________________
મેહનચરિત્ર સર્ગ ચે.
(७७). अधीयानस्य तस्यैवं निरगात्सरध्यम् ॥ तावता रूपचन्ज्ञाणां शरीरेऽनूदपाटवम् ॥३०॥ व्योमेन्छनन्दमांने विक्रमादित्यवत्सरे॥ चैत्रे सिते चैकादश्यां रूपचन्शा दिवं ययुः॥१॥ जानानस्यापि देहादेः दाणनङ्गरतां तदा ॥ स्वान्तं श्रीमोदनस्यानू-छोकध्वान्तसमाकुलम् ॥७॥ अपनोदाय तस्याय शारदारुणसंनिनाः ॥ सूरयः समुपागत्या-बोधयन्मोदनं तदा ॥७३॥ सूरीणामुपदेशाच कालनिर्गमनादपि॥ मोदनः स्वास्थ्यमासाद्य यथापूर्वमथापगत् ॥ ७ ॥ एकाकी कथमत्रायं स्थास्यतीति विचिन्त्य ते॥ वाराणस्यां वसन्ति स्म सदृशं मंदतामदः॥ ५॥
(૬૯) ઉપર કહ્યા પ્રમાણે મોહનજીએ અભ્યાસ કરતાં બે વરસ ગાળ્યાં, એટલામાં રૂપચંદજીના શરીરે મંદવાડ થયો. (૭૦) સંવત્ ઓગણીસો દશ-(૧૯૧૦ )ના ચૈત્રસુદી અગ્યારસ-( ૧૧ )ને દિવસે રૂપચંદજી કાળ કરીને દેવલોક ગયા. (૭૧) દેહાદિક વસ્તુઓ ક્ષણભંગુર છે, એ વાત મોહનજી સારી રીતે જાણતા હતા, તે પણ તેમનું મન શેકારૂપી અંધકારથી આકુળવ્યાકુળ થઈ ગયું. (૭૨) તે અંધકાર દૂર કરવા માટે જાણે શરતકાળને સૂર્યજ હાયની શું! એવા શ્રીમહેંદ્રસૂરિજીએ તે વખતે આવીને મોહનજીને બોધ કર્યો. (૭૩) મહેંદ્રસૂરિજીના ઉપદેશથી તથા કેટલેક કાળજવા પછી મેહનજીનું મન સ્થિર થયું, ત્યારે પૂર્વની પેઠે તેમણે અભ્યાસ શરૂ કર્યો. (૭૪) મેહનજી એકલે શીરીતે અહીં રહેશે.” એમ વિચારીને મહેંદ્રસૂરિજી કાશીમાં જ રહ્યા. મોટાને