આખા જગતમાં આ પાંચ જિગનાસ, છઠ્ઠી પંડિતાઈ કરે, ઉપાગ કરે આખું ટાળવા પણ ઊલટું અંગમાં ફળે... સભામાં આ આંટી કોઈ વિરલા કાઢે, જે પારખ સતગુરુ મળે, વારત હારે તો પળમાં અવિચળ પદવી હતું... સભામાં આ પાંચને જે પરમોદે, પાંચે લાવે એક ઘરે, દાસ સવો એના હરિજન રે'જે ભરા તરે... સભામાં... દાસ સવો જીવનવ્યવહારમાં કેવી વિચિત્રતાઓ છે એની સમજણ આપતું આ ભજન આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ પંચેન્દ્રિય દ્વારા માનવીને ધતાં જ્ઞાન અને એની મર્યાદાઓ દર્શાવે છે. પરમાત્માની ખોજમાં નીકળેલી આ પાંચે ઈન્દ્રિયની જમાતના લક્ષણો કેવાં છે! સંસારસભામાં મૂંગો, બહેરો, નકટો, આંધળો વેદવાણી ઉચ્ચારનારી જીભ બીજાને ઉપદેશ આપે છે. પણ પોતે તો બહેરી જ છે! પોતે જે બોલે છે તે સાંભળી શકતી નથી, સાંભળવાનું કામ તો કરે છે કાન. એ કેવું-કેટલું સાંભળે છે એની જાણ જીભને ક્યાંથી થાય ? કાન સાચા-ખોટા શબ્દની પરીક્ષા કરી શકે છે પણ તે છે મૂંગા. પોતાનો પ્રતિભાવ નથી આપી શકતા. આંખ સુગંધિત પુષ્પો, અત્તર, ભોજનપદાર્થો જોઈ શકે છે પણ એની સુગંધ નથી લઈ શકતી. જ્યારે નાક સુગંધ લે છે તો એને જોઈ શકાતું નથી એટલે આંધળું છે. ત્વચા ઠંડ-ગરમ, લીસું-ખરબચડું જાણી શકે છે. પણ એ વ્યક્ત કરવા તો જીભનો જ આશરો લેવો પડે. આ દરેક પોતે જે અનુભવ કરે છે તેની મૂલવણી કોઈ બીજું કરે છે એટલે દરેકને બોધ આપ્યા કરીને આ પંડિતાઈ કરતું મન આ બધા ઉપર કાબૂ ધરાવે છે. એ કારણે તો આત્માને સાચી વસ્તુની પરખ થતી નથી. મન ઉપર જો આત્માનો કાબૂ આવી જાય તો આ પાંચે ઈન્દ્રિયોની મર્યાદિત શક્તિ શત-સહસગણી થઈ જાય. અંતર્મુખી થયેલી વૃત્તિઓ નિર્વિકાર સ્વરૂપે સ્થિર થઈને અમૃતતત્ત્વનું આચમન કરી શકે. મન ઘણીવાર અધ્યાત્મના-સાધનાના પંથે ચડીને અહમ્ ટાળવાનો પ્રયાસ કરે છે પણ એનું હું પદ તો ઊલટું અંગેઅંગમાં વ્યાપી રહે છે. જો સદ્ગુરુની કૃપા થાય તો એની આંટી-ગાંઠ છૂટે. હાર-જીત, સુખ-દુઃખ, હરખ-શોકના દ્વંદ્વ જો હારી જાય, પંડેથી છૂટી જાય તો પલકવારમાં અવિચળ પદવી પ્રાપ્ત થઈ જાય. આ પાંચને જે પરોઢે કંઠી બાંધી વશ કરી લ્યે અને પોંચેને એક ઘરે લાવી શકે તે સાધક સંત સહેજે સહેજે આ ભવસાગર તરી જાય છે. આત્મસાધના અને પંચીકરણ જેવા ઉપાયો દ્વારા પોતાના ચિત્ત ઉપર તથા ઈન્દ્રિયો ઉપર કાબૂ મેળવીને સાક્ષાત્કાર કરવાની પ્રક્રિયા આપણા દરેક સંત-ભજનિકે પોતાની વાણીમાં બતાવી છે. અલખની ઓળખાણનો પોતાનો અનુભવ લગભગ તમામ સંત કવિઓએ પોતાની વાણીમાં વર્ણવ્યો છે. અષ્ટાંગ યોગ દ્વારા મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞાચક્ર સુધીના ષટચક્રો ભેદીને કુંડલિની શક્તિ સહસ્ત્રારમાં આવે અને પરમાત્મ-સાક્ષાત્કાર થાય ત્યાં સુધીમાં સાધકને જુદાજુદા અનેક અલૌકિક અનુભવો થતા હોય છે. આ સ્વાનુભવ શબ્દ દ્વારા વ્યક્ત કરવો હોય તો પરંપરિત રૂઢ પરિભાષા દ્વારા જ થઈ શકે. અને એનો અર્થ સંતવાણીની પરંપરા કે પદાવલિના જાણકા૨-મરમી પાસેથી જ સાંપડે. આનંદ આશ્રમ, ધોધાવદર, તા. ગોંડલ, જિ. રાજકોટ-૩૬૦૩૧૧. Phone : 02825 –271 582, 271 409. Mobile : 98243 71904

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 402