Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi

View full book text
Previous | Next

Page 160
________________ પોકાર્યા. ધાંધલ ધમાલ કરી. પણ કશું વળ્યું નહિ. આ પછી ધીરજલાલે જૈન જ્યોતિના વધા૨ા કાઢ્યા. પેમ્ફલેટો વહેંચ્યાં. આ બધુ કર્યું, પણ નેમિસૂરિ મ. શાંત હતા. તેમણે આ પ્રતિકારને જરાય ધ્યાનમાં ન લીધો. છેવટે યુવક સંઘવાળા થાક્યા અને આ પ્રકરણ પૂરું થયું. ૩. રતલામ પ્રકરણ રતલામમાં શાંતિનાથ ભગવાનનું એક મોટું દેરાસર છે. આ દેરાસરમાં પૂજારી તરીકે વંશપરંપરાગત બ્રાહ્મણો પૂજા કરતા હતા. તેઓ જૈનેતર હોવાથી તેમણે પોતાની પૂજા માટે મહાદેવ વિગેરેની સ્થાપના દેરાસરના ગભારામાં એક બાજુ કરી હતી. આ એ કારણે બનેલ કે વચગાળામાં દેરાસરનો પૂરો વહીવટ |સંભાળપૂર્વક ન રાખતા હોવાથી બ્રાહ્મણોએ આવું કરેલું. તેની શરૂઆતમાં કોઈને ખબર પડેલી નહિ. અને1 પછીથી ખબર પડી ત્યારે આપણા જૈનોએ તેની ઉપેક્ષા કરી. આ કેટલાક વર્ષથી ચાલતું હતું. તેમાં જૈનો તથા ચાતુર્માસ દરમ્યાન આવતા સાધુઓને પણ ખબર હતી. છતાં જૈન-જૈનેતરો વચ્ચે કજિયો થાય તે બીકે કોઈ કાંઈક કરતા ન હતા. વિ.સં. ૨૦૧૦-૧૧ની સાલનો આ સમય હતો. સાગરજી મ.ના સાધુઓ ત્યાં ચાતુર્માસ રહેલ, તેમણે આ જોયું. શ્રાવકોને ઉપેક્ષા બદલ ઠપકો આપ્યો. અને એક દિવસે આ મહાદેવ વિગેરેની સ્થાપના શ્રાવકોની સાથે મળી ઉખેડી બહાર કાઢી નાખી. પરિણામે જૈન-જૈનેતરમાં મોટો વિખવાદ થયો. તે વખતે ત્યાં આ કામ કરનારા શ્રાવકો ઉપર વોરંટ કાઢ્યું. તેમને પકડ્યા અને જેલમાં પૂર્યા. આ પકડાનારાઓમાં કેટલાક બુઝર્ગ પ્રતિષ્ઠિત સારા આગેવાન જૈન ધર્મીઓ પણ હતા. જેને લઈને જૈન સમાજમાં મોટો ઊહાપોહ | જાગ્યો. હું તે વખતે સંસ્કૃતિ રક્ષક સભાનું કામ સંભાળતો હતો. અને ધર્મસાગરજી મ.ની બધી પ્રવૃત્તિઓમાં | જોડાયેલો હતો. ધર્મસાગરજી મહારાજે માળવામાં ચોમાસું કરેલું હોવાથી અને રતલામ, ઉજ્જૈન, ઇન્દોર વિગેરે |સાગરજી મ.ના ભક્ત શ્રાવકોના ક્ષેત્રો હોવાથી તેમના કહેવાથી હું રતલામ ગયો. તેમના આગેવાનોને | મળ્યો. આ અંગે તારો વિગેરે જે કરવા પડે તે કર્યા. જો કે હું ગયો તે દરમ્યાન તો જે શ્રાવકોને પકડ્યા હતા । તેમને છોડી મૂક્યા હતા. પણ જૈનોમાં ભયનું વાતાવરણ હતું. જૈનેતરોની વસ્તી મોટી, અને જૈનોની સંખ્યા! ઓછી હતી. ઉપરાંત આ સંઘર્ષ લાંબો ચાલે તો સ્થાનિક સંધોને ખૂબ શોષવું પડે તેમ હતું. તેથી સમાધાનનો રાહ અપનાવાયો. આ પછી તો આ કાર્ય શ્રીયુત રમણલાલ દલસુખભાઈએ સંભાળ્યું. તે મુંબઈથી આવ્યા. કલેક્ટર વિ.ને મળ્યા. સ્થાનિક સંઘોને પણ મળ્યા. અને કહ્યું કે મ.શ્રીના કહેવાથી આ ઉતાવળ કરવાની | જરૂર ન હતી. સલાહ સંપથી કામ લેવાની જરૂર હતી. આ પ્રસંગને લઈ મારો રમણભાઈ શેઠ સાથે વિશેષ પરિચય થયો. રમણભાઈ શેઠે સાદ્યંત આ કામ સંભાળ્યું. રતલામમાં મુખ્ય આગેવાન તેજરાજજી હતા. કોઈ પણ સંઘ રતલામ આવે ત્યારે તેમના તરફથી વર્ષો થયા સાધર્મિક જમણ ભક્તિપૂર્વક અપાતું. આ કુટુંબની પ્રસિદ્ધિ સારાયે જૈન સમાજમાં હતી. દગડુમલ અને મિશ્રીમલ એ રતલામના વતની હતા. પાછળથી તેમણે દીક્ષા લીધેલી. એ સમયમાં મિશ્રીમલજી | કર્મગ્રંથ, કમ્મપયડીનાં ઘણા સારા વિદ્વાન ગણાતા. ગુજરાતમાંથી સાધુઓ તેમની પાસે ભણવા જતા. રતલામ પ્રકરણ] [૧૫૩

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238