Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 20
________________ યુવકે તીર તૈયાર કર્યું, ને બોલ્યો : ‘હુક્મ, મહારાજા ! કઈ જોબનવંતીની ઝાલ વીંધું ?’ ‘ગોરી ઓતરાદી. જમણું ઝાલ.' મહારાજાએ આજ્ઞા કરી. તીર છૂટ્યું ને ઝાલ વીંધાણી. ‘શાબાશ ! બાણાવળી !' બધેથી ધન્યવાદના પોકારો ઊઠ્યા. ‘અમે હજી બાણાવળીની વધુ કરામત જોવા ચાહીએ છીએ.' મહારાજ ભીમદેવે ઉમંગમાં આવીને કહ્યું. સિપાઈઓએ એક બાળક્ને જમીન પર સુવાડ્યો. એની છાતી ઉપર પાન મૂક્યાં. યુવાને તીર તૈયાર કર્યું ને મહારાજને કહ્યું : ‘આજ્ઞા કરો ગુર્જરેશ્વર ! કેટલામું પાન વીંધું ?' ‘પાંચમું પાન.’ મહારાજાએ ક્યું. યુવાને બરાબર નિશાન તાકી તીર છોડ્યું. પાંચમું પાન વીંધીને તીર ચાલ્યું ગયું. સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ જ વખતે બીજો એક યુવાન પણ મેદાન ઉ૫૨ આવ્યો. તેણે પણ ઘણી રમતો બતાવી. તે પ્રથમ યુવક્નો ભાઈ હતો. રામલક્ષ્મણ જેવી આ ભાઈઓની જોડી ઉપર મહારાજા ભીમદેવ અત્યંત પ્રસન્ન થયા અને બંનેને પાસે બોલાવી પીઠ થાબડી. બધી પૂછપરછ કરી. પછી પ્રજાજનોને ઉદ્દેશીને કહ્યું : “પ્રજાજનો ! આજના અદ્ભુત બાણાવળી બંધુઓ આપણા મંત્રી વીરના પુત્રો છે. તેમની બાણવિદ્યા જોઈને હું અત્યંત પ્રસન્ન થયો છું. તેમાંના પ્રથમ વિમળને હું મારો દંડનાયક બનાવું છું અને બીજા ભાઈ નેઢને હું મારા સલાહકા૨ક મંડળમાં દાખલ કરું છું. હું આશા રાખું છું કે તેઓ ગુજરાતના ગૌરવને ખૂબ દીપાવશે.” પ્રજાજનોએ હર્ષથી તે જાહેરાતને વધાવી લીધી. કોણ હતા એ બે અદ્ભુત બાણાવળી બંધુઓ ? અને કયા જમાનામાં એ જન્મ્યા ? Jain Education International For Private & Personal Use Only વીરોત્સવ * ૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106