Book Title: Marg Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 9
________________ માનવાનું ઉચિત છે. દસ-વીસ જણા ભેગા થઈ પોતાની જાતને ગીતાર્થ સંવિગ્ન માની, શાસ્ત્રનિરપેક્ષ નિર્ણયો કરે અને એને માર્ગસ્વરૂપે પ્રમાણભૂત દર્શાવે : એની અહીં વાત નથી. આજની વર્તમાન સ્થિતિમાં નવા માર્ગને સ્થાપન કર્યા વિના શાસ્ત્રીય પ્રણાલિકાનું વ્યવસ્થાપન કરવામાં આપણા સૌનું હિત છે. માર્ગ તો સુનિશ્ચિત છે; એ માર્ગે જ્યારે ચાલવું છે-એનો જ નિશ્ચય કરવાની આવશ્યકતા છે. અચિત્ય પુણ્ય પ્રભાવે પ્રાપ્ત થયેલા પરમતારક માર્ગની આરાધના કરવાની શક્તિ હોવા છતાં એ માર્ગને છોડીને નવો માર્ગ સ્થાપવાની પ્રવૃત્તિ સ્વ-પરના હિતનું કારણ નહિ બને...૩-રા સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓના આચરણને જોઈને તે મુજબ પ્રવૃત્તિ કરનારા; “એકે કહ્યું માટે બીજાએ કર્યું - આ નીતિથી પ્રવૃત્તિ કરતા હોવાથી તે એક રીતે અંધપરંપરા છે. કારણ કે એ વખતે કોઈ જ્ઞાન નથી.... આવી શંકાનું નિરાકરણ કરાય છે – अनुमाय सतामुक्ताचारेणागममूलताम् । पथि प्रवर्त्तमानानां शङ्क्या नान्धपरम्परा ॥३-३।। સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થમહાત્માઓના આચરણથી આગમમૂલકતાનું અનુમાન કરીને માર્ગે પ્રવર્તનારા માર્ગાનુસારી આત્માઓની તે તે પ્રવૃત્તિમાં અર્ધપરંપરાની શક્કા નહિ કરવી જોઈએ." - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા શિષ્ટ જનોનું આચરણ જોઈને “એકે કહ્યું માટે બીજાએ કર્યું અને બીજાએ કર્યું માટેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66