Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
આમ ૧૯૯૨માં શનિવાર અને રવિવાર એમ બે દિવસે સંવત્સરી કરી અને થોડોઘણો જ્યાં બે પક્ષ | Vહતા ત્યાં કલેશ પણ થયો. આમ છતાં વિક્રમ સંવત ૧૯૯૨ના આસો માસ સુધી પર્વતિથિનો ક્ષય થાય કે I બોલાય તે વાત કોઇએ રજૂ કરી ન હતી. શનિવારે સંવત્સરી કરનાર પક્ષના વીરશાસને ટિપ્પણામાં આસો
વદ ૧૪ના ક્ષયે તેરસનો ક્ષય જાહેર કર્યો હતો.
વિક્રમ સંવત ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯માં પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવો કે છઠનો ક્ષય | કરવો તે પૂરતી અલ્પ વિરોધવાળી ચર્ચા હતી તે વિક્રમ સંવત ૧૯૯૨માં ઘનિષ્ઠ થઇ. અને તે ચર્ચામાં એમ જણાવાયું કે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થાય નહિ. તે વાત ગતાનુગતિક છે. શાસ્ત્રીય નથી. અને પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ થાય છે તેમાં ઉદયતિથિનો અપલાપ કરવામાં આવે છે, તે શાસ્ત્ર વિરુદ્ધ છે. અને તે યતિઓની પરંપરામાં ચાલ્યું છે. ખરી રીતે પૂનમ-અમાસના ક્ષયે પૂનમનું કાર્ય ચૌદશના દિવસે કરવું İજોઇએ. કેમકે તે દિવસે સૂર્યોદય વખતે ચૌદશ છે અને પછી પૂનમનો ભોગવટો છે. એટલે પંચાંગની | ઉદયવતી ચૌદશના દિવસે ચૌદશ-પૂનમ બન્નેની આરાધના કરવી જોઇએ. અને ટિપ્પણાની પૂનમ-અમાસની | વૃદ્ધિએ ચૌદશના દિવસે ચૌદશની આરાધના અને પહેલી પૂનમના દિવસે ખાલી પૂનમ રાખવી અને બીજી પૂનમના દિવસે પૂનમ રાખવી. આમ પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે તે બરાબર નથી. કેમ કે ક્ષયના પ્રસંગે તેરસના દિવસે ચૌદશની આરાધના અને ચૌદશના દિવસે પૂનમની આરાધના થાય છે. ઉદયવાળી ચૌદશ હોવા છતાં તેને છોડી ઉદયવાળી તેરસે ચૌદશની આરાધના કરાય છે અને વૃદ્ધિના પ્રસંગમાં Iજે દિવસે ચૌદશનું નામ નિશાન નથી તે પૂનમના દિવસે ચૌદશની આરાધના થાય છે. આમ પૂનમ-અમાસની | ક્ષય-વૃદ્ધિએ ચૌદશની આરાધના વિરાધાય છે.
' પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાનો રવૈયો યતિઓથી ચાલ્યો છે અને પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવાની રીત અજ્ઞાન માણસોને સમજાવવા માટે થોડા વખતથી જૈનધર્મ પ્રસારક સભા વિગેરેએ પંચાંગો છાપી શરૂ કરેલ છે. બાકી પહેલાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થતી હતી. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ વિગેરે તિથિનો ક્ષય આવે ત્યારે તેનું કાર્ય એકમ, ચોથ, સાતમ, દશમ, તેરસના દિવસે કરવાનું અને બીજ પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશની વૃદ્ધિ આવે ત્યારે તેનું કાર્ય બીજી બીજ, બીજી પાંચમ, બીજી આઠમ અને બીજી અગિયારસે કરવાનું. આમ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ બોલવામાં કે કહેવામાં કાંઈ બાધ નથી. આ પ્રમાણે વિજયરામચંદ્રસૂરિજી તરફથી વીરશાસનમાં જોરશોરથી |પ્રચાર કરવાનું શરૂ થયું. અને સૌ પ્રથમ શાસનમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થઈ શકે તેવું વિધાન તથા પુનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે તે શાસ્ત્રવિરુદ્ધ છે, આ વાતનો પ્રચાર કરવામાં આવ્યો. પણ ૧૯૯૨ સુધી પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવામાં આવી નહિ.
(૬)
વિક્રમ સંવત ૧૯૯૩માં પણ ૧૯૯૨ની પેઠે ટીપણામાં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ આવી. આ Jવખતે તો શરૂઆતથી જ વીરશાસન પત્ર વિગેરે રામચંદ્રસૂરિજીના પક્ષે જોરશોરથી પ્રચાર કરવા માંડ્યો અને | સૌ પ્રથમ મુંબઈ લાલબાગમાંથી કેશવલાલ ગૌતમ દ્વારા પંચાંગ બહાર પાડવામાં આવ્યું. તેમાં પર્વતિથિની I ક્ષયવૃદ્ધિઓ જણાવવામાં આવી. બીજ વિગેરે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે આપણે ત્યાં એકમ વિગેરેનો ક્ષય
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
૬૪]